GJN 10th SST

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 11 ભારત : જળ સંસાધન

Gujarat Board Solutions Class 10 Social Science Chapter 11 ભારત : જળ સંસાધન

Class 10 GSEB Solutions Social Science Chapter 11 ભારત: જળ સંસાધન

→ “જળ છે તો જીવન છે.” જળ વિના પૃથ્વી પર કોઈ પણ પ્રકારની સજીવ સૃષ્ટિ અશક્ય છે. તમામ જીવોના આધારે જળ જ છે. દરેક દેશની સમૃદ્ધિનો આધાર ખેતી અને ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવાતા જળ પર જ છે.

→ વધતી જતી વસ્તી અને વિકાસ કાર્યો માટે જે ઝડપે અને જથ્થામાં જળ વપરાય છે તેનાથી જળની અછત સર્જાતી જાય છે. જળ એ મર્યાદિત સંસાધન છે, તેથી તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે.

→ જળસ્ત્રોત : જળ સોતોના મુખ્ય ત્રણ પ્રકાર છે :

  • વૃષ્ટીય જળ
  • પૃષ્ઠીય જળ અને
  • ભૂમિગત જળ,

→ વૃષ્ટીય જળ: “વૃષ્ટિ’ એ પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે, નદીઓ, સરોવરો, ઝરણાં, કૂવા, માનવનિર્મિત જળાશયો વગેરે વૃષ્ટિને આભારી છે.

→ પૃષ્ઠીય જળ : તે નદીઓ, સરોવરો, તળાવો, ઝરલાં અને બંધથી બનેલાં જળાશયોમાં જોવા મળે છે, નદીઓ પૃષ્ઠીય જળનો મુખ્ય સોત છે.

→ ભૂમિગત જળ : જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે. તેનો જથ્થો અમર્યાદિત છે. ભારતના ભૂમિગત જળનો મોટો ભાગ મેદાની વિસ્તારોમાં જમા થયેલો જોવા મળે છે. તેનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે.

→ જળ સંસાધનો અને તેમનો ઉપયોગ : ભારતમાં પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. બીજી સદીમાં કાવેરી નદી પર બંધાયેલો “રૅન્ડ નિકટ’ (ભવ્ય બંધ) અને ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેર તેનાં ઉઘહરણો છે. આજે ભારતમાં લગભગ 84 % જળ સિંચાઈ માટે વપરાય છે. હવે અન્ય ઉપયોગો પણ ઝડપથી વધવા લાગ્યા છે. તેની અસર સિંચાઈ પર થવા પૂરો સંભવ છે.

→ ભારતમાં સિંચાઈનાં મુખ્ય ત્રણ માધ્યમો છે, તેમાં

  • કૂવા અને ટયુબવેલ મુખ્ય માધ્યમો છે, જ્યારે
  • નહેરો અને
  • તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.

→ નહેરોનો મહત્તમ વિકાસ સમતલ મેદાની વિસ્તારોમાં થયો છે. આ મેદાનોમાં પુષ્કળ કૂવા અને ટયૂબવેલ પણ છે, તળાવો દ્વારા મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણનાં રાજ્યોમાં સિંચાઈ થાય છે.

→ બહુહેતુક યોજનાઓ નદીઓ પર બંધ બાંધી મૌર્ય જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન, પૂર-નિયંત્રણ, જમીન-ધોવાણનું નિયંત્રણ, આંતરિક જળપરિવહન, મસ્યઉદ્યોગ, મનોરંજન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહે છે. સ્વતંત્રતા બાદ ભારતમાં અનેક નદીઓ પર બહુહેતુક યોજનાઓ કરવામાં આવી છે.

→ સિંચાઈ-ક્ષેત્રનું વિતરણ : ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રોમાં ઘડ્યો તફાવત છે. આઝાદી પછી ભારતમાં કુલ સિંચાઈક્ષેત્ર ચાર ગણું વધ્યું છે, ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38 % ભાગમાં સિંચાઈ થાય છે.

→ ભારતમાં સિંચાઈ-ક્ષેત્રનું વિતરણ ઘણું અસમાન છે. મિઝરમમાં તેનું પ્રમાણ માત્ર 7.3%, તો પંજાબમાં 90.8% છે. નદીઓના મુખત્રિકોણપ્રદેશો, પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશનાં સઘન સિંચાઈ-ક્ષેત્રો છે.

→ જળસંકટ: પાણીની તંગી માનવીની સુખાકારી, આજીવિકા અને તેના આર્થિક વિકાસ પર મોટી અસર કરે છે. દેશનાં શુષ્ક ક્ષેત્રોમાં જળસંકટની ગંભીર સમસ્યા છે. આજે પણ દેશનાં 8% શહેરમાં પીવાલાયક પાણી મળતું નથી. દેશનાં લગભગ 50 % ગામડાંઓમાં પણ આ જ હાલત છે. દેશમાં સિંચાઈની સગવડો વધવા છતાં આજે પણ દેશનું કૃષિક્ષેત્ર માત્ર વરસાદ પર નભે છે. કૂવા અને ટ્યૂબવેલ દ્વારા જમીનમાંથી વધુ પડતું પાન્ની ખેંચાવાથી ભૂમિગત જળસપાટી નીચી ગઈ છે. તેનાથી કેટલાંક રાજ્યોમાં વિકાસ કાર્યક્રમોને અસર પહોંચી છે. વિવિધ ઉપયોગો માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ કથળી છે. પાણીના પ્રદૂષણ માટે ઘરગથ્થુ અને ઔદ્યોગિક કચરાથી મલિન થયેલું પાણી જવાબદાર છે.

→ જળ સંસાધનોની જાળવણી અને તેનું વ્યવસ્થાપન : જળ સંસાધનના સંરક્ષણ માટે જળનો વિવેકપૂર્ણ ઉપયોગ, વધુમાં વધુ જળાશયોનું નિમણ, વધારાના જળનું એક નદી ખીજ્ઞવિસ્તારમાંથી બીજા નદી ખીણવિસ્તારમાં સ્થળાંતર અને ભૂમિગત જળસ્તર ઉપર લાવવાના પ્રયાસોની જરૂર છે.

→ જળ-સંરક્ષણ ક્ષેત્રે જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ’ અને ‘વૃષ્ટિજળ સંચય” જરૂરી છે.

→ જળપ્લાવિત ક્ષેત્ર વિકાસ એક નદીમાં તેની આસપાસના જેટલા વિસ્તારનું વરસાદનું પાણી આવે છે, તે વિસ્તારને તે નદીનું “જળપ્લાવિત ક્ષેત્ર” કે “ખીણ-ક્ષેત્ર’ કહે છે.

→ વૃષ્ટિજળ સંચયઃ કૂવા, બંધારા, ખેત-તલાવડીઓ વગેરેમાં વરસાદનું પાણી એકઠું કરવાની પ્રવૃત્તિને “વૃષ્ટિજળ સંચયકહે છે. તેનાથી જળ-સંચય થાય છે અને ભૂમિગત જળની સપાટી ઊંચી આવે છે.

→ વૃષ્ટિજળ સંચય માટે ખાડાઓનું નિર્માણ કરવું, ખેતરોની ફરતે ઊંડી નીકો ખોદવી, નાની નાની નદીઓ પર બંધારા બાંધવા, મકાનોની છતનું પાણી એકઠું કરવા મકાનના પરિસરમાં વરસાદી ટાંકા બનાવવા વગેરે જરૂરી છે.

→ યોગ્ય જળવ્યવસ્થાપન માટે લોકોમાં જાગરૂકતા લાવવી, જળાશયોનું પ્રદૂષણ અટકાવવું, શુદ્ધ કરેલા પાણીનો ખોટો ઉપયોગ થતો અટકાવવો, પાણીની કરકસર કરવી, પાણી-પુરવઠાની પાઇપલાઈનમાં પ્રદૂષણ થતું અટકાવવા તેને સુકાવા ન દેવી તથા તેમાં ભંગાણ પડ્યું તેનું તાત્કાલિક સમારકામ કરી તેમાંથી પાણી વહી જતું અટકાવવું વગેરે બાબતો ઘણી મહત્ત્વની છે.

GSEB Class 10 Social Science Important Questions Chapter 11 ભારત: જળ સંસાધન

દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
જળ એ ……………………… સંસાધન છે.
A. અખૂટ
B. અમર્યાદિત
C. મર્યાદિત
ઉત્તરઃ
C. મર્યાદિત

પ્રશ્ન 2.
પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત ‘……………………..’ છે
A. વૃષ્ટિ
B. નદીઓ
C. સાગર
ઉત્તરઃ
A. વૃષ્ટિ

પ્રશ્ન 3.
પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ……………………… છે.
A. સરોવરો
B. નદીઓ
C. વૃષ્ટિ
ઉત્તરઃ
B. નદીઓ

પ્રશ્ન 4.
ભૂમિગત જળનો જથ્થો ……………………… છે.
A. અમર્યાદિત
B. મર્યાદિત
C. અસમાન
ઉત્તરઃ
A. અમર્યાદિત

પ્રશ્ન 5.
ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં ………………………….. % ભૂમિગત જળ મળે છે.
A. 32
B. 52
C. 42
ઉત્તરઃ
C. 42

પ્રશ્ન 6.
ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ …………………….. માં થાય છે.
A. પેયજળ
B. સિંચાઈ
C. ઉદ્યોગો
ઉત્તરઃ
B. સિંચાઈ

પ્રશ્ન 7.
ભારતમાં લગભગ …………………………. % જળ સિંચાઈ માટે ઉપયોગી છે. ?
A. 84
B. 52
C. 65
ઉત્તરઃ
A. 84

પ્રશ્ન 8.
એક કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ ……………………… લિટર પાણીની આવશ્યકતા રહે છે.
A. 800
B. 1000
C. 1500
ઉત્તરઃ
C. 1500

પ્રશ્ન 9.
ભારતમાં બીજી સદીમાં ………………………. નદીમાંથી ‘ઍન્ડ ઍનિકટ’ (ભવ્ય બંધ) નામની નહેરનું નિર્માણ થયું હતું.
A. ગોદાવરી
B. ગંગા
C. કાવેરી
ઉત્તરઃ
C. કાવેરી

પ્રશ્ન 10.
ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશમાં પૂવય ……………………. નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
A. યમુના
B. ગંગા
C. કોસી
ઉત્તરઃ
A. યમુના

પ્રશ્ન 11.
ભારતમાં ……………………… સિંચાઈનાં મુખ્ય માધ્યમો છે.
A. કૂવા અને તળાવો
B. તળાવો અને ટ્યૂબવેલ
C. કૂવા અને ટ્યૂબવેલ
ઉત્તરઃ
C. કૂવા અને ટ્યૂબવેલ

પ્રશ્ન 12.
ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ …………………….. % ભાગમાં સિંચાઈ થાય છે.
A. 38
B. 48
C. 58
ઉત્તરઃ
A. 38

પ્રશ્ન 13.
મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના ………………………… % વિસ્તારમાં સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે.
A. 7.3
B. 12.50
C. 15.4.
ઉત્તરઃ
A. 7.3

પ્રશ્ન 14.
પંજાબમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ …………………………. % છે.
A. 58.4
B. 60.8
C. 90.8
ઉત્તરઃ
C. 90.8

પ્રશ્ન 15.
ભાખડા-મંગલ યોજના ……………………….. નદી પર આવેલી છે.
A. સતલુજ
B. યમુના
C. ગંગા
ઉત્તરઃ
A. સતલુજ

પ્રશ્ન 16.
પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને ………………………. યોજનાનો લાભ મળે છે.
A. ભાખડા-નંગલ
B. હીરાકુડ
C. કોસી
ઉત્તરઃ
A. ભાખડા-નંગલ

પ્રશ્ન 17.
બિહાર રાજ્યને ……………………. યોજનાનો લાભ મળે છે.
A. કોસી
B. ચંબલ
C. દામોદર
ઉત્તરઃ
A. કોસી

પ્રશ્ન 18.
ઝારખંડ અને પશ્ચિમ બંગાળ રાજ્યોને ……………………… યોજનાનો લાભ મળે છે.
A. કોસી
B. દામોદર
C. હીરાકુડ
ઉત્તરઃ
B. દામોદર

પ્રશ્ન 19.
હીરાકુડ યોજના …………………… પર આવેલી છે.
A. દામોદર નદી
B. કોસી નદી
C. મહાનદી
ઉત્તરઃ
C. મહાનદી

પ્રશ્ન 20.
ઓડિશા રાજ્યને ………………………… યોજનાનો લાભ મળે છે.
A. દામોદર
B. હીરાકુડ
C. કોસી
ઉત્તરઃ
B. હીરાકુડ

પ્રશ્ન 21.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોને …………………. યોજનાનો લાભ મળે છે.
A. ચંબલ ખીણ
B. દામોદર ખીણ
C. હીરાકુડ
ઉત્તરઃ
A. ચંબલ ખીણ

પ્રશ્ન 22.
નાગાર્જુનસાગર યોજના …………………… નદી પર આવેલી છે.
A. કાવેરી
B. કૃષ્ણા
C. ગોદાવરી
ઉત્તરઃ
B. કૃષ્ણા

પ્રશ્ન 23.
આંધ્ર પ્રદેશ અને તેલંગણા રાજ્યોને …………………… યોજનાનો લાભ મળે છે.
A. નાગાર્જુનસાગર
B. તુંગભદ્રા
C. કૃષ્ણરાજસાગર
ઉત્તરઃ
A. નાગાર્જુનસાગર

પ્રશ્ન 24.
કૃષ્ણરાજસાગર યોજના …………………… નદી પર આવેલી છે.
A. કાવેરી
B. કૃષ્ણા
C. ગોદાવરી
ઉત્તરઃ
A. કાવેરી

પ્રશ્ન 25.
કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોને ……………………… યોજનાનો લાભ મળે છે.
A. નાગાર્જુનસાગર
B. તુંગભદ્રા
C. કૃષ્ણરાજસાગર
ઉત્તરઃ
C. કૃષ્ણરાજસાગર

પ્રશ્ન 26.
કર્ણાટક અને આંધ્ર પ્રદેશ રાજ્યોને ………………………. યોજનાનો લાભ મળે છે.
A. તુંગભદ્રા
B. કૃષ્ણરાજસાગર
C. નાગાર્જુનસાગર
ઉત્તરઃ
A. તુંગભદ્રા

પ્રશ્ન 27.
સરદાર સરોવર યોજના ………………………. નદી પર આવેલી છે.
A. સાબરમતી
B. તાપી
C. નર્મદા
ઉત્તરઃ
C. નર્મદા

પ્રશ્ન 28.
મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર રાજ્યોને …………………….. યોજનાનો લાભ મળે છે.
A. નર્મદા ખીણ
B. ચંબલ ખીણ
C. દામોદર ખીણ
ઉત્તરઃ
A. નર્મદા ખીણ

પ્રશ્ન 29.
કડાણા અને વણાકબોરી યોજનાઓ …………………….. નદી પર આવેલી છે.
A. સાબરમતી
B. મહીસાગર
C. તાપી
ઉત્તરઃ
B. મહીસાગર

પ્રશ્ન 30.
ઉકાઈ અને કાકરાપાર યોજનાઓ ……………………. નદી પર આવેલી છે.
A. નર્મદા
B. મહીસાગર
C. તાપી
ઉત્તરઃ
C. તાપી

પ્રશ્ન 31.
ધરોઈ યોજના …………………… નદી પર આવેલી છે.
A. મહીસાગર
B. સાબરમતી
C. તાપી
ઉત્તરઃ
B. સાબરમતી

પ્રશ્ન 32.
જળ છે તો …………………. છે.
A. ધરતી
B. વાદળાં
C. જીવન
ઉત્તરઃ
C. જીવન

પ્રશ્ન 33.
સ્વતંત્રતા પછી ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ ………………………… % ભાગમાં સિંચાઈ થાય છે.
A. 28
B. 38
C. 48
ઉત્તરઃ
B. 38

પ્રશ્ન 34.
અ ન્ય રાજ્યમાં સૌથી ઓછું સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે. (March 20)
A. મણિપુર
B. મિઝોરમ
C. મેઘાલય
ઉત્તર:
B. મિઝોરમ

પ્રશ્ન 35.
પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે?
A. મહાસાગર
B. નદી
C. સરોવર
D. વૃષ્ટિ
ઉત્તર:
D. વૃષ્ટિ

પ્રશ્ન 36.
ભારતમાં એક કિલોગ્રામ ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ કેટલા લિટર પાણીની આવશ્યકતા રહે છે?
A. 1500
B. 1200
C. 2100
D. 2400
ઉત્તર:
A. 1500

પ્રશ્ન 37.
ઍન્ડ ઍનિકટ(ભવ્ય બંધ)નું નિર્માણ કઈ નદી પર થયું છે?
A. ગોદાવરી
B. કાવેરી
C. કૃષ્ણા
D. તુંગભદ્રા
ઉત્તર:
B. કાવેરી

પ્રશ્ન 38.
ભારતમાં સિંચાઈનાં મુખ્ય માધ્યમો પૈકી કયાં સૌથી મુખ્ય માધ્યમો છે?
A. કૂવા અને નહેરો
B. નહેરો અને તળાવો
C. કૂવા અને ટ્યૂબવેલ
D. નહેરો અને સરોવરો
ઉત્તર:
C. કૂવા અને ટ્યૂબવેલ

પ્રશ્ન 39.
ભારતમાં સ્વાતંત્ર્ય બાદ સિંચાઈ-ક્ષેત્ર વધીને કેટલું થયું છે?
A. દોઢ ગણું
B. અઢી ગણું
c. ત્રણ ગણું
D. ચાર ગણું
ઉત્તર:
D. ચાર ગણું

પ્રશ્ન 40.
ભારતના કયા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી ઓછું સિંચાઈ-ક્ષેત્ર જોવા મળે છે?
A. હરિયાણા
B. રાજસ્થાન
C. મિઝોરમ
D. જમ્મુ અને કશ્મીર
ઉત્તર:
C. મિઝોરમ

પ્રશ્ન 41.
ભારતનું કયું રાજ્ય તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથી વધુ સિંચાઈ-ક્ષેત્ર ધરાવે છે?
A. પંજાબ
B. ઉત્તર પ્રદેશ
C. બિહાર
D. મહારાષ્ટ્ર
ઉત્તર:
A. પંજાબ

પ્રશ્ન 42.
નાગાર્જુનસાગર કયાં રાજ્યોની સૌથી મોટી બહુહેતુક યોજના છે?
A. આંધ્ર પ્રદેશ અને તેલંગણા
B. તમિલનાડુ અને કર્ણાટક
C. કર્ણાટક અને કેરલ
D. ઓડિશા અને ઝારખંડ
ઉત્તર:
A. આંધ્ર પ્રદેશ અને તેલંગણા

પ્રશ્ન 43.
સરદાર સરોવર યોજના કઈ નદી પરની યોજના છે?
A. મહી
B. મહાનદી
C. સાબરમતી
D. નર્મદા
ઉત્તર:
D. નર્મદા

પ્રશ્ન 44.
ઓડિશાની કઈ નદી મુખત્રિકોણપ્રદેશ ધરાવે છે?
A. કૃષ્ણા
B. મહાનદી
C. કાવેરી
D. મહી
ઉત્તર:
B. મહાનદી

પ્રશ્ન 45.
તમિલનાડુમાં કઈ નદીનો મુખત્રિકોણપ્રદેશ આવેલો છે?
A. કાવેરી
B. કૃષ્ણા
C. ગોદાવરી
D. તુંગભદ્રા
ઉત્તર:
A. કાવેરી

પ્રશ્ન 46.
‘સ્ટેગ્યુ ઑફ યુનિટી’ સ્મારકની પાસેથી કઈ નદી વહે છે? (March 20).
A. નર્મદા
B. તાપી
C. મહી
D. દમણગંગા
ઉત્તર:
A. નર્મદા

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

(1) જળ એ અમર્યાદિત સંસાધન છે.
ઉત્તર:
ખોટું

(2) વૃષ્ટિ એ પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે.
ઉત્તર:
ખરું

(3) પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત પર્વતો છે.
ઉત્તર:
ખોટું

(4) ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં 51 % ભૂમિગત જળ મળે છે.
ઉત્તર:
ખોટું

(5) ભારતમાં લગભગ 84 % જળ સિંચાઈ માટે ઉપયોગી છે.
ઉત્તર:
ખરું

(6) એક કિલો ઘઉંનું ઉત્પાદન કરવા માટે લગભગ 1200 લિટર પાણીની આવશ્યકતા હોય છે.
ઉત્તર:
ખોટું

(7) ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય ગંગા નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
ઉત્તર:
ખોટું

(8) કૂવા અને ટ્યૂબવેલ સિંચાઈનાં મુખ્ય માધ્યમો છે.
ઉત્તર:
ખરું

(9) સ્વતંત્રતા પછી ભારતમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 48 % ભાગમાં સિંચાઈ થાય છે.
ઉત્તર:
ખોટું

(10) ભાખડા-નંગલ સિંચાઈ યોજના સતલુજ નદી પર આવેલી છે.
ઉત્તર:
ખરું

(11) હીરાકુડ સિંચાઈ યોજના મહાનદી પર આવેલી છે.
ઉત્તર:
ખરું

(12) હીરાકુડ સિંચાઈ યોજનાનો લાભ બિહાર રાજ્યને મળે છે.
ઉત્તર:
ખોટું

(13) નાગાર્જુનસાગર સિંચાઈ યોજના કાવેરી નદી પર આવેલી છે.
ઉત્તર:
ખોટું

(14) કૃષ્ણરાજસાગર સિંચાઈ યોજના કૃષ્ણા નદી પર આવેલી છે.
ઉત્તર:
ખોટું

(15) નાગાર્જુનસાગર સિંચાઈ યોજનાનો લાભ કર્ણાટક અને આંધ્ર પ્રદેશને મળે છે.
ઉત્તર:
ખોટું

(16) કૃષ્ણરાજસાગર સિંચાઈ યોજનાનો લાભ કર્ણાટક અને તમિલનાડુને મળે છે.
ઉત્તર:
ખરું

(17) સરદાર સરોવર સિંચાઈ યોજનાનો લાભ મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રને મળે છે.
ઉત્તર:
ખરું

(18) ધરોઈ યોજના તાપી નદી પર આવેલી છે.
ઉત્તર:
ખોટું

(19) કડાણા અને વણાકબોરી સિંચાઈ યોજનાઓ મહીસાગર નદી પર આવેલી છે.
ઉત્તર:
ખરું

(20) ઉકાઈ અને કાકરાપાર સિંચાઈ યોજનાઓ નર્મદા નદી પર આવેલી છે.
ઉત્તર:
ખોટું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો:

(1) જીવનનું અભિન્ન અંગ કર્યું છે? – જળ
(2) પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત કયો છે? (August 20) – વૃષ્ટિ
(3) પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત ક્યો છે? – નદીઓ
(4) કયા જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે? – ભૂમિગત જળનો
(5) બીજી સદીમાં કાવેરી નદીમાંથી કઈ નહેરનું નિર્માણ થયું હતું? – ગ્રેન્ડ ઍનિકટ
(6) ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશમાં કઈ નહેરનું નિર્માણ થયું હતું? – પૂર્વીય યમુના નહેરનું
(7) ભારતમાં સિંચાઈનાં મુખ્ય માધ્યમો ક્યાં છે? – કૂવા અને ટ્યૂબવેલ
(8) નદી-ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓ શાનાથી હલ થાય છે? – બહુહેતુક યોજનાથી
(9) કયા રાજ્યમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 7.3% વિસ્તારમાં સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે? – મિઝોરમમાં
(10) દેશના કયા રાજ્યમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ 90.8% છે? – પંજાબમાં

(11) જળ સંસાધનની જાળવણી કયા નામે ઓળખાય છે? – જળ-સંરક્ષણ
(12) ભારતમાં કેટલા ટકા શહેરોમાં પેયજળની તીવ્ર અછત છે? – 8%
(13) દેશના કેટલા ટકા ગામોને સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરવાનું કામ બાકી છે? – 50 %
(14) કોઈ પણ દેશની સમૃદ્ધિનો આધાર કોની પર છે? – ખેતી અને જળ પર
(15) જળનો કેવો ઉપયોગ ખૂબ જ જરૂરી છે? – વિવેકપૂર્વક
(16) જળ એ કેવું સંસાધન છે? – મર્યાદિત
(17) ભૂમિગત જળ કેવી રીતે પ્રાપ્ત થાય છે? – પૃષ્ઠીય જળના અવશેષોમાંથી
(18) ભૂમિગત જળનો જથ્થો કેવો છે? – અમર્યાદિત
(19) ભૂમિગત જળનો સૌથી વધારે ઉપયોગ કોના માટે થાય છે? – સિંચાઈ માટે
(20) ભારતમાં કયા પાકોને જળની સૌથી વધુ આવશ્યકતા રહે છે? – ડાંગર, શેરડી અને શણને

(21) કાંપનાં મેદાનોમાં સિંચાઈનાં ક્યાં માધ્યમો સામાન્ય છે? – કૂવા અને ટ્યૂબવેલ
(22) ભાખરા-જંગલ બહુહેતુક યોજના કઈ નદી પર કાર્યાન્વિત છે? – સતલુજ
(23) દામોદર ખીણ બહુહેતુક યોજનાના લાભાન્વિત રાજ્યો કયાં છે? – ઝારખંડ અને પશ્ચિમ બંગાળ
(24) સરદાર સરોવર યોજનાના લાભાન્વિત રાજ્યો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ તેમજ અન્ય ક્યું રાજ્ય છે? (August 20) – રાજસ્થાન
(25) મહાનદી પર કઈ બહુહેતુક યોજના કાર્યાન્વિત છે? – હીરાકુડ
(26) ચંબલ ખીણ બહુહેતુક યોજનાના લાભાન્વિત રાજ્યો ક્યાં છે? – મધ્ય પ્રદેશ અને રાજસ્થાન
(27) નાગાર્જુનસાગર બહુહેતુક યોજનાના લાભાન્વિત રાજ્યો ક્યાં છે? – આંધ્ર પ્રદેશ, તેલંગણા
(28) તુંગભદ્રા બહુહેતુક યોજનાના લાભાન્વિત રાજ્યો કયાં છે? – કર્ણાટક અને આંધ્ર પ્રદેશ છે
(29) મહીસાગર નદી પર કઈ કઈ બહુહેતુક યોજનાઓ કાર્યાન્વિત છે? – કડાણા અને વણાકબોરી
(30) તાપી નદી પર કઈ કઈ બહુહેતુક યોજનાઓ કાર્યાન્વિત છે? – ઉકાઈ અને કાકરાપાર

(31) સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ કેટલા ગણું વધી ગયું છે? – ચાર
(32) જળ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોતો કયા કયા છે? – ઘરેલું અને ઔદ્યોગિક એકમોનાં મલિન જળ
(33) જળ સંસાધનની જાળવણી કયા નામે ઓળખાય છે? – જળ-સંરક્ષણના નામે
(34) જળ એક કઈ સંપદા છે? – રાષ્ટ્રીય
(35) કયું એવું ક્ષેત્ર છે જેનું પાણી નદી અને તેની શાખાઓ દ્વારા વહીને એક સ્ત્રાવક્ષેત્ર બનાવે છે? -નદી-બેસિન

યોગ્ય જોડકાં જોડો:
1.

‘અ’ (બહુહેતુક યોજનાઓ) ‘બ’ (નદીઓ)
1. ભાખડા-મંગલ a. કૃષ્ણા
2. હીરાકુડ b. સતલુજ
3. નાગાર્જુનસાગર c. ગોદાવરી
4. કૃષ્ણરાજસાગર d. મહાનદી
e. કાવેરી

ઉત્તર:

‘અ’ (બહુહેતુક યોજનાઓ) ‘બ’ (નદીઓ)
1. ભાખડા-મંગલ b. સતલુજ
2. હીરાકુડ d. મહાનદી
3. નાગાર્જુનસાગર a. કૃષ્ણા
4. કૃષ્ણરાજસાગર e. કાવેરી

2.

‘અ’ (બહુહેતુક યોજનાઓ) ‘બ’ (નદીઓ)
1. સરદાર સરોવર યોજના a. સાબરમતી
2. કડાણા, વણાકબોરી b. તાપી
૩. ઉકાઈ, કાકરાપાર c. નર્મદા
4. ધરોઈ d. તુંગભદ્રા
e. મહીસાગર

ઉત્તર:

‘અ’ (બહુહેતુક યોજનાઓ) ‘બ’ (નદીઓ)
1. સરદાર સરોવર યોજના c. નર્મદા
2. કડાણા, વણાકબોરી e. મહીસાગર
૩. ઉકાઈ, કાકરાપાર b. તાપી
4. ધરોઈ a. સાબરમતી

3.

‘અ’ (બહુહેતુક યોજનાઓ) ‘બ’ (લાભાન્વિત રાજ્યો)
1. ભાખડા-નંગલ a. બિહાર
2. કોસી b. ગુજરાત
3. નાગાર્જુનસાગર c. કર્ણાટક
4. નર્મદા ખીણ d. પંજાબ
e. આંધ્ર પ્રદેશ

ઉત્તર:

‘અ’ (બહુહેતુક યોજનાઓ) ‘બ’ (લાભાન્વિત રાજ્યો)
1. ભાખડા-નંગલ d. પંજાબ
2. કોસી a. બિહાર
3. નાગાર્જુનસાગર e. આંધ્ર પ્રદેશ
4. નર્મદા ખીણ b. ગુજરાત

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
‘ઍન્ડ ઍનિકટ'(ભવ્ય બંધ)નું નિર્માણ કઈ નદી પર થયું છે? ક્યારે થયું છે?
ઉત્તર:
‘ઍન્ડ ઍનિકટ’નું નિર્માણ બીજી સદીમાં કાવેરી નદી પર થયું છે.

પ્રશ્ન 2.
ઈ. સ. 1882માં કઈ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું?
ઉત્તરઃ
ઈ. સ. 1882માં ઉત્તર પ્રદેશની પૂર્વીય યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

પ્રશ્ન 3.
સિંચાઈનાં મુખ્ય માધ્યમો કેટલાં છે? કયાં કયાં?
ઉત્તરઃ
સિંચાઈનાં મુખ્ય ત્રણ માધ્યમો છેઃ

  1. કૂવા અને ટ્યૂબવેલ,
  2. નહેરો અને
  3. તળાવો.

પ્રશ્ન 4.
ભારતમાં નહેરો દ્વારા સિંચાઈ કયા વિસ્તારોમાં થાય છે? ?
ઉત્તર:
ભારતમાં નહેરો દ્વારા સિંચાઈ મુખ્યત્વે સતલુજ, યમુના અને ગંગા નદીઓનાં વિશાળ મેદાનોમાં તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓના મુખત્રિકોણપ્રદેશોમાં થાય છે.

પ્રશ્ન 5.
બહુહેતુક યોજના એટલે શું?
ઉત્તર:
બહુહેતુક યોજના એટલે નદી-ખીણો સાથે સંકળાયેલ વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. નદીઓ પર બંધ બાંધી મોટાં જળાશયો બનાવવા અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજના કહે છે.

પ્રશ્ન 6.
બહુહેતુક યોજનામાં ક્યા ક્યા હેતુઓનો સમાવેશ થાય છે?
ઉત્તર:
બહુહેતુક યોજનામાં પૂર-નિયંત્રણ, જમીન-ધોવાણનો અટકાવ, સિંચાઈ અને પીવા માટે પાણી, ઉદ્યોગો અને વસાહતો માટે પાણી, જળવિદ્યુત ઉત્પાદન, આંતરિક જળપરિવહન, મનોરંજન, વન્ય જીવ સંરક્ષણ, મત્સ્ય ઉદ્યોગ વગેરે હેતુઓનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 7.
ભાખડા-નંગલ યોજનાની સિંચાઈનો લાભ કયાં રાજ્યોને મળે છે?
ઉત્તર:
ભાખડા-નંગલ યોજનાની સિંચાઈનો લાભ પંજાબ, હરિયાણા અને રાજસ્થાનને મળે છે.

પ્રશ્ન 8.
નર્મદા ખીણ (સરદાર સરોવર) યોજનાની સિંચાઈનો લાભ કયાં કયાં રાજ્યોને મળશે?
ઉત્તર:
નર્મદા ખીણ યોજનાની સિંચાઈનો લાભ મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રને મળશે.

પ્રશ્ન 9.
મહીસાગર નદી પર કઈ કઈ બહુહેતુક યોજનાઓ કાર્યાન્વિત છે?
ઉત્તરઃ
મહીસાગર નદી પર કડાણા અને વણાકબોરી બહુહેતુક યોજનાઓ કાર્યાન્વિત છે.

પ્રશ્ન 10.
ભારતમાં ક્યા વિસ્તારો સઘન સિંચાઈ-ક્ષેત્રો છે?
ઉત્તર:
ભારતમાં આંધ્ર પ્રદેશના તટીય જિલ્લા અને મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓના મુખત્રિકોણપ્રદેશો, પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે દેશનાં સઘન સિંચાઈ-ક્ષેત્રો છે.

પ્રશ્ન 11.
ભારતનાં કયાં રાજ્યોમાં તેમના વાવેતર વિસ્તારનો 40 % થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે?
ઉત્તર:
પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ, જમ્મુ અને કશ્મીર તેમજ મણિપુર રાજ્યોમાં તેમના વાવેતર વિસ્તારનો 40 % થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે.

પ્રશ્ન 12.
ભારતનાં રાજ્યોમાં સિંચાઈ-ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે. કઈ રીતે?
ઉત્તર:
ભારતનાં રાજ્યોમાં સિંચાઈ-ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે. જેમ કે, મિઝોરમમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના માત્ર 7.3% વિસ્તારમાં સિંચાઈ-ક્ષેત્ર છે, જ્યારે પંજાબમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ 90.8 % જેટલું છે.

પ્રશ્ન 13.
પાણીની અછત નિરંતર શાથી વધતી જાય છે?
ઉત્તર:
વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકનું વધતું જતું વાવેતર, વધતું જતું શહેરીકરણ, લોકોના બદલાયેલા જીવનધોરણમાં પાણીનો વધેલો ઉપયોગ વગેરેને લીધે પાણીની અછત નિરંતર વધતી જાય છે.

પ્રશ્ન 14.
હાલમાં ભારતના કયા ભાગોમાં જળસંકટની ગંભીર સમસ્યા સર્જાઈ છે?
ઉત્તર:
હાલમાં ભારતમાં પશ્ચિમ રાજસ્થાનનાં શુષ્ક ક્ષેત્રોમાં અને દ્વિીપકલ્પીય ઉચ્ચપ્રદેશના આંતરિક ભાગોમાં જળસંકટની ગંભીર સમસ્યા સર્જાઈ છે.

પ્રશ્ન 15.
ભારતમાં ભૂમિગત જળસપાટી શાથી નીચે જઈ રહી છે?
ઉત્તરઃ
વર્તમાન સમયમાં કૂવા અને ટ્યૂબવેલ દ્વારા જમીનમાંથી વધુને વધુ પાણી ખેંચાઈ રહ્યું હોવાથી ભારતમાં જળસપાટી નીચે જઈ રહી છે.

પ્રશ્ન 16.
જળ-સંરક્ષણના સામાન્ય ઉંપાયો કયા કયા છે?
ઉત્તર:
જળ-સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, એક નદી-બેસિન સાથે બીજી નદી-બેસિનનું જોડાણ, ભૂમિગત જળસપાટીને ઉપર લાવવાના પ્રયાસો વગેરે જળ સંરક્ષણના સામાન્ય ઉપાયો છે.

પ્રશ્ન 17.
જળપ્લાવિત ક્ષેત્રના વિકાસ માટે કયા કાર્યક્રમો હાથ 3 ધરવામાં આવે છે?
ઉત્તર:
‘જળપ્લાવિત ક્ષેત્ર’ના વિકાસ માટે જમીન અને ભેજસંરક્ષણ, જળ-સંચય, વૃક્ષારોપણ અને વનીકરણ, હોર્ટિકલ્ચર, ગૌચરવિકાસ, સામુદાયિક ભૂમિ સંસાધનોનો વિકાસ વગેરે કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે.

પ્રશ્ન 18.
વૃષ્ટિજળ સંચય માટે શાનું નિર્માણ કરવું જરૂરી છે? અથવા એકઠું કરવા માટે શેનું શેનું નિર્માણ કરવામાં આવે છે?
ઉત્તર:
વૃષ્ટિજળ સંચય માટે ખાડાઓ, કૂવા, બંધારા, ખેતતલાવડીઓ, ખેતરોની ફરતે ઊંડી નીકો, વરસાદી ટાંકાં વગેરેનું નિર્માણ ર કરવું જરૂરી છે.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:

પ્રશ્ન 1.
જળ સંસાધનની સંકલ્પના સમજાવો.
ઉત્તરઃ
પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ જળમાંથી થયો છે.

  • જળ એ જીવનની પહેલી શરત છે. તેના વિના જીવન શક્ય નથી.
  • સમગ્ર જીવસૃષ્ટિ માટે જળ અનિવાર્ય સંસાધન છે.
  • ભારત માટે જળ ઘણું જ મહત્ત્વપૂર્ણ અને સંકટગ્રસ્ત સંસાધન છે.

પ્રશ્ન 2.
જળમાં ‘વૃષ્ટિ’નું શું મહત્ત્વ છે?
ઉત્તરઃ
પૃથ્વી પર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત વૃષ્ટિ છે. નદીઓ, ઝરણાં, સરોવરો, કૂવા, તળાવો અને બંધથી બનેલાં જળાશયો વૃષ્ટિને આભારી છે. વૃષ્ટિનો કેટલોક ભાગ જમીનમાં શોષાઈને ભૂમિગત જળરૂપે જમા થાય છે, જેનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે.

પ્રશ્ન 3.
દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે. શા માટે?
ઉત્તર:
દક્ષિણ ભારતની જમીન સખત, અછિદ્રાળુ અને ડુંગરાળ હોવાથી તેમાં તળાવો બનાવી પાણીને લાંબા સમય સુધી સંઘરી શકાય છે. આથી ત્યાં નાનાં-મોટાં ઘણાં તળાવો બનાવવામાં આવ્યાં છે. ત્યાં ઊંચાઈએ તળાવોમાંથી નહેરો કાઢી ખેતી માટે સિંચાઈ કરવામાં આવે છે. કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને તમિલનાડુમાં આ રીતે ઘણી પ્રચલિત છે.

નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
ભારતના જળસ્રોત વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારતના જળસ્રોતના મુખ્ય ત્રણ પ્રકાર છે:
1. વૃષ્ટીય જળ
2. પૃષ્ઠીય જળ અને
3. ભૂમિગત જળ.
1. વૃષ્ટીય જળઃ ‘વૃષ્ટિ’ એ પૃથ્વી પરના જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત છે. નદી, સરોવર, ઝરણાં અને કૂવા એ ગૌણ સ્રોતો છે. આ બધા જ સ્ત્રોત વૃષ્ટિને આભારી છે.

2. પૃષ્ઠીય જળઃ તે નદીઓ, સરોવરો, તળાવો, ઝરણાં, સાગર, માનવનિર્મિત જળાશયોમાં જોવા મળે છે. તેમાં નદીઓ પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત છે.

3. ભૂમિગત જળ જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે.

  • ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે.
  • તે ભારતમાં ઉત્તરના મેદાની વિસ્તારમાં લગભગ 42 % જેટલા ભાગમાં જમા થયેલો જોવા મળે છે.
  • દક્ષિણ ભારતમાં ઉચ્ચપ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે તેનું પ્રમાણ ઓછું છે.
  • તેનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે.

પ્રશ્ન 2.
ભારતનાં જળ સંસાધનો અને તેના ઉપયોગ જણાવો.
ઉત્તર:
ભારતનાં જળ સંસાધનો અને તેમના ઉપયોગો નીચે પ્રમાણે છે:

  • ભારતનાં જળ સંસાધનોના ઘણા ઉપયોગો છે. તેમાં સિંચાઈ મુખ્ય છે. ભારતમાં પ્રાચીન સમયથી પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો આવ્યો છે. બીજી સદીમાં કાવેરી નદી પર બંધાયેલો ‘રૅન્ડ એનિકટ’ (ભવ્ય બંધ) તેનું એક જ્વલંત ઉદાહરણ છે.
  • આજે ભારતમાં લગભગ 84 % જળ સિંચાઈ માટે વપરાય છે. જેમ કે, એક કિલો ઘઉંનું ઉત્પાદન લેવા માટે લગભગ 1500 લિટર પાણીની આવશ્યકતા રહે છે. હવે અન્ય ઉપયોગો પણ ઝડપથી વધવા લાગ્યા છે. તેની અસર સિંચાઈ પર થવા ઘણો સંભવ છે.
  • ભારતમાં વરસ દરમિયાન બે-ચાર મહિના જ વરસાદ પડે છે અને તે પણ અનિયમિત અને અનિશ્ચિત હોય છે. તેની અસર પાકના ઉત્પાદન પર થાય છે. વળી, ડાંગર, શેરડી અને શણ જેવા પાકોને પુષ્કળ પાણીની જરૂર પડે છે. આ સમસ્યાઓનો ઉકેલ માત્ર સિંચાઈ દ્વારા જ લાવી શકાય.
  • ભારતમાં સિંચાઈનાં મુખ્ય ત્રણ માધ્યમો છેઃ
    (1) કૂવા અને ટ્યૂબવેલ,
    (2) નહેરો અને
    (3) તળાવો.
    આ પૈકી કૂવા અને ટ્યૂબવેલ દ્વારા સૌથી વધુ સિંચાઈ થાય છે. એ પછી નહેરો અને તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે.
  • નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાનાં વિશાળ મેદાનોમાં તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખત્રિકોણપ્રદેશોમાં થાય છે.
  • કાંપનાં મેદાનોમાં કૂવા અને ટ્યૂબવેલ દ્વારા સિંચાઈ થાય છે.
  • ભારતના પૂર્વ અને દક્ષિણનાં રાજ્યોમાં મુખ્યત્વે તળાવો દ્વારા સિંચાઈ થાય છે.

પ્રશ્ન 3.
ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ કઈ કઈ છે? તે કઈ કઈ મુખ્ય નદીઓ પર બાંધેલી છે? તેનાં લાભાન્વિત રાજ્યોનાં નામ લખો.
ઉત્તર:
ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ અને તે કઈ કઈ નદીઓ પર બાંધેલી છે તેમજ તેનાં લાભાન્વિત રાજ્યોના નામ નીચે પ્રમાણે છે:

બહુહેતુક યોજના મુખ્ય નદી લાભાન્વિત રાજ્યો
ભાખડા-મંગલ સતલુજ પંજાબ, હરિયાણા, રાજસ્થાન
કોસી કોસી બિહાર
દામોદર ખીણ દામોદર ઝારખંડ, પશ્ચિમ બંગાળ
હીરાકુડ મહાનદી ઓડિશા
ચંબલ ખીણ ચંબલ મધ્ય પ્રદેશ, રાજસ્થાન
નાગાર્જુનસાગર કૃષ્ણા આંધ્ર પ્રદેશ, તેલંગણા
કૃષ્ણરાજસાગર કાવેરી કર્ણાટક, તમિલનાડુ
તુંગભદ્રા તુંગભદ્રા કર્ણાટક, આંધ્ર પ્રદેશ
નર્મદા ખીણ નર્મદા મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન,
(સરદાર સરોવર) મહારાષ્ટ્ર
કડાણા, વણાકબોરી મહીસાગર ગુજરાત
ઉકાઈ, કાકરાપાર તાપી ગુજરાત
ધરોઈ સાબરમતી ગુજરાત

GSEB Class 10 Social Science ભારત: જળ સંસાધન Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:

પ્રશ્ન 1.
જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો જણાવો.
ઉત્તર:
જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો નીચે પ્રમાણે છેઃ

  • જળ સંસાધનોની જાળવણી માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે.
  • બીજી જરૂર જળસંચયની છે. જળસંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, વધારાનું જળ ધરાવતા નદી-બેસિનમાંથી ઓછું જળ ધરાવતા નદી-બેસિનમાં જળનું સ્થાનાંતર અને ભૂમિગત જળસ્તર ઉપર લાવવાના પ્રયાસોની જરૂર છે.
  • જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે. દેશના બધા વિસ્તારો માટે તેની ન્યાયી ફાળવણી થાય એ જોવાની સરકારની ફરજ છે.
  • આ અંગે કોઈ આંતરરાજ્ય જળવિવાદ હોય તો તેનો જલદીથી ઉકેલ લાવવો જરૂરી છે, જેથી નદીઓ પર બંધ બાંધીને થતાં જળાશયોનું નિર્માણ અટકી ન પડે.
  • જળ સંસાધનોની જાળવણી માટે ‘જળપ્લાવિત ક્ષેત્રોનો વિકાસ અને વૃષ્ટિજળ સંચય’ બહુ અગત્યના ઉપાયો છે.

પ્રશ્ન 2.
ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો જણાવો.
અથવા
ભારતમાં જળસંકટ શાથી સર્જાયું છે?
અથવા
‘ભારતમાં જળસંકટની સમસ્યા દિવસે દિવસે વધારે ગંભીર બનતી જશે.’ આ વિધાન સમજાવો.
અથવા
આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતાએ ગંભીર સમસ્યા ઊભી કરી છે. સમજાવો.
ઉત્તર:
ભારતમાં કેટલાંક ભૌગોલિક અને માનવસર્જિત કારણોસર જળસંકટ સર્જાયું છે, જે નીચે પ્રમાણે છે:

  • ભારતમાં પાણી-પુરવઠાનો મુખ્ય આધાર વરસાદ પર છે, જે ઘણા વિસ્તારોમાં અનિયમિત અને અનિશ્ચિત છે. તેને કારણે ખાસ કરીને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વારંવાર પાણીની તંગી સર્જાય છે.
  • પશ્ચિમ રાજસ્થાન અને વાયવ્ય ગુજરાતનાં શુષ્ક ક્ષેત્રો તેમજ દ્વિીપકલ્પીય ઉચ્ચપ્રદેશમાં પશ્ચિમઘાટના આંતરિક ભાગોમાં જળસંકટની ગંભીર સમસ્યા છે.
  • ભારતમાં છેલ્લા ચાર દાયકામાં સ્ફોટક વસ્તીવધારો થયો છે. નિરંતર વધતી જતી વસ્તી માટે અનાજ અને રોકડિયા પાકોની વધતી માંગ, વધતું જતું શહેરીકરણ અને લોકોના ઊંચે જઈ રહેલા જીવનધોરણના . કારણે પાણીની વપરાશમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. પરિણામે તે પાણીની અછત નિરંતર વધતી જાય છે.
  • આજે પણ ભારતમાં 8 ટકા શહેરોમાં અને લગભગ 50 ટકા ગામડાંમાં પીવાલાયક પાણીની અછત છે.
  • પાણીની સિંચાઈની અને ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરવા વર્તમાન સમયમાં કૂવા અને ટટ્યૂબવેલ દ્વારા જમીનમાંથી પણ ભૂમિગત જળ વધુ પડતું ખેંચાઈ રહ્યું છે. પરિણામે ભૂમિગત જળની સપાટી નીચી ગઈ છે અને ભૂમિગત જળના જથ્થામાં પણ મોટો ઘટાડો થયો છે.
  • આ ઉપરાંત, અનેક પ્રવૃત્તિઓ માટે વપરાતા પાણીની ગુણવત્તા પણ ઘટી રહી છે. શહેરી ગટરો અને ઔદ્યોગિક એકમોના મલિન જળથી પાણીનું પ્રદૂષણ ઘણું વધી ગયું છે.

પ્રશ્ન 3.
વૃષ્ટિ જળ સંચય વિશેની માહિતી આપો.
અથવા
વૃષ્ટિજળ સંચયના મુખ્ય હેતુઓ (ઉદ્દેશો) જણાવો.
અથવા
વૃષ્ટિજળ સંચય કેવી રીતે કરી શકાય?
ઉત્તર:
ભૂમિગત જળનો જથ્થો વધારવા માટે ‘વૃષ્ટિજળ સંચય’ કરવો જરૂરી છે. આ પ્રવૃત્તિમાં કૂવા, બંધારા, ખેત-તલાવડીઓ વગેરેના નિર્માણ દ્વારા વરસાદના પાણીને એકઠું કરવામાં આવે છે. તેનાથી ભૂમિમાં જળ-સંચય થઈ ભૂમિગત જળની સપાટી ઊંચે આવે છે. સંચિત છે વૃષ્ટિજળના અનેકવિધ ઉપયોગ થઈ શકે છે. વૃષ્ટિજળ સંચય’ના મુખ્ય હેતુઓ (ઉદ્દેશો) નીચે મુજબ છે :

  • પાણીની વધતી જતી માંગ પૂરી કરવી.
  • સપાટી પરથી નિરર્થક વહી જતું પાણી ઘટાડવું.
  • સડકમાર્ગોને પાણીના ભરાવાથી બચાવવા.
  • ભૂમિગત જળનો જથ્થો વધારી તેની સપાટી ઊંચે લાવવી.
  • ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને તેની ગુણવત્તામાં સુધારો કરવો.
  • ઉનાળામાં અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલું જરૂરિયાતને પહોંચી વળવું.
  • મોટાં શહેરોમાં બહુમાળી મકાનોનાં ધાબાં (અગાશી) કે છાપરાં પર પડતા વરસાદનું પાણી એકઠું કરવા મકાનોના પરિસરમાં મોટાં વરસાદી ટાંકાં બનાવવાં.

વૃષ્ટિજળ સંચય માટે કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ પણ છે. તેમાં પાણી ભરવા માટે ખાડાઓનું નિર્માણ કરવું, ખેતરોની ફરતે ઊંડી નીકો ખોદવી, નાની નાની નદીઓ પર બંધારા બાંધવા વગેરેનો સમાવેશ થાય છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:

પ્રશ્ન 1.
બહુહેતુક યોજનાનું મહત્ત્વ જણાવો.
અથવા
‘બહુહેતુક યોજનાઓ એટલે શું? તેનાથી કયા ઉદ્દેશો સિદ્ધ કરી શકાય છે? (March 20)
અથવા
‘બહુહેતુક યોજના’ના ઉદ્દેશોની સમીક્ષા કરો.
અથવા
બહુહેતુક યોજનાના લાભો કયા કયા છે? (August 20)
ઉત્તર:
નદીઓ પર બંધ બાંધી મોટાં જળાશયો બનાવવાં અને તેના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત ઉત્પાદન, પૂરનિયંત્રણ, જમીન-ધોવાણનું નિયંત્રણ, આંતરિક પરિવહન, મત્સ્ય-ઉદ્યોગ, મનોરંજન વગેરે હેતુઓ માટે કરવાની યોજનાને બહુહેતુક યોજનાઓ કહે છે.

બહુહેતુક યોજનાઓના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે:

  • બંધોથી બનેલાં જળાશયોમાંથી નહેરો કાઢી દેશમાં સિંચાઈનો વિકાસ કરી ખેત-ઉત્પાદન વધારવું.
  • બંધોના પાણી દ્વારા જળવિદ્યુત ઉત્પન્ન કરી ખેતી અને ઉદ્યોગોનો વિકાસ કરવો.
  • ઉદ્યોગો અને મોટી વસાહતોને પાણી પૂરું પાડવું.
  • નદીઓમાં આવતાં વિનાશક પૂરને અંકુશમાં લઈ નદીકાંઠાની જમીનના ધોવાણને અટકાવવું તથા પૂરથી થતી તારાજી રોકવી.
  • જળાશયમાંથી મોટી નહેરો કાઢી આંતરિક જળમાર્ગો વિકસાવવા.
  • બંધોથી રચાયેલા જળાશયોમાં મત્સ્યકેન્દ્રો ઊભાં કરવાં અને મત્સ્યોદ્યોગ વિક્સાવવો.
  • નદીના કાંઠાના વિસ્તારોમાં જંગલોનો વિકાસ કરી વન્ય જીવ સંરક્ષણ કરવું.
  • લીલો ઘાસચારો ઉત્પન્ન કરી પશુપાલનનો વ્યવસાય વિકસાવવો.
  • જળાશયોમાંથી આજુબાજુનાં શહેરો અને ગામડાંને પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવું.
  • બંધો પાસે બાગબગીચા બનાવી મનોરંજન માટે સહેલગાહનાં રમણીય સ્થળો ઊભાં કરવાં.

પ્રશ્ન 2.
સિંચાઈ-ક્ષેત્રના વિતરણ વિશે લખો.
અથવા
ભારતમાં સિંચાઈ-ક્ષેત્રનું વિતરણ સમજાવો.
ઉત્તર:
ભારતમાં આંધ્ર પ્રદેશના તટીય જિલ્લાઓ; મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા નદીઓના મુખત્રિકોણપ્રદેશો; પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ દેશનાં સઘન સિંચાઈ-ક્ષેત્રો છે.

  • સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ-ક્ષેત્ર લગભગ ચાર ગણું વધ્યું છે.
  • ભારતમાં આશરે 850 લાખ હેક્ટર જમીન પર સિંચાઈ થાય છે, જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના 38 % છે. ભારતમાં સિંચાઈ-ક્ષેત્રનું વિતરણ ઘણું અસમાન છે. દરેક રાજ્યમાં પણ આ વિતરણ અસમાન છે.
  • મિઝોરમમાં સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ તેના સ્પષ્ટ વાવેતર વિસ્તારના માત્ર 7.3% છે, જ્યારે પંજાબમાં આ પ્રમાણ 90.8 % છે.
  • કુલ સિંચાઈ-ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું જ અસમાન છે.
  • પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ અને કશ્મીર, લડાખ, તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તારનો 40 %થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ છે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:

પ્રશ્ન 1.
ભૂમિગત જળના ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
ભૂમિગત જળનો ઉપયોગ મુખ્યત્વે પીવામાં, ઘરવપરાશમાં, ઉદ્યોગોમાં, સિંચાઈમાં અને ગંદકીના નિકાલમાં થાય છે. બધા પ્રકારના જીવો માટે તે આવશ્યક અને અનિવાર્ય છે.

પ્રશ્ન 2.
જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ?
અથવા
જળવ્યવસ્થાપન માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ?
અથવા
“યોગ્ય જળવ્યવસ્થાપન જળસંકટથી બચાવે છે.” યોગ્ય દલીલોથી સમજાવો.
ઉત્તર:
જળના યોગ્ય વ્યવસ્થાપન માટે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. (અથવા નીચે દર્શાવેલી રીતો મુજબ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાથી તેમજ તેનું યોગ્ય વ્યવસ્થાપન કરવાથી જળસંકટથી બચી શકાય છે.)

  • બગીચાના છોડને પાણી પાવા માટે, વાહનો ધોવા માટે, નાહવાધોવા માટે, શૌચાલયોમાં તથા વૉશ-બેસિનોમાં સાદું પાણી કરકસરપૂર્વક વાપરવું જોઈએ. આ માટે વિવિધ પ્રક્રિયાથી શુદ્ધ કરેલું પીવાનું પાણી વાપરવું બરાબર નથી.
  • જળ-સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિમાં લોકજાગૃતિ પેદા કરી સંબંધિત સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ.
  • જળાશયોને પ્રદૂષણથી બચાવવાં જોઈએ, કારણ કે પ્રદૂષણથી બરબાદ થયેલા જળાશયને સારું બનાવવામાં વર્ષો લાગી જાય છે.
  • ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા.
  • ભૂમિગત જળનો ઉપયોગ કરતાં એકમો પર દેખરેખ રાખવી.
  • કૂવા, ટ્યૂબવેલ, ખેત-તલાવડી જેવાં જળસ્રાવનાં એકમોનો ઉપયોગ વધારવો.
  • પાણી-પુરવઠાની પાઇપલાઇનમાં પ્રદૂષણ થતું અટકાવવા તેને ભરેલી રાખવી જોઈએ અને તેમાં નુકસાન થયું તેનું તાત્કાલિક સમારકામ કરવું જોઈએ, જેથી તેમાં નુક્સાનવાળા ભાગ દ્વારા પ્રદૂષણ ન થાય અને પાણી બહાર વહી જતું અટકે.

4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
‘પૃષ્ઠીય જળ’ નો મુખ્ય સ્ત્રોત કયો છે?
A. વૃષ્ટિ
B. તળાવો
C. નદીઓ
D. સરોવર
ઉત્તર:
C. નદીઓ

પ્રશ્ન 2.
નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો:

1. ભાખડા-નંગલ a. બિહાર
2. કોસી b. પંજાબ
3. નાગાર્જુનસાગર c. ગુજરાત
4. નર્મદા d. આંધ્ર પ્રદેશ

A. (1 – b), (2 – a), (3 – c), (4 – d).
B. (1 – b), (2 – a), (3 – d), (4 – c).
C. (1 – d), (2 – c), (3 – b), (4 – a).
D. (1 – c), (2 – d), 3 – a), (4 – b).
ઉત્તર:

1. ભાખડા-નંગલ b. પંજાબ
2. કોસી a. બિહાર
3. નાગાર્જુનસાગર d. આંધ્ર પ્રદેશ
4. નર્મદા c. ગુજરાત

પ્રશ્ન 3.
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
A. ભારતમાં નહેરોની સરખામણીએ કૂવા અને ટ્યૂબવેલ વડે થતી સિંચાઈનું પ્રમાણ વધારે છે.
B. હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે.
C. જમીનની સપાટી પરથી શોષાઈને ભૂમિ નીચે જમા થતા જળને ભૂમિગત જળ કહે છે.
D. પંજાબ અને હરિયાણા સિંચાઈ-ક્ષેત્રે અગ્રેસર રાજ્યો છે.
ઉત્તર:
B. હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે.

પ્રશ્ન 4.
વર્ગખંડમાં ખેત-તલાવડી’ વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે?
A. જય: તે ઉદ્યોગ માટે પાણીની પ્રાપ્તિનું મહત્ત્વનું સંસાધન છે.
B. યશઃ તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્ત્વનું અંગ છે.
C. યુગ તે જમીનનું ધોવાણ વધારવાની આધુનિક તકનિક છે.
D. દક્ષ તે વૃષ્ટિજળ સંચયની એક પદ્ધતિ છે.
ઉત્તર:
D. દક્ષ તે વૃષ્ટિજળ સંચયની એક પદ્ધતિ છે.

પ્રશ્ન 5.
નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં કયો વિકલ્પ સાચો જણાય છે?
A. ચંબલ ખીણ, ભાખડા-નંગલ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર
B. ભાખડા-નંગલ, નાગાર્જુનસાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ
C. નાગાર્જુનસાગર, નર્મદા ખીણ, ચંબલ ખીણ, ભાખડા-મંગલ
D. ભાખડા-નંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર
ઉત્તર:
D. ભાખડા-નંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુનસાગર

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *