Gujarat Board Solutions Class 10 Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો
Gujarat Board Solutions Class 10 Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો
Class 10 GSEB Solutions Social Science Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો
→ વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેક્નોલૉજી એટલે વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન અને ટેક્નોલૉજી ક્ષેત્રે થયેલાં સંશોધનોએ વિશ્વના દેશોને એકબીજાની નજીક લાવી દીધા છે.
→ આપન્ના ઋષિમુનિઓએ ધાતુવિદ્યા, રસાયણવિદ્યા, વૈદકવિઘા, શલ્યચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં મહત્તમ ફાળો આપ્યો છે.
→ અવાચીન યુગનાં સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દષ્ટિકોષ પણ ધરાવે છે.
→ પ્રાચીન ભારતે ધાતુવિઘામાં અદ્વિતીય સિદ્ધિઓ મેળવી હતી. સિંધુખીણની (હડપ્પીય) સંસ્કૃતિની ધાતુની નર્તકીની પ્રતિમા પ્રખ્યાત છે. કુષાણ વંશના રાજાઓના સમયની બુદ્ધની ધાતુની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે. પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતમાં ચોલ વંશના રાજાઓના સમય દરમિયાન વિપુલ પ્રમાણમાં ધાતુશિલ્પો તૈયાર થયાં હતાં. દલિન્ન ભારતમાં ચોલ રાજવીઓના સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજનું શિલ્પ કલાની દષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે, તમિલનાડુમાં ચેન્નઈ(મદ્રાસના સંગ્રહાલયમાં નટરાજનું શિલ્પ અને ધનુષધારી રામનું શિલ્પ – આ બે ધાતુશિલ્પો સંગૃહીત થયેલાં છે.
→ બૌદ્ધ આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય ગણાય છે, તેમણે ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી” નામનાં પુસ્તકો લખ્યાં હતાં. તેમણે વનસ્પતિ-ૌષધોની સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. આ ઉપરાંત, તેમણે પારાની ભસ્મ બનાવી તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી.
→ નાલંદા વિદ્યાપીઠે રસાયણવિઘાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણશાળા અને ભકીઓ ઊભી કરી હતી.
→ મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાગભટ્ટ ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રતાઓ છે. મહર્ષિ ચરકે તેમના ‘ચરકસંહિતા” નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ-ઔષધિઓનું વર્ણન કર્યું છે. મહર્ષિ સુશ્રુતે તેમના ‘સુશ્રુતસંહિતા” નામના વૈદકશાસ્ત્રના ગ્રંથમાં શશુચિકિત્સા(વાઢકાપ – શસ્ત્રક્રિયા)નાં ધારદાર સાધનોનો ઉલ્લેખ ક્ય છે, જે માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શક્તાં હતાં.
→ “હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રરચિત “અશ્વશાસ્ત્ર’ – આ બે પ્રાણીરોગોના પ્રખ્યાત ગ્રંથો છે.
→ ભારતે વિશ્વને ગણિતશાસ્ત્રના ક્ષેત્રે શૂન્યા0)ની સંશા, દશાંશ-પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગતિ, વૈદિક ગણિત વગેરે નોંધપાત્ર શોધો આપી છે. શૂન્ય(0)ની શોધ મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ કરી હતી. તેમણે “આર્યભટ્ટીયમ્’, ‘દસગીતિકા” અને ‘આર્યસિદ્ધાંત’ નામના ગ્રંથો લખ્યા હતા.
→ આર્યભટ્ટ સાબિત કર્યું હતું કે, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો પડે છે, તેથી ચંદ્રગ્રહણ થાય છે.
→ મૃત્સમદ ઋષિએ આંકડાની પાછળ શુન્ય લગાવીને લખવાની પદ્ધતિની શોધ કરી હતી.
→ પ્રાચીન સમયમાં મેધાતિથિએ “મોહેં-જો-દડો અને હડપ્પા’ના અવશેષોમાં માપવામાં અને તોલવાનાં સાધનોમાં ‘દશાંશ-પદ્ધતિ’ હતી તેની ઓળખ આપી હતી.
→ ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથો લખ્યા હતા,
→ બધાં શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. ભારતમાં ખગોળશાસ્ત્રને લગતા ઘણા ગ્રંથો લખાયા છે. તે ગ્રંથોનો પ્રાચીન વિદ્યાપીઠોમાં વ્યવસ્થિત અને અભ્યાસ કરવામાં આવતો ખો.
→ મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિરે જ્યોતિષશાસને ‘તંત્ર’, ‘હોરા” અને “સંહિતા’ એમ ત્રણ વિભાગોમાં વહેંચ્યું હતું. તેમણે “બૃહત્સંહિતા” નામનો ગ્રંથ લખ્યો હતો. આ ગ્રંથમાં વરાહમિહિરે આકાશી ગ્રહોની મનુષ્યના જીવન પર થતી અસરો, મનુષ્યનાં લક્ષજ્ઞ, પ્રાણીઓના જુદા જુદ્ય વર્ગો, લગ્નસમય, તળાવો અને કૂવાઓનાં ખોદકામ, બગીચા બનાવવા અને ખેતરોમાં વાવણી વગેરે પ્રસંગોનાં શુભ મુહુર્તાની ચર્ચા કરી છે.
→ ખગોળશાસ્ત્રી બ્રહ્મગુપ્ત “બ્રહ્મસિદ્ધાંત’ નામનો ગ્રંથ લખ્યો હતો તેમજ “ગુરુત્વાકર્ષણ’ અંગેના પ્રખ્યાત નિયમની શોધ કરી હતી.
→ વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. વિશ્વકર્મા દેવોના પ્રથમ સ્થપતિ (આર્કિટેક) હતા. તેમણે વાસ્તુશાસને 8 વિભાગોમાં વહેંચ્યું હતું. બાબા, નારદ, હસ્પતિ, ભૃગુ, વસિષ્ઠ, વિકમાં વગેરે પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્રના મહાન પ્રણેતાઓ હતા.
→ વાસ્તુશાસ્ત્રમાં રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી એ માહિતીનો સમાવેશ થાય છે.
→ 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથોમાં સુધારા-વધારા કરાવી નવા ગ્રંથની રચના કરાવી હતી.
→ ભારતીય સંસ્કૃતિ વિશાળ અને ભાતીગળ છે. તેમાં વિજ્ઞાન અને ધર્મ, પરંપરાગત આદર્શો અને વ્યાવહારિક જ્ઞાનનો સુભગ સમન્વય થયેલો છે.
→ ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક સહિષ્ણુતા અને સમાનતા છે. દેશની દરેક વ્યક્તિના ધર્મ, જીવનરાહ અને મૂલ્યોમાં વૈવિધ્ય છે. આમ છતાં, પ્રજામાં એકતાનાં દર્શન થાય છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે.
GSEB Class 10 Social Science Important Questions Chapter 5 ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો
દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો:
પ્રશ્ન 1.
પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ ………………….. ના ક્ષેત્રે અમૂલ્ય વારસો જગતને આપ્યો છે.
A. તત્ત્વચિંતન
B. કલા
C. વિજ્ઞાન
ઉત્તરઃ
C. વિજ્ઞાન
પ્રશ્ન 2.
ભારત ……………………. વિચારધારાની સાથે વૈજ્ઞાનિક દષ્ટિબિંદુ ધરાવે છે.
A. આધ્યાત્મિક
B. સાહિત્યિક
C. માનસિક
ઉત્તરઃ
A. આધ્યાત્મિક
પ્રશ્ન 3.
ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું મહાદેવ …………………….. શિલ્પ કલાની દષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ છે.
A. રામનું
B. નટરાજનું
C. બુદ્ધનું
ઉત્તરઃ
B. નટરાજનું
પ્રશ્ન 4.
નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય ………………….. ના આચાર્ય માનવામાં આવે છે.
A. ખગોળશાસ્ત્ર
B. રસાયણશાસ્ત્ર
C. ગણિતશાસ્ત્ર
ઉત્તરઃ
B. રસાયણશાસ્ત્ર
પ્રશ્ન 5.
આચાર્ય નાગાર્જુને …………………. ની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી.
A. કાળાં મરી
B. લવિંગ
C. પારા
ઉત્તરઃ
C. પારા
પ્રશ્ન 6.
18 ફૂટ ઊંચી ભગવાન ………………………. ની તામ્રમૂર્તિ નાલંદામાંથી
મળી આવી છે.
A. શિવ
B. બુદ્ધ
C. મહાવીર
ઉત્તરઃ
B. બુદ્ધ
પ્રશ્ન 7.
7.6 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની ………………………. સુલતાનગંજ(બિહાર)માંથી મળી આવી છે.
A. તામ્રમૂર્તિ
B. લોહમૂર્તિ
C. સુવર્ણમૂર્તિ
ઉત્તરઃ
A. તામ્રમૂર્તિ
પ્રશ્ન 8.
7 ફૂટ વજનનો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ …………………… દિલ્લીમાં ઊભો કરાવેલ વિજયસ્તંભ (લોહસ્તંભ) રસાયણવિદ્યાનો ઉત્તમ નમૂનો છે.
A. હર્ષવર્ધને
B. ચંદ્રગુપ્ત બીજાએ
C. સમુદ્રગુપ્ત
ઉત્તરઃ
B. ચંદ્રગુપ્ત બીજાએ
પ્રશ્ન 9.
મહર્ષિ ચરક ચરકસંહિતા; મહર્ષિ સુશ્રુતઃ ……………………
A. સુશ્રુતસંહિતા
B. સુશ્રુતશાસ્ત્ર
C. સુશ્રુતવિદ્યા
ઉત્તરઃ
A. સુશ્રુતસંહિતા
પ્રશ્ન 10.
વૈદકશાસ્ત્રના વિદ્વાન વાભટ્ટે નિદાનક્ષેત્ર ‘ ……………………………’ નામનો ગ્રંથ લખ્યો છે.
A. વાલ્મસંહિતા
B. અષ્ટાંગસંહિતા
C. અષ્ટાંગહૃદય
ઉત્તરઃ
C. અષ્ટાંગહૃદય
પ્રશ્ન 11.
શૂન્ય(0)ની શોધ ……………………… કરી હતી.
A. ભાસ્કરાચાર્યે
B. આર્યભટ્ટે
C. વરાહમિહિરે
ઉત્તરઃ
B. આર્યભટ્ટે
પ્રશ્ન 12.
ઈ. સ. 1150માં ……………………. લીલાવતી ગણિત અને ‘બીજગણિત’ નામના ગ્રંથો લખ્યા હતા.
A. બ્રહ્મગુપ્ત
B. ભાસ્કરાચાર્યે
C. આર્યભટ્ટ
ઉત્તરઃ
B. ભાસ્કરાચાર્યે
પ્રશ્ન 13.
…………………… ને ‘ગણિતશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.
A. ભાસ્કરાચાર્ય
B. વરાહમિહિર
C. આર્યભટ્ટ
ઉત્તરઃ
C. આર્યભટ્ટ
પ્રશ્ન 14.
‘………………………’ માં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે.
A. આર્યસિદ્ધાંત
B. બ્રહ્મસિદ્ધાંત
C. આર્યભટ્ટીયમ્
ઉત્તરઃ
A. આર્યસિદ્ધાંત
પ્રશ્ન 15.
શાસ્ત્રોમાં …………………. સૌથી પ્રાચીન શાસ્ત્ર છે.
A. જ્યોતિષશાસ્ત્ર
B. ખગોળશાસ્ત્ર
C. વાસ્તુશાસ્ત્ર
ઉત્તરઃ
B. ખગોળશાસ્ત્ર
પ્રશ્ન 16.
બ્રહ્મગુપ્ત’…………………….’ ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ
કર્યો છે.
A. કાલગણના
B. અષ્ટાંગહૃદય
C. બ્રહ્મસિદ્ધાંત
ઉત્તરઃ
C. બ્રહ્મસિદ્ધાંત
પ્રશ્ન 17.
…………………….. મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા.
A. મહર્ષિ પતંજલિ
B. વાત્સાયન
C. વરાહમિહિર
ઉત્તરઃ
C. વરાહમિહિર
પ્રશ્ન 18.
વરાહમિહિરે ‘……………………….’ નામનો ગ્રંથ રચ્યો હતો.
A. બૃહત્સંહિતા
B ચરકસંહિતા
C. સુશ્રુતસંહિતા
ઉત્તરઃ
A. બૃહત્સંહિતા
પ્રશ્ન 19.
વાસ્તુશાસ્ત્ર એ ………………….. નું અવિભાજ્ય અંગ છે.
A. ગણિતશાસ્ત્ર
B. જ્યોતિષશાસ્ત્ર
C. રસાયણશાસ્ત્ર
ઉત્તરઃ
B. જ્યોતિષશાસ્ત્ર
પ્રશ્ન 20.
પંદરમી સદીમાં મેવાડના રાણા ………………… વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો.
A. કુંભાએ
B. પ્રતાપે
C. પૃથ્વીરાજે
ઉત્તરઃ
A. કુંભાએ
પ્રશ્ન 21.
વાસ્તુશાસ્ત્રને આઠ ભાગમાં વહેંચનાર ………………. ને દેવોના પ્રથમ સ્થપતિ માનવામાં આવે છે.
A. આર્યભટ્ટ
B. વિશ્વકર્મા
C. બ્રહ્મા
ઉત્તરઃ
B. વિશ્વકર્મા
પ્રશ્ન 22.
……………………. એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે.
A. વિવિધતામાં એકતા
B. સહિષ્ણુતા
C. અહિંસા
ઉત્તરઃ
A. વિવિધતામાં એકતા
પ્રશ્ન 23.
‘……………………’ માં શલ્ય ચિકિત્સા(વાઢકાપ-વિદ્યા – શસ્ત્રક્રિયા)નાં ધારદાર સાધનોનો ઉલ્લેખ થયો છે.
A. ચરકસંહિતા
B. સુશ્રુતસંહિતા
C. વામ્ભટ્ટસંહિતા
ઉત્તરઃ
B. સુશ્રુતસંહિતા
પ્રશ્ન 24.
પ્રાચીન ભારતના હિંદુઓનાં ……………………….. માં ખનીજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે.
A. ઔષધશાસ્ત્ર
B. વૈદકશાસ્ત્ર
C. ગણિતશાસ્ત્ર
ઉત્તરઃ
A. ઔષધશાસ્ત્ર
પ્રશ્ન 25.
પ્રાચીન ભારતમાં પ્રાણીઓના રોગોનાં શાસ્ત્રોનો વિકાસ થયો હતો. તેમાં શાલિહોત્રનું ………………………. ખૂબ જ પ્રખ્યાત છે.
A. હસ્તી આયુર્વેદ
B. અશ્વશાસ્ત્ર
C. અષ્ટાંગહૃદય
ઉત્તરઃ
B. અશ્વશાસ્ત્ર
પ્રશ્ન 26.
ચક્રપાણિદત્ત …………………… નામનો ગ્રંથ લખ્યો છે.
A. કાલગણના
B. પ્રજનનશાસ્ત્ર
C. ચિકિત્સાસંગ્રહ
ઉત્તરઃ
C. ચિકિત્સાસંગ્રહ
પ્રશ્ન 27.
વાત્સાયને ……………………… નામનો ગ્રંથ રચ્યો છે.
A. કામસૂત્ર
B. યોગશાસ્ત્ર
C. ચિકિત્સાસંગ્રહ
ઉત્તરઃ
A. કામસૂત્ર
પ્રશ્ન 28.
મહામુનિ પારાશરે ……………………… નામનો ગ્રંથ રચ્યો છે.
A. કાલગણના
B. વૃક્ષ આયુર્વેદ
C. યંત્ર સર્વસ્વ
ઉત્તરઃ
B. વૃક્ષ આયુર્વેદ
પ્રશ્ન 29.
મહામુનિ …………………. યોગશાસ્ત્ર નામનો ગ્રંથ રચ્યો છે.
A. ભારદ્વાજે
B. પતંજલિએ
C. પારાશરે
ઉત્તરઃ
B. પતંજલિએ
પ્રશ્ન 30.
મહર્ષિ ………………….. યંત્ર સર્વસ્વ નામનો ગ્રંથ રચ્યો છે.
A. ભારદ્વાજે
B. શકમુનિએ
C. વાત્સાયને
ઉત્તરઃ
A. ભારદ્વાજે
પ્રશ્ન 31.
શકમુનિએ …………………. નામનો ગ્રંથ રચ્યો છે.
A. પ્રજનનશાસ્ત્ર
B. વૃક્ષ આયુર્વેદ
C. કાલગણના
ઉત્તરઃ
C. કાલગણના
પ્રશ્ન 32.
વિજ્ઞાન એટલે ………………..
A. વ્યવહારુ જ્ઞાન
B. સમૃદ્ધ જ્ઞાન
C. વ્યાવહારિક ઉપયોગિતા
D. વ્યવસ્થિત જ્ઞાન
ઉત્તરઃ
D. વ્યવસ્થિત જ્ઞાન
પ્રશ્ન 33.
ટેક્નોલૉજી એટલે …………………..
A. પ્રાયોગિક જાણકારી
B. મશીનરીની જાણકારી
C. વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા
D. યાંત્રિક જાણકારી
ઉત્તરઃ
C. વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા
પ્રશ્ન 34.
કયું વિજ્ઞાન પ્રયોગાત્મક વિજ્ઞાન છે?
A. રસાયણવિજ્ઞાન
B. ભૌતિક વિજ્ઞાન
C. ખગોળવિજ્ઞાન
D. જ્યોતિષવિજ્ઞાન
ઉત્તરઃ
A. રસાયણવિજ્ઞાન
પ્રશ્ન 35.
પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા કોણે ચાલુ કરી હતી?
A. ચરકે
B. નાગાર્જુને
C સુશ્રુતે
D. વાભટ્ટ
ઉત્તરઃ
B. નાગાર્જુને
પ્રશ્ન 36.
નાલંદામાંથી મળી આવેલ બુદ્ધની તામ્રમૂર્તિની ઊંચાઈ કેટલી છે?
A. 61 ફૂટ
B. 18 ફૂટ
C. 50 ફૂટ
D. 22 ફૂટ
ઉત્તરઃ
B. 18 ફૂટ
પ્રશ્ન 37.
દિલ્લી પાસે કયા સમ્રાટે 24 ફૂટ ઊંચો લોખંડનો વિજયસ્તંભ ઊભો કરાવ્યો હતો?
A. અશોકે
B. સમુદ્રગુપ્ત
C. ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે)
D. ચંદ્રગુપ્ત પહેલાએ
ઉત્તરઃ
C. ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે)
પ્રશ્ન 38.
ગણિતશાસ્ત્રના પિતા કોને કહે છે?
A. ભાસ્કરાચાર્યને
B. ચરકને
C. બ્રહ્મગુપ્તને
D. આર્યભટ્ટને
ઉત્તરઃ
D. આર્યભટ્ટને
પ્રશ્ન 39.
જ્યોતિષશાસ્ત્રને ‘તંત્ર’, ‘હોરા’ ‘અને’ ‘સંહિતા’ એમ ત્રણ ભાગમાં
કોણે વહેંચ્યું હતું?
A. વરાહમિહિરે
B. ભાસ્કરાચાર્યે
C. આર્યભટ્ટ
D. નાગાર્જુને
ઉત્તરઃ
A. વરાહમિહિરે
પ્રશ્ન 40.
πની કિંમત કેટલી ગણવામાં આવે છે?
A. 4.71
B. 4.31
C. 3.14
D. 3.51
ઉત્તરઃ
C. 3.14
પ્રશ્ન 41.
ગુપ્તયુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે?
A. વરાહમિહિરે
B. ભાસ્કરાચાર્યે
C. નાગાર્જુને
D. આર્યભટ્ટ
ઉત્તરઃ
D. આર્યભટ્ટ
પ્રશ્ન 42.
ગુપ્તયુગના કયા ખગોળશાસ્ત્રીએ સાબિત કર્યું હતું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે?
A. બ્રહ્મગુપ્ત
B. ભાસ્કરાચાર્યે
C. આર્યભટ્ટ
D. વરાહમિહિરે
ઉત્તરઃ
C. આર્યભટ્ટ
પ્રશ્ન 43
વાસ્તુશાસ્ત્ર એ ક્યા શાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે?
A. રસાયણશાસ્ત્રનું
B. ગણિતશાસ્ત્રનું
C. ખગોળશાસ્ત્રનું
D. જ્યોતિષશાસ્ત્રનું
ઉત્તરઃ
D. જ્યોતિષશાસ્ત્રનું
પ્રશ્ન 44.
વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું હતું?
A. નવ
B. આઠ
C. સાત
D. દસ
ઉત્તરઃ
B. આઠ
પ્રશ્ન 45.
બૃહૉંહિતા નામનો ગ્રંથ કઈ બાબતોની જાણકારી આપે છે?
A. આકાશી ગ્રહો, મનુષ્યો પર તેમની અસર, લગ્નસમય વાવણીનાં મુહૂત વગેરે
B. ગુરુત્વાકર્ષણના નિયમો
C. સમીકરણના પ્રકાર
D. આરોગ્ય અને ચિકિત્સા બાબતોની જાણકારી
ઉત્તરઃ
A. આકાશી ગ્રહો, મનુષ્યો પર તેમની અસર, લગ્નસમય વાવણીનાં મુહૂત વગેરે
પ્રશ્ન 46.
પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. તેના ઉદાહરણોમાંથી એક ઉદાહરણ સાચું નથી, તે શોધો.
A. સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી ધાતુની નર્તકીની પ્રતિમા
B. તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ
C. મૌર્ય યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ
D. નૃત્યકલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનું અને ધનુર્ધારી શ્રીરામનું શિલ્પ
ઉત્તરઃ
C. મૌર્ય યુગમાં રચાયેલ સાંચીનો સ્તૂપ
પ્રશ્ન 47.
નીચે આપેલ ચિત્ર ક્યા વિદ્વાનનું છે?
A. મહર્ષિ ચરકનું
B. મહર્ષિ સુશ્રુતનું
C. આચાર્ય નાગાર્જુનનું
D. આર્યભટ્ટનું
ઉત્તરઃ
C. આચાર્ય નાગાર્જુનનું
પ્રશ્ન 48.
નીચે આપેલ ચિત્ર કઈ વિદ્યાની યાદ અપાવે છે?
A. રસાયણવિદ્યાની
B. વેદકવિદ્યાની
C. જ્યોતિષવિદ્યાની
D. ઔષધવિદ્યાની
ઉત્તરઃ
A. રસાયણવિદ્યાની
પ્રશ્ન 49.
નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?
A. મહર્ષિ સુશ્રુતનું
B. મહર્ષિ ભારદ્વાજનું
C. આર્યભટ્ટનું
D. મહર્ષિ ચરકનું
ઉત્તરઃ
D. મહર્ષિ ચરકનું
પ્રશ્ન 50.
નીચે આપેલ ચિત્ર ક્યા વિદ્વાનનું છે?
A. આર્યભટ્ટનું
B. મહર્ષિ સુશ્રુતનું
C. ભાસ્કરાચાર્યનું
D. મહર્ષિ ચરકનું
ઉત્તરઃ
B. મહર્ષિ સુશ્રુતનું
પ્રશ્ન 51.
નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?
A. આર્યભટ્ટનું
B. વરાહમિહિરનું
C. ભાસ્કરાચાર્યનું
D. ચક્રપાણિદત્તનું
ઉત્તરઃ
A. આર્યભટ્ટનું
પ્રશ્ન 52.
નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાનનું છે?
A. ભાસ્કરાચાર્યનું
B. આર્યભટ્ટનું
C. વરાહમિહિરનું
D. બૃહસ્પતિનું
ઉત્તરઃ
C. વરાહમિહિરનું
પ્રશ્ન 53.
નીચે આપેલ ચિત્ર કયા વિદ્વાન વાસ્તુશાસ્ત્રીનું છે?
A. બ્રહ્માનું
B. વિશ્વકર્માનું
C. બૃહસ્પતિનું
D. ભૃગુનું
ઉત્તરઃ
B. વિશ્વકર્માનું
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
(1) વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેક્નોલૉજી એટલે વિજ્ઞાનની વિદ્યાકીય ઉપયોગિતા.
ઉત્તરઃ
ખોટું
(2) ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દષ્ટિબિંદુ પણ ધરાવે છે.
ઉત્તરઃ
ખરું
(3) રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે.
ઉત્તરઃ
ખરું
(4) તક્ષશિલા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
(5) આચાર્ય નાગાર્જુને પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી.
ઉત્તરઃ
ખરું
(6) રસાયણવિદ્યાની ઉત્કૃષ્ટતા ધાતુમાંથી બનાવેલી ભગવાન મહાવીરની મૂર્તિઓમાં દશ્યમાન થાય છે.
ઉત્તરઃ
ખોટું
(7) સમ્રાટ સમુદ્રગુપ્ત દિલ્લીમાં 7 ટન વજનનો 24 ફૂટ ઊંચો વિજયસ્તંભ (લોહસ્તંભ) બનાવડાવ્યો હતો.
ઉત્તરઃ
ખોટું
(8) મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને આર્યભટ્ટ ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ હતા.
ઉત્તરઃ
ખોટું
(9) મહર્ષિ ચરકે ‘ચરકસંહિતા’માં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું છે.
ઉત્તરઃ
ખરું
(10) શાલિહોત્રનું ‘અશ્વશાસ્ત્ર’ ખૂબ જ પ્રખ્યાત છે.
ઉત્તરઃ
ખરું
(11) ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથના રચયિતા વામ્ભટ્ટ વૈદકશાસ્ત્રના વિદ્વાન છે.
ઉત્તરઃ
ખરું
(12) શૂન્ય(0)ની શોધ આર્યભટ્ટ કરી હતી.
ઉત્તરઃ
ખરું
(13) ‘ગુત્સમદ’ નામના ગણિતશાસ્ત્રીએ આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાની શોધ કરી હતી.
ઉત્તરઃ
ખોટું
(14) ઈ. સ. 1960માં ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથો લખ્યા હતા.
ઉત્તરઃ
ખોટું
(15) ભાસ્કરાચાર્યને ‘ગણિતશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
(16) ‘આર્યસિદ્ધાંત’માં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું વર્ણન આપેલું છે.
ઉત્તરઃ
ખરું
(17) શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન છે.
ઉત્તરઃ
ખરું
(18) ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ ‘ચંદ્રાયન’ હતું.
ઉત્તરઃ
ખોટું
(19) આર્યભટ્ટે ગુરુત્વાકર્ષણના નિયમો શોધ્યા હતા.
ઉત્તરઃ
ખોટું
(20) વરાહમિહિર મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા.
ઉત્તરઃ
ખરું
(21) વાસ્તુશાસ્ત્ર ખગોળશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે.
ઉત્તરઃ
ખોટું
(22) બૃહત્સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ થયેલો છે.
ઉત્તરઃ
ખરું
(23) પંદરમી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો.
ઉત્તરઃ
ખરું
(24) દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને દસ વિભાગોમાં વહેંચ્યું હતું.
ઉત્તરઃ
ખોટું
(25) અર્વાચીન ભારતના વિજ્ઞાનનું જ્ઞાન વિશ્વમાં સ્વીકાર્ય થયું છે.
ઉત્તરઃ
ખોટું
(26) વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ છે.
ઉત્તરઃ
ખરું
(27) નૃત્યકલાના ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે.
ઉત્તરઃ
ખરું
(28) મહાદેવ નટરાજનું શિલ્પ હૈદરાબાદના સંગ્રહાલયમાં સચવાયેલું છે.
ઉત્તરઃ
ખોટું
(29) બ્રાવ્ય પાંચાલે ‘પ્રજનનશાસ્ત્ર’ નામનો ગ્રંથ લખ્યો છે.
ઉત્તરઃ
ખરું
(30) મહર્ષિ ભારદ્વાજે કામસૂત્ર’ નામનો ગ્રંથ લખ્યો છે.
ઉત્તરઃ
ખોટું
(31) બ્રહ્મગુપ્ત સમીકરણના પ્રકાર બતાવ્યા હતા.
ઉત્તરઃ
ખરું
(32) ચક્રપાણિદત્ત ચિકિત્સાસંગ્રહ’ નામનો ગ્રંથ લખ્યો છે.
ઉત્તરઃ
ખરું
(33) ‘કામસૂત્ર’ એ મહામુનિ પારાશરરચિત વિજ્ઞાન આધારિત શાસ્ત્ર છે.
ઉત્તરઃ
ખોટું
(34) ‘યોગશાસ્ત્ર’ના રચયિતા મહર્ષિ પતંજલિ હતા.
ઉત્તરઃ
ખરું
(35) મહામુનિ પારાશરે ‘વૃક્ષ સર્વસ્વ’ નામના શાસ્ત્રની રચના કરી હતી.
ઉત્તરઃ
ખોટું
(36) શકમુનિએ ‘કાલગણના’ નામના વિજ્ઞાન આધારિત શાસ્ત્રની રચના કરી હતી.
ઉત્તરઃ
ખરું
(37) પ્રાચીન ભારતમાં વાઢકાપ કરવા માટે વૈદ્યો પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું ભ્રમણ અટકાવતા.
ઉત્તરઃ
ખરું
(38) પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ 1(એક)ની પાછળ 53 (2પન) શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓનાં નામ નિર્ધારિત કર્યા છે.
ઉત્તરઃ
ખરું
(39) પ્રાચીન સમયમાં આર્યભટ્ટ સમીકરણના પ્રકાર બતાવ્યા હતા.
ઉત્તરઃ
ખોટું
નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો:
(1) બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને કોના આચાર્ય માનવામાં આવે છે? – ભારતીય રસાયણશાસ્ત્રના
(2) વનસ્પતિ-ઔષધિઓની સાથે સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કોણે કરી હતી? – આચાર્ય નાગાર્જુને
(3) દિલ્લીમાં કયા સમ્રાટે લોહસ્તંભ (વિજયસ્તંભ) ઊભો કરાવ્યો હતો? – ચંદ્રગુપ્ત બીજાએ
(4) વૈદકશાસ્ત્રના વિદ્વાન વામ્ભટ્ટ નિદાનક્ષેત્રે કયો ગ્રંથ લખ્યો હતો? – અષ્ટાંગહૃદય
(5) આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાની શોધ કોણે કરી હતી? – ગુત્સમદ ઋષિએ .
(6) ભાસ્કરાચાર્યે કયા ગ્રંથો લખ્યા હતા? – લીલાવતી ગણિત અને બીજગણિત
(7) + (સરવાળા) અને – (બાદબાકી)નું સંશોધન કોણે કર્યું હતું? – ભાસ્કરાચાર્ય
(8) ગણિતશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? – આર્યભટ્ટને
(9) કલાની દષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કર્યું છે? – નટરાજનું
(10) ‘પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ – પૃથ્વીનો પડછાયો છે.’ તેમ કોણે સાબિત કર્યું હતું? – આર્યભટ્ટ
(11) બ્રહ્મગુપ્ત કયા ગ્રંથમાં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે? – બ્રહ્મસિદ્ધાંતમાં
(12) બૃહૉંહિતા ગ્રંથની રચના કોણે કરી હતી? – વરાહમિહિરે
(13) પંદરમી સદીમાં મેવાડના કયા રાણાએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો? – રાણા કુંભાએ
(14) દેવોના પ્રથમ સ્થપતિ કોને માનવામાં આવે છે? – વિશ્વકર્માને
(15) ભારતીય સંસ્કૃતિનું મૂળભૂત લક્ષણ કયું છે? – વિવિધતામાં એકતા
(16) બૌદ્ધ આચાર્ય નાગાર્જુને ક્યાં બે પુસ્તકો લખ્યાં હતાં? – ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી’
(17) કઈ વિદ્યાપીઠમાં રસાયણશાસ્ત્રના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણશાળા અને ભઠ્ઠીઓ હતી? – નાલંદા વિદ્યાપીઠમાં
(18) ભારતની રસાયણવિદ્યાનો ઉત્તમ નમૂનો કયો છે? -લોહસ્તંભ (વિજયસ્તંભ), દિલ્લી
(19) કોના અવશેષોમાં માપવામાં અને તોલવાનાં સાધનોમાં દશાંશ પદ્ધતિ’ જોવા મળી છે, જેની ઓળખ પ્રાચીન સમયમાં મેઘાતિથિએ આપી હતી. – મોહેં-જો-દડો અને હડપ્પાના
(20) કોણે પ્રતિપાદિત કર્યું છે કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક 1 (પાઈ) છે? – આર્યભટ્ટ
(21) શાસ્ત્રોમાં કયું શાસ્ત્ર સૌથી પ્રાચીન છે? – ખગોળશાસ્ત્ર
(22) સમીકરણના પ્રકાર કયા વિદ્વાને બતાવ્યા હતા? – બ્રહ્મગુપ્ત
(23) આર્યભટ્ટના કયા ગ્રંથમાં π(પાઈ)ની કિંમત 22/7 (3.14) જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે? – આર્યભટ્ટીયમુમાં
(24) ક્યા ગ્રંથમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે? – આર્યસિદ્ધાંતમાં
(25) ગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન કોણે શોધ્યું હતું? – આર્યભટ્ટ
યોગ્ય જોડકાં જોડોઃ
1.
‘અ’ | ‘બ’ |
1. પ્રયોગાત્મક વિજ્ઞાન | a. દિલ્લી |
2. સૌથી પ્રાચીન શાસ્ત્ર | b. નાગાર્જુન |
3. રસાયણશાસ્ત્રના આચાર્ય | c. મેવાડ |
4. વિજયસ્તંભ (લોહસ્તંભ) | d. ખગોળશાસ્ત્ર |
e. રસાયણશાસ્ત્ર |
ઉત્તર:
‘અ’ | ‘બ’ |
1. પ્રયોગાત્મક વિજ્ઞાન | e. રસાયણશાસ્ત્ર |
2. સૌથી પ્રાચીન શાસ્ત્ર | d. ખગોળશાસ્ત્ર |
3. રસાયણશાસ્ત્રના આચાર્ય | b. નાગાર્જુન |
4. વિજયસ્તંભ (લોહસ્તંભ) | a. દિલ્લી |
2.
‘અ’ | ‘બ’ |
1. શાલિહોત્ર | a. લીલાવતી ગણિત |
2. વામ્ભટ્ટ | b. ગણિતશાસ્ત્રના પિતા |
3. ભાસ્કરાચાર્ય | c. અષ્ટાંગહૃદય |
4. આર્યભટ્ટ | d. અશ્વશાસ્ત્ર |
e. સમીકરણના પ્રકારો |
ઉત્તર:
‘અ’ | ‘બ’ |
1. શાલિહોત્ર | d. અશ્વશાસ્ત્ર |
2. વામ્ભટ્ટ | c. અષ્ટાંગહૃદય |
3. ભાસ્કરાચાર્ય | a. લીલાવતી ગણિત |
4. આર્યભટ્ટ | b. ગણિતશાસ્ત્રના પિતા |
3.
‘અ’ | ‘બ’ |
1. બ્રાભ્રવ્ય પાંચાલ | a. કામસૂત્ર |
2. ચક્રપાણિદત્ત | b. પ્રજનનશાસ્ત્ર |
3. વાત્સાયન | c. યોગશાસ્ત્ર |
4. મહર્ષિ પતંજલિ | d. કાલગણના |
e. ચિકિત્સાસંગ્રહ |
ઉત્તર:
‘અ’ | ‘બ’ |
1. બ્રાભ્રવ્ય પાંચાલ | b. પ્રજનનશાસ્ત્ર |
2. ચક્રપાણિદત્ત | e. ચિકિત્સાસંગ્રહ |
3. વાત્સાયન | a. કામસૂત્ર |
4. મહર્ષિ પતંજલિ | c. યોગશાસ્ત્ર |
4.
‘અ’ | ‘બ’ |
1. મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી | a. વિશ્વકર્મા |
2. જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ | b. આર્યભટ્ટ |
3. વાસ્તુશાસ્ત્રના પુનરુદ્ધારક | c. વરાહમિહિર |
4. દેવોના પ્રથમ સ્થપતિ | d. વાસ્તુશાસ્ત્ર |
e. રાણા કુંભા |
ઉત્તરઃ
‘અ’ | ‘બ’ |
1. મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી | c. વરાહમિહિર |
2. જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ | d. વાસ્તુશાસ્ત્ર |
3. વાસ્તુશાસ્ત્રના પુનરુદ્ધારક | e. રાણા કુંભા |
4. દેવોના પ્રથમ સ્થપતિ | a. વિશ્વકર્મા |
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો
પ્રશ્ન 1.
આપણા ઋષિમુનિઓએ વિજ્ઞાનનાં કયાં કયાં ક્ષેત્રોમાં મહત્તમ ફાળો આપ્યો છે?
ઉત્તરઃ
આપણા ઋષિમુનિઓએ ધાતુવિદ્યા, રસાયણવિદ્યા, વેદકવિદ્યા, શલ્ય ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનનાં ક્ષેત્રોમાં મહત્તમ ફાળો આપ્યો છે.
પ્રશ્ન 2.
કોનું શિલ્પ કલાની દષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે?
ઉત્તર:
દક્ષિણ ભારતમાં ચોલ રાજવીઓના સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજનું શિલ્પ કલાની દષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે.
પ્રશ્ન 3.
તમિલનાડુ રાજ્યના ચેન્નઈના સંગ્રહાલયમાં ક્યાં બે ધાતુશિલ્પો સંગૃહીત થયેલાં છે?
ઉત્તર:
તમિલનાડુ રાજ્યના ચેન્નઈના સંગ્રહાલયમાં નટરાજનું શિલ્પ અને ધનુષધારી રામનું શિલ્પ – આ બે ધાતુશિલ્પો સંગૃહીત થયેલાં છે.
પ્રશ્ન 4.
ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ ક્યા ક્યા છે?
ઉત્તર:
મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાભટ્ટ ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ છે.
પ્રશ્ન 5.
મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુતસંહિતા નામના વૈદકશાસ્ત્રના ગ્રંથમાં શાનો ઉલ્લેખ કર્યો છે?
ઉત્તર:
મહર્ષિ સુશ્રુતે તેમના સુશ્રુતસંહિતા નામના વૈદકશાસ્ત્રના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા(વાઢકાપ – શસ્ત્રક્રિયા)નાં ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભા ચીરીને બે ભાગ કરી શકતાં હતાં.
પ્રશ્ન 6.
પ્રાણીરોગોના બે પ્રખ્યાત ગ્રંથોનાં નામ જણાવો.
ઉત્તરઃ હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રરચિત “અશ્વશાસ્ત્ર’ – આ બે પ્રાણીરોગોના પ્રખ્યાત ગ્રંથો છે.
પ્રશ્ન 7.
ભારતે વિશ્વને ગણિતશાસ્ત્રના ક્ષેત્રે કઈ કઈ શોધો આપી છે?
ઉત્તર:
ભારતે વિશ્વને ગણિતશાસ્ત્રના ક્ષેત્રે શૂન્ય(0)ની સંજ્ઞા, દશાંશ-પદ્ધતિ, બીજગણિત, બોધાયનનો પ્રમેય, રેખાગણિત, વૈદિક ગણિત વગેરે નોંધપાત્ર શોધો આપી છે.
પ્રશ્ન 8.
પ્રાચીન સમયમાં મેઘાતિથિએ શાની ઓળખ આપી હતી?
ઉત્તર:
પ્રાચીન સમયમાં મેઘાતિથિએ ‘મોહેં-જો-દડો અને ‘હડપ્પા’ના અવશેષોમાં માપવામાં અને તોલવાનાં સાધનોમાં ‘દશાંશપદ્ધતિ’ હતી, તેની ઓળખ આપી હતી.
પ્રશ્ન 9.
આર્યભટ્ટે શું સાબિત કર્યું હતું?
ઉત્તરઃ
આર્યભટ્ટ સાબિત કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્ર પર પૃથ્વીનો પડછાયો પડે છે, તેથી ચંદ્રગ્રહણ થાય છે.
પ્રશ્ન 10.
ગણિતશાસ્ત્રનાં વિવિધ પાસાંની ચર્ચા કયા કયા વિદ્વાનોએ કરી છે?
ઉત્તરઃ
આર્યભટ્ટ, ગુત્સમદ, બોધાયન, કાત્યાયન, આપસ્તંભ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય વગેરે વિદ્વાનોએ ગણિતશાસ્ત્રનાં વિવિધ પાસાંની ચર્ચા કરી છે.
પ્રશ્ન 11.
વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રને કયા ત્રણ વિભાગોમાં વહેંચ્યું હતું?
ઉત્તરઃ
વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રને આ ત્રણ વિભાગોમાં વહેંચ્યું હતુંઃ
- ‘તંત્ર’,
- ‘હોરા’ અને
- ‘સંહિતા’.
પ્રશ્ન 12.
વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથોમાં કોણે સુધારા-વધારા કરાવી { નવા ગ્રંથની રચના કરાવી હતી?
ઉત્તરઃ
15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના પ્રાચીન ગ્રંથોમાં સુધારા-વધારા કરાવી નવા ગ્રંથની રચના કરાવી હતી.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
પ્રશ્ન 1.
વિજ્ઞાન અને ટેકનોલૉજીનું મહત્ત્વ દર્શાવો.
ઉત્તર:
વિજ્ઞાન અને ટેક્નોલૉજીનું મહત્ત્વ નીચે પ્રમાણે છે :
- વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેક્નોલૉજી એટલે વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા.
- વિજ્ઞાન અને ટેકનોલૉજીક્ષેત્રે થયેલા સંશોધનોએ વિશ્વના દેશોને એકબીજાની નજીક લાવી દીધા છે.
- આશરે છેલ્લાં 200 વર્ષની વૈજ્ઞાનિક શોધખોળોએ દેશ-દેશ વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવ્યો છે.
- તેણે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે સહકાર વધાયો છે, નવો અભિગમ પેદા કર્યો છે.
- વિશ્વનાં રાષ્ટ્રો વિશ્વશાંતિ અને સહઅસ્તિત્વ પ્રત્યે અભિમુખ થયાં છે.
- વિજ્ઞાન અને ટેક્નોલૉજીએ માનવીના સર્વાગી વિકાસની ઘણી તકો ઊભી કરી છે. ટેક્નોલૉજીના સહયોગથી માનવીને ઘણી સફળતાઓ મળી છે.
પ્રશ્ન 2.
રસાયણવિદ્યામાં નાલંદા વિદ્યાપીઠની વિશેષતાઓ જણાવો.
ઉત્તરઃ
રસાયણવિદ્યામાં નાલંદા વિદ્યાપીઠની વિશેષતાઓ:
- નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ-ઔષધોની ? સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી.
- પારાની ભષ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમણે જ ચાલુ કર્યો હોય તેમ મનાય છે.
- નાલંદા વિદ્યાપીઠે રસાયણવિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણશાળા અને ભઠ્ઠીઓ બનાવી હતી.
પ્રશ્ન 3.
પ્રાચીન ભારતની રસાયણવિદ્યાની સિદ્ધિઓનાં ત્રણ ઉદાહરણો આપો.
ઉત્તરઃ
પ્રાચીન ભારતની રસાયણવિદ્યાની સિદ્ધિઓનાં ત્રણ ઉદાહરણો:
- બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 7 1/2 ફૂટ ઊંચી અને 1 ટન વજનની ભગવાન બુદ્ધની તામ્રમૂર્તિ.
- નાલંદામાંથી મળી આવેલી 18 ફૂટ ઊંચી બુદ્ધની તામ્રમૂર્તિ.
- સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે) દિલ્લી પાસે ઊભો કરાવેલો 24 ફૂટ ઊંચો વિજયસ્તંભ (લોહસ્તંભ).
- આજ સુધી ટાઢ-તડકો અને વરસાદ ઝીલ્યા છતાં આ વિજયસ્તંભને જરા પણ કાટ લાગ્યો નથી તે રસાયણવિદ્યાની અનુપમ સિદ્ધિનો નમૂનો છે.
પ્રશ્ન 4.
વરાહમિહિરે ‘બૃહત્સંહિતા’માં મુખ્યત્વે કઈ કઈ બાબતોની ચર્ચા કરી છે?
ઉત્તરઃ
વરાહમિહિરે ‘બૃહર્સંહિતા’ નામના ગ્રંથમાં મુખ્યત્વે આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે. તેમણે મનુષ્યનાં લક્ષણો, પ્રાણીઓના જુદા જુદા વર્ગો તેમજ લગ્નસમય, તળાવો અને કૂવાઓ ખોદાવવા, બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી કરવી વગેરે પ્રસંગોનાં શુભ મુહૂર્તોની ચર્ચા કરી છે.
પ્રશ્ન 5.
પ્રાચીન વાસ્તુશાસ્ત્રીઓએ તેમના ગ્રંથોમાં કઈ કઈ બાબતો માટેના સિદ્ધાંતોની ચર્ચા કરી છે?
ઉત્તરઃ
પ્રાચીન વાસ્તુશાસ્ત્રીઓએ તેમના ગ્રંથોમાં રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કઈ રીતે કરવી અને કઈ દિશામાં કરવી વગેરે બાબતો માટેના સિદ્ધાંતોની ચર્ચા કરી છે.
પ્રશ્ન 6.
ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ કઈ કઈ છે?
ઉત્તરઃ
ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ નીચે પ્રમાણે છેઃ
- ભારતીય સંસ્કૃતિ વિશાળ, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ છે. તે સંકુચિત કે મર્યાદિત નથી.
- ભારતીય સંસ્કૃતિમાં ધર્મ અને વિજ્ઞાન, પરંપરાગત આદર્શો, વ્યાવહારિક જ્ઞાન અને સમજણનો સુભગ સમન્વય થયેલો છે.
- ભારતીય સંસ્કૃતિ ધાર્મિક સહિષ્ણુતા, સમાનતા અને વિશ્વબંધુત્વની ભાવનાના મહાન ગુણો ધરાવે છે.
- ભારતમાં દરેક વ્યક્તિના ધર્મ, જીવનપદ્ધતિ અને મૂલ્યોમાં વિવિધતા છે. આમ છતાં, દેશના લોકોમાં મૂળભૂત એકતા જળવાઈ રહી છે.
- વિવિધતામાં એકતા (Unity in diversity) એ ભારતીય સંસ્કૃતિનું એક અજોડ અને વિશિષ્ટ લક્ષણ છે.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
પ્રશ્ન 1.
પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે સમજ – માહિતી આપો. (March 20)
અથવા
ટૂંક નોંધ લખો : વાસ્તુશાસ્ત્ર
ઉત્તર:
વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ છે.
- બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વસિષ્ઠ અને વિશ્વકર્મા પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ, આર્ષદષ્ટા અને પ્રસારક હતા.
- તેમણે રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી તેમજ કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંતો આપ્યા છે.
- મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિરરચિત બૃહત્સંહિતા’માં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ થયેલો છે.
- 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથોમાં સુધારા-વધારા કરાવીને વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કર્યો હતો.
- આજે જગતના અનેક દેશોએ ભારતના વાસ્તુશાસ્ત્રની પ્રતિષ્ઠા અને મહત્ત્વ સ્વીકાર્યા છે.
- ભારતની પૌરાણિક માન્યતા મુજબ વિશ્વકર્મા દેવોના પ્રથમ સ્થપતિ (આર્કિટેક) હતા. તેમણે વાસ્તુશાસ્ત્રના 8 વિભાગો પાડ્યા હતા.
- ‘વાસ્તુશાસ્ત્ર’માં ઘર બનાવવા માટે જગ્યાની પસંદગી, ઘરના વિવિધ આકારો અને કદ, ઘરની રચના, ઘરની વસ્તુઓની ગોઠવણી, દેવમંદિર, બ્રહ્મસ્થાન, ભોજનકક્ષ, શયનખંડ, દૈનિક કાર્યો માટેનાં હું સ્થાનો વગેરે માટે માહિતી આપવામાં આવી છે.
- સમયના પરિવર્તન સાથે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અને સમજમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.
- બિહારમાં સારનાથ ખાતે આવેલો 128 ફૂટ ઊંચા સ્તંભ ભારતની પ્રાચીન વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો છે.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો:
પ્રશ્ન 2.
વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓનાં નામ આપો અને વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વસિષ્ઠ અને વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ હતા.
- દેવોના પ્રથમ સ્થપતિ (આર્કિટેક) મનાતા વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને 8 વિભાગોમાં વહેંચ્યું હતું.
- વાસ્તુશાસ્ત્રમાં મુખ્યત્વે રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, નગર, દુકાન, કારખાના વગેરેની રચના કેવી રીતે કરવી તેમજ કઈ દિશામાં કરવી વગેરેને લગતા સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.
- આ ઉપરાંત, વાસ્તુશાસ્ત્રમાં ઘર બનાવવા માટે જગ્યાની પસંદગી, ઘરના વિવિધ આકારો, ઘરની રચના, ઘરની અંદરની ગોઠવણી, દેવમંદિર, બ્રહ્મસ્થાન, ભોજનકક્ષ, શયનખંડ, દૈનિક કાર્ય માટેનાં સ્થાનો વગેરેની માહિતીનો સમાવેશ થાય છે.
પરિશિષ્ટ
વિવિધ વિજ્ઞાનોના વિદ્વાન કર્તાઓ | વિદ્વાનોએ રચેલી કૃતિઓ |
નાગાર્જુન | રસરત્નાકર, આરોગ્યમંજરી |
મહર્ષિ ચરક | ચરકસંહિતા |
મહર્ષિ સુશ્રુત | સુશ્રુતસંહિતા |
વાભટ્ટ | વાભટ્ટસંહિતા, અષ્ટાંગહૃદય |
શાલિહોત્ર | અશ્વશાસ્ત્ર |
આર્યભટ્ટ | આર્યભટ્ટીયમ્, દસગીતિકા, આર્યસિદ્ધાંત |
ભાસ્કરાચાર્ય | લીલાવતી ગણિત, બીજગણિત |
બ્રહ્મસિદ્ધાંત | બ્રહ્મગુપ્ત |
વરાહમિહિર | બૃહત્સંહિતા |
વિશ્વકર્મા | વાસ્તુશાસ્ત્ર |
GSEB Class 10 Social Science ભારતનો વિજ્ઞાન અને ટેક્નોલૉજીનો વારસો Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો:
પ્રશ્ન 1.
પ્રાચીન ભારતનું ધાતુવિદ્યામાં પ્રદાન જણાવો.
અથવા
પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.
અથવા
પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. સમજાવો.
ઉત્તર:
નીચેનાં ધાતુશિલ્પો પરથી પ્રાચીન ભારતે ધાતુવિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી તેની માહિતી મળે છે :
- પ્રાચીન ભારતની સિંધુખીણની (હડપ્પીય) સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે.
- કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે.
- 10મી અને 11મી સદીથી ભારતમાં ધાતુશિલ્પો બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ. દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુશિલ્પો તૈયાર થયાં.
- આ સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજ(શિવ)નું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુવિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ શિલ્પ આજે ચેન્નઈ(તમિલનાડુ)ના સંગ્રહાલયમાં સંગૃહીત છે.
- ચેન્નઈ(તમિલનાડુ)ના સંગ્રહાલયમાં ધનુષધારી રામની ધાતુપ્રતિમા સંગૃહીત છે.
- ગુપ્ત રાજાઓના સમયની સારનાથમાંથી પ્રાપ્ત થયેલી બુદ્ધની ધાતુપ્રતિમા, નાલંદા અને સુલતાનગંજમાંથી મળી આવેલી બુદ્ધની તાંબાની મૂર્તિઓ તથા મથુરામાંથી મળેલી જૈન પ્રતિમા ધાતુવિદ્યાના શ્રેષ્ઠ નમૂના છે.
- ધાતુઓમાંથી બનાવેલાં કલાત્મક દેવ-દેવીઓ, પશુ-પંખીઓ, હીંચકાની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સૂડીઓ, કલાત્મક દીવીઓ વગેરે ધાતુશિલ્પોમાં મહત્ત્વનાં ગણાય છે.
પ્રશ્ન 2.
પ્રાચીન ભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.
અથવા
એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણવિદ્યાનો પરિચય આપો. (March 20)
અથવા
પ્રાચીન ભારત સંદર્ભે રસાયણવિદ્યાની માહિતી આપો. (August 20)
ઉત્તર:
પ્રાચીન ભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિ નીચેનાં દષ્ટાંતો દ્વારા સ્પષ્ટ થાય છે:
- નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ-ઔષધિઓની રે સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી.
- તેમને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. તેમણે ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી’ નામનાં પુસ્તકો લખ્યાં છે.
- પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોય તેમ મનાય છે.
- નાલંદા વિદ્યાપીઠે રસાયણવિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણશાળા તથા ભઠ્ઠીઓ બનાવી હતી.
- રસાયણશાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ, દસ પ્રકારનાં વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન કરવામાં આવ્યું છે.
- બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી મળી આવેલી 7 1/2 ફૂટ ઊંચી અને 1 ટન વજનની બુદ્ધની તામ્રમૂર્તિ તથા નાલંદામાંથી પ્રાપ્ત થયેલી 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધિપ્રતિમા પ્રાચીન ભારતમાં રસાયણવિદ્યામાં થયેલી અસાધારણ પ્રગતિના શ્રેષ્ઠ નમૂના છે.
- ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ (વિક્રમાદિત્યે) દિલ્લીમાં મહરોલી પાસે 24 ફૂટ ઊંચો અને 7 ટન વજનનો એક વિજયસ્તંભ (લોહસ્તંભ) ઊભો કરાવ્યો હતો.
- સુધી ટાઢ-તડકો અને વરસાદ ઝીલ્યા છતાં તેને જરા પણ કાટ લાગ્યો નથી. તે રસાયણવિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે.
પ્રશ્ન 3.
વૈદકવિદ્યા અને શલ્યચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો.
અથવા
પ્રાચીન ભારતમાં વૈદકવિદ્યા અને શલ્ય ચિકિત્સા વિશે લખો. (August 20)
અથવા
પ્રાચીન ભારતે વૈદકવિદ્યા અને શલ્યચિકિત્સામાં સાધેલી અભૂતપૂર્વ સિદ્ધિઓનું વર્ણન કરો.
ઉત્તર:
ભારતીય વૈદકશાસ્ત્રના પ્રણેતાઓ મહર્ષિ ચરકે, મહર્ષિ સુશ્રુતે અને વામ્ભટ્ટે પોતાનાં સંશોધનોથી વૈદકશાસ્ત્રમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી.
- વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતા મહર્ષિ ચરકે ‘ચરકસંહિતા’ નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ-ઔષધિઓનું વર્ણન કર્યું છે.
- મહાન વૈદકશાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમના ‘સુશ્રુતસંહિતા’ નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સા (વાઢકાપ-વિદ્યા – શસ્ત્રક્રિયા) માટેનાં ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો છે, જે માથાના વાળને ઊભો ચીરીને બે ભાગ કરી શકતાં હતાં.
- પ્રાચીન ભારતના હિંદુઓનું ઔષધશાસ્ત્ર ખનીજ, વનસ્પતિજ અને પ્રાણીજ ઔષધિઓનો વિપુલ ભંડાર છે. તેમાં દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓ તેમજ દવાઓનું વર્ગીકરણ અને તેમનો ઉપયોગ કરવા માટેનાં સૂચનો આપવામાં આવ્યાં છે.
- ભારતના વૈદકશાસ્ત્રીઓ પ્યાલા આકારનો પાટો બાંધી, રક્તનું પરિભ્રમણ અટકાવીને વાઢકાપ કરતા. તેઓ પેઠું અને મૂત્રાશયનાં ઑપરેશનો કરતા. તેઓ સારણગાંઠ, મોતિયો, પથરી અને હરસમસા નાબૂદ કરતા.
- તેઓ ભાંગેલાં અને ઊતરી ગયેલાં હાડકાં બેસાડી દેતાં તેમજ શરીરમાં ઘૂસી ગયેલા બહારના પદાર્થોને કુશળતાપૂર્વક બહાર ખેંચી કાઢતા.
- તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવાં નાક-કાન સાંધવાની ‘પ્લાસ્ટિક સર્જરી’ જાણતા હતા.
- તેઓ વાઢકાપનાં હથિયારો બનાવતા તેમજ મીણનાં પૂતળાંના અથવા મૃત શરીરના વાઢકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઑપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા. પ્રસૂતિ વેળા જોખમી ઑપરેશનો કરતાં પણ તેઓ અચકાતા નહિ.
- તેઓ સ્ત્રીઓ અને બાળકોના રોગોના નિષ્ણાત હતા.
- તેઓ રોગોનાં કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરતા. તેઓ રોગોનું નિદાન કરતા અને રોગો મટ્યા પછી પાળવાની પરેજી આપતા.
- પ્રાચીન ભારતના વૈદકશાસ્ત્રીઓએ પ્રાણીઓના રોગો માટેનું શાસ્ત્ર વિકસાવ્યું હતું. તેમણે અશ્વરોગો અને હસ્તી રોગો પર ગ્રંથો લખ્યા હતા. તેમાં ‘હસ્તી આયુર્વેદ’ અને શાલિહોત્રનું ‘અશ્વશાસ્ત્ર’ નામના ગ્રંથો ઘણા પ્રખ્યાત છે.
- વૈદકશાસ્ત્રના મહાન લેખક વાભટ્ટે “અષ્ટાંગહૃદય’ જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો.
પ્રશ્ન 4.
પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો.
ઉત્તર:
ધાતુવિદ્યા, રસાયણવિદ્યા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદકશાસ્ત્ર, શલ્યચિકિત્સા, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને તેનો : અમૂલ્ય વારસો આપ્યો છે.
- ભારતે વિજ્ઞાન અને ટેકનોલૉજીના ક્ષેત્રે સિંહફાળો આપ્યો છે. અર્વાચીન યુગનાં સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે, ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દષ્ટિકોણ પણ ધરાવે છે.
- આજના પાશ્ચાત્ય દેશોએ વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારતના વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતોનો ઉપયોગ થયેલો જોવા મળે છે.
- આ પરથી સ્પષ્ટ થાય છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર વારસો આપ્યો છે.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો:
પ્રશ્ન 1.
પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો.
અથવા
પ્રાચીન ભારતે ગણિતશાસ્ત્રમાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.
અથવા
પ્રાચીન સમયના ગણિતશાસ્ત્રની નોંધપાત્ર સિદ્ધિઓ જણાવો.
ઉત્તર:
પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્રક્ષેત્રે નીચે પ્રમાણે કેટલીક શકવર્તી શોધો થઈ હતી :
- ભારતે વિશ્વને શૂન્ય(0)ની સંજ્ઞાની, દશાંશ-પદ્ધતિની, બીજગણિત, રેખાગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે.
- મહાન ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ શૂન્ય(0)ની સંજ્ઞાની અને દશાંશપદ્ધતિની શોધ કરી હતી. તેમણે તેમના ‘આર્યભટ્ટીયમ્’ ગ્રંથમાં જ(પાઈ)ની કિંમત 22/7(3.14) જેટલી થાય છે એવું જણાવ્યું હતું. તેમણે પ્રતિપાદન કરેલું છે કે, ગોલક(ગોળા)ના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક π (પાઈ) છે.
- આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે. તેથી આર્યભટ્ટને ‘ગણિતશાસ્ત્રના પિતા’ કહેવામાં આવે છે. આર્યભટ્ટ ‘દસગીતિકા’ અને ‘આર્યસિદ્ધાંત’ નામના ગ્રંથો લખ્યા હતા. ‘આર્યસિદ્ધાંત’ ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે. તેમણે બીજગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો.
- ‘ગૃત્સમદ’ નામના ઋષિએ અંકની પાછળ શુન્ય (0) લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી.
- પ્રાચીન ભારતના ગણિશાસ્ત્રીઓએ 1(એક)ની પાછળ 53 (ત્રેપન) શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓનાં નામ નક્કી કર્યા હતાં.
- ‘મોહેં-જો-દડો અને ‘હડપ્પા’ના અવશેષોમાં માપવા અને તોલવા માટેનાં સાધનોમાં ‘દશાંશ-પદ્ધતિ’ હતી, તેનો પરિચય પ્રાચીન સમયમાં ‘મેઘાતિથિ’ નામના ગણિતશાસ્ત્રીએ આપ્યો હતો.
- ઈ. સ. 1150માં મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ નામની પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો. આ ઉપરાંત, તેમણે બીજગણિત, અંકગણિત અને ખગોળશાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા હતા. તેમણે + (સરવાળા) અને – (બાદબાકી)ની શોધો કરી હતી.
- ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્ત સમીકરણના પ્રકારોની શોધ કરી હતી.
- ગણિતશાસ્ત્રી આપખંભે શલ્પસૂત્રો(ઈ. સ. 800 પૂર્વેમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિવિધ વેદીઓનાં પ્રમાણ નક્કી કર્યા હતાં.
- ગણિતશાસ્ત્રી બોધાયને અને કાત્યાયને પોતાના ગ્રંથોમાં ગણિતશાસ્ત્રનાં વિવિધ પાસાં વિશે ચર્ચા કરી હતી.
પ્રશ્ન 2.
ટૂંક નોંધ લખો: પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર
અથવા
પ્રાચીન ભારતે ખગોળવિદ્યામાં આપેલું પ્રદાન જણાવો.
ઉત્તર:
પ્રાચીન ભારતે ખગોળવિદ્યામાં આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે:
- બધાં શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે.
- ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો.
- ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો અને અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી.
- મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિરે પોતાના ‘પંચસિદ્ધાંતિકા’ નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપી હતી.
- ગ્રહો પરથી રાશિ-ફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું.
- ગુપ્તયુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ સૌપ્રથમ પ્રતિપાદિત (સાબિત) કર્યું હતું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે. વિદ્વાનો આ બાબતને “અજરભર કહેતા હતા.
- ખગોળવિજ્ઞાનક્ષેત્રે આર્યભટ્ટનું મહત્ત્વનું યોગદાન છે. તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ ‘આર્યભટ્ટ’ રાખવામાં આવ્યું છે.
- બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે ‘બ્રહ્મસિદ્ધાંત’ નામનો ગ્રંથ રચ્યો હતો. તેમાં તેમણે ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા હતા.
પ્રશ્ન 3.
જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન વર્ણવો.
અથવા
વરાહમિહિરે જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રે આપેલું પ્રદાન જણાવો.
ઉત્તરઃ
જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રે આપેલું પ્રદાન નીચે પ્રમાણે છેઃ
- વરાહમિહિર મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી હતા. તેમણે જ્યોતિષશાસ્ત્રને ‘તંત્ર’, ‘હોરા’ અને ‘સંહિતા’ એમ ત્રણ ભાગોમાં વહેંચ્યું હતું.
- વરાહમિહિરે તેમના બૃહત્સંહિતા’ નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે.
- તેમણે આ ગ્રંથમાં મનુષ્યનાં લક્ષણો અને પ્રાણીઓના જુદા જુદા વગ વિશે તેમજ લગ્નસમય, તળાવો અને કૂવાઓ ખોદાવવા, બગીચા બનાવવા, ખેતરોમાં વાવણી કરવી વગેરે પ્રસંગોનાં શુભ મુહૂર્તોની માહિતી આપી છે.
આમ, જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન અપ્રતિમ છે.
પ્રશ્ન 4.
વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીનો સમાવેશ થાય છે?
ઉત્તરઃ
વાસ્તુશાસ્ત્રમાં રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી એ માહિતીનો સમાવેશ થાય છે.
3. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો:
પ્રશ્ન 1.
વિજ્ઞાન અને ટેકનોલૉજી એટલે શું?
ઉત્તર:
વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલૉજી એટલે વિજ્ઞાનની વ્યાવહારિક ઉપયોગિતા.
પ્રશ્ન 2.
રસાયણવિદ્યાક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો.
ઉત્તરઃ
આચાર્ય નાગાર્જુન ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય હતા. તેમણે ‘રસરત્નાકર’ અને ‘આરોગ્યમંજરી’ નામના ગ્રંથો લખ્યા હતા.
- તેમણે વનસ્પતિ-ઔષધોની સાથે રસાયણ-ઔષધો વાપરવાની ભલામણ કરી હતી.
- પારાની ભસ્મ કરીને તેને ઔષધ તરીકે વાપરવાનો સૌપ્રથમ પ્રયોગ તેમણે જ ચાલુ ક્યોં હોય તેમ મનાય છે.
પ્રશ્ન 3.
ગણિતશાસ્ત્રક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખો.
અથવા
આર્યભટ્ટે કઈ મહત્ત્વની શોધો કરી હતી ?
ઉત્તર:
આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિતશાસ્ત્રી હતા. તેમણે ‘આર્યભટ્ટીયમ્’ નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો હતો. તેમણે નીચે પ્રમાણે મહત્ત્વની શોધો કરી હતી:
- શૂન્ય(0)ની શોધ.
- π (પાઈ)ની કિંમત 22/7 (3.14) જેટલી થાય છે તેની શોધ.
- ગોલક(ગોળા)ના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંક π છે તેની શોધ. ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની શોધ.
- જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોની શોધ.
- પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે એવું આર્યભટ્ટ સૌપ્રથમ સાબિત કર્યું હતું. તેમણે અંકગણિત, બીજગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો ઉકેલ શોધ્યો હતો.
પ્રશ્ન 4.
જ્યોતિષશાસ્ત્ર કેટલા વિભાગોમાં વહેંચાયેલું છે?
ઉત્તરઃ
જ્યોતિષશાસ્ત્ર ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છે.
પ્રશ્ન 5.
વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓનાં નામ આપો.
ઉત્તર:
વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓનાં નામ : બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વસિષ્ઠ, વિશ્વકર્મા વગેરે.
4. દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:
પ્રશ્ન 1.
કલાની દષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે?
A. બુદ્ધનું
B. મહાદેવ નટરાજનું
C. બોધિગયાનું
D. ધનુર્ધારી રામનું
ઉત્તરઃ
B. મહાદેવ નટરાજનું
પ્રશ્ન 2.
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
A. નાગાર્જુનને ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે.
B. પારાની ભસ્મ કરીને ઓષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરી.
C. રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી.
D. ધાતુઓની ભસ્મનું વર્ણન રસાયણશાસ્ત્રોના ગ્રંથોમાં જોવા મળે છે.
ઉત્તરઃ
C. રસાયણશાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી.
પ્રશ્ન 3.
મહર્ષિ ચરક:ચરક સંહિતા, મહર્ષિ સુશ્રુતઃ …………………….
A. સુશ્રુતસંહિતા
B. ચરકશાસ્ત્ર
C. વાભટ્ટસંહિતા
D. સુશ્રુતશાસ્ત્ર
ઉત્તરઃ
A. સુશ્રુતસંહિતા
પ્રશ્ન 4.
એક શાળાના એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિતશાસ્ત્ર વિશે ચર્ચા કરે છે. તેમાંથી કોણ સાચું બોલે છે?
શ્રેયા: ભાસ્કરાચાર્યે ‘લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથો લખ્યા.
યશ: દશાંશ-પદ્ધતિના શોધક બોધાયન હતા.
માનસી: આર્યભટ્ટને ‘ગણિતશાસ્ત્રના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે.
હાઈ: શૂન્ય(0)ની શોધ ભારતે કરી હતી.
A. યશ
B. હાર્દ
C. શ્રેયા
D. શ્રેયા, માનસી, હાર્દ
ઉત્તરઃ
D. શ્રેયા, માનસી, હાર્દ
પ્રશ્ન 5.
બ્રાભ્રવ્ય પાંચાલે રચેલો ગ્રંથ ……………………. છે.
A. ચિકિત્સાસંગ્રહ
B. પ્રજનનશાસ્ત્ર
C. કામસૂત્ર
D. યંત્ર સર્વસ્વ
ઉત્તરઃ
B. પ્રજનનશાસ્ત્ર
પ્રશ્ન 6.
પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મસિદ્ધાંતની શોધ કોણે કરી હતી?
A. બ્રહ્મગુપ્ત
B. વાસ્યાયને
C. ગૃત્સમદે
D. મહામુનિ પતંજલિએ
ઉત્તરઃ
A. બ્રહ્મગુપ્ત
પ્રશ્ન 7.
મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, ઈત્યાદિની રચના કેવી રીતે કરવી, કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંત દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી જણાવો.
A. ગણિતશાસ્ત્ર
B. રસાયણશાસ્ત્ર
C. વૈદકશાસ્ત્ર
D. વાસ્તુશાસ્ત્ર
ઉત્તરઃ
D. વાસ્તુશાસ્ત્ર