Gujarat Board Solutions Class 9 Social Science Chapter 10 સરકારનાં અંગો
Gujarat Board Solutions Class 9 Social Science Chapter 10 સરકારનાં અંગો
સરકારનાં અંગો Class 9 GSEB
→ સરકારનાં ત્રણ અંગો છે :
- ધારાસભા
- કારોબારી અને
- ન્યાયતંત્ર.
→ ધારાસભા કાયદાઓ ઘડે છે, કારોબારી કાયદાઓનો અમલ કરે છે અને ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા કે દંડ કરે છે તેમજ ન્યાય આપે છે.
→ ભારતમાં સંધ અને રાજ્ય કક્ષાએ સત્તા વિશ્લેષના સિદ્ધાંત મુજબ સરકારનાં કાર્યોને તેનાં ત્રણેય અંગો વચ્ચે વહેંચવામાં આવ્યાં છે. ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ રાખવામાં
આવ્યું છે.
→ સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે.
→ સંસદ દ્વિગૃહી છે. સંસદનું નીચલું ગૃહ લોકસભા” તરીકે અને ઉપલું ગૃહ રાજ્યસભાતરીકે ઓળખાય છે.
→ લોકસભાના કુલ 54s સભ્યો પુખ્તવય મતાધિકારના ધોરણે લોકો દ્વારા ચૂંટાય છે, લોક્સભાની મુદત પાંચ વર્ષની છે, કટોકટી દરમિયાન તેની મુદત એક વર્ષ લંબાવી શકાય છે.
→ લોકસભાના સભ્યો તેમનામાંથી અધ્યક્ષ (સ્પી ક૨) અને ઉપાધ્યક્ષડિપ્યુટી સ્પીક૨)ની ચૂંટણી કરે છે, અધ્યા લોકસભાની બેઠકોનું અધ્યક્ષપદ સંભાળી તેનું સંચાલન કરે છે. કોઈ ખરડા પર સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત આપી શકે છે.
→ રાજ્યસભા કુલ 250 સભ્યોની બનેલી છે. તેમાં 238 સભ્યો રાજ્યોની વિધાનસભા દ્વારા ચૂંટાયેલા હોય છે અને 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ દ્વારા નિયુક્ત થયેલા હોય છે. છે સંસદને ધારાકીય, નાણાકીય, કારોબારીવિષયક અને ન્યાયવિષયક સત્તાઓ મળેલી છે, સંઘસરકારમાં કાયદા ઘડવાનું કામ સંસદ કરે છે, બિનનાણાકીય ખરડો સંસદના કોઈ પક્ષ ચૂકમાં રજૂ થઈ શકે છે, નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની મંજૂરી મેળવી લોકસભામાં જ રજૂ થઈ શકે છે. રાષ્ટ્રપ્રમુખની સહી થતાં સંસદે પસાર કરેલો ખરડો કાયદો બને છે,
→ લોકસભાના સભ્યો પોતાની પહેલી બેઠકમાં પોતાનામાંથી એક સભ્યની સ્પીકર (અધ્યક્ષ તરીકે ચૂંટણી કરે છે. સ્પીકર લોકસભાના અધ્યક્ષ સ્થાને બેસીને ગૃહનું સંચાલન કરે છે, તે ગૃહનું ગૌરવ, વ્યવસ્થા, શિસ્ત અને માનમરતબો જાળવે છે. ગૃહમાં ઠરાવ પર સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત’ (casting Vote) આપીને ઠરાવ પસાર કરાવવામાં સહાય કરે છે.
→ કાયદા માટેની દરખાસ્ત ખરડો’ કહેવાય છે, ખરડાના બે પ્રકારો છે :
- સામાન્ય ખરડો અને
- નાણાકીય ખરો.
→ સામાન્ય ખરડો કાયદો બને તે પહેલાં તેને બંને ગૃwોમાંથી પસાર થવું પડે છે. ત્યારપછી રાષ્ટ્રપ્રમુખ ખરડા પર સહી કરે ત્યારે જ તે કાયદો બને છે,
→ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વમંજૂરીથી પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે, લોકસભામાં પસાર કર્યા પછી જ એ ખાને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. રાજ્યસભાએ 14 દિવસમાં તેને પાછો મોકલવાનો હોય છે, આ મુદત દરમિયાન રાજ્યસભા નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરે તોપણ તે પસાર થયેલો ગન્નાય છે, રાષ્ટ્રપ્રમુખની સહી થતાં નાણાકીય ખરડો કાયદો બને છે
→ છે રાજ્યની ધારાસભા એકગૃહીં કે દ્વિગૃહી હોઈ શકે છે. ધારાસભાનું નીચલું ગૃહ વિધાનસભા” તરીકે અને ઉપલું ગૃહ વિધાનપરિષદ’ તરીકે ઓળખાય છે.
→ વિધાનસભાની સભ્યસંખ્યા વધુમાં વધુ 500 અને ઓછામાં ઓછી 60 હોય છે. વિધાનસભાના સભ્યો રાજ્યના લોકો દ્વારા ચૂંટાય છે. તેઓ તેમનામાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે.
→ વિધાનપરિષદના સભ્યો રાજ્યનાં વિવિધ મતદારમંડળો દ્વારા ચૂંટાય છે. વિધાનપરિષદ કાયમી ગૃહે છે. તેનો દરેક સભ્ય 6 વર્ષની– મુદત માટે ચૂંથય છેવિધાનસભા વિધાનપરિષદ કરતાં વધારે સત્તાઓ ધરાવે છે.
→ સંઘસરકારની કારોબારીમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ અને વડા પ્રધાન સહિત તેમના નેતૃત્વ હેઠળના પ્રધાનમંડળનો સમાવેશ થાય છે.
→ ભારતના રાષ્ટ્રપ્રમુખ દેશના બંધારણીય વડા છે. તેમની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. 35 વર્ષ કે તેથી વધુ ઉંમરનો ભારતીય નાગરિક બંધારણે નક્કી કરેલી અન્ય લાયકાત ધરાવતો હોય, તો તે રાષ્ટ્રપ્રમુખના પદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે. રાષ્ટ્રપ્રમુખના હોદાની મુદત પાંચ વર્ષની છે. બંધારણમાં દર્શાવેલી “મહાભિયોગ’ (tampeachment)ની કાર્યવાહી દ્વારા તેમને હોદ ‘ પરથી દૂર કરી શકાય છે,
→ રાષ્ટ્રપ્રમુખને પાંચ પ્રકારની સત્તાઓ મળેલી છે :
- કારોબારી સત્તાઓ
- ધારાકીય સત્તાઓ
- નાણાકીય સત્તાઓ
- ન્યાયવિષયક સત્તાઓ અને
- કટોકી વિશેની સત્તાઓ.
રાષ્ટ્રપ્રમુખ સંઘસરકારની કારોબારીના સર્વોચ્ચ વડા છે. તેઓ વધ્ય પ્રધાનની નિમણુક કરે છે અને તેમની સલાહથી અન્ય પ્રધાનોને નીમે છે. તેઓ દેશના મહત્ત્વના અનેક હોદાઓ પર લાયકાત ધરાવતી વ્યક્તિઓની નિમણૂકો કરે છે, સંઘસરકારનો સઘળો વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામે ચાલે છે, પરંતુ વાસ્તવમાં બધી સત્તાઓ વડા પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભોગવે છે.
→ રાષ્ટ્રપ્રમુખ સંસદની બેઠક બોલાવે છે. દર વર્ષે સંસદના પ્રથમ સત્રની શરૂઆતમાં તેઓ સંસદની સંયુક્ત બેઠકને સંબોધે છે. સંસદે પસાર કરેલા ખરડા પર રાષ્ટ્રપ્રમુખ સહી કરે તો જ તે કાયદો અને છે. સંસદની બેઠક ચાલું ન હોય એ સમયે તેઓ વટહુકમ બહાર પાડવાની સત્તા ધરાવે છે.
→ દેશના સર્વોચ્ચ વડા તરીકે રાષ્ટ્રપ્રમુખ લશકરી અદાલતના ગુનેગારો સિવાયના ગુનેગારોને માફી આપવાની, ફોજદારી ગુનાની સજાની મુદત ઘટાડવાની, તેનો અમલ મોકૂફ રાખવાની અથવા સજાનું સ્વરૂપ બદલવાની સત્તા ધરાવે છે.
→ બાહ્ય આક્રમણ કે આંતરિક અશાંતિના કારણે દેશની સલામતી ભયમાં મુકાઈ હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ એક જાહેરનામું બહાર પાડી કટોક્ટીની સ્થિતિ જાહેર કરે છે. દેશના કોઈ રાજ્યમાં બંધારણ પ્રમાણે વહીવટ ન ચાલી શકે એમ હોય ત્યારે તેઓ બંધારણીય કટોકટી જાહેર કરી એ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન જાહેર કરે છે. દેશમાં નાણાકીય અસ્થિરતા સર્જાય ત્યારે રાષ્ટ્રપ્રમુખ નાણાકીય
સ્પેકટી જાહેર કરે છે.
→ રામમુખની ગેરહાજરીમાં રાષ્ટ્રપ્રમુખની ફરજો ઉપરાષ્ટ્રમુખ બજાવે છે. ઉપરાષ્ટ્રપ્રમુખ પોતાના હોદની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ છે.
→ વડા પ્રધાન સંઘસરકારની કારોબારીના વાસ્તવિક વા છે. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાન તરીકે નીમે છે. વડા પ્રધાનની સલાહ અનુસાર તેઓ અન્ય પ્રધાનોને નીમે છે. સરકાર વડા પ્રધાનના નામથી ઓળખાય છે. તેઓ પોતાના હોદાની રૂએ નીતિપંચ(આયોજનપંચ)ના અધ્યક્ષ બને છે. સમગ્ર પ્રધાનમંડળ સંયુક્તપણે લોકસભાને જવાબદાર છે. લોકસભા પ્રધાનમંડળ પર અવિશ્વાસનો ઠરાવ પસાર કરે તો સમગ્ર પ્રધાનમંડળને રાજીનામું આપવું પડે છે.
→ સંધીય પ્રધાનમંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપ્રમુખ રાજ્યના બંધારણીય વડા તરીકે રાજ્યપાલને નિયુક્ત કરે છે. રાજ્યપાલની મુદત પાંચ વર્ષની છે. તેઓ મહત્ત્વની ધારાકીય સત્તાઓ ધરાવે છે.
→ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને રાજ્યપાલ રાજ્યના મુખ્યમંત્રી તરીકે નીમે છે. મુખ્યમંત્રીની સલાહથી તેઓ અન્ય પ્રધાનોની નિમણૂક કરે છે. રાજ્યપાલને મળેલી સત્તાઓ વાસ્તવમાં મુખ્ય પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભોગવે છે.
→ સરકારનું વહીવટી તંત્ર સનદી સેવા તરીકે ઓળખાય છે, સનદી સેવકો દેશના વિકાસલક્ષી કાર્યોને ફળીભૂત કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે. સનદી સેવકોના કાર્યદક્ષ વહીવટથી દેશ પ્રગતિશીલ બને છે.
→ પોતાના ક્ષેત્રમાં નિરાત, તજ્જ્ઞ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજજુ સમાન છે.
→ રાજકીય કારોબારી લોકોનાં કલ્યાણ અને સુખાકારીની ચિંતા કરતા મગજ સમાન છે; જ્યારે વહીવટી કારોબારી તેના હાથપગ છે. બંને વચ્ચેના નિખાલસ અને મૈત્રીપૂર્ણ સંબંધી રાજ્યના સુશાસન અને વિકાસની પૂર્વશરત છે.
→ ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્વશાસનની સંસ્થા છે. તે ‘પંચાયતીરાજની સંસ્થાઓ’ કહેવાય છે. છે પંચાયતીરાજનું માળખું ત્રણ સ્તરનું છે :
- ગ્રામ્ય કક્ષાએ ગ્રામપંચાયત
- તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને
- જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત,
→ ગ્રામપંચાયતના વડાને ‘સરપંચ’ કહે છે. ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા સરપંચની ચૂંટણી કરે છે.
→ જે ગામના નોંધાયેલા બધા મતદારો ગ્રામપંચાયતના સભ્યો અને સરપંચની સર્વાનુમતે પસંદગી કરે છે એ ગામને ‘સમરસ ગામ’ કહે છે.
→ ગામનો સઘળો વહીવટ ‘તલાટી-કમ-મંત્રી’ સંભાળે છે, તાલુકા પંચાયતના વહીવટી વડા તાલુકા વિકાસ અધિકારી’ના નામે ઓળખાય છે,
→ જિલ્લા પંચાયતના વહીવર્ય વઢ “જિલ્લા વિકાસ અધિકારી”ના નામે ઓળખાય છે.
→ નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગરનિગમ શહેરી સ્વશાસનની સંસ્થાઓ છે. આ સંસ્થાઓની ચૂંટણી ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા પ્રત્યક્ષ રીતે થાય છે.
→ નગરપાલિકાના વડા “પ્રમુખ’ના નામે અને વહીવટી વડા “ચીફ ઑફિસર”ના નામે ઓળખાય છે.
→ મહાનગરપાલિકા અને મહાનગરનિગમના વડને ‘મેયર’ કહે છે. આ સંસ્થાઓના વહીવટી વડા “મ્યુનિસિપલ કમિશનર’ના નામે ઓળખાય છે. તેમની નિમણૂક રાજ્ય સરકારે કરે છે.
→ ન્યાયતંત્ર ભારતના બંધારવાનું અને નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરે છે. ધારાસભાએ ઘડેલા કાયદાઓ જ બંધારણ સાથે સુસંગત ન હોય, તો તે તેને ગેરબંધારણીય ગણીને રદબાતલ કરી શકે છે.
GSEB Class 9 Social Science સરકારનાં અંગો Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના જવાબ આપો:
પ્રશ્ન 1.
સત્તા વિશ્લેષનો સિદ્ધાંત એટલે શું?
ઉત્તર
સત્તા વિશ્લેષનો સિદ્ધાંત એટલે સત્તાઓને એકબીજથી અલગ રાખવાનો સિદ્ધાંત.
સરકારનાં કાર્યો એકબીજાથી જુદાં હોય છે. તેથી એ કાયોને સરકારનાં ત્રણેય અંગો વચ્ચે વહેંચી દેવામાં આવ્યાં છે.
સત્તા વિશ્લેષના સિદ્ધાંત અનુસાર કાયદા ઘડવાની સત્તા ધારાસભાને કાયદાનો અમલ કરવાની સત્તા કારોબારીને અને કાયદા પ્રમાણે ન્યાય આપવાની સત્તા ન્યાયતંત્રને આપવામાં આવી છે. સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને એ માટે સત્તાનું વિશ્લેષ કરવું જરૂરી છે.
આમ છતાં, ધારાસભાને કાયદા ઘડવાની સત્તા છે, પરંતુ તે તેની સત્તાનો બેફામ ઉપયોગ ન કરે એ માટે કારોબારી અને ન્યાયતંત્રને ધારાસભા પર નિયંત્રણ રાખવાની કેટલીક સત્તા મળે છે. એ જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. પરંતુ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ – સ્વતંત્ર રાખવામાં આવ્યું છે.
પ્રશ્ન 2.
સાંસદની લાયકાત કઈ છે?
ઉત્તર:
ભારતીય સંસદના સભ્ય માટેની લાયકાતોઃ
- તે ભારતનો નાગરિક હોવો જોઈએ.
- તેની ઉંમર 25 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ.
- તે સંઘસરકાર કે રાજ્યસરકારનો પગારદાર નોકર ન હોવો જોઈએ.
- તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ.
- તે અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો ન હોવો જોઈએ.
પ્રશ્ન 3.
લોકસભા અને રાજ્યસભાની કાર્યસાધક સંખ્યા કેટલી છે?
ઉત્તર:
લોકસભાની કાર્યસાધક સંખ્યા 545 છે અને રાજ્યસભાની કાર્યસાધક સંખ્યા 250 છે.
પ્રશ્ન 4.
રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે?
ઉત્તર:
રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે.
30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો કોઈ પણ ભારતીય નાગરિક રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે થાય છે. તેની કુલ સભ્યસંખ્યા 250ની છે. તેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની અને સંઘપ્રદેશની વિધાનસભાના સભ્યો તેમની વસ્તીના ધોરણે કરે છે. બાકીના 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ સાહિત્ય, વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજસેવા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓને નીમે છે.
પ્રશ્ન 5.
સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક છે. શાથી?
ઉત્તરઃ
સ્પીકર લોક્સભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે અને ગૃહમાં થતી ચર્ચા અને કાર્યવાહીનું તટસ્થતાથી સંચાલન કરે છે. તે લોકસભાનું ગૌરવ, શિસ્ત, વ્યવસ્થા અને માનમરતબો જાળવે છે. તે ગૃહના સભ્યોને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપે છે. ગૃહની કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત થતી ચર્ચાસ્પદ બાબતો પર તે ચુકાદા છે આપે છે. તેમના ચુકાદા – નિર્ણયો આખરી અને અંતિમ હોય છે. ? પોતાના આદેશનું ઉલ્લંઘન કરનાર સભ્યને સ્પીકર ગૃહના કર્મચારીઓ છે દ્વારા ગૃહમાંથી બહાર કાઢી શકે છે. ગૃહના સંચાલનમાં સભ્યો વારંવાર ખલેલ પહોંચાડતા હોય અને તેઓ સ્પીકરની વિનંતીને માન ન આપતા હોય ત્યારે સ્પીકર ગૃહનું કામકાજ સ્થગિત કરી શકે છે.
પ્રશ્ન 6.
રાષ્ટ્રપ્રમુખની કટોકટી વેળાની સત્તાઓ જણાવો.
ઉત્તર:
ભારતના રાષ્ટ્રપ્રમુખની કટોકટી વેળાની અસાધારણ સત્તાઓ નીચે મુજબ છે:
1. બાહ્ય કે આંતરિક અશાંતિઃ બાહ્ય આક્રમણ કે આંતરિક અશાંતિના કારણે સમગ્ર દેશની કે તેના કોઈ પણ ભાગની સલામતી ભયમાં મુકાઈ ગઈ હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ એક જાહેરનામું બહાર પાડી કટોકટીની સ્થિતિ જાહેર કરે છે.
- એ જાહેરનામા સાથે ભારતના બંધારણના સમવાયતંત્રની જોગવાઈઓ બિનઅસરકારક બને છે અને એકતંત્રી શાસનનો અમલ શરૂ થાય છે.
- કટોકટીમાં સંઘસરકાર ભારતના નાગરિકોના મૂળભૂત હકો મોકૂફ રાખવાની તેમજ સમગ્ર દેશ માટે કોઈ પણ વિષય ઉપર કાયદો ઘડવાની સત્તા ધરાવે છે.
2. બંધારણીય કટોકટીઃ રાજ્યપાલના અહેવાલ પરથી કે અન્ય રીતે રાષ્ટ્રપ્રમુખને ખાતરી થાય કે રાજ્યમાં બંધારણના નિયમો પ્રમાણે વહીવટ ચાલી શકે એમ નથી ત્યારે તે બંધારણીય કટોકટીનું જાહેરનામું બહાર પાડે છે અને રાજ્યની તમામ કારોબારી સત્તા પોતાને હસ્તક લઈ લે છે.
- તે રાજ્યના કાયદા ઘડવાની સત્તા સંઘસંસદને તેમજ રાજ્યની કારોબારી સત્તા કેન્દ્રના પ્રધાનમંડળને સોપે છે.
- રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ કરે છે.
- આ પ્રમાણેનું રાજ્યમાં રાષ્પમુખ શાસન વધુમાં વધુ ત્રણ વર્ષની મુદત સુધી અમલમાં રહી શકે છે.
3. નાણાકીય કટોકટીઃ દેશમાં નાણાકીય સ્થિરતા કે શાખ જોખમમાં મુકાય ત્યારે રાષ્ટ્રપ્રમુખ નાણાકીય કટોકટીની જાહેરાત કરી શકે છે.
- એ પરિસ્થિતિ દરમિયાન બધા જ સરકારી કર્મચારીઓ અને ન્યાયાધીશોનાં વેતન-ભથ્થાં ઘટાડવાનો આદેશ આપી શકે છે.
- નાણાકીય બાબતો અંગે અમુક ચોક્કસ સિદ્ધાંતોનું પાલન કરવા તે રાજ્યોને આદેશ આપી શકે છે.
- નાણાકીય કટોકટીની પરિસ્થિતિ દરમિયાન રાજ્યોની વિધાનસભાઓએ પસાર કરેલા નાણાકીય ખરડાને રાષ્ટ્રપ્રમુખની સંમતિ મોક્લવામાં આવે છે.
પ્રશ્ન 7.
મહાભિયોગની કાર્યવાહી શું છે?
અથવા
રાષ્ટ્રપ્રમુખને કયા સંજોગોમાં અને કેવી રીતે પદભ્રષ્ટ કરી શકાય?
ઉત્તરઃ
સંસદનાં બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બંધારણભંગનું તહોમતનામું પસાર કરે તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદા પરથી પદભ્રષ્ટ કરી શકાય. આ માટે સંસદના કોઈ પણ એક ગૃહે 2 બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ સામેનું લેખિત તહોમતનામું પસાર કરવાનું હોય છે અને બીજા ગૃહે તે તહોમતનામા ઉપર અદાલતી તપાસ કરવાની હોય છે. જો બીજું ગૃહ પણ 3 બહુમતીથી રાખ્રમુખ પરનો આરોપ પુરવાર થયેલો જાહેર કરે, તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદા પરથી દૂર કરી શકાય છે.
આ પ્રકારની કાર્યવાહીને ‘મહાભિયોગ’ (Impeachment) કહે છે.
પ્રશ્ન 8.
સંસદની સત્તાઓ અંગે ઉલ્લેખ કરો.
ઉત્તરઃ
સંસદની સત્તાઓ નીચે મુજબ છે:
1. ધારાકીય સત્તાઓઃ સામાન્ય સંજોગોમાં સંસદ સંઘયાદી અને સંયુક્ત યાદીમાં સૂચવેલા વિષયો પર કાયદા ઘડે છે.
- કટોકટીના સમયે સંસદ રાજ્યયાદી સહિત કોઈ પણ વિષય પર કાયદો ઘડી શકે છે.
- સંસદની મંજૂરી વિના કોઈ પણ ખરડો કાયદો બની શકતો નથી.
- નાણાકીય ખરડા સિવાયનો કોઈ પણ ખરડો સંસદના કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે છે. નાણાકીય ખરડાઓની પ્રથમ રજૂઆત માત્ર લોકસભામાં જ થઈ શકે છે.
- રાષ્ટ્રપ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવતા વટહુકમ માટે વહેલામાં વહેલી તકે સંસદની મંજૂરી લેવી પડે છે. જો સંસદ મંજૂરી ન આપે, તો વટહુકમ આપોઆપ રદ થાય છે.
2. કારોબારી સત્તાઓઃ લોકસભાને મંત્રીમંડળ પર અવિશ્વાસની દરખાસ્ત (Vote of no confidence) લાવવાની સત્તા છે. જો એ દરખાસ્ત પસાર થાય, તો મંત્રીમંડળને રાજીનામું આપવું પડે છે.
- લોકસભા નાણામંત્રીએ રજૂ કરેલા નાણાકીય ખરડાને નામંજૂર કરીને સમગ્ર મંત્રીમંડળને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે.
- સંસદના સભ્યો મંત્રીઓને રાજ્યવહીવટ સંબંધી પ્રશ્નો અને પેટાપ્રશ્નો પૂછવાની તેમજ પ્રજાના જાહેર હિત પ્રત્યે મંત્રીઓનું ધ્યાન દોરવાની સત્તા ધરાવે છે.
- સંસદની બેઠક ચાલુ હોય ત્યારે સંસદનો કોઈ પણ સભ્ય જાહેર હિતના મહત્ત્વના પ્રશ્ન પરત્વે મંત્રીમંડળનું ધ્યાન દોરવા સભામોકૂફીની દરખાસ્ત રજૂ કરી શકે છે.
- સંસદ મંત્રીમંડળ વિરુદ્ધ ઠપકાની દરખાસ્ત પસાર કરે તોપણ મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે.
૩. નાણાકીય સત્તાઓઃ નાણામંત્રી અને રેલમંત્રીએ રજૂ કરેલાં હું અંદાજપત્રો મંજૂર કરવાં, આકસ્મિક ખર્ચનિધિમાંથી સરકારે ખર્ચેલી રકમ મંજૂર કરવી, સરકારે આગલા વર્ષે કરેલા ખર્ચનો ઑડિટ કરેલ હિસાબ અને અહેવાલ મંજૂર કરવો વગેરે સંસદની નાણાકીય સત્તાઓ છે.
- અંદાજપત્રો સહિત તમામ નાણાકીય બાબતો પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે. લોકસભામાં પસાર કર્યા પછી જ તેને રાજ્યસભામાં મોકલવામાં આવે છે. રાજ્યસભાએ માત્ર ચર્ચા કરી 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભાને પાછો મોકલવાનો હોય છે. આ મુદત દરમિયાન રાજ્યસભા એ ખરડો લોકસભામાં પરત ન કરે તો પણ તે પસાર થયેલો ગણાય છે.
4. ન્યાયવિષયક સત્તાઓઃ સંસદ લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તેમજ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને બંધારણના ભંગ બદલ કે કોઈ ગંભીર ગુના માટે બહુમતીથી ઠરાવ પસાર કરીને પદભ્રષ્ટ કરી શકે છે.
- બંધારણના ભંગ બદલ કે દેશહિત વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવાના આરોપસર સંસદ રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતના ન્યાયમૂર્તિઓ, મુખ્ય ચૂંટણી કમિશનર, ઑડિટર જનરલ કે ઍટર્ની જનરલ પર મહાભિયોગ (Impeachment) ચલાવી શકે છે અને 23 બહુમતીથી આરોપ પુરવાર થયેલો જાહેર કરી તેમને હોદ્દા પરથી દૂર કરી શકે છે.
- સંસદ પોતાના કોઈ પણ સભ્યને અસભ્ય વર્તણૂક માટે કે સભાગૃહના નિયમોના ભંગ બદલ તેનું સભ્યપદ નાબૂદ કરવાની, જેલમાં મોકલવાની શિક્ષા કરી શકે છે કે ગૃહમાં થોડા દિવસો માટે હાજરી ન આપવાનો આદેશ આપી શકે છે.
પ્રશ્ન 9.
સ્થાનિક સ્વશાસનની સંસ્થાઓ વિશે જણાવો.
ઉત્તર:
ગ્રામ્ય કક્ષાએ સ્વશાસનની સંસ્થાઓ પંચાયતીરાજનું માળખું ત્રણ સ્તરનું છેઃ
(1) ગ્રામ્ય કક્ષાએ ગ્રામપંચાયત,
(2) તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત અને
(3) જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત.
- ગ્રામપંચાયતના વડાને ‘સરપંચ’ કહે છે. ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા સરપંચની ચૂંટણી કરે છે.
- જે ગામના નોંધાયેલા બધા મતદારો ગ્રામપંચાયતના સભ્યો અને સરપંચની સર્વાનુમતે પસંદગી કરે છે, એ ગામને ‘સમરસગામ’ કહે છે.
- ગામનો સઘળો વહીવટ ‘તલાટી-કમ-મંત્રી’ સંભાળે છે.
- તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખના નેતા ‘તાલુકા પંચાયત પ્રમુખ’ કહેવાય છે; જ્યારે તાલુકા પંચાયતના વહીવટી વડા તાલુકા વિકાસ અધિકારી’ (TDO)ના નામે ઓળખાય છે.
- જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખના નેતા જિલ્લા પંચાયત પ્રમુખ કહેવાય છે; જ્યારે જિલ્લા પંચાયતના વહીવટી વડા ‘જિલ્લા વિકાસ અધિકારી’ (DDO)ના નામે ઓળખાય છે.
શહેરી સ્વશાસનની સંસ્થાઓ:
- નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગરનિગમ (મંગાસિટી) એ શહેરી સ્વશાસનની સંસ્થાઓ છે. આ સંસ્થાઓની ચૂંટણી ગુપ્ત છે મતદાન પદ્ધતિ દ્વારા પ્રત્યક્ષ રીતે થાય છે.
- નગરપાલિકાના વડા ‘પ્રમુખ’ના નામે અને વહીવટી વડા ‘ચીફ ઑફિસર’ના નામે ઓળખાય છે.
- મહાનગરપાલિકા અને મહાનગરનિગમના વડાને ‘મેયર’ કહે છે. આ સંસ્થાઓના વહીવટી વડા ‘મ્યુનિસિપલ કમિશનર’ના નામે ઓળખાય છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. મ્યુનિસિપલ કમિશનરના હાથ નીચે ટેકનિકલ અને વહીવટી જ્ઞાન ધરાવતા ઝોનલ વડાઓ, અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓનું તંત્ર હોય છે.
- જાહેર સ્વચ્છતા અને આરોગ્ય, પીવાનું શુદ્ધ પાણી, રસ્તાઓ અને પુલો, દીવાબત્તી, ગટરવ્યવસ્થા, પ્રાથમિક શિક્ષણ, દવાખાનાં અને આરોગ્ય કેન્દ્રો, જન્મ-મરણની નોંધ વગેરે બાબતો અંગેનાં કામો એ શહેરી સ્વશાસનની સંસ્થાઓનાં ફરજિયાત કાર્યો છે.
- રમતગમતનાં મેદાનો, બાગબગીચા, જાહેર જાજરૂ અને પેશાબખાનાં, સ્નાનગૃહ, પુસ્તકાલયો, માધ્યમિક શાળાઓ, વૃક્ષારોપણ, વરસાદી પાણીનો નિકાલ, જાહેર વ્યવહાર, શાકમાર્કેટો કે બજારોની વ્યવસ્થા, પ્રસૂતિગૃહો, સ્મશાનગૃહો, મનોરંજન, ગંદા વસવાટોની નાબૂદી વગેરે બાબતો અંગેનાં કામો એ શહેરી સ્વશાસનની સંસ્થાઓનાં મરજિયાત કાર્યો છે.
પ્રશ્ન 10.
અમલદારશાહીનાં અનિષ્ટો જણાવો.
ઉત્તર:
અમલદારીનાં મુખ્ય અનિષ્ટો તુમારશાહી, લાગવગ, સગાવાદ, ભ્રષ્ટાચાર, અપ્રમાણિકતા, બિનકાર્યક્ષમતા, ગેરરીતિઓ, જવાબદારીમાંથી પલાયન થવાની વૃત્તિ.
2. નીચેના વિધાનોનાં કારણ સમજાવો:
પ્રશ્ન 1.
ભારતીય સંસદ દ્વિગૃહી છે.
ઉત્તર:
ભારતીય સંસદ બે ગૃહોની બનેલી છે
- નીચલું ગૃહ અને
- ઉપલું ગૃહ. નીચલું ગૃહ ‘લોકસભા’ના નામે ઓળખાય છે. તે પ્રજા દ્વારા સીધેસીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું છે. ઉપલું ગૃહ રાજ્યસભાના નામે ઓળખાય છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે.
પ્રશ્ન 2.
રાજ્યસભા કાયમી ગૃહ છે.
અથવા
રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી.
ઉત્તર:
દર બે વર્ષને અંતે રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યાના 13 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે. આખી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી. આમ, રાજ્યસભા કાયમી ગૃહ છે.
પ્રશ્ન 3.
ભારતમાં સંસદ સર્વોપરી નથી; પરંતુ બંધારણ સર્વોપરી છે.
ઉત્તર:
ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની છે. સંસદે ઘડેલા કોઈ કાયદામાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય કે તે બંધારણ સાથે સુસંગત ન હોય, તો તેને અદાલતમાં પડકારી શકાય છે. અદાલતને ખાતરી થાય કે સંસદે ઘડેલો કાયદો બંધારણીય જોગવાઈઓનો ભંગ કરે છે, તો તે તેને ગેરબંધારણીય ગણીને રદબાતલ કરી શકે છે. આમ, ભારતમાં બંધારણ સર્વોપરી છે, સંસદ નહિ.
પ્રશ્ન 4.
સ્વતંત્ર, નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે.
ઉત્તર:
ન્યાયાધીશો નિર્ભય રીતે અને પક્ષપાત વિના તટસ્થ રીતે ન્યાય આપી શકે એ માટે ભારતીય સંઘસરકારમાં ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. તે લોકશાહીનું મહત્ત્વનું લક્ષણ છે.
બંધારણે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરીને તેના સંરક્ષણનું કાર્ય ન્યાયતંત્રને સોંપ્યું છે. ન્યાયતંત્ર બંધારણના રક્ષક અને વાલી તરીકે કામ કરે છે. આથી કહી શકાય કે, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે.
પ્રશ્ન 5.
સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ લોકશાહીની તાલીમશાળા અને વહીવટ સુધારણાની પ્રયોગશાળા છે.
અથવા
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમશાળા તે કહેવાય છે.
ઉત્તર:
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની રચના અને વહીવટ લોકશાહી પદ્ધતિએ ચાલે છે. આથી આ સંસ્થાઓ દ્વારા લોકોને લોકશાસનના પ્રત્યક્ષ પાઠ શીખવા મળે છે. આ સંસ્થાઓ દ્વારા લોકોને હું મતાધિકારનું મહત્ત્વ સમજાય છે. તેમને યોગ્ય પ્રતિનિધિઓ પસંદ કરવાની અને કાર્યદક્ષ પ્રતિનિધિઓ તરીકે કાર્ય કરવાની તાલીમ મળે છે. આ તાલીમ અને અનુભવ તેમને ધારાસભાના કે કારોબારીના સભ્યો તરીકેની ફરજો બજાવવામાં ઉપયોગી થાય છે. સ્થાનિક સ્તરે છે નાગરિકો પોતાના રોજબરોજના પ્રશ્નોના નિરાકરણમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. સ્થાનિક કાર્યો કરતાં કરતાં તેમનામાં રાજ્ય કે રાષ્ટ્રના પ્રશ્નો વિશે પોતાના મંતવ્યો બાંધવાની સૂઝ વિકસે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા નાગરિકોને ઘરઆંગણે લોકશાહીની પ્રણાલિકાઓ અને કાર્યપદ્ધતિનો અનુભવ મળે છે. તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકશાહીની તાલીમશાળા’ છે.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના નીચલા સ્તરે વહીવટમાં કાયદાની અસ્પષ્ટતા કે વિસંગતતાને કારણે સર્જાતી સમસ્યાઓ કે પ્રશ્નોને ઉપલી કક્ષાએ હલ કરવામાં પૂરતી કાળજી, ચકાસણી અને સુધારણાનો અવકાશ રહે છે. તેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને ‘વહીવટ સુધારણાની પ્રયોગશાળા’ પણ કહે છે.
પ્રશ્ન 6.
રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઇચ્છાનું પ્રતિબિંબ પાડે છે.
ઉત્તર:
ભારત પ્રજાસત્તાક લોકશાહી દેશ છે. ભારતમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓ લોકોને જવાબદાર રહીને રાજ્યવહીવટ ચલાવે છે. વિધાનસભા રાજ્યની પ્રજા દ્વારા સીધેસીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું ગૃહ છે. તેથી તે પ્રજાને પ્રત્યક્ષ રીતે જવાબદાર છે. રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઇચ્છા – લોકમત – મુજબ ધારાકીય અને કારોબારી કાર્યો કરે છે. વિધાનસભા પ્રજાના વિવિધ પ્રશ્નો, પોતાનાં કાર્યો વિશે પ્રજાના પ્રત્યાઘાતો, અભિપ્રાયો; લોકોની આશાઓ, આકાંક્ષાઓ, માગણીઓ જાણીને, સમજીને રાજ્યનો વહીવટ કરે છે. આમ, રાજ્યની વિધાનસભામાં રાજ્યના લોકોની ઇચ્છાનું પ્રતિબિંબ પડે છે.
પ્રશ્ન 7.
રાજ્યપાલ એ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા અદા કરે છે.
ઉત્તરઃ
રાજ્યપાલની નિમણૂક કેન્દ્રના પ્રધાનમંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપ્રમુખ કરે છે. રાજ્યપાલ રાજ્ય સરકારની કામગીરી વિશે રાષ્ટ્રપ્રમુખને વાકેફ કરે છે. રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય છે ત્યારે રાજ્યપાલ રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ સંભાળે છે. આમ, રાજ્યપાલ એ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા કરે છે.
પ્રશ્ન 8.
લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે.
ઉત્તર:
લોકસભા પ્રજા દ્વારા સીધેસીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું સંસદનું નીચલું ગૃહ છે. સંઘસરકાર પોતાનાં બધાં જ કાય માટે લોકસભાને જ જવાબદાર છે. લોકસભામાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં આવે છે. લોકસભામાં પ્રજાના વિચારો, ઇચ્છાઓ, માગણીઓ, આકાંક્ષાઓનો પડઘો પડે છે અને એ પ્રમાણે કાયદા ઘડવામાં આવે છે. લોકસભાના સભ્યો લોકોની ઇચ્છાને વધારે સારી રીતે સમજી શકે છે. તેઓ પ્રજાના પ્રશ્નો અને સમસ્યાઓ ઉકેલે છે. આથી કહી શકાય કે, લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે.
પ્રશ્ન 9.
રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રાજ્યના સુશાસનની પૂર્વશરત છે.
ઉત્તરઃ
રાજકીય કારોબારી વહીવટીતંત્રનાં જુદાં જુદાં ક્ષેત્રોની નીતિઓ ઘડે છે અને વહીવટી કારોબારી એ નીતિઓનો કાર્યક્ષમતાથી અમલ કરે છે. વહીવટી કારોબારી રાજકીય કારોબારીને નીતિવિષયક બાબતોમાં સલાહ-સૂચનો આપે છે. તેમજ જરૂરી માહિતી અને આંકડા પૂરા પાડે છે. આ રીતે સરકારની નીતિઓના ઘડતરમાં અને અમલીકરણમાં વહીવટી કારોબારી રાજકીય કારોબારીને પીઠબળ પૂરું પાડે છે. વહીવટી કારોબારી સરકારની કરોડરજ્જુ સમાન છે.
રાજકીય કારોબારી પ્રજાના કલ્યાણ અને સુખાકારી માટે ચિંતા તથા ચિંતન કરતું મગજ છે; જ્યારે વહીવટી કારોબારી રાજકીય કારોબારીના હાથપગ છે. જેમ મગજની આજ્ઞા પ્રમાણે હાથ-પગ કામ કરે છે. તેમ રાજકીય કારોબારીની આજ્ઞા પ્રમાણે વહીવટી કારોબારી કામ કરે છે. સરકારની વિકાસયાત્રાની ગતિ સાતત્યપૂર્ણ રીતે જાળવી રાખવામાં વહીવટી કારોબારી મહત્ત્વનો ભાગ ભજવે છે.
આમ, રાજકીય કારોબારી અને વહીવટી કારોબારી વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો રાજ્યના સુશાસનની પૂર્વશરત છે.
પ્રશ્ન 10.
સક્ષમ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે.
ઉત્તર:
નિષ્ણાત જ્ઞાન, વહીવટી ક્ષમતા અને સૂઝબૂઝ, બહોળો અનુભવ અને દીર્ધદષ્ટિને કારણે સનદી અધિકારીઓ રાજ્યનો કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. રાજ્યની કારોબારી (મંત્રીમંડળ) એ લોકકલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે; જ્યારે વહીવટી કારોબારીના સનદી અધિકારીઓ તેના હાથપગ છે. સરકારના કાયદા, નીતિઓ વગેરેનો અમલ સનદી અધિકારીઓ જ કરે છે. તેઓ સરકારને પીઠબળ પૂરું પાડે છે. આથી કહી શકાય કે, સક્ષમ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે.
3. ટૂંક નોંધ લખોઃ
પ્રશ્ન 1.
ટૂંક નોંધ લખો રાજ્યપાલનું સ્થાન અને કાર્યો
ઉત્તર:
રાજ્યપાલની નિમણૂક સંઘના પ્રધાનમંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપ્રમુખ કરે છે.
- 35 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને રાષ્ટ્રપ્રમુખ એક કે તેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે નીમી
શકે છે. - રાજ્યપાલના હોદ્દાની મુદત પાંચ વર્ષની છે. પરંતુ એ મુદત પૂર્ણ થાય એ પહેલાં રાષ્ટ્રપ્રમુખ તેમને હોદા પરથી દૂર કરી શકે છે અથવા રાજ્યપાલ સ્વેચ્છાથી રાજીનામું આપી શકે છે.
- રાષ્ટ્રપ્રમુખ તેમના હોદ્દાની મુદત વધારી પણ શકે છે.
- તે તેમની બીજા રાજ્યના રાજ્યપાલ તરીકે બદલી કરી શકે છે.
- રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે.
- તે રાજ્યની બધી કારોબારી સત્તાઓ ધરાવે છે.
- રાજ્યના તમામ વહીવટ રાજ્યપાલને નામે ચાલે છે.
- તે વિધાનસભાના બહુમતી પક્ષના નેતાની મુખ્યમંત્રી તરીકે અને મુખ્યમંત્રીની સલાહ અનુસાર પ્રધાનમંડળની રચના કરે છે.
- રાજ્યપાલ રાજ્યના ઍડ્વોકેટ જનરલ તથા રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરે છે.
- રાષ્ટ્રપ્રમુખ રાજ્યપાલની સાથે મંત્રણા કરીને રાજ્યની વડી અદાલતના છે
ન્યાયાધીશોની નિમણૂક કરે છે. - રાજ્યપાલ રાજ્યની ધારાસભાની બેઠકો બોલાવવાની, તેને બરખાસ્ત છે કરવાની કે મુલતવી રાખવાની, વટહુકમ બહાર પાડવાની, રાજ્યની ધારાસભાએ પસાર કરેલા ખરડાઓ પર સહી કરી તેમને કાયદાઓનું સ્વરૂપ આપવાની વગેરે ધારાકીય સત્તાઓ ધરાવે છે.
- રાજ્યની બધી યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ રાજ્યપાલ કુલાધિપતિ (ચાન્સેલર) હોય છે. તેઓ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની નિમણૂક કરવાની ઔપચારિક સત્તા ધરાવે છે.
- રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય તો તે રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ ચલાવે છે.
- રાજ્યમાં સામાન્ય ચૂંટણી પછી વિધાનસભામાં બહુમતીએ ચૂંટાઈ ? આવેલા પક્ષના નેતાની રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે.
- જો વિધાનસભામાં કોઈ પણ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હોય, તો જુદા જુદા પક્ષોએ સંગઠન સાધીને મેળવેલી બહુમતીના નેતાની કે અન્ય પક્ષોનો ટેકો ધરાવતા સૌથી મોટા પક્ષના નેતાની નિમણૂક રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે કરી શકે છે.
- રાજ્યપાલ રાજ્યની કારોબારીના વડા છે. પરંતુ વાસ્તવમાં, તે રાજ્યપાલની લગભગ બધી જ સત્તાઓ મુખ્ય પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભોગવે છે.
પ્રશ્ન 2.
રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ
ઉત્તર:
- વિધાનસભ્યો પ્રધાનોને વહીવટી કાર્યો અંગે પ્રશ્નો અને પેટાપ્રશ્નો પૂછી શકે છે.
- તે અગત્યની બાબત કે બનાવ વિશે ચર્ચા કરવા સભા મોકૂફીની દરખાસ્ત રજૂ કરી શકે છે.
- તે પ્રધાનમંડળ ઉપર અવિશ્વાસનો ઠરાવ પસાર કરી તેને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે.
- વિધાનસભાની સત્તાઓ ઘણી વિસ્તૃત હોવા છતાં કટોકટીના સમયમાં લોકસભા (સંસદનું નીચલું ગૃહ) તેના પર અંકુશ મૂકી શકે છે.
પ્રશ્ન 3.
ટૂંક નોંધ લખોઃ વડા પ્રધાનનું સ્થાન અને કારોબારી સત્તાઓ
ઉત્તર:
1. વડા પ્રધાનનું સ્થાન પ્રધાનમંડળમાં વડા પ્રધાનનું સ્થાન અજોડે છે. તે પ્રધાનમંડળના વડા છે.
- લોકસભામાં સરકારી નીતિઓની તે પ્રધાનમંડળ વતી જાહેરાતો કરે છે.
- પ્રખ્યાત બંધારણશાસ્ત્રી ડૉ. જેનિંગના શબ્દોમાં કહીએ તો, “પ્રધાનમંડળમાં તે સૌથી વધુ મહત્ત્વની વ્યક્તિ છે. પ્રધાનમંડળની રચના, પ્રધાનમંડળ અને સંઘ, પ્રધાનમંડળ અને રાષ્ટ્રપ્રમુખ તથા રાજ્યવહીવટ સાથે વડા પ્રધાનનો ગાઢ સંબંધ હોય છે.”
- પ્રધાનમંડળની બેઠકોમાં તે પ્રમુખસ્થાન લે છે. તે દરેક પ્રધાનના કામકાજ પર દેખરેખ રાખે છે.
- બીજા પ્રધાનો તેમની ઇચ્છા અને લાગણીને માન આપે છે.
- તે ગમે તે પ્રધાનને રાજીનામું આપવાનું જણાવી શકે છે. રાષ્ટ્રપ્રમુખ સાથે તે સતત સંપર્કમાં રહે છે.
- પ્રધાનમંડળના અગત્યના નિર્ણયોની તે રાષ્ટ્રપ્રમુખને તાત્કાલિક જાણ કરે છે.
- રાષ્ટ્રપ્રમુખનો અભિપ્રાય તે પ્રધાનમંડળ સમક્ષ રજૂ કરે છે. તે દેશની ગૃહનીતિ અને વિદેશનીતિ ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
- રાષ્ટ્રની પ્રગતિ અને તેના ભાવિનો આધાર મોટા ભાગે વડા પ્રધાનના નેતૃત્વ પર રહેલો છે.
- પ્રોફેસર શેટ્ટી અને મહાજનના મત પ્રમાણે, “વડા પ્રધાન પ્રધાનમંડળમાં સુકાનીરૂપ અને ચાવીરૂપ વ્યક્તિ (key-man) છે.”
2. વડા પ્રધાનની કારોબારી સત્તાઓ : ભારતના વડા પ્રધાનનાં મુખ્ય કાર્યો અને સત્તાઓ નીચે મુજબ છે:
- વડા પ્રધાન રાષ્ટ્રપ્રમુખના આમંત્રણથી પ્રધાનમંડળ રચે છે. તેઓ દરેક પ્રધાનને એક કે વધારે ખાતાંનો વહીવટ સોપે છે. તેઓ પોતે પણ એક કે વધારે ખાતાંનો વહીવટ સંભાળે છે.
- તેઓ પ્રધાનોને પદભ્રષ્ટ કરવાનો, તેમનાં ખાતાં બદલવાનો અને સમગ્ર પ્રધાનમંડળની પુનરરચના કરવાનો અધિકાર ધરાવે છે.
- વડા પ્રધાન જ દેશની કારોબારીના વાસ્તવિક વડા છે. તેઓ દેશની આંતરિક નીતિ અને વિદેશનીતિ ઘડે છે તેમજ એ નીતિ અનુસાર કાર્ય કરવા માટે દરેક પ્રધાનને માર્ગદર્શન આપે છે.
- વડા પ્રધાન પ્રધાનમંડળની બેઠકોનું અધ્યક્ષસ્થાન સંભાળે છે. તેઓ અગત્યની બાબતો અંગે ચર્ચા કરી નિર્ણયો લે છે.
- તેઓ લોકસભામાં સરકારની નીતિઓની જાહેરાત કરે છે અને એ વિશેના ખુલાસા કરે છે તેમજ નીતિવિષયક નિર્ણયો લે છે.
- વડા પ્રધાન પ્રધાનમંડળ અને રાષ્ટ્રપ્રમુખ વચ્ચે કડીરૂપ છે. પ્રધાનમંડળની બેઠકોમાં થયેલા ઠરાવો વિશે, દેશની સમગ્ર પરિસ્થિતિ વિશે તેમજ કેન્દ્ર સરકારના સમગ્ર વહીવટ વિશે વડા પ્રધાન રાષ્ટ્રપ્રમુખને વાકેફ કરે છે.
- હોદ્દાની રૂએ વડા પ્રધાન નીતિપંચ(આયોજનપંચ)નું અધ્યક્ષપદ સંભાળે છે.
પ્રશ્ન 4.
રાષ્ટ્રપ્રમુખની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ
ઉત્તર:
ધારાકીય સત્તાઓ: રાષ્ટ્રપ્રમુખ સંસદની બેઠક બોલાવવાની, મુલતવી રાખવાની તથા લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા ધરાવે છે.
- તે સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, કલા, સમાજસેવા વગેરે ક્ષેત્રોની 12 નામાંકિત વ્યક્તિઓની રાજ્યસભામાં નિમણુક કરે છે.
- લોકસભામાં એંગ્લો-ઇન્ડિયનોને પૂરતું પ્રતિનિધિત્વ ન મળ્યું હોય ત્યારે એ વર્ગના બે પ્રતિનિધિઓ નીમવાની રાષ્ટ્રપ્રમુખને સત્તા છે.
- સામાન્ય ચૂંટણીઓ પછી સંસદનાં બંને ગૃહોનું તે ઉદ્ઘાટન કરે છે તેમજ તે દર વર્ષે સંસદની પ્રથમ બેઠક સમયે બંને ગૃહોની સંયુક્ત સભા સમક્ષ ‘અભિભાષણ’ (પ્રવચન) કરે છે.
- સંસદગૃહોએ પસાર કરેલા ખરડાઓ રાષ્ટ્રપ્રમુખની સહી વિના કાયદા બની શકતા નથી. નાણાકીય ખરડા સિવાયના ખરડા રાષ્ટ્રપ્રમુખ પુનર્વિચારણા માટે સંસદને પરત મોકલી શકે છે.
- અંદાજપત્ર કે અન્ય કોઈ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વસંમતિથી જ લોકસભામાં દાખલ થઈ શકે છે.
- કોઈ પણ ખરડા પર સંસદનાં બંને ગૃહો વચ્ચે મતભેદો પડે ત્યારે રામ્રમુખ સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે.
- સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે તાકીદની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપ્રમુખ વટહુકમ બહાર પાડી શકે છે.
કારોબારી (વહીવટી) સત્તાઓ:
ભારતના રાષ્ટ્રપ્રમુખ સંઘસરકારની કારોબારીના સર્વોચ્ચ વડા છે. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને તે વડા પ્રધાન તરીકે નીમે છે. પ્રધાનમંડળના અન્ય પ્રધાનોની નિમણૂક તે વડા પ્રધાનની સલાહથી કરે છે. કારોબારીનાં બધાં જ કાર્યો રાષ્ટ્રપ્રમુખના નામે કરવામાં આવે છે.
- રાષ્ટ્રપ્રમુખ ત્રણેય સંરક્ષણ દળોના વડા છે. તે અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે.
- ભારતના ઍટર્ની જનરલ, ક્રૉમ્ફોલર, ઑડિટર જનરલ, સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતના ન્યાયાધીશો, રાજ્યપાલો, ઉચ્ચ લશ્કરી અધિકારીઓ, કેટલાક સર્વોચ્ચ અધિકારીઓ વગેરેની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે.
- તે ચૂંટણીપંચ, નાણાપંચ, જાહેર સેવા આયોગ વગેરેના અધ્યક્ષો અને સભ્યોની નિમણૂક કરે છે.
- તે વિદેશોમાં ભારતના રાજદૂત – એલચીઓની નિમણૂક કરે છે અને વિદેશી રાજદૂતોને માન્યતા આપે છે.
પ્રશ્ન 5.
ખરડો કાયદો ક્યારે બને? પ્રક્રિયા વર્ણવો.
અથવા
ખરડો કાયદો કેવી રીતે બને છે તે સમજાવો.
ઉત્તર:
કાયદા માટેની દરખાસ્ત ખરડો કહેવાય છે. ખરડાના બે પ્રકારો છે:
1. સામાન્ય ખરડો અને
2. નાણાકીય ખરડો.
1. સામાન્ય ખરડામાંથી કાયદાની રચનાઃ સંસદમાં ખરડો રજૂ કરતાં પહેલાં લોકસભામાં સ્પીકરની અને રાજ્યસભામાં અધ્યક્ષની પરવાનગી મેળવવી પડે છે.
- સામાન્ય ખરડો સંસદના બંને ગૃહોમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ થઈ શકે છે.
- તે પ્રધાનમંડળના કોઈ પ્રધાન અથવા ગૃહના કોઈ પણ સભ્ય દ્વારા રજૂ થઈ શકે છે.
- સામાન્ય ખરડો રાષ્ટ્રપ્રમુખ પાસે સહી માટે મોકલવામાં આવે તે પહેલાં તેને બંને ગૃહોમાં ત્રણ વાચનમાંથી પસાર થવું પડે છે.
(i) પ્રથમ વાચન ખરડો રજૂ કરનાર મંત્રી કે સંસદસભ્ય ગૃહમાં ખરડાનું વાચન કરી ખરડાના હેતુઓ અને બીજી મહત્ત્વની બાબતો ગૃહના ધ્યાન પર લાવે છે. ત્યારપછી ગૃહમાં ખરડા પર ચર્ચા થાય છે. ગૃહ ખરડાને મંજૂર કરે તો તે બીજા વાચનમાં આવે છે.
(ii) બીજું વાચનઃ બીજા વાચન દરમિયાન ખરડાની દરેક કલમ પર ગૃહના સભ્યો વિસ્તૃત ચર્ચા કરે છે. આ સમયે સભ્યો તેમાં સુધારા રજૂ કરી શકે છે. કોઈ મહત્ત્વનો ખરડો હોય અથવા ખરડા ઉપર ગંભીર વિચારણાની જરૂર હોય, તો વધુ વિચારણા માટે ખરડાને સંસદસભ્યોમાંથી જે-તે વિષયના તજ્જ્ઞ અને વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની બનેલી ‘પ્રવર સમિતિ’ને સોંપવામાં આવે છે.
(iii) ત્રીજું વાચનઃ પ્રવર સમિતિના અહેવાલ પછી એ અહેવાલને આધારે ગૃહમાં ખરડાનું ત્રીજું વાચન શરૂ થાય છે. ત્રીજા વાચનને અંતે ગૃહ ખરડાને બહુમતીથી પસાર કરે તો તેને સંસદના બીજા ગૃહમાં મોકલવામાં આવે છે. બીજા ગૃહમાં પણ ખરડાને ત્રણ વાચનમાંથી પસાર થવું પડે છે. આમ, બંને ગૃહોમાંથી પસાર થયા પછી ખરડાને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખ સહી કરે પછી જ તે કાયદો બને છે.
સહી કરતાં પહેલાં રાષ્ટ્રપ્રમુખને જરૂર લાગે તો ખરડાને પોતાની પાસે રાખી મૂકી શકે છે, કે સંસદમાં પુનઃવિચારણા માટે પાછો મોકલી શકે છે. ફરીથી એ જ વિધિથી ખરડો બંને ગૃહોમાં પસાર થાય તો રાષ્ટ્રપ્રમુખને સહી કરવી પડે છે. રાષ્ટ્રપ્રમુખ સહી કરે એટલે તે ખરડો કાયદો બને છે અને ત્યારપછી તેને સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવે છે.
2. નાણાકીય ખરડામાંથી કાયદાની રચનાઃ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વમંજૂરીથી પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે.
- કોઈ પણ ખરડો નાણાકીય ખરડો છે કે કેમ તે માત્ર લોકસભાના સ્પીકર જ નક્કી કરે છે.
- લોકસભામાં પસાર કર્યા પછી જ નાણાકીય ખરડાને રાજ્યસભામાં મોકલવામાં આવે છે.
- રાજ્યસભાએ માત્ર ચર્ચા કરી, તેની ભલામણો સાથે કે ભલામણો વિના, 14 દિવસમાં તેને લોકસભાને પાછો મોકલવાનો હોય છે.
- આ મુદત દરમિયાન રાજ્યસભા નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરે તો પણ તે પસાર થયેલો ગણાય છે.
- એ પછી તેને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે, રાષ્ટ્રપ્રમુખની સહી થતાં નાણાકીય ખરડો કાયદો બને છે.
પ્રશ્ન 6.
ટૂંક નોંધ લખોઃ નાણાકીય ખરડા અંગેની બંધારણીય જોગવાઈઓ
અથવા
નાણાકીય ખરડામાંથી કાયદાની રચના
ઉત્તર:
કોઈ પણ ખરડો નાણાકીય ખરડો છે કે કેમ તે માત્ર લોકસભાના સ્પીકર જ નક્કી કરે છે.
- અંદાજપત્ર તેમજ નાણાકીય બાબતોને લગતો ખરડો નાણાકીય ખરડો કહેવાય છે.
- નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની મંજૂરીથી પ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે.
- લોકસભામાં નાણાકીય ખરડો (અંદાજપત્ર) નીચેના તબક્કામાંથી પસાર કરવામાં આવે છે:
(1) ખરડા પર બે-ત્રણ દિવસ સુધી પ્રાથમિક ચર્ચા કરવામાં આવે છે.
(2) અંદાજપત્રમાં દર્શાવેલા વાર્ષિક ખર્ચની માગણીઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવે છે. નાણામંત્રી ગૃહમાં આંકડાકીય માહિતી રજૂ કરે છે.
(3) કેન્દ્રના પ્રધાનમંડળના પ્રધાનો પોતાના ખાતાની માગણીઓ ગૃહમાં ચર્ચા-વિચારણા માટે રજૂ કરે છે. ગૃહમાં હાજર
રહેલા સભ્યોના મતદાનથી તે મંજૂર થાય છે.
(4) અંદાજપત્રમાં દર્શાવેલ આવકના વિવિધ સ્રોતો અને કરવેરાના પ્રસ્તાવો ગૃહની મંજૂરી માટે રજૂ કરવામાં આવે છે. - લોકસભામાં પસાર કર્યા પછી જ નાણાકીય ખરડાને રાજ્યસભામાં મોકલવામાં આવે છે.
- રાજ્યસભાએ તેની પર માત્ર ચર્ચા કરી, તેની ભલામણો સાથે કે ભલામણો વિના, 14 દિવસમાં તેને લોકસભાને પાછો મોકલવાનો હોય છે. આ મુદત દરમિયાન રાજ્યસભા નાણાકીય ખરડો લોકસભાને પરત ન કરે તો પણ તે પસાર થયેલો ગણાય છે.
- રાજ્યસભાએ સૂચવેલી ભલામણો લોકસભા સ્વીકારે કે ન સ્વીકારે તોપણ નાણાકીય ખરડો બંને ગૃહોમાં પસાર થયેલો ગણાય છે.
- ત્યારપછી તેને રાષ્ટ્રપ્રમુખની સહી માટે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપ્રમુખની સહી થતાં નાણાકીય ખરડો કાયદો બને છે.
પ્રશ્ન 7.
રાજ્યસભાની ઉપયોગિતા અને મર્યાદા
ઉત્તર:
રાજ્યસભાની ઉપયોગિતા ભારત 29 રાજ્યો અને રાષ્ટ્રીય રાજધાનીના પ્રદેશ – દિલ્લી સહિત 7 સંઘશાસિત પ્રદેશોનું બનેલું સંઘરાજ્ય (Union of States) છે.
- ભારતની સંસદ દ્વિગૃહી છે.
- રાજ્યસભા ભારતસંઘનાં રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું સંસદનું ઉપલું ગૃહ છે.
- રાજ્યસભાના સભ્યો જુદાં જુદાં રાજ્યોમાંથી આવેલા હોય છે. તેઓ તેમનાં રાજ્યોના લોકોની ઇચ્છાઓ, માગણીઓ, પ્રશ્નો, સમસ્યાઓ વગેરેને સારી રીતે સમજી શકે છે અને ગૃહમાં તેની સારી રીતે રજૂઆત કરીને લોકોને ન્યાય અપાવી શકે છે, જે રાજ્યસભાની ઉપયોગિતા દર્શાવે છે.
- આમ, સંઘના દરેક રાજ્યને સરકાર સમક્ષ રજૂઆતો કરવાની તકો મળે એ હેતુથી રાજ્યસભાની રચના કરવામાં આવી છે.
રાજ્યસભાની મર્યાદા: લોકસભાએ પ્રથમ પસાર કરેલો નાણાકીય ખરડો રાજ્યસભામાં ભલામણ અર્થે મોકલવામાં આવે છે. રાજ્યસભાએ તે ખરડા અંગે જરૂરી ભલામણો સહિત લોકસભાને 14 દિવસમાં પરત મોકલવો પડે છે. જો 14 દિવસમાં નાણાકીય ખરડો લોકસભામાં પરત ન કરવામાં આવે તો તે ખરડો રાજ્યસભામાં પસાર થયેલો માનવામાં આવે છે. લોકસભા, રાજ્યસભાની તમામ કે અંશતઃ ભલામણોનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે છે. રાજ્યસભાએ સૂચવેલી ભલામણોનો લોકસભામાં સ્વીકાર કરે તો બંને ગૃહોમાં સુધારેલો ખરડો પસાર થયેલો ગણાય છે; પરંતુ જો રાજ્યસભાની ભલામણોનો લોકસભા અસ્વીકાર કરે તો લોકસભામાં ફરીથી મૂળ સ્વરૂપે પસાર કરે તો નાણાકીય ખરડો બંને ગૃહોમાં પસાર કરેલો ગણાય છે. આમ, નાણાકીય બાબતોમાં રાજ્યસભાની સત્તા મર્યાદિત છે.
4. નીચેનામાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો:
પ્રશ્ન 1.
વિધાનસભાના સભ્યપદ માટે વયમર્યાદા કેટલાં વર્ષની નક્કી થઈ છે:
A. 25 વર્ષ
B. 30 વર્ષ
C. 35 વર્ષ
D. 18 વર્ષ
ઉત્તર:
A. 25 વર્ષ
પ્રશ્ન 2.
લોકસભાનું સંખ્યાબળ અને રાજ્યસભાનું સંખ્યાબળ કેટલું નિર્ધારિત કર્યું છે?
A. 545 અને 250
B. 455 અને 350
C. 182 અને 11
D. 543 અને 238
ઉત્તર:
A. 545 અને 250
પ્રશ્ન 3.
નીચેના કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં નથી?
A. કર્ણાટક
B. આંધ્ર પ્રદેશ
C. તમિલનાડુ
D. બિહાર
ઉત્તરઃ
B. આંધ્ર પ્રદેશ
પ્રશ્ન 4.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને કોણ નીમે છે?
A. વડા પ્રધાન
B. રાજ્યપાલ
C. રાસ્પ્રમુખ
D. ઉપરાષ્ટ્રપ્રમુખ
ઉત્તર:
C. રાસ્પ્રમુખ
પ્રશ્ન 5.
લોકસભાના સભ્યોની સમયમર્યાદા કેટલાં વર્ષની છે?
A. 4 વર્ષ
B. 6 વર્ષ
C. 2 વર્ષ
D. 5 વર્ષ
ઉત્તરઃ
D. 5 વર્ષ
પ્રશ્ન 6.
રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં બે એંગ્લો-ઇન્ડિયન સભ્યની નિમણૂક કરે છે?
A. રાજ્યસભા
B. લોકસભા
C. ગોવા વિધાનસભા
D. આયોજનપંચ
ઉત્તરઃ
B. લોકસભા
પ્રશ્ન 7.
વડા પ્રધાનને હોદા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે?
A. ઉપરાષ્ટ્રપ્રમુખ
B. રાષ્ટ્રપ્રમુખ
C. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ
D. લોકસભાના પ્રોટેમ સ્પીકર
ઉત્તર:
B. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 8.
નીચે આપેલાં જોડકાં લક્ષમાં લઈ આપેલા વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરો:
વહીવટી સંસ્થાઓ | વહીવટી વડાઓ |
1. જિલ્લા સેવાસદન | a. મેયર |
2. મહાનગરપાલિકા | b. ડીડીઓ |
3. જિલ્લા પંચાયત | c. કલેક્ટર |
d. કમિશનર |
A. (1 – a), (2 – c), (3 – d)
B. (1 – c), (2 – d), (3 – b)
C. (1 – b), (2 – c), (3 – d)
D. (1 – c), (2 – a), (3 – b)
ઉત્તર:
B.
વહીવટી સંસ્થાઓ | વહીવટી વડાઓ |
1. જિલ્લા સેવાસદન | c. કલેક્ટર |
2. મહાનગરપાલિકા | d. કમિશનર |
3. જિલ્લા પંચાયત | b. ડીડીઓ |
પ્રશ્ન 9.
રાજ્યસભામાં રામ્રમુખ કેટલા સભ્યો નીમે છે?
A. 238
B. 12
C. 2
D. 14
ઉત્તરઃ
B. 12
પ્રશ્ન 10.
સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે?
A. વડા પ્રધાન
B. ગૃહપ્રધાન
C. નાણાપ્રધાન
D. સંસદસભ્ય
ઉત્તર:
C. નાણાપ્રધાન
GSEB Class 9 Social Science સરકારનાં અંગો Important Questions and Answers
નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો: [પ્રત્યેકનો 1 ગુણ].
પ્રશ્ન 1.
…………………….. દ્વારા રાજ્યસભામાં 12 સભ્યો નીમાય છે.
A. વડા પ્રધાન
B. મુખ્ય ન્યાયમૂર્તિ
C. રાષ્ટ્રપ્રમુખ
ઉત્તરઃ
C. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 2.
………………………… સંસદના અભિન્ન અંગ સમાન છે.
A. રાષ્ટ્રપ્રમુખ
B. વડા પ્રધાન
C. ન્યાયાધીશ
ઉત્તરઃ
A. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 3.
નાણાકીય ખરડો પ્રથમ ……………………… માં જ રજૂ થઈ શકે છે.
A. સંસદ
B. રાજ્યસભા
C. લોકસભા
ઉત્તરઃ
C. લોકસભા
પ્રશ્ન 4.
આયોજનપંચ(નીતિપંચ)ના અધ્યક્ષ હોદાની રૂએ ……………………….. જ છે.
A. રાષ્ટ્રપ્રમુખ
B. વડા પ્રધાન
C. ઉપરાષ્ટ્રપ્રમુખ
ઉત્તરઃ
B. વડા પ્રધાન
પ્રશ્ન 5.
સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ વૉટ …………………………. આપે છે.
A. વિરોધપક્ષના નેતા
B. અધ્યક્ષ (સ્પીકર)
C. વડા પ્રધાન
ઉત્તરઃ
B. અધ્યક્ષ (સ્પીકર)
પ્રશ્ન 6.
પંચાયતીરાજનું માળખું ………………………… છે.
A. ત્રિસ્તરીય
B. પાંચ સ્તરીય
C. દ્વિસ્તરીય
ઉત્તરઃ
A. ત્રિસ્તરીય
પ્રશ્ન 7.
સંસદમાં અંદાજપત્ર ………………………. રજૂ કરે છે.
A. રાષ્ટ્રપ્રમુખ
B. વડા પ્રધાન
C. નાણાપ્રધાન
ઉત્તરઃ
C. નાણાપ્રધાન
પ્રશ્ન 8.
બંધારણીય 73માં સુધારાથી ………………………… ની જોગવાઈ કરવામાં આવી છે.
A. લોકશાહી
B. પંચાયતીરાજ
C. લોકઅદાલતો
ઉત્તરઃ
B. પંચાયતીરાજ
પ્રશ્ન 9.
શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ……………………….. , ……………………. અને ……………………….. છે.
A. નગર પંચાયત, મહાનગરપાલિકા, મહાનગરનિગમ
B. નગરપાલિકા, મહાનગરપાલિકા, મહાનગરનિગમ
C. શહેર પંચાયત, મહાનગરપાલિકા, મહાનગરનિગમ
ઉત્તરઃ
B. નગરપાલિકા, મહાનગરપાલિકા, મહાનગરનિગમ
પ્રશ્ન 10.
……………………. યાદીના વિષયો પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યને છે.
A. સંઘ
B. રાજ્ય
C. સંયુક્ત
ઉત્તરઃ
C. સંયુક્ત
પ્રશ્ન 11.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક ………………………. કરે છે.
A. વડા પ્રધાન
B. રાષ્ટ્રપ્રમુખ
C. ઉપરાષ્ટ્રપ્રમુખ
ઉત્તરઃ
B. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 12.
ગુજરાતમાં …………………… ધારાસભા નથી.
A. પ્રથમ
B. દ્વિતીય
C. દ્વિગૃહી
ઉત્તરઃ
C. દ્વિગૃહી
પ્રશ્ન 13.
………………………. એ સંસદનું નીચલું ગૃહ છે.
A. વિધાનસભા
B. લોકસભા
c. રાજ્યસભા
ઉત્તરઃ
B. લોકસભા
પ્રશ્ન 14.
…………………….. એ સંસદનું ઉપલું ગૃહ છે.
A. લોકસભા
B. રાજ્યસભા
C. વિધાનસભા
ઉત્તરઃ
B. રાજ્યસભા
પ્રશ્ન 15.
કાયદા માટેની દરખાસ્ત ……………………… કહેવાય છે.
A. ખરડો (વિધેયક)
B. કાનૂન
C. સૂચના
ઉત્તરઃ
A. ખરડો (વિધેયક)
પ્રશ્ન 16.
રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં ……………………… ફરજો બજાવે છે.
A. વડા પ્રધાન
B. મુખ્ય ન્યાયાધીશ
C. ઉપરાષ્ટ્રપ્રમુખ
ઉત્તરઃ
C. ઉપરાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 17.
ગ્રામપંચાયતનો વહીવટ ‘………………………’ સંભાળે છે.
A. તલાટી-કમ-મંત્રી
B. સરપંચ
C. વિકાસ અધિકારી
ઉત્તરઃ
A. તલાટી-કમ-મંત્રી
પ્રશ્ન 18.
તાલુકા પંચાયતની વહીવટી પાંખના વડા ‘……………………..’ કહેવાય છે.
A. પ્રમુખ
B. તાલુકા વિકાસ અધિકારી
C. તાલુકા કમિશનર
ઉત્તરઃ
B. તાલુકા વિકાસ અધિકારી
પ્રશ્ન 19.
રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક ……………………… દ્વારા કરવામાં આવે છે.
A. રાષ્ટ્રપ્રમુખ
B. ઉપરાષ્ટ્રપ્રમુખ
C. રાજ્યપાલ
ઉત્તરઃ
C. રાજ્યપાલ
પ્રશ્ન 20.
વિધાનસભાના સભ્યોની સંખ્યા ………થી ઓછી નહિ અને …………………થી વધારે હોઈ શકશે નહિ.
A. 40, 400
B. 60, 500
C. 20, 200
ઉત્તરઃ
B. 60, 500
નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]
પ્રશ્ન 1.
સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવવાની અને મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે?
A. વડા પ્રધાન
B. રાષ્ટ્રપ્રમુખ
C. સ્પીકર
D. ઉપરાષ્ટ્રપ્રમુખ
ઉત્તરઃ
B. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 2.
લોકસભામાં ગુજરાતની સભ્યસંખ્યા કેટલી છે?
A. 26
B. 25
C. 24
D. 20
ઉત્તર:
A. 26
પ્રશ્ન 3.
મહાભિયોગ(Impeachment)ની કાર્યવાહી કોની પર કરવામાં આવે છે?
A. નાણાપ્રધાન પર
B. વડા પ્રધાન પર
C. સંરક્ષણપ્રધાન પર
D. રાષ્ટ્રપ્રમુખ પર
ઉત્તર:
D. રાષ્ટ્રપ્રમુખ પર
પ્રશ્ન 4.
સંઘસરકારની કારોબારીના સર્વોચ્ચ વડા કોણ છે?
A. સરસેનાધિપતિ
B. ઉપરાષ્ટ્રપ્રમુખ
C. રાષ્ટ્રપ્રમુખ
D. વડા પ્રધાન
ઉત્તર:
C. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 5.
રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું કોને સોંપે છે?
A. વડા પ્રધાનને
B. લોકસભાના અધ્યક્ષને
C. ઉપરાષ્ટ્રપ્રમુખને
D. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને
ઉત્તર:
C. ઉપરાષ્ટ્રપ્રમુખને
પ્રશ્ન 6.
ગ્રામપંચાયતનો વહીવટ કોણ સંભાળે છે?
A. મામલતદાર
B. સરપંચ
C. તાલુકા વિકાસ અધિકારી
D. તલાટી-કમ-મંત્રી
ઉત્તર:
D. તલાટી-કમ-મંત્રી
પ્રશ્ન 7.
ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે?
A. કૅબિનેટ પદ્ધતિની
B. સંઘ પદ્ધતિની
C. પ્રમુખ પદ્ધતિની
D. સંસદીય પદ્ધતિની
ઉત્તર:
D. સંસદીય પદ્ધતિની
પ્રશ્ન 8.
સંઘસરકારની કારોબારીમાં કોનો સમાવેશ થતો નથી?
A. વડા પ્રધાનનો
B. મુખ્ય ન્યાયમૂર્તિનો
C. રાષ્ટ્રપ્રમુખનો
D. પ્રધાનમંડળનો
ઉત્તર:
B. મુખ્ય ન્યાયમૂર્તિનો
પ્રશ્ન 9.
રાજ્યસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલાં વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ?
A. 30 કે તેથી વધુ
B. 20 કે તેથી વધુ
C. 25 કે તેથી વધુ
D. 18 કે તેથી વધુ
ઉત્તર:
A. 30 કે તેથી વધુ
પ્રશ્ન 10.
કાસ્ટિંગ વૉટ (નિર્ણાયક મત) કોણ આપી શકે છે?
A. અધ્યક્ષ
B. વડા પ્રધાન
C. રાષ્ટ્રપ્રમુખ
D. નાણાપ્રધાન
ઉત્તર:
A. અધ્યક્ષ
પ્રશ્ન 11.
લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
A. જ્ઞાની ઝેલસિંઘ
B. શ્રી પુરુષોત્તમ માવળંકર
C. શ્રી ગણેશ વાસુદેવ માવળંકર
D. શ્રીમતી પ્રતિભા પાટિલ
ઉત્તર:
C. શ્રી ગણેશ વાસુદેવ માવળંકર
પ્રશ્ન 12.
સંઘસરકારના વાર્ષિક અંદાજપત્રને લોકસભામાં કોની ભલામણથી રજૂ થાય છે?
A. ઉપરાષ્ટ્રપ્રમુખની
B. વડા પ્રધાનની
C. રાષ્ટ્રપ્રમુખની
D. નાણાપ્રધાનની
ઉત્તર:
C. રાષ્ટ્રપ્રમુખની
પ્રશ્ન 13.
રાજ્યના વાર્ષિક અંદાજપત્રને વિધાનસભામાં કોની ભલામણથી રજૂ થાય છે?
A. રાજ્યપાલની
B. મુખ્યમંત્રીની
C. વડા પ્રધાનની
D. રાષ્ટ્રપ્રમુખની
ઉત્તર:
A. રાજ્યપાલની
પ્રશ્ન 14.
ખરડા પર વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે ખરડો કોને સોંપવામાં આવે છે?
A. ખરડા સમિતિને
B. ન્યાય સમિતિને
C. પ્રધાન સમિતિને
D. પ્રવર સમિતિને
ઉત્તર:
D. પ્રવર સમિતિને
પ્રશ્ન 15.
બધા જ નાણાકીય ખરડાને સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે?
A. રાજ્યસભામાં
B. વિધાનસભામાં
C. લોકસભામાં
D. વિધાનપરિષદમાં
ઉત્તર:
C. લોકસભામાં
પ્રશ્ન 16.
રાષ્ટ્રપ્રમુખના શાસન દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે?
A. રાષ્ટ્રપ્રમુખ
B. વડા પ્રધાન
C. રાજ્યપાલ
D. મુખ્યમંત્રી
ઉત્તર:
C. રાજ્યપાલ
પ્રશ્ન 17.
વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે?
A. વડા પ્રધાન
B. સંઘસરકાર
C. સંસદ
D. રાષ્ટ્રપ્રમુખ
ઉત્તર:
D. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 18.
ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કોણ કરે છે?
A. લોકસભાના સભ્યો
B. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો
C. રાષ્ટ્રપ્રમુખ
D. સંસદનાં બંને ગૃહોના સભ્યો
ઉત્તર:
D. સંસદનાં બંને ગૃહોના સભ્યો
પ્રશ્ન 19.
નીતિપંચ(આયોજનપંચ)નું અધ્યક્ષપદ હોદ્દાની રૂએ કોણ સંભાળે છે?
A. રાષ્ટ્રપ્રમુખ
B. ઉપરાષ્ટ્રપ્રમુખ
C. વડા પ્રધાન
D. આયોજનપંચના અધ્યક્ષ
ઉત્તર:
C. વડા પ્રધાન
પ્રશ્ન 20.
સંઘનું પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે?
A. સંસદનાં બંને ગૃહોને
B. લોકસભાને
C. રાષ્ટ્રપ્રમુખને
D. રાજ્યસભાને
ઉત્તર:
B. લોકસભાને
પ્રશ્ન 21.
રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે?
A. રાષ્ટ્રપ્રમુખ
B. વડા પ્રધાન
C. વિધાનસભા
D. મુખ્યમંત્રી
ઉત્તર:
A. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 22.
જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે?
A. જિલ્લા વિકાસ અધિકારી
B. જિલ્લા વહીવટી અધિકારી
C. જિલ્લા પ્રમુખ
D. જિલ્લા કમિશનર
ઉત્તર:
A. જિલ્લા વિકાસ અધિકારી
પ્રશ્ન 23.
મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા હોય છે.
A. કલેક્ટર
B. મ્યુનિસિપલ કમિશનર
C. મેયર
D. સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન
ઉત્તર:
B. મ્યુનિસિપલ કમિશનર
પ્રશ્ન 24.
કયા સિદ્ધાંત મુજબ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ રાખવામાં આવે છે?
A. ક્ષેત્રિય વિશ્લેષના સિદ્ધાંત મુજબ
B. અંગ વિશ્લેષના સિદ્ધાંત મુજબ
C. સનદ વિશ્લેષના સિદ્ધાંત મુજબ
D. સત્તા વિશ્લેષના સિદ્ધાંત મુજબ
ઉત્તર:
D. સત્તા વિશ્લેષના સિદ્ધાંત મુજબ
પ્રશ્ન 25.
સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે?
A. વડા પ્રધાન
B. ગૃહપ્રધાન
C. નાણાપ્રધાન
D. સંસદસભ્ય
ઉત્તર:
C. નાણાપ્રધાન
પ્રશ્ન 26.
જે ગ્રામપંચાયતમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે છે અને સરપંચની સર્વમાન્ય પસંદગી કરવામાં આવે છે, તેને કેવું ગામ જાહેર કરવામાં આવે છે?
A. ‘એકરૂપ’
B. ‘સર્વમાન્ય’
C. ‘સમરસ’
D. ‘સર્વસંમત’
ઉત્તર:
C. ‘સમરસ’
પ્રશ્ન 27.
નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?
A. તેલંગણા
B. પંજાબ
C. ગુજરાત
D. ઓડિશા
ઉત્તર:
A. તેલંગણા
પ્રશ્ન 28.
નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?
A. આંધ્ર પ્રદેશ
B. મધ્ય પ્રદેશ
C. ગુજરાત
D. જમ્મુ-કાશ્મીર
ઉત્તર:
D. જમ્મુ-કાશ્મીર
પ્રશ્ન 29.
નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?
A. ગુજરાત
B. ઉત્તર પ્રદેશ
C. મધ્ય પ્રદેશ
D. રાજસ્થાન
ઉત્તર:
B. ઉત્તર પ્રદેશ
પ્રશ્ન 30.
નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?
A. કેરલ
B. ઉત્તરાખંડ
C. કર્ણાટક
D. ઝારખંડ
ઉત્તર:
C. કર્ણાટક
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો: [પ્રત્યેકનો 1 ગુણ]
(1) સત્તા વિશ્લેષના સિદ્ધાંત અનુસાર ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી સાથે જોડી દેવામાં આવ્યું છે.
ઉત્તરઃ
ખોટું
(2) સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા’ કહેવાય છે.
ઉત્તરઃ
ખરું
(3) રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રીય કટોકટીમાં લોકસભાની મુદત બે વર્ષ સુધી લંબાવી શકે છે.
ઉત્તરઃ
ખોટું
(4) રાજ્યની વિધાનસભામાં નાણાકીય ખરડો રાસ્પ્રમુખની ભલામણથી રજૂ થાય છે.
ઉત્તરઃ
ખોટું
(5) મહારાષ્ટ્રમાં ધારાસભાનાં બે ગૃહો છે.
ઉત્તરઃ
ખરું
(6) રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદાનું રાજીનામું ઉપરાષ્ટ્રપ્રમુખને સોંપે છે.
ઉત્તરઃ
ખરું
(7) રાજ્યપાલની નિમણૂક મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
(8) તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખના નેતા તાલુકા પંચાયત પ્રમુખ કહેવાય છે.
ઉત્તરઃ
ખરું
(9) ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે.
ઉત્તરઃ
ખરું
(10) ગુજરાતમાં ધારાસભાનાં બે ગૃહો છે.
ઉત્તરઃ
ખોટું
(11) વડા પ્રધાન સંસદનાં બંને ગૃહોનું સત્ર બોલાવે છે.
ઉત્તરઃ
ખોટું
(12) રાષ્ટ્રપ્રમુખે લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાને અદાલતમાં પડકારી શકાય છે.
ઉત્તરઃ
ખોટું
(13) કોરમ એટલે ગૃહની ‘કાર્યસાધક’ સંખ્યા.
ઉત્તરઃ
ખરું
(14) રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 238 છે.
ઉત્તરઃ
ખરું
(15) રાજ્યસભાના પ્રથમ ચૅરમૅન ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.
ઉત્તરઃ
ખોટું
(16) રાષ્ટ્રપ્રમુખ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે.
ઉત્તરઃ
ખરું
(17) બધા જ નાણાકીય ખરડા પ્રથમ રાજ્યસભામાં જ રજૂ કરવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
(18) રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રના વડા તથા ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક છે.
ઉત્તર:
ખરું
(19) રાજ્યપાલની સત્તા વ્યવહારમાં વડા પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભોગવે છે.
ઉત્તર:
ખોટું
(20) દેશનું બંધારણ એ દેશનો મૂળભૂત કાનૂન છે.
ઉત્તર:
ખરું
નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]
(1) ધારાસભાએ ઘડેલા કાયદાનો અમલ કરવાનું કામ કોણ કરે છે? – કારોબારી
(2) કાયદાનો ભંગ કરનારને સજા અથવા દંડ કરવાનું કાર્ય કોણ કરે છે? – ન્યાયતંત્ર
(3) દેશની મહત્ત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે? – સંસદ
(4) એક જ ગૃહની બનેલી ધારાસભાને શું કહેવાય? – એકગૃહી ધારાસભા
(5) બે ગૃહોની બનેલી ધારાસભાને શું કહેવાય? – દ્વિગૃહી ધારાસભા
(6) સંઘ (કેન્દ્ર) કક્ષાએ ધારાસભા(સંસદ)નું ઉપલું ગૃહ કયું છે? – રાજ્યસભા
(7) સંઘ (કેન્દ્ર) કક્ષાએ ધારાસભા(સંસદ)નું નીચલું ગૃહ કયું છે? – લોકસભા
(8) કોની સહી થયા પછી જ ખરડો કાયદો બને છે? – રાષ્ટ્રપ્રમુખની
(9) રાષ્ટ્રપ્રમુખ કોની સલાહથી જ લોકસભાનું વિસર્જન કરી શકે છે? – વડા પ્રધાનની
(10) કોરમ એટલે શું? – ગૃહની કાર્યસાધક સંખ્યા
(11) સંઘ (કેન્દ્ર) કક્ષાએ કયા ગૃહનું વિસર્જન થતું નથી? – રાજ્યસભાનું
(12) હોદ્દાની રૂએ રાજ્યસભાના ચૅરમૅન (સભાપતિ) કોણ બને છે? – ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ
(13) રાજ્યસભાના પ્રથમ ચૅરમૅન કોણ હતા? – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનું
(14) લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? – ગણેશ વાસુદેવ માવળંકર
(15) કાયદા માટેની દરખાસ્તને શું કહે છે? – ખરડો (વિધેયક)
(16) સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક કોણ બોલાવી શકે છે? – રાષ્ટ્રપ્રમુખ
(17) સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકનું સંચાલન કોણ સંભાળે છે? – લોકસભાના અધ્યક્ષ (સ્પીકર)
(18) રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં બે એંગ્લો-ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓની નિમણૂક કરે છે? – લોકસભામાં
(19) સંઘ (કેન્દ્ર) કક્ષાએ ખરડો નાણાકીય છે કે કેમ એ કોણ નક્કી કરે છે? – લોકસભાના અધ્યક્ષ
(20) સંઘ (કેન્દ્ર) કક્ષાએ બધા જ નાણાકીય ખરડા પ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? – લોકસભામાં
(21) વહીવટી અધિકારીઓની સેવાને કઈ સેવા તરીકે ઓળખવામાં આવે છે? – સનદી સેવા
(22) કેન્દ્ર સરકારનો બધો વહીવટ કોના નામે થાય છે? – રાષ્ટ્રપ્રમુખના
(23) રાષ્ટ્રના વડા તેમજ ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક કોણ ગણાય છે? – રાષ્ટ્રપ્રમુખ
(24) દેશનાં સંરક્ષણદળોના સર્વોચ્ચ વડા કોણ છે? – રાષ્ટ્રપ્રમુખ
(25) સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની નિમણૂક કોણ કરે છે? – રાષ્ટ્રપ્રમુખ
(26) દેશમાં કટોકટીની સ્થિતિ કોણ જાહેર કરી શકે છે? – રાષ્ટ્રપ્રમુખ
(27) રાષ્ટ્રપ્રમુખ પોતાનું રાજીનામું કોને સોંપે છે? – ઉપરાષ્ટ્રપ્રમુખને
(28) સંઘસરકારના વાસ્તવિક, કારોબારી વડા કોણ છે? – વડા પ્રધાન
(29) લોકસભામાં કેન્દ્રનું અંદાજપત્ર (બજેટ) કોણ રજૂ કરે છે? – નાણામંત્રી
(30) રાજ્યમાં ‘રામ્રમુખ શાસન’ દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે? – રાજ્યપાલ
(31) વડા પ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના સોગંદ કોણ લેવડાવે છે? – રાષ્ટ્રપ્રમુખ
(32) વડા પ્રધાનની નિમણૂક કોણ કરે છે? – રાષ્ટ્રપ્રમુખ
(33) વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? – રાષ્ટ્રપ્રમુખ
(34) રાજ્યના મુખ્ય પ્રધાનની નિમણૂક કોણ કરે છે? – રાજ્યપાલ
(35) રાજ્યના મુખ્ય પ્રધાન અને તેમના પ્રધાનમંડળને હોદ્દા અને ગુપ્તતાના સોગંદ કોણ લેવડાવે છે? – રાજ્યપાલ
(36) ‘જિલ્લા વિકાસ અધિકારી’ કોના વહીવટી વડા હોય છે? – જિલ્લા પંચાયતના
(37) તાલુકા વિકાસ અધિકારી’ કોના વહીવટી વડા હોય છે? – તાલુકા પંચાયતના
(38) ગ્રામપંચાયતના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓના નેતા કોણ હોય છે? – સરપંચ
(39) ગ્રામપંચાયતનો વહીવટ કોણ સંભાળે છે? – તલાટી-કમ-મંત્રી
(40) જે ગ્રામપંચાયતમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે તેમજ સરપંચની સર્વમાન્ય પસંદગી કરવામાં આવે તેને કેવું ગામ જાહેર કરવામાં આવે છે? – ‘સમરસ ગામ’
(41) મહાનગરપાલિકાની રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પાંખના નેતાને શું કહે છે? – મેયર
(42) મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા કોણ હોય છે? – મ્યુનિસિપલ કમિશનર
યોગ્ય જોડકાં બનાવો: [પ્રત્યેક સાચા જોડકાનો 1 ગુણ]
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. સંઘની કારોબારીના બંધારણીય વડા | 1. વિધાનસભા |
2. સંઘની કારોબારીના વાસ્તવિક વડા | 2. વિધાનપરિષદ |
3. રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ | 3. વડા પ્રધાન |
4. રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ | 4. રાજ્યસભા |
5. રાષ્ટ્રપ્રમુખ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. સંઘની કારોબારીના બંધારણીય વડા | 5. રાષ્ટ્રપ્રમુખ |
2. સંઘની કારોબારીના વાસ્તવિક વડા | 3. વડા પ્રધાન |
3. રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ | 1. વિધાનસભા |
4. રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ | 2. વિધાનપરિષદ |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. મહારાષ્ટ્ર | 1. સ્પીકર |
2. રાજસ્થાન | 2. દ્વિગૃહી ધારાસભા |
3. ગૃહની મર્યાદાના રક્ષક | 3. વહીવટી કારોબારી |
4. પ્રધાનમંડળની બેઠકોનું. અધ્યક્ષપદ | 4. એકગૃહી ધારાસભા |
5. વડા પ્રધાન |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. મહારાષ્ટ્ર | 2. દ્વિગૃહી ધારાસભા |
2. રાજસ્થાન | 4. એકગૃહી ધારાસભા |
3. ગૃહની મર્યાદાના રક્ષક | 1. સ્પીકર |
4. પ્રધાનમંડળની બેઠકોનું. અધ્યક્ષપદ | 5. વડા પ્રધાન |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ | 1. તલાટી-કમ-મંત્રી |
2. હોદ્દાની રૂએ નીતિપંચના અધ્યક્ષ | 2. સરપંચ |
3. રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત | 3. ઉપરાષ્ટ્રપ્રમુખ |
4. ગ્રામપંચાયતના વડા | 4. 5 વર્ષ |
5. વડા પ્રધાન |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ | 3. ઉપરાષ્ટ્રપ્રમુખ |
2. હોદ્દાની રૂએ નીતિપંચના અધ્યક્ષ | 5. વડા પ્રધાન |
3. રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત | 4. 5 વર્ષ |
4. ગ્રામપંચાયતના વડા | 2. સરપંચ |
4.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. ગામનો સઘળો વહીવટ કરનાર | 1. ‘સમરસગામ’ |
2. નગરપાલિકાના વહીવટી વડા | 2. મ્યુનિસિપલ કમિશનર |
3. મહાનગરપાલિકાના વહીવટી વડા | 3. પ્રમુખ |
4. ગ્રામપંચાયતના સભ્યો અને સરપંચની સર્વાનુમતે પસંદગી | 4. ચીફ ઑફિસર |
5. તલાટી-કમ-મંત્રી |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. ગામનો સઘળો વહીવટ કરનાર | 5. તલાટી-કમ-મંત્રી |
2. નગરપાલિકાના વહીવટી વડા | 4. ચીફ ઑફિસર |
3. મહાનગરપાલિકાના વહીવટી વડા | 2. મ્યુનિસિપલ કમિશનર |
4. ગ્રામપંચાયતના સભ્યો અને સરપંચની સર્વાનુમતે પસંદગી | 1. ‘સમરસગામ’ |
નીચેના પારિભાષિક શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરો: [પ્રિત્યેકનો 1 ગુણ]
પ્રશ્ન 1.
લોકસભા
ઉત્તર:
ભારતની સંસદનું નીચલું ગૃહ ‘લોકસભા’ કહેવાય છે. તે પ્રજા દ્વારા સીધેસીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું છે. સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે. લોકસભાની કુલ સભ્યસંખ્યા 545 છે. જો એંગ્લો-ઇન્ડિયન જાતિના કોઈ સભ્ય ન ચૂંટાયો હોય, તો રાષ્ટ્રપ્રમુખ એ જાતિના 2 સભ્યોની લોકસભામાં નિમણૂક કરે છે. દરેક રાજ્યને તેની વસ્તીની સંખ્યના પ્રમાણમાં લોકસભાની બેઠકો ફાળવવામાં આવે છે.
પ્રશ્ન 2.
રાજ્યસભા
ઉત્તર:
રાજ્યસભા એ દેશનાં રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું સંસદનું ઉપલું ગૃહ છે. તે કાયમી ગૃહ છે. તેનું ક્યારેય વિસર્જન (બરખાસ્ત) થતું નથી. પરંતુ દર બે વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના 13 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેમની જગ્યાએ તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે.
પ્રશ્ન 3.
ખરડો
ઉત્તરઃ
કાયદા માટેની દરખાસ્ત ખરડો કહેવાય છે. ખરડાના બે પ્રકાર છેઃ સામાન્ય ખરડો અને નાણાકીય ખરડો
પ્રશ્ન 4.
નાણાકીય ખરડો
ઉત્તર:
અંદાજપત્રને લગતી બાબતો ધરાવતા ખરડાને તેમજ 3 નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને નાણાકીય ખરડો કહે છે.
પ્રશ્ન 5.
પ્રવર સમિતિ
ઉત્તર :
પ્રવર સમિતિ એ સંસદના જે-તે વિષયના તજ્જ્ઞ અને વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની બનેલી હોય છે. કોઈ મહત્ત્વનો ખરડો હોય અથવા ખરડા ઉપર ગંભીર વિચારણાની જરૂર હોય, તો વધુ વિચારણા માટે ખરડાને પ્રવર સમિતિને સોંપવામાં આવે છે.
પ્રશ્ન 6.
અંદાજપત્ર
ઉત્તર :
અંદાજપત્ર એ વાર્ષિક નાણાકીય નિવેદન છે. રાષ્ટ્રપ્રમુખની પૂર્વસંમતિ મેળવીને સંઘસરકારના નાણાપ્રધાન દર વર્ષે પ્રથમ લોકસભામાં સંઘસરકારની આવક અને ખર્ચના અંદાજો દર્શાવતું નિવેદન રજૂ કરે છે. તેમાં આગામી વર્ષ માટે સંઘસરકારનાં વિવિધ ખાતાંઓના ખર્ચની માગણીઓ હોય છે.
પ્રશ્ન 7.
સરપંચ
ઉત્તર:
ગ્રામપંચાયતના વડાને સરપંચ કહે છે. ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા સરપંચની ચૂંટણી કરે છે.
પ્રશ્ન 8.
સત્તા વિશ્લેષનો સિદ્ધાંત
ઉત્તર:
સત્તા વિશ્લેષનો સિદ્ધાંત એટલે સત્તાઓને એકબીજીથી અલગ રાખવાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત અનુસાર કાયદા ઘડવાની સત્તા ધારાસભાને, કાયદાનો અમલ કરવાની સત્તા કારોબારીને અને કાયદા પ્રમાણે ન્યાય આપવાની સત્તા ન્યાયતંત્રને સોંપવામાં આવી છે. સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને એ માટે સત્તાનું વિશ્લેષ કરવું જરૂરી છે.
પ્રશ્ન 9.
મહાભિયોગ
ઉત્તર:
સંસદનાં બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બંધારણભંગનું તહોમતનામું પસાર કરે તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદા પરથી પદભ્રષ્ટ કરી શકાય. આ માટે સંસદના કોઈ પણ એક ગૃહે 2 બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ સામેનું લેખિત તહોમતનામું પસાર કરવાનું હોય છે અને બીજા ગૃહે તે તહોમતનામા ઉપર અદાલતી તપાસ કરવાની હોય છે. જો બીજું ગૃહ પણ 3 બહુમતીથી રાખ્રમુખ પરનો આરોપ પુરવાર થયેલો જાહેર કરે, તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદા પરથી દૂર કરી શકાય છે.
આ પ્રકારની કાર્યવાહીને ‘મહાભિયોગ’ (Impeachment) કહે છે.
કારણો આપી વિધાનો પૂરાં કરો: [પ્રત્યેકનો 1 ગુણ].
પ્રશ્ન 1.
ભારતીય સંસદ દ્વિગૃહી છે, કારણ કે……..
ઉત્તરઃ
ભારતીય સંસદ બે ગૃહોની બનેલી છેઃ
- નીચલું ગૃહ અને
- ઉપલું ગૃહ. નીચલું ગૃહ ‘લોકસભા’ના નામે અને ઉપલું ગૃહ ‘રાજ્યસભા’ના નામે ઓળખાય છે.
પ્રશ્ન 2.
રાજ્યસભા કાયમી ગૃહ છે, કારણ કે…….
ઉત્તરઃ
દર બે વર્ષને અંતે રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યાના 13 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે. આખી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી.
પ્રશ્ન 3.
ભારતમાં સંસદ સર્વોપરી નથી, પરંતુ બંધારણ સર્વોપરી છે, કારણ કે……
ઉત્તર:
ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની છે. સંસદે ઘડેલા કોઈ કાયદામાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય કે તે બંધારણ સાથે સુસંગત ન હોય, તો તેને અદાલતમાં પડકારી શકાય છે.
પ્રશ્ન 4.
સ્વતંત્ર, નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે, કારણ કે……
ઉત્તરઃ
ન્યાયાધીશો નિર્ભય રીતે અને પક્ષપાત વિના તટસ્થ રીતે ન્યાય આપી શકે એ માટે ભારતીય સંઘસરકારમાં ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે.
પ્રશ્ન 5.
રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઇચ્છાનું પ્રતિબિંબ પાડે છે, કારણ કે…….
ઉત્તર:
રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઇચ્છા – લોકમત – મુજબ ધારાકીય અને કારોબારી કાર્યો કરે છે. વિધાનસભા પ્રજાના વિવિધ પ્રશ્નો, પોતાનાં કાર્યો વિશે પ્રજાના પ્રત્યાઘાતો, અભિપ્રાયો; લોકોની આશાઓ, આકાંક્ષાઓ, માગણીઓ જાણીને, સમજીને રાજ્યનો વહીવટ કરે છે.
પ્રશ્ન 6.
રાજ્યપાલ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા અદા કરે છે, કારણ કે………
ઉત્તરઃ
રાજ્યપાલની નિમણૂક કેન્દ્રના પ્રધાનમંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપ્રમુખ કરે છે. રાજ્યપાલ રાજ્ય સરકારની કામગીરી વિશે રામ્રમુખને વાકેફ કરે છે. રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય છે ત્યારે રાજ્યપાલ રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ સંભાળે છે.
પ્રશ્ન 7.
લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે, કારણ કે
ઉત્તર:
લોકસભા પ્રજા દ્વારા સીધેસીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું સંસદનું નીચલું ગૃહ છે. સંઘસરકાર પોતાનાં બધાં જ કાર્યો માટે લોકસભાને જ જવાબદાર છે. લોકસભામાં પ્રજાના વિચારો, ઇચ્છાઓ, માગણીઓ, આકાંક્ષાઓનો પડઘો પડે છે અને એ પ્રમાણે કાયદા ઘડવામાં આવે છે.
પ્રશ્ન 8.
સક્ષમ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે, કારણ કે………
ઉત્તર:
નિષ્ણાત જ્ઞાન, વહીવટી ક્ષમતા અને સૂઝબૂઝ, બહોળો અનુભવ અને દીર્ધદષ્ટિને કારણે સનદી અધિકારીઓ રાજ્યનો કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. રાજ્યની કારોબારી (મંત્રીમંડળ) એ લોકકલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે; જ્યારે – વહીવટી કારોબારીના સનદી અધિકારીઓ તેના હાથપગ છે.
પ્રશ્ન 9.
રાષ્ટ્રપ્રમુખ નાણાકીય ખરડાને પુનર્વિચારણા માટે પાછો મોકલી શકતા નથી કે રોકી શકતા નથી, કારણ કે……..
ઉત્તર:
ભારતના બંધારણની જોગવાઈ મુજબ સંસદમાં (લોકસભામાં) નાણાકીય ખરડો રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપ્રમુખની મંજૂરી લેવાનું આવશ્યક હોય છે. નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વમંજૂરીથી જ સંસદમાં (લોકસભામાં) આવતો હોવાથી રાષ્ટ્રપ્રમુખ નાણાકીય ખરડાને પુનર્વિચારણા માટે સંસદ પર પાછો મોકલી શકતા નથી કે તેને રોકી શકતા નથી.
પ્રશ્ન 10.
રાષ્ટ્રપ્રમુખ સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે, કારણ કે………
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખ દરેક સત્રની શરૂઆતમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી તેમની સમક્ષ અભિભાષણ કરે છે. આ ઉપરાંત, નાણાકીય ખરડા સિવાયના કોઈ ખરડા ઉપર સંસદનાં બંને ગૃહો વચ્ચે મતભેદ ઊભો થાય ત્યારે પણ રાષ્ટ્રપ્રમુખ બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે.
પ્રશ્ન 11.
ભારતના રાષ્ટ્રપ્રમુખને કટોકટીના સમયની વિશિષ્ટ સત્તાઓ આપવામાં આવી છે, કારણ કે……….
ઉત્તર:
સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે જો દેશમાં કોઈ પણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિ સર્જાય તો એ સમયે સંસદ તાત્કાલિક કાયદો ઘડી શકતી નથી. એવી પરિસ્થિતિમાં દેશમાં શાંતિ અને સુવ્યવસ્થા જાળવવા માટે ભારતના બંધારણે રાષ્ટ્રપ્રમુખને કટોકટીના સમયની વિશિષ્ટ સત્તાઓ આપી છે.
પ્રશ્ન 12.
ભારતસંઘનું પ્રધાનમંડળ માત્ર લોકસભાને જવાબદાર છે, કારણ કે……..
ઉત્તરઃ
ભારતસંઘના બંધારણની જોગવાઈ મુજબ પ્રધાનમંડળના બધા પ્રધાનો લોકો દ્વારા પ્રત્યક્ષ ચૂંટણીથી ચૂંટાયેલી લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર છે. જ્યારે લોકસભા બહુમતીથી કોઈ એક પ્રધાન સામે નીતિવિષયક મુદ્દા અંગે અવિશ્વાસનો ઠરાવ પસાર કરે ત્યારે તે અવિશ્વાસનો ઠરાવ સમગ્ર પ્રધાનમંડળ સામેનો ગણાય છે. આવું બને ત્યારે સમગ્ર પ્રધાનમંડળને રાજીનામું આપવું પડે છે.
પ્રશ્ન 13.
રાજ્યસભાના ચૅરમૅન(અધ્યક્ષ)ને ચૂંટવામાં આવતા નથી, કારણ કે……..
ઉત્તર :
ભારતના બંધારણે કરેલી જોગવાઈ અનુસાર ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ તેમના હોદ્દાની રૂએ રાજ્યસભાના ચૅરમૅન (અધ્યક્ષ) બને છે.
પ્રશ્ન 14.
ભારતના રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે, કારણ કે……….
ઉત્તર:
વિજ્ઞાન, સાહિત્ય, કલા, શિક્ષણ, સમાજસેવા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોની નામાંકિત વ્યક્તિઓ એક યા બીજા કારણે ચૂંટણીના ચક્કરમાં પડવા માગતી નથી. આવી વિશેષ જ્ઞાન, વ્યવહાર અને અનુભવ ધરાવતી વ્યક્તિઓનાં જ્ઞાન અને અનુભવનો દેશને લાભ મળે એ હેતુથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં જુદાં જુદાં ક્ષેત્રોની 12 નામાંકિત વ્યક્તિઓની નિમણૂક કરે છે.
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]
પ્રશ્ન 1.
સરકારનાં અંગો કેટલાં છે? કયાં કયાં?
ઉત્તર :
સરકારનાં અંગો ત્રણ છેઃ
- ધારાસભા,
- કારોબારી અને
- ન્યાયતંત્ર.
પ્રશ્ન 2.
સરકારનાં ત્રણેય અંગો શું કાર્ય કરે છે?
ઉત્તરઃ
સરકારનાં ત્રણેય અંગોનાં કાર્ય આ મુજબ છેઃ
- ધારાસભા કાયદા ઘડે છે.
- કારોબારી ધારાસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરે છે.
- ન્યાયતંત્ર ન્યાય આપે છે તેમજ કાયદાનો ભંગ કરનારને સજા કે દંડ કરે છે.
પ્રશ્ન 3.
ભારતીય સંઘની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
ભારતીય સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 4.
ભારતીય સંસદ કેટલાં ગૃહોની બનેલી છે? એ ગૃહો કયા કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
ભારતીય સંસદ બે ગૃહોની બનેલી છે. સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભાના નામે અને નીચલું ગૃહ લોકસભાના નામે ઓળખાય છે.
પ્રશ્ન 5.
રાજ્યની ધારાસભાનાં ગૃહો કયા કયા નામથી ઓળખાય છે?
ઉત્તર:
રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ વિધાનપરિષદ’ અને નીચલું ગૃહ વિધાનસભા’ના નામે ઓળખાય છે.
પ્રશ્ન 6.
ભારતનાં કયાં કયાં રાજ્યોમાં દ્વિગૃહી ધારાસભા છે?
ઉત્તર:
ભારતના આ રાજ્યોમાં દ્વિગૃહી ધારાસભા છે: બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, જમ્મુ-કશ્મીર અને તેલંગણા.
પ્રશ્ન 7.
લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી છે?
ઉત્તર:
લોકસભાના સભ્યોની સંખ્યા 545 છે. તેમાં રાષ્ટ્રપ્રમુખે પસંદ કરેલા 2 એંગ્લો-ઇન્ડિયન પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 8.
લોકસભાના સભ્યપદ માટે કયો નાગરિક ઉમેદવારી નોંધાવી શકે છે?
ઉત્તર:
જેની ઉંમર 25 વર્ષ કે તેથી વધારે હોય તેમજ સંસદ નક્કી કરેલ લાયકાત ધરાવતો હોય તેમજ તે નાદાર કે અસ્થિર મગજનો ન હોય, કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોય અને સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોય એવો ભારતનો કોઈ પણ નાગરિક લોકસભાના સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે.
પ્રશ્ન 9.
રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કોણ કરે છે?
ઉત્તરઃ
રાજ્યસભાના સભ્યોની ચૂંટણી રાજ્યો અને સંઘપ્રદેશોની વિધાનસભાના સભ્યો કરે છે.
પ્રશ્ન 10.
રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના 12 સભ્યો તરીકે કેવી વ્યક્તિઓને નિમણૂક કરે છે?
ઉત્તર :
રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના 12 સભ્યો તરીકે આવી વ્યક્તિઓની નિમણૂક કરે છે. સાહિત્ય, વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજસેવા, રમતગમત, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રે વિશેષ જ્ઞાન અને વ્યવહારિક અનુભવ ધરાવતી વ્યક્તિઓ.
પ્રશ્ન 11.
રાજ્યસભાના સભ્યપદ માટેના ઉમેદવારની વયમર્યાદા શી છે?
ઉત્તર:
રાજ્યસભાના સભ્યપદ માટેના ઉમેદવારની વયમર્યાદા 30 વર્ષની છે.
પ્રશ્ન 12.
સામાન્ય રીતે સંસદનાં બંને ગૃહોનાં વર્ષમાં કેટલાં સત્રો મળે છે? કયાં કયાં?
ઉત્તર:
સામાન્ય રીતે સંસદના બંને ગૃહોનાં ત્રણ સત્રો મળે છે:
- અંદાજપત્ર સત્ર,
- ચોમાસું સત્ર અને
- શિયાળુ સત્ર.
પ્રશ્ન 13.
રાજ્યસભાના ચૅરમૅન (અધ્યક્ષ) કોણ બને છે?
ઉત્તરઃ
ભારતના ઉપરાઅમુખ પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના ચૅરમૅન (અધ્યક્ષ) બને છે.
પ્રશ્ન 14.
રાજ્યસભાના પ્રથમ ચૅરમૅન (અધ્યક્ષ) કોણ હતા?
ઉત્તર:
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ રાજ્યસભાના પ્રથમ ચૅરમૅન (અધ્યક્ષ) હતા.
પ્રશ્ન 15.
લોકસભાના સ્પીકર(અધ્યક્ષ)નું મુખ્ય કાર્ય શું છે?
ઉત્તર:
લોકસભાના સ્પીકર(અધ્યક્ષ)નું મુખ્ય કાર્ય લોકસભાનું કામકાજ વ્યવસ્થિતપણે અને ચોક્કસ નીતિ-નિયમો પ્રમાણે ચલાવવાનું તેમજ ગૃહમાં શિસ્ત, વ્યવસ્થા અને ગૌરવ જાળવવાનું છે.
પ્રશ્ન 16.
ગૃહના અધ્યક્ષ પોતાનો કાસ્ટિંગ વૉટ (નિર્ણાયક મત) ક્યારે આપે છે?
ઉત્તરઃ
જ્યારે ગૃહની કાર્યવાહીમાં કોઈ પ્રશ્ન કે સમસ્યા અંગે તેમજ ખરડા પરની ચર્ચા-વિચારણાને અંતે, નિર્ણય વખતે સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો કાસ્ટિંગ વૉટ (નિર્ણાયક મત) આપે છે.
પ્રશ્ન 17.
લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
ઉત્તર:
શ્રી ગણેશ વાસુદેવ માવળંકર લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા.
પ્રશ્ન 18.
અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન કોણ કરે છે?
ઉત્તર:
અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહના સંચાલન માટે વિવિધ રાજકીય પક્ષોના પીઢ, અનુભવી અને સંસદીય પ્રક્રિયાના જાણકાર તજજ્ઞ સભ્યોની એક ‘સ્પીકર્સ પૅનલ’ તૈયાર કરવામાં આવે છે. આ પૅનલના સભ્યો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહનું કામકાજ સંભાળે છે.
પ્રશ્ન 19.
ખરડો કોને કહે છે?
ઉત્તરઃ
કાયદા માટેની દરખાસ્તને ‘ખરડો’ કહે છે.
પ્રશ્ન 20.
સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક કોણ બોલાવી શકે છે? ક્યારે?
ઉત્તર:
જ્યારે સંસદનાં બંને ગૃહો વચ્ચે કોઈ ખરડો પસાર કરવા અંગે મતભેદ ઊભો થાય ત્યારે રાષ્ટ્રપ્રમુખ સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે.
પ્રશ્ન 21.
સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકનું સંચાલન કોણ કરે છે?
ઉત્તર:
સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકનું સંચાલન લોકસભાના સ્પીકર (અધ્યક્ષ) કરે છે.
પ્રશ્ન 22.
નાણાકીય ખરડો પ્રથમ સંસદના કયા ગૃહમાં રજૂ થઈ શકે છે?
ઉત્તરઃ
નાણાકીય ખરડો પ્રથમ સંસદના નીચલા ગૃહમાં (લોકસભામાં) રજૂ થઈ શકે છે.
પ્રશ્ન 23.
નાણાકીય ખરડો કેન્દ્રમાં અને રાજ્યમાં કોની ભલામણથી રજૂ થાય છે?
ઉત્તરઃ
નાણાકીય ખરડો કેન્દ્રમાં રાષ્ટ્રપ્રમુખની અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણથી રજૂ થાય છે.
પ્રશ્ન 24.
ખરડો પ્રવર સમિતિને ક્યારે સોપવામાં આવે છે?
ઉત્તર:
કોઈ ખરડો ખૂબ મહત્ત્વનો હોય અથવા ખરડા પર ગંભીર વિચારણાની જરૂર હોય ત્યારે બીજા વાચન પછી વધુ વિચારણા માટે ખરડો જે-તે વિષયના તજજ્ઞો, વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની પ્રવર સમિતિ’ને સોંપવામાં આવે છે.
પ્રશ્ન 25.
પ્રવર સમિતિ શું કાર્ય કરે છે?
ઉત્તર:
પ્રવર સમિતિ સંસદે સોંપેલા ખરડા ઉપર ચર્ચા-વિચારણા કરીને સુધારાવધારા સૂચવે છે અને એ અંગેનો અહેવાલ તૈયાર કરે છે.
પ્રશ્ન 26.
ખરડો નાણાકીય કે બિનનાણાકીય પ્રકારનો છે તે કોણ નક્કી કરે છે?
ઉત્તર:
ખરડો નાણાકીય કે બિનનાણાકીય પ્રકારનો છે તે લોકસભાના સ્પીકર (અધ્યક્ષ) નક્કી કરે છે.
પ્રશ્ન 27.
નાણાકીય ખરડો કોને કહે છે?
ઉત્તર:
અંદાજપત્રને લગતી બાબતો ધરાવતા ખરડાને તેમજ નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને નાણાકીય ખરડો કહે છે.
પ્રશ્ન 28.
કેન્દ્રના મંત્રીમંડળને રાજીનામું આપવાની ફરજ ક્યારે પડે છે?
ઉત્તર:
લોકસભા કેન્દ્રના મંત્રીમંડળ ઉપર અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર કરે અથવા અંદાજપત્ર નામંજૂર કરે તો તેને રાજીનામું આપવાની ફરજ પડે છે.
પ્રશ્ન 29.
રાષ્ટ્રપ્રમુખને કયા સંજોગોમાં અને કેવી રીતે પદભ્રષ્ટ કરી શકાય?
ઉત્તર:
બંધારણના ભંગ બદલ કે દેશહિત વિરુદ્ધ પ્રવૃત્તિઓના આરોપસર રાષ્ટ્રપ્રમુખ પર ‘મહાભિયોગ’ (Impeachment) ચલાવી બહુમતીથી તેમને પદભ્રષ્ટ કરી શકાય.
પ્રશ્ન 30.
બંધારણે વિધાનસભાની સભ્યસંખ્યા કેટલી નક્કી કરી છે?
ઉત્તર:
બંધારણે વિધાનસભાની સભ્યસંખ્યા ઓછામાં ઓછી 60ની અને વધુમાં વધુ 500 નક્કી કરી છે.
પ્રશ્ન 31.
વિધાનસભાના સભ્યપદ માટે કેવી વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શકે છે?
ઉત્તર:
જેની ઉંમર 25 વર્ષ કે તેથી વધારે હોય તેમજ જેને કોઈ પ્રકારે કાયદાથી ગેરલાયક ઠરાવ્યો ન હોય એવો ભારતનો કોઈ પણ નાગરિક વિધાનસભાના સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે.
પ્રશ્ન 32.
વિધાનપરિષદના સભ્યોની ચૂંટણી કોણ કરે છે?
ઉત્તર:
વિધાનપરિષદના સભ્યોની ચૂંટણી રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકો અને અધ્યાપકોનું બનેલું મતદારમંડળ કરે છે.
પ્રશ્ન 33.
સંઘસરકારની કારોબારીમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
સંઘસરકારની કારોબારીમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રમ્રમુખ અને વડા પ્રધાન સહિત તેમના નેતૃત્વ હેઠળના પ્રધાનમંડળનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 34.
વહીવટી અધિકારીઓની સેવાને કઈ સેવા તરીકે ઓળખવામાં આવે છે?
ઉત્તર:
વહીવટી અધિકારીઓની સેવાને સનંદી સેવા’ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 35.
સંઘસરકારના બંધારણીય વડા કોણ છે?
ઉત્તરઃ
સંઘસરકારના બંધારણીય વડા રાષ્ટ્રપ્રમુખ છે.
પ્રશ્ન 36.
ભારતના રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવારની ઉંમર કેટલી હોવી ? જોઈએ?
ઉત્તર:
ભારતના રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 35 કે તેથી વધારે વર્ષની હોવી જોઈએ.
પ્રશ્ન 37.
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરનાર મતદારમંડળમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તર
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરનાર મતદારમંડળમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો તથા રાજ્યોની વિધાનસભાના સભ્યોનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 38.
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કઈ પદ્ધતિથી અને કેટલાં વર્ષ માટે ? થાય છે?
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી 5 વર્ષ માટે થાય છે.
પ્રશ્ન 39.
રાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાન તરીકે કઈ વ્યક્તિને નીમે છે?
ઉત્તર:
સામાન્ય ચૂંટણીઓ પછી લોકસભામાં ચૂંટાઈ આવેલા ? બહુમતી પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાન તરીકે નીમે છે.
પ્રશ્ન 40.
ભારતનાં સંરક્ષણદળોના સર્વોચ્ચ વડા કોણ છે?
ઉત્તર:
ભારતનાં સંરક્ષણદળોના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપ્રમુખ છે.
પ્રશ્ન 41.
રાષ્ટ્રપ્રમુખ કઈ કઈ વ્યક્તિઓની નિમણૂક કરે છે?
ઉત્તર :
રાષ્ટ્રપ્રમુખ રાજ્યોના રાજ્યપાલો, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ, ઍટર્ની જનરલ, ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી અધિકારીઓ, જાહેર સેવા પંચના અધ્યક્ષ અને તેના સભ્યો, વિદેશોમાં ભારતના રાજદૂતો વગેરેની નિમણૂક કરે છે.
પ્રશ્ન 42.
ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કોણ કરે છે?
ઉત્તરઃ
ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લોકસભા અને રાજ્યસભાના સભ્યોનું બનેલું મતદારમંડળ કરે છે.
પ્રશ્ન 43.
ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખના ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ?
ઉત્તર:
ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખના ઉમેદવારની ઉંમર 35 કે તેથી વધારે વર્ષની હોવી જોઈએ.
પ્રશ્ન 44.
પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ કોણ બને છે?
ઉત્તરઃ
પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપ્રમુખ બને છે.
પ્રશ્ન 45.
રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું કોને સોંપે છે?
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદાનું રાજીનામું ઉપરાષ્ટ્રપ્રમુખને સોંપે છે.
પ્રશ્ન 46.
સંઘસરકારની કારોબારીના વાસ્તવિક વડા કોણ છે?
ઉત્તર:
સંઘસરકારની કારોબારીના વાસ્તવિક વડા વડા પ્રધાન છે.
પ્રશ્ન 47.
રાજ્યની કારોબારીમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તરઃ
રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ (ગવર્નર) અને રાજ્યના મુખ્ય પ્રધાન સહિત તેમના નેતૃત્વ હેઠળના પ્રધાનમંડળનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 48.
રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે?
ઉત્તરઃ
રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ કરે છે.
પ્રશ્ન 49.
રાજ્યપાલની ઉંમર કેટલી હોવી જોઈએ? ઉત્તર રાજ્યપાલની
ઉંમર:
35 કે તેથી વધારે વર્ષની હોવી જોઈએ.
પ્રશ્ન 50.
રાજ્યપાલ રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે કઈ વ્યક્તિને નીમે છે?
ઉત્તર:
સામાન્ય ચૂંટણીઓ પછી વિધાનસભામાં ચૂંટાઈ આવેલા બહુમતી પક્ષના નેતાને રાજ્યપાલ મુખ્ય પ્રધાન તરીકે નીમે છે.
પ્રશ્ન 51.
યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની નિમણૂક કોણ કરે છે?
ઉત્તર:
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક રાજ્યપાલ કરે છે.
પ્રશ્ન 52.
ગુજરાતના મુખ્ય પ્રધાન અને તેમના પ્રધાનમંડળનું કાર્યાલય ક્યાં આવેલું છે?
ઉત્તર:
ગુજરાતના મુખ્ય પ્રધાન અને તેમના પ્રધાનમંડળનું કાર્યાલય નવા સચિવાલય – સ્વર્ણિમભવન, ગાંધીનગરમાં આવેલું છે.
પ્રશ્ન 53.
રાજ્યના પ્રધાનમંડળમાં કેટલી કક્ષાના મંત્રીઓ હોય છે?
ઉત્તરઃ
રાજ્યના પ્રધાનમંડળમાં કુલ ચાર કક્ષાના મંત્રીઓ હોય છે :
- કેબિનેટ મંત્રીઓ,
- રાજ્યકક્ષાના મંત્રીઓ,
- નાયબ મંત્રીઓ અને
- સંસદીય સચિવ.
પ્રશ્ન 54.
ગુજરાત સરકારે રાજ્યમાંથી લાંચરુશવતની બદી રોકવા માટે શી વ્યવસ્થા કરી છે?
ઉત્તરઃ
ગુજરાત સરકારે રાજ્યમાંથી લાંચરુશવતની બદી રોકવા માટે લાંચરુશવત વિરોધી બ્યુરો (ઍન્ટિ કરપ્શન બ્યુરો) નામે એક સ્વતંત્ર વિભાગ શરૂ કર્યો છે અને તેનો ટોલ ફ્રી ફોન નંબર 1800 2334 4444) જાહેર કરીને પ્રજાની ફરિયાદો સાંભળવાની વ્યવસ્થા ગોઠવી છે.
પ્રશ્ન 55.
શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કિઈ છે?
ઉત્તર:
શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગરનિગમ છે.
પ્રશ્ન 56.
ગુજરાતમાં પંચાયતીરાજની સંસ્થાઓ કઈ કઈ છે?
ઉત્તરઃ
ગુજરાતમાં પંચાયતીરાજની સંસ્થાઓ ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે.
પ્રશ્ન 57.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ શાની તાલીમશાળા અને પ્રયોગશાળા કહેવાય છે?
ઉત્તરઃ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ‘લોકશાહીની તાલીમશાળા છે અને વહીવટ સુધારણાની પ્રયોગશાળા’ કહેવાય છે.
પ્રશ્ન 58.
પંચાયતીરાજ અને ‘સ્વશાસનની સંસ્થાઓ’ કઈ રીતે અસ્તિત્વમાં આવી?
ઉત્તરઃ
ઈ. સ. 1992માં કરવામાં આવેલા 73મા અને 74માં હું બંધારણીય સુધારાથી અનુક્રમે ‘પંચાયતીરાજ’ અને ‘સ્વશાસનની સંસ્થાઓ’ અસ્તિત્વમાં આવી.
પ્રશ્ન 59.
મહાનગરપાલિકાના વહીવટી વડા કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
મહાનગરપાલિકાના વહીવટી વડા ‘મ્યુનિસિપલ કમિશનર’ના નામે ઓળખાય છે.
પ્રશ્ન 60.
કયા સિદ્ધાંત અનુસાર ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવે છે?
ઉત્તરઃ
સત્તા વિશ્લેષના સિદ્ધાંત અનુસાર ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવે છે.
નીચેના વિધાનોનાં કારણો આપો: [પ્રત્યેકના 2 ગુણ]
પ્રશ્ન 1.
રાષ્ટ્રપ્રમુખ નાણાકીય ખરડાને પુનર્વિચારણા માટે પાછો મોકલી શકતા નથી કે રોકી શકતા નથી.
ઉત્તર:
ભારતના બંધારણની જોગવાઈ મુજબ સંસદમાં (લોકસભામાં) નાણાકીય ખરડો રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપ્રમુખની મંજૂરી લેવાનું આવશ્યક હોય છે. આમ, નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વમંજૂરીથી જ સંસદમાં (લોકસભામાં) આવતો હોવાથી રાષ્ટ્રપ્રમુખ નાણાકીય ખરડાને પુનર્વિચારણા માટે સંસદ પર પાછો મોકલી શકતા નથી કે તેને રોકી શકતા નથી.
પ્રશ્ન 2.
રાષ્ટ્રપ્રમુખ સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે.
ઉત્તર:
રાખ્રમુખ દરેક સત્રની શરૂઆતમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી તેમની સમક્ષ અભિભાષણ કરે છે. આ ઉપરાંત, નાણાકીય ખરડા સિવાયના કોઈ ખરડા ઉપર સંસદનાં બંને ગૃહો વચ્ચે મતભેદ ઊભો થાય ત્યારે પણ રાષ્ટ્રપ્રમુખ બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે ૨ છે અને હાજર રહેલા સભ્યોની બહુમતીથી નિર્ણય લે છે.
પ્રશ્ન 3.
ભારતના રાષ્ટ્રપ્રમુખને કટોકટીના સમયની વિશિષ્ટ સત્તાઓ આપવામાં આવી છે.
ઉત્તરઃ
સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે જો દેશમાં કોઈ પણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિ સર્જાય તો એ સમયે સંસદ તાત્કાલિક કાયદો ઘડી શકતી નથી. એવી પરિસ્થિતિમાં દેશમાં શાંતિ અને સુવ્યવસ્થા જાળવવા માટે ભારતના બંધારણે રાષ્ટ્રપ્રમુખને કટોકટીના સમયની વિશિષ્ટ સત્તાઓ આપી છે.
પ્રશ્ન 4.
ભારતસંઘનું પ્રધાનમંડળ માત્ર લોકસભાને જવાબદાર છે.
ઉત્તર :
ભારતસંઘના બંધારણની જોગવાઈ મુજબ પ્રધાનમંડળના બધા પ્રધાનો લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર છે. જ્યારે લોકસભા બહુમતીથી કોઈ એક પ્રધાન સામે નીતિવિષયક મુદ્દા અંગે અવિશ્વાસનો ઠરાવ પસાર કરે ત્યારે તે અવિશ્વાસનો ઠરાવ સમગ્ર પ્રધાનમંડળ સામેનો ગણાય છે. આવું બને ત્યારે સમગ્ર પ્રધાનમંડળને રાજીનામું આપવું પડે છે. આ ઉપરાંત, નાણામંત્રીએ રજૂ કરેલા નાણાકીય ખરડાને નામંજૂર કરીને લોકસભા સમગ્ર પ્રધાનમંડળને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે.
પ્રશ્ન 5.
રાજ્યસભાના ચૅરમૅન(અધ્યક્ષ)ને ચૂંટવામાં આવતા નથી.
ઉત્તર:
ભારતના બંધારણે કરેલી જોગવાઈ અનુસાર ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ તેમના હોદ્દાની રૂએ રાજ્યસભાના ચૅરમૅન (અધ્યક્ષ) બને છે. તેથી રાજ્યસભાના ચૅરમૅન(અધ્યક્ષ)ને ચૂંટવામાં આવતા નથી.
પ્રશ્ન 6.
ભારતના રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે.
ઉત્તર:
વિજ્ઞાન, સાહિત્ય, કલા, શિક્ષણ, સમાજસેવા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોની નામાંકિત વ્યક્તિઓ એક યા બીજા કારણે ચૂંટણીના ચક્કરમાં પડવા માગતી નથી. આવી વિશેષ જ્ઞાન, વ્યવહાર અને અનુભવ ધરાવતી વ્યક્તિઓનાં જ્ઞાન અને અનુભવનો દેશને લાભ મળે એ હેતુથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં જુદાં જુદાં ક્ષેત્રોની 12 નામાંકિત વ્યક્તિઓની નિમણૂક કરે છે.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો: [પ્રત્યેકના 2 ગુણ]
પ્રશ્ન 1.
ભારતના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કેવી રીતે થાય છે?
ઉત્તરઃ
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી:
ભારતના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય છે.
- સંસદનાં બંને ગૃહોના સભ્યો અને બધાં જ રાજ્યોની વિધાનસભાઓના સભ્યોનું બનેલું મતદારમંડળ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરે છે.
- રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી સપ્રમાણ પ્રતિનિધિત્વની પ્રથાથી, ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા થાય છે. પ્રત્યેક સભ્યનો એક મત ગણાય છે.
- સંસદસભ્ય અને દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય અગાઉથી નક્કી કરવામાં આવે છે.
પ્રશ્ન 2.
ભારતના રાષ્ટ્રપ્રમુખપદનો ઉમેદવાર શી લાયકાત ધરાવતો હોવો જોઈએ?
ઉત્તરઃ
રાષ્ટ્રપ્રમુખની લાયકાતોઃ
ભારતના રાષ્ટ્રપ્રમુખના પદ માટેનો ઉમેદવાર નીચેની લાયકાત ધરાવતો હોવો જોઈએ:
- તે ભારતના નાગરિક હોવા જોઈએ.
- તેમની ઉંમર 35 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ.
- તે લોકસભાના સભ્ય થવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- તે સંઘસરકાર કે રાજ્યસરકારનો પગારદાર નોકર ન હોવા જોઈએ.
- તે સંસદ કે રાજ્યની ધારાસભાના સભ્ય ન હોવા જોઈએ. જો તે સભ્ય હોય, તો રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાય ત્યારે તેમને એ સભ્યપદેથી રાજીનામું આપવું પડે છે.
પ્રશ્ન 3.
ભારતના રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત:
રાષ્ટ્રપ્રમુખ જે દિવસે પોતાનો હોદો સ્વીકારે. તે દિવસથી પાંચ વર્ષની મુદત સુધી તે એ હોદા પર રહી શકે છે. તે પહેલાં તેઓ ઇચ્છે તો રાજીનામું આપીને હોદાનો ત્યાગ કરી શકે છે. રાષ્ટ્રપ્રમુખ હોદ્દા પર ચાલુ હોય ત્યાં સુધી તેમની પર કોઈ ફોજદારી મુકદ્દમો ચલાવી શકાતો નથી કે તેમની ધરપકડ કે કેદનો હુકમ થઈ શકતો નથી.
- બંધારણભંગના કે એવા અન્ય કોઈ રાષ્ટ્રીય હિતની દષ્ટિએ ગંભીર ગણાય એવા ગુના માટે સંસદ રાષ્ટ્રપ્રમુખને પદભ્રષ્ટ કરી શકે છે.
- હોદ્દાની મુદત પૂરી થતાં રાષ્ટ્રપ્રમુખ બીજી વખત પ્રમુખપદ માટે ઉમેદવારી કરી શકે છે.
પ્રશ્ન 4.
ભારતમાં સંસદીય શાસનપદ્ધતિ છે એમ કઈ રીતે કહી. શકાય?
ઉત્તરઃ
સંસદીય શાસનપદ્ધતિ મુજબ સામાન્ય ચૂંટણીઓ પછી કેન્દ્રની લોકસભામાં અને રાજ્યોની વિધાનસભાઓમાં જે પક્ષના સભ્યોની બહુમતી થાય તે પક્ષની સરકારો રચાય છે. બીજી સામાન્ય ચૂંટણીઓ થાય ત્યાં સુધી એ સરકારો શાસનતંત્ર ચલાવવાની સત્તાઓ ભોગવે છે. એ સમય દરમિયાન જો શાસક પક્ષો લોકસભામાં અને વિધાનસભાઓમાં : બહુમતી સભ્યોનો વિશ્વાસ ગુમાવે, તો એ સરકારોને રાજીનામું આપવું પડે છે. આમ, ભારતમાં લોકશાહી સિદ્ધાંતો અનુસાર સંસદીય શાસન ચાલતું હોવાથી ભારતમાં સંસદીય શાસનપદ્ધતિ છે.
પ્રશ્ન 5.
પ્રધાનમંડળની સંયુક્ત જવાબદારી એટલે શું?
ઉત્તરઃ
આપણા બંધારણની જોગવાઈ મુજબ, પ્રધાનમંડળના બંધ પ્રધાનો લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર છે.
સરકારના તમામ નીતિવિષયક નિર્ણયોની જવાબદારી સમગ્ર પ્રધાનમંડળની સંયુક્ત ગણાય છે. જ્યારે લોકસભા બહુમતીથી કોઈ પણ એક પ્રધાન સામે નીતિવિષયક મુદ્દા અંગે અવિશ્વાસનો ઠરાવ પસાર કરે ત્યારે એ અવિશ્વાસનો ઠરાવ સમગ્ર પ્રધાનમંડળ સામેનો ગણાય છે. આવું બને ત્યારે સમગ્ર પ્રધાનમંડળને રાજીનામું આપવું પડે છે. આમ, સમગ્ર પ્રધાનમંડળ તેનાં કાર્યો માટે લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર છે. આ જવાબદારીને પ્રધાનમંડળની સંયુક્ત જવાબદારી કહેવામાં આવે છે.
પ્રશ્ન 6.
કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન ક્યારે સ્થાપી શકાય?
ઉત્તર:
દેશના કોઈ પણ રાજ્યમાં બંધારણ પ્રમાણે રાજ્યવહીવટ ચલાવવો અશક્ય બને એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે રાષ્ટ્રપ્રમુખ રાજ્યપાલના એ વિશેના અહેવાલની ખાતરી કરીને, બંધારણની 356મી કલમ અનુસાર રાજ્યમાં ખાસ હુકમ દ્વારા કટોકટીની સ્થિતિ જાહેર કરે છે અને રાજ્યનો સંપૂર્ણ વહીવટ પોતાના હાથમાં લઈ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થાપે છે.
પ્રશ્ન 7.
વિધાનપરિષદના સભ્યપદના ઉમેદવારમાં શી લાયકાતો હોવી જોઈએ?
ઉત્તર:
વિધાનપરિષદના સભ્યપદના ઉમેદવારની લાયકાતો નીચે મુજબ છે:
- તે ભારતનો નાગરિક અને રાજ્યનો વતની હોવો જોઈએ.
- તેની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષની હોવી જોઈએ.
- તે સરકારી કર્મચારી ન હોવો જોઈએ.
- તે માનસિક રીતે અસ્થિર, નાદાન અને જેલની સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ.
પ્રશ્ન 8.
રાજ્યપાલ કઈ કઈ ધારાકીય સત્તાઓ ધરાવે છે?
ઉત્તરઃ
રાજ્યપાલ આ ધારાકીય સત્તાઓ ધરાવે છેઃ
- રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવવી,
- વિધાનસભાને વિખેરી નાખવી,
- વટહુકમ બહાર પાડવા,
- વિધાનસભામાં પસાર કરેલા ખરડા પર સહી કરી તેને કાયદા તરીકે મંજૂર કરવો વગેરે.
પ્રશ્ન 9.
15 ઑગસ્ટનો દિવસ હતો. નીતા તેના પપ્પાની જોડે ? બેસીને ટીવી જોઈ રહી હતી. ટીવીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ કરી રહ્યા હતા. નીતાના પપ્પાએ નીતાને પૂછ્યું કે વડા પ્રધાન ક્યાંથી ભાષણ કરી રહ્યા છે? દેશના વડા પ્રધાન કઈ રીતે બની શકાય?
ઉત્તરઃ
નીતાએ તેના પપ્પાને જણાવ્યું કે આજે ભારતનો સ્વાતંત્ર્યદિન છે. આ દિવસે દર વર્ષે દેશના વડા પ્રધાન દિલ્લીના લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરે છે તેમજ ઉપસ્થિત જનમેદની સમક્ષ પ્રજાજોગ સંદેશો આપતું પ્રવચન કરે છે.
દેશના વડા પ્રધાન બનવું હોય તો દેશમાં લોકસભાની ચૂંટણી થાય ત્યારે કોઈ રાષ્ટ્રીય પક્ષમાંથી, સંસદસભ્ય બનવાની લાયકાતો સાથે, ઉમેદવાર બનીને ચૂંટાઈ આવવું પડે છે. જો તેમનો પક્ષ લોકસભામાં સ્પષ્ટ બહુમતી મેળવે, તો એ પક્ષના સર્વમાન્ય નેતા તરીકે સ્થાન મેળવવું પડે છે. આમ, બહુમતી ધરાવતા પક્ષના એ નેતાને રાષ્ટ્રપ્રમુખ દેશના વડા પ્રધાન બનાવે છે.
પ્રશ્ન 10.
25 જાન્યુઆરીનો દિવસ હતો. હેમંત તેના દાંદા જોડે ? બેસીને ટીવી જોઈ રહ્યો હતો. દાદાએ હેમંતને પૂછ્યું કે ટીવીમાં કોણ, હું ક્યાંથી ભાષણ કરી રહ્યા છે? તેમના જેવું બનવું હોય, તો કઈ કઈ લાયકાતો હોવી જોઈએ?
ઉત્તરઃ
હેમંતે તેના દાદાને જણાવ્યું કે આજે પ્રજાસત્તાકદિનની પૂર્વ સંધ્યા છે. આ દિવસે દેશના રાષ્ટ્રપ્રમુખ દિલ્લીમાં આવેલા રાષ્ટ્રપ્રમુખ ભવનમાંથી દેશની પ્રજાને સંબોધન કરે છે. આજે ટીવીમાં દેશના રાષ્ટ્રપ્રમુખ શ્રી રામનાથ કોવિંદ ભાષણ કરી રહ્યા છે.
રાષ્ટ્રપ્રમુખ બનવું હોય તો દેશના નાગરિકમાં બંધારણે નક્કી કરેલ રાષ્ટ્રપ્રમુખની લાયકાતો હોવી જોઈએ. આ લાયકાતો માટે જુઓ પ્રશ્ન 1ના પેટાપ્રશ્ન (7)ના મુદ્દા 2માં આપેલી વિગતો.
ટૂંક નોંધ લખો: [પ્રત્યેકના 3 ગુણ]
પ્રશ્ન 1.
ઉપરાષ્ટ્રપ્રમુખ
ઉત્તરઃ
1. લાયકાતો તે ભારતના નાગરિક હોવા જોઈએ.
- તેમની ઉંમર 35 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ.
- તે રાજ્યસભાના સભ્ય થવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- તે ભારતીય સંઘ કે રાજ્યની સરકારના પગારદાર નોકર ન હોવા જોઈએ.
- તે સંસદ કે રાજ્યની ધારાસભાના સભ્ય ન હોવા જોઈએ. જો તે સભ્ય હોય, તો ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાય ત્યારે તેમણે એ સભ્યપદેથી રાજીનામું આપવું પડે છે.
2. ચૂંટણી : ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી સંઘસંસદનાં બંને ગૃહોના સભ્યો સંયુક્ત બેઠકમાં ગુપ્ત મતદાન દ્વારા કરે છે.
3. મુદત ઉપરાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત પાંચ વર્ષની છે. પરંતુ રાજ્યસભા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરે અને લોકસભા તેને બહુમતીથી માન્ય રાખે તો ઉપરાષ્ટ્રપ્રમુખને પદભ્રષ્ટ કરી શકાય છે.
4. સત્તા અને કાર્યો: ઉપરાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ (સ્પીકર) બને છે.
- કોઈ પણ સમયે રાષ્ટ્રપ્રમુખનું સ્થાન ખાલી પડતાં તે જગ્યાએ નવા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી ન થાય ત્યાં સુધી ઉપરાષ્ટ્રપ્રમુખ, રાષ્ટ્રપ્રમુખ તરીકેની ફરજો બજાવે છે.
- રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું ઉપરાષ્ટ્રપ્રમુખને સોંપે છે.
5. વેતનઃ સંસદે નક્કી કરેલાં પગાર અને ભથ્થાં ઉપરાષ્ટ્રપ્રમુખને આપવામાં આવે છે.
પ્રશ્ન 2.
અંદાજપત્ર
ઉત્તર:
અંદાજપત્ર એ વાર્ષિક નાણાકીય નિવેદન છે.
- રાષ્ટ્રપ્રમુખની પૂર્વસંમતિ મેળવીને સંઘસરકારના નાણાપ્રધાન દર વર્ષે પ્રથમ લોકસભામાં સંઘસરકારનાં આવક અને ખર્ચના અંદાજો દર્શાવતું નિવેદન રજૂ કરે છે.
- તેમાં આગામી વર્ષ માટે સંઘસરકારનાં વિવિધ ખાતાઓના ખર્ચની 3 માગણીઓ હોય છે.
- આ ઉપરાંત, તેમાં દેશના નાગરિકો, ઉત્પાદકો, વેપારીઓ, ઉદ્યોગ ગૃહો, આયાત-નિકાસ વગેરેના કરમાળખાની પણ વિગતો હોય છે. લોકસભા અંદાજપત્રમાં દર્શાવેલી ખર્ચની માગણીઓ દરખાસ્તો પર ચર્ચા કરે છે.
- લોકસભા એ માંગણીઓ મંજૂર કે નામંજૂર કરી શકે છે અથવા તેમાં ઘટાડો કરી શકે છે. પરંતુ તેમાં વધારો કરી શકતી નથી.
- લોકસભા અંદાજપત્રની માગણીઓ મંજૂર કરે ત્યારે અંદાજપત્ર પસાર થયેલું ગણાય છે.
- જો લોકસભા અંદાજપત્ર નામંજૂર કરે તો સંઘસરકારને રાજીનામું આપવું પડે છે.
પ્રશ્ન 3.
રાજ્યની વિધાનસભાના ધારાકીય કાર્યો
ઉત્તર:
સામાન્ય ખરડા ધારાસભાનાં બંને ગૃહોમાં રજૂ થઈ શકે છે. પરંતુ નાણાકીય ખરડો માત્ર વિધાનસભામાં જ રજૂ થઈ શકે છે.
- વિધાનસભાએ પસાર કરેલો ખરડો વિધાનપરિષદ દ્વારા કેટલાક સુધારાઓ સાથે પસાર કરવામાં આવે અથવા નામંજૂર કરવામાં આવે અથવા 3 મહિનાની મુદતમાં વિધાનસભાને પરત મોકલવામાં ન આવે તો વિધાનસભા ફરીથી તે ખરડો પસાર કરી શકે છે.
- જો વિધાનપરિષદ ફરીથી તે ખરડો નામંજૂર કરે અથવા તેમાં સુધારા કરે અથવા એક મહિનાની મુદતમાં વિધાનસભાને પરત ન મોકલે, તો તે ખરડો ધારાસભાએ પસાર થયેલો ગણાય છે.
- રાજ્યની વિધાનસભામાં પસાર કરેલા ખરડાને રાજ્યપાલની સહી માટે મોકલવામાં આવે છે. રાજ્યપાલની સહી થતાં તે કાયદો બને છે.
- રાજ્યની વિધાનસભા રાજ્યયાદીના વિષયો પર કાયદા ઘડે છે. તદુપરાંત, તે સંયુક્ત યાદીના વિષયો પર પણ કાયદા ઘડી શકે છે. પરંતુ સંયુક્ત યાદીના કોઈ પણ વિષય પર રાજ્યની ધારાસભાએ ઘડેલા કાયદા અને સંસદે ઘડેલા કાયદા વચ્ચે વિસંગતિ ઊભી થાય, તો સંસદે ઘડેલો કાયદો આખરી ગણાય છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર વિસ્તારથી લખો: [પ્રત્યેકના 4 ગુણ]
પ્રશ્ન 1.
લોકસભાની રચના સમજાવો. અથવા ટૂંક નોંધ લખો : લોકસભાની રચના
ઉત્તર:
ભારતની સંસદ નીચલા ગૃહ અને ઉપલા ગૃહ એમ બે ગૃહોની બનેલી છે.
- સંસદનું નીચલું ગૃહ ‘લોકસભા’ કહેવાય છે. તે પ્રજા દ્વારા સીધેસીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું છે.
- સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે. લોકસભાની કુલ સભ્યસંખ્યા 545 છે.
- જો એંગ્લો-ઇન્ડિયન જાતિનો કોઈ સભ્ય ન ચૂંટાયો હોય, તો રાષ્ટ્રપ્રમુખ એ જાતિના 2 સભ્યોની નિમણૂક કરે છે.
- દરેક રાજ્યને તેની વસ્તીની સંખ્યાના પ્રમાણમાં બેઠકો મળે છે.
- દરેક રાજ્યને તથા સંઘશાસિત પ્રદેશને વિવિધ મતદાર વિભાગોમાં વહેંચવામાં આવે છે અને દરેક મતદાર વિભાગ એક સભ્યની ચૂંટણી કરે છે.
- લોકસભાના સભ્યોને રાષ્ટ્રના 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારો પુખ્તવય મતાધિકારના ધોરણે ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે.
- લોકસભામાં હરિજનો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે.
- લોકસભાના સભ્યો પોતાનામાંથી લોકસભાના સ્પીકર (અધ્યક્ષ) અને ડેપ્યુટી સ્પીકર(ઉપાધ્યક્ષ)ને ચૂંટે છે.
- 25 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈ પણ ભારતીય નાગરિક લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે. જોકે સરકારી પગારદાર કર્મચારીઓ, માનસિક રીતે અસ્થિર, નાદાર અને જેલની સજા પામેલા ગુનેગારો લોકસભામાં ઉમેદવારી નોંધાવી શકતા નથી.
- સામાન્ય રીતે લોકસભાની મુદત પાંચ વર્ષની હોય છે. પરંતુ અસાધારણ સંજોગોમાં રાષ્ટ્રપ્રમુખ તેને મુદત પહેલાં બરખાસ્ત કરી શકે છે. દેશમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી હોય ત્યારે તેની મુદત એક વર્ષ લંબાવી શકાય છે.
પ્રશ્ન 2.
રાજ્યસભાની રચના સમજાવો.
ઉત્તર:
રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું સંસદનું ઉપલું ગૃહ છે.
- તે કાયમી ગૃહ છે. તેનું ક્યારેય વિસર્જન (બરખાસ્ત) થતું નથી. પરંતુ દર બે વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના 13 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેમની જગ્યાએ તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે.
- રાજ્યસભાના દરેક સભ્યના હોદ્દાની મુદત 6 વર્ષની છે.
- 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો કોઈ પણ ભારતીય નાગરિક રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. તે નાદાર, માનસિક રીતે અસ્થિર મગજનો કે સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ. તે સરકારી સંસ્થાઓમાં સવેતન કે નફાકારક કોઈ હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ.
- રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે થાય છે. તેની કુલ સભ્યસંખ્યા 250ની છે, જેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની વિધાનસભાના સભ્યો તે રાજ્યની વસ્તીના ધોરણે કરે છે. બાકીના 12 સભ્યો તરીકે રાષ્ટ્રપ્રમુખ સાહિત્ય, વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજસેવા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન અને વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓને નીમે છે.
- ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ હોદાની રૂએ રાજ્યસભાના ચૅરમૅન (પ્રમુખ) બને છે.
- રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી ગૃહના વાઇસ ચૅરમૅન(ઉપપ્રમુખ)ને ચૂંટે છે.
પ્રશ્ન 3.
લોકસભાના અધ્યક્ષ વિશે માહિતી આપો.
ઉત્તર:
લોકસભાના સભ્યો પોતાની પહેલી બેઠકમાં પોતાનામાંથી એક સભ્યની સ્પીકર (અધ્યક્ષ) તરીકે ચૂંટણી કરે છે.
- લોકસભા જેટલી મુદત સુધી ચાલે ત્યાં સુધી તે સ્પીકર (અધ્યક્ષ) તરીકે કામ કરે છે. પરંતુ તે દરમિયાન તે સ્વેચ્છાએ રાજીનામું આપી શકે છે. નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી તે હોદ્દા પર ચાલુ રહે છે. 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકે છે.
- સ્પીકર લોકસભાનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે અને ગૃહમાં થતી ચર્ચા તેમજ કાર્યવાહીનું સંચાલન નિયમ અનુસાર તટસ્થ અને નિષ્પક્ષ રીતે કરે છે.
- તે ગૃહનું ગૌરવ, વ્યવસ્થા, શિસ્ત અને માનમરતબો જાળવે છે.
- તે ગૃહના સભ્યોને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપે છે. લોકસભામાં થતાં ભાષણો કે ટીકાઓ અધ્યક્ષને ઉદ્દેશીને જ થાય છે. અંગ્રેજી કે હિંદી ભાષા ન જાણતા સભ્યને તે માતૃભાષામાં સંબોધવાની, બોલવાની પરવાનગી અધ્યક્ષ આપે છે.
- ગૃહની કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત થતી ચર્ચાસ્પદ બાબતો પર તે ચુકાદા આપે છે.
- પોતાના આદેશનું ઉલ્લંઘન કરનાર સભ્યને સ્પીકર ગૃહના કર્મચારીઓ દ્વારા ગૃહમાંથી બહાર કાઢી શકે છે.
- ગૃહના સંચાલનમાં સભ્યો વારંવાર ખલેલ પહોંચાડતા હોય અને તેઓ સ્પીકરની વિનંતીને માન ન આપતા હોય ત્યારે સ્પીકર ગૃહનું કામકાજ સ્થગિત કરી શકે છે. તે ગૃહને મુલતવી રાખે છે.
- અધ્યક્ષની પરવાનગી વિના કોઈ પણ સભ્ય ગૃહમાં સતત 60 દિવસ સુધી ગેરહાજર રહે, તો તેની બેઠક ખાલી થયેલી ગણાય છે.
- સામાન્ય રીતે સ્પીકર ગૃહના કોઈ પણ ઠરાવ પર પોતાનો મત આપતા નથી. પરંતુ કોઈ પણ ઠરાવ પર સરખા મત પડે ત્યારે તે પોતાનો ‘નિર્ણાયક મત’ (Casting Vote) આપીને ઠરાવ પસાર કરવામાં સહાય કરે છે.
પ્રશ્ન 4.
રાજ્યની ધારાસભાની રચના સમજાવો.
ઉત્તરઃ
આપણા દેશમાં કેટલાંક રાજ્યોમાં ધારાસભા એકગૃહી છે, તો કેટલાંક રાજ્યોમાં દ્વિગૃહી છે.
- રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ વિધાનસભા’ અને ઉપલું ગૃહ ‘વિધાનપરિષદ’ કહેવાય છે.
વિધાનસભાની રચનાઃ વિધાનસભાની રચના પ્રત્યક્ષ ચૂંટણીથી થાય છે. - વિધાનસભાની બેઠકો રાજ્યની વસ્તીના ધોરણે ફાળવવામાં આવે છે.
- કોઈ પણ રાજ્યની વિધાનસભાની સંખ્યા 500થી વધુ અને 60થી
ઓછી ન હોવી જોઈએ. - 25 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો અને કોઈ પ્રકારે કાયદેસર રીતે ગેરલાયક ઠર્યો ન હોય તેવો ભારતનો નાગરિક વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે.
- વિધાનસભાના સભ્યોને રાજ્યના સામાન્ય મતદારો પુખ્તવય મતાધિકારના ધોરણે, ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે.
- વિધાનસભાની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે. તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે.
- અસાધારણ સંજોગોમાં રાજ્યપાલ તેની મુદત થોડા સમય માટે લંબાવી શકે છે અથવા તેને મુદત પહેલાં બરખાસ્ત કરી શકે છે.
- આ પ્રમાણે રચાયેલી વિધાનસભા પોતાના સભ્યોમાંથી સ્પીકર (અધ્યક્ષ) અને ડેપ્યુટી સ્પીકર (ઉપાધ્યક્ષ) ચૂંટે છે.
વિધાનપરિષદની રચના: વિધાનપરિષદ કાયમી ગૃહ છે. પરંતુ દર બે વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના 13 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટવામાં આવે છે. તેથી દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે.
- વિધાનપરિષદની સભ્યસંખ્યા વિધાનસભાના સભ્યોની સંખ્યાના 13 ભાગથી વધારે ન હોવી જોઈએ તેમજ 40થી ઓછી પણ ન હોવી જોઈએ.
- વિધાનપરિષદના સભ્યોની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે.
- રાજ્યની વિધાનસભાના સભ્યો, રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સભ્યો, રાજ્યના નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક શાળાના નોંધાયેલા શિક્ષકો તથા કૉલેજો અને યુનિવર્સિટીઓના નોંધાયેલા અધ્યાપકોનાં બનેલાં મતદારમંડળો વિધાનપરિષદના સભ્યોને ચૂંટે છે.
- આ રીતે રચાયેલી વિધાનપરિષદ પોતાના સભ્યોમાંથી સ્પીકર (અધ્યક્ષ) અને ડેપ્યુટી સ્પીકર(ઉપાધ્યક્ષ)ને ચૂંટે છે.
પ્રશ્ન 5.
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી, લાયકાત અને હોદ્દાની મુદત જણાવો.
ઉત્તરઃ
1. રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી: ભારતના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય છે.
- સંસદનાં બંને ગૃહોના સભ્યો અને બધાં જ રાજ્યોની વિધાનસભાઓના સભ્યોનું બનેલું મતદારમંડળ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરે છે.
- રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી સપ્રમાણ પ્રતિનિધિત્વની પ્રથાથી, ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા થાય છે. પ્રત્યેક સભ્યનો એક મત ગણાય છે.
- સંસદસભ્ય અને દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય અગાઉથી નક્કી કરવામાં આવે છે.
2. રાષ્ટ્રપ્રમુખની લાયકાતોઃ ભારતના રાષ્ટ્રપ્રમુખના પદ માટેનો ઉમેદવાર નીચેની લાયકાત ધરાવતો હોવો જોઈએ:
- તે ભારતના નાગરિક હોવા જોઈએ.
- તેમની ઉંમર 35 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ.
- તે લોકસભાના સભ્ય થવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- તે સંઘસરકાર કે રાજ્યસરકારનો પગારદાર નોકર ન હોવા જોઈએ.
- તે સંસદ કે રાજ્યની ધારાસભાના સભ્ય ન હોવા જોઈએ. જો તે સભ્ય હોય, તો રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાય ત્યારે તેમને એ સભ્યપદેથી રાજીનામું આપવું પડે છે.
3. રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત: રાષ્ટ્રપ્રમુખ જે દિવસે પોતાનો હોદો સ્વીકારે. તે દિવસથી પાંચ વર્ષની મુદત સુધી તે એ હોદા પર રહી શકે છે. તે પહેલાં તેઓ ઇચ્છે તો રાજીનામું આપીને હોદાનો ત્યાગ કરી શકે છે. રાષ્ટ્રપ્રમુખ હોદ્દા પર ચાલુ હોય ત્યાં સુધી તેમની પર કોઈ ફોજદારી મુકદ્દમો ચલાવી શકાતો નથી કે તેમની ધરપકડ કે કેદનો હુકમ થઈ શકતો નથી.
- બંધારણભંગના કે એવા અન્ય કોઈ રાષ્ટ્રીય હિતની દષ્ટિએ ગંભીર ગણાય એવા ગુના માટે સંસદ રાષ્ટ્રપ્રમુખને પદભ્રષ્ટ કરી શકે છે.
- હોદ્દાની મુદત પૂરી થતાં રાષ્ટ્રપ્રમુખ બીજી વખત પ્રમુખપદ માટે ઉમેદવારી કરી શકે છે.
પ્રશ્ન 6.
રાષ્ટ્રપ્રમુખની સત્તાઓ અને કાર્યોની સંક્ષેપમાં ચર્ચા કરો.
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખની સત્તાઓ અને કાર્યો નીચે મુજબ છે:
1. કારોબારી (વહીવટી) સત્તાઓ : ભારતના રાષ્ટ્રપ્રમુખ સંઘસરકારની કારોબારીના સર્વોચ્ચ વડા છે. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને તે વડા પ્રધાન તરીકે નીમે છે. પ્રધાનમંડળના અન્ય પ્રધાનોની નિમણૂક તે વડા પ્રધાનની સલાહથી કરે છે. કારોબારીનાં બધાં જ કાર્યો રાષ્ટ્રપ્રમુખના નામે કરવામાં આવે છે.
- રાષ્ટ્રપ્રમુખ ત્રણેય સંરક્ષણ દળોના વડા છે. તે અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે.
- ભારતના ઍટર્ની જનરલ, ક્રૉમ્ફોલર, ઑડિટર જનરલ, સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતના ન્યાયાધીશો, રાજ્યપાલો, ઉચ્ચ લશ્કરી અધિકારીઓ, કેટલાક સર્વોચ્ચ અધિકારીઓ વગેરેની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે.
- તે ચૂંટણીપંચ, નાણાપંચ, જાહેર સેવા આયોગ વગેરેના અધ્યક્ષો અને સભ્યોની નિમણૂક કરે છે.
- તે વિદેશોમાં ભારતના રાજદૂત – એલચીઓની નિમણૂક કરે છે અને વિદેશી રાજદૂતોને માન્યતા આપે છે.
2. ધારાકીય સત્તાઓ રાષ્ટ્રપ્રમુખ સંસદની બેઠક બોલાવવાની, મુલતવી રાખવાની તથા લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા ધરાવે છે.
- તે સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, કલા, સમાજસેવા વગેરે ક્ષેત્રોની 12 નામાંકિત વ્યક્તિઓની રાજ્યસભામાં નિમણુક કરે છે.
- લોકસભામાં એંગ્લો-ઇન્ડિયનોને પૂરતું પ્રતિનિધિત્વ ન મળ્યું હોય ત્યારે એ વર્ગના બે પ્રતિનિધિઓ નીમવાની રાષ્ટ્રપ્રમુખને સત્તા છે.
- સામાન્ય ચૂંટણીઓ પછી સંસદનાં બંને ગૃહોનું તે ઉદ્ઘાટન કરે છે તેમજ તે દર વર્ષે સંસદની પ્રથમ બેઠક સમયે બંને ગૃહોની સંયુક્ત સભા સમક્ષ ‘અભિભાષણ’ (પ્રવચન) કરે છે.
- સંસદગૃહોએ પસાર કરેલા ખરડાઓ રાષ્ટ્રપ્રમુખની સહી વિના કાયદા બની શકતા નથી. નાણાકીય ખરડા સિવાયના ખરડા રાષ્ટ્રપ્રમુખ પુનર્વિચારણા માટે સંસદને પરત મોકલી શકે છે.
- અંદાજપત્ર કે અન્ય કોઈ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વસંમતિથી જ લોકસભામાં દાખલ થઈ શકે છે.
- કોઈ પણ ખરડા પર સંસદનાં બંને ગૃહો વચ્ચે મતભેદો પડે ત્યારે રામ્રમુખ સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે.
- સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે તાકીદની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપ્રમુખ વટહુકમ બહાર પાડી શકે છે.
૩. ન્યાયતંત્ર અંગેની સત્તાઓઃ દેશની કોઈ પણ અદાલતે ગુનેગારને ફરમાવેલી સજા માફ કરવાની, ફોજદારી સજાઓનો અમલ મોકૂફ રાખવાની કે તે માટે મહેતલ આપવાની, બાકીની સજા માફ કરવાની તેમજ સજાનું સ્વરૂપ બદલવાની સત્તા રાષ્ટ્રપ્રમુખ ધરાવે છે. (બંધારણના ભંગ બદલ થયેલી કે લશ્કરી અદાલતે ફરમાવેલી સજામાં ફેરફાર કરવાની રાષ્ટ્રપ્રમુખને સત્તા નથી.)
- તે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તથા અન્ય ન્યાયાધીશો તેમજ રાજ્યોની વડી અદાલતોના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરે છે.
- બંધારણીય મડાગાંઠ અંગે કે કોઈ જાહેર હિતના પ્રશ્ન અંગે તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોનો અભિપ્રાય માગી શકે છે.
4. નાણાકીય સત્તાઓ રાષ્ટ્રપ્રમુખ દર વર્ષે નાણામંત્રી મારફતે લોકસભામાં કેન્દ્ર સરકારનું અંદાજપત્ર રજૂ કરાવે છે.
- તે દર વર્ષે રેલમંત્રી મારફત લોકસભામાં રેલવેનું અંદાજપત્ર રજૂ કરાવે છે.
- રાષ્ટ્રપ્રમુખની પરવાનગી વિના કોઈ પણ નાણાકીય ખરડો સંસદમાં (લોકસભામાં) રજૂ કરી શકાતો નથી.
- સંઘ અને રાજ્યો વચ્ચે નાણાંની યોગ્ય વહેંચણી થાય એ માટે રાષ્ટ્રપ્રમુખ ‘નાણાપંચ’ની નિમણૂક કરે છે અને તેની ભલામણોને સંસદ સમક્ષ રજૂ કરાવે છે.
- રાષ્ટ્રપ્રમુખ દર વર્ષે સરકારના હિસાબની તપાસ વિશેનો ઑડિટર જનરલનો અહેવાલ, નાણાપંચનો અહેવાલ વગેરે સંસદ સમક્ષ રજૂ કરે છે.
- તે આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે સંચિત નિધિમાંથી સંસદની મંજૂરી વિના પણ નાણાં આપી શકે છે.
5. કટોકટીવિષયક સત્તાઓ:
બાહ્ય આક્રમણ કે આંતરિક અશાંતિના કારણે સમગ્ર દેશની કે તેના કોઈ પણ ભાગની સુરક્ષિતતા ભયમાં મુકાઈ ગઈ હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ એક જાહેરનામું બહાર પાડી કટોકટીની સ્થિતિ જાહેર કરે છે.
- રાજ્યપાલના અહેવાલ પરથી કે અન્ય રીતે રાષ્ટ્રપ્રમુખને ખાતરી થાય કે રાજ્યમાં બંધારણના નિયમો પ્રમાણે વહીવટ ચાલી શકે તેમ નથી ત્યારે તે બંધારણીય કટોકટીનું જાહેરનામું બહાર પાડે છે અને રાજ્યની તમામ કારોબારી સત્તા પોતાને હસ્તક લઈ લે છે.
- દેશમાં નાણાકીય સ્થિરતા જોખમમાં મુકાય ત્યારે રાષ્ટ્રપ્રમુખ નાણાકીય કટોકટીની જાહેરાત કરી શકે છે. એ પરિસ્થિતિ દરમિયાન તે બધા સરકારી કર્મચારીઓ અને ન્યાયાધીશોનાં વેતન-ભથ્થાં ઘટાડવાનો આદેશ આપી શકે છે.
પ્રશ્ન 7.
ટૂંક નોંધ લખોઃ વહીવટીતંત્ર (વહીવટી કારોબારી)
અથવા
વહીવટીતંત્ર રાજકીય રીતે તટસ્થ રહેવું જોઈએ. આ વિધાન અંગે તમારાં મંતવ્યો જણાવો.
ઉત્તર:
વહીવટી કારોબારી ગણાતા વહીવટીતંત્રને સનંદી સેવા કહેવામાં આવે છે.
- સંઘસરકાર અને રાજ્ય સરકારોનું વહીવટીતંત્ર સમગ્ર દેશમાં પથરાયેલું છે.
- તે આવકની વસૂલાત, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, સરકારનાં વિવિધ ખાતાંનાં વહીવટી કાર્યોમાં મદદ, રોજબરોજનો વહીવટ વગેરે કામગીરી બજાવે છે.
- દેશનાં સંખ્યાબંધ વિકાસલક્ષી કાર્યો વહીવટીતંત્ર દ્વારા પાર પડે છે.
- વહીવટીતંત્ર સરકારની વિકાસલક્ષીની નીતિની રચના તથા વિકાસલક્ષી કાર્યક્રમોના આયોજનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
- અનેક ક્ષેત્રોમાં નિષ્ણાત, વ્યાવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા, તજજ્ઞ અને બાહોશ વહીવટી અધિકારીઓ (સનદી અધિકારીઓ) સરકારની કરોડરજ્જુ ગણાય છે.
- વહીવટીતંત્રના અમલદારો અને અધિકારીઓ તેમની નિવૃત્તિ વયમર્યાદા સુધી કામ કરે છે.
- તેઓ સરકારની કામગીરીનું સાતત્ય જાળવે છે.
- તેઓ પોતપોતાના ક્ષેત્રમાં કાર્યદક્ષ અને કાર્યક્ષમ હોવાથી સરકારની નીતિઓ અને કાર્યક્રમોના અસરકારક અમલમાં નોંધપાત્ર ફાળો આપે છે.
- વહીવટીતંત્રના અમલદારો તેમની દીર્ઘકાલીન સેવાઓ દરમિયાન જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હેઠળ કામ કરતા હોવાથી તેમની પાસેથી રાજકીય નિષ્પક્ષતા અને તટસ્થતાની અપેક્ષા રાખવામાં આવે છે.
- જો વહીવટીતંત્રના અમલદારો રાજકીય પક્ષોની વિચારસરણીથી દોરવાઈ જઈને કામ કરે, તો તેઓ પોતાની કર્તવ્યનિષ્ઠા અને કાર્યદક્ષતા ગુમાવે છે.
- તેઓ લોકસેવકો તરીકેની તેમની પ્રતિષ્ઠા પણ ગુમાવે છે. દેશનાં વિકાસલક્ષી કાર્યોની ગતિ મંદ પડે છે. તેઓ પોતાની ફરજો પ્રત્યે નિષ્કાળજી દાખવે છે. તેમનામાં નકારાત્મક વલણ જન્મે છે, જે દેશના વહીવટીતંત્રને શિથિલ બનાવે છે. આથી દેશનું વહીવટીતંત્ર રાજકીય રીતે નિષ્પક્ષ રહેવું જોઈએ.