GJN 9th SST

Gujarat Board Solutions Class 9 Social Science Chapter 13 ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – I

Gujarat Board Solutions Class 9 Social Science Chapter 13 ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – I

GSEB Solutions Class 9 Social Science Chapter 13 ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – I

ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ-1 Class 9 GSEB

→ ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે.

→ ભારત જગતની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.

→ બધા ધમ, જાતિ કે પ્રજા પ્રત્યે સમભાવ એ ભારતની સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. તેથી ભારત “સંસ્કૃતિનું સંગમતીર્થ” બન્યું છે,

→ ભારતની અવિરત પ્રગતિમાં તેમજ ભારતની સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં દેશની ભૌગોલિક પરિસ્થિતિનું યોગદાન નોંધપાત્ર છે.

→ ભારત 84 અને 37°6 ઉત્તર અક્ષાંશવૃત્તોની વચ્ચે તેમજ 687′ થી 972s પૂર્વ રેખાંશવૃત્તોની વચ્ચે આવેલો દેશ છે.

→ કવૃત્ત (2330 ઉ.અ.) ભારતની લગભગ મધ્યમાંથી પસાર થાય છે. તેની ઉત્તરે આવેલા વધુ વિસ્તૃત ભાગમાં હિમાલય અને ઉત્તરનાં મેદાનો છે તથા દક્ષિણે આવેલા ત્રિકોણાકાર ભાગમાં દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશનો ઘણો મોયે ભાગ અને દરિયાકિનારાનાં મેદાનો છે. ભારતનો ઉત્તર-દક્ષિણ વિસ્તાર આશરે 3214 કિમી અને પૂર્વપશ્ચિમ વિસ્તાર આશરે 2933 કિમી છે.

→ ભારતના પૂર્વ અને પશ્ચિમના દૂરનાં સ્થળોના સ્થાનિક સમયમાં લગભગ બે કલાકનો તફાવત છે. તેથી સમગ્ર ભારતનો પ્રમાણસમય આ બંને સ્થળોથી સરખા અંતરે આવેલા 82°30 પૂર્વ રેખાંશના સ્થાનિક સમય પ્રમાણે રાખવામાં આવ્યો છે.

→ ભારતની પ્રમાણસમય રેખા (82°30 પૂ.રે.) પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે,

→ ભારતનું ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિમી છે, જે જગતના ભુ-ક્ષેત્રનું 2.42 % છે. હૌત્રફળની બાબતમાં ભારતનો ક્રમ સાતમો છે.

→ અનુક્રમે રશિયા, કેનેડા, યુ.એસ.એ., ચીન, બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયા દેશો વિસ્તારમાં ભારતથી મોય છે.

→ ઉત્તરની આખી સરહદે હિમાલયની ઉત્તુંગ ગિરિમાળા પશ્ચિમથી પૂર્વ તરફ પથરાયેલી છે. દક્ષિણમાં ભારતીય દ્વીપદ્મ ત્રણે બાજુએ સમુદ્રોથી ઘેરાયેલો છે.

→ ભારતીય દ્વીપકલ્પની પૂર્વે બંગાળની ખાડી, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે હિંદ મહાસાગર છે.

→ ભારતમાં જમીનમાર્ગે અને જળમાર્ગે બહારથી આવેલાં સાંસ્કૃતિક તત્ત્વોને આત્મસાત કરીને ભારતે સમરસતા અને એકતા વિકસાવી છે.

→ પ્રાચીન કાળથી ભારતે પોતાના વિશિષ્ટ દરિયાઈ સ્થાનને આધારે પૂર્વ, દલિલ-પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ એશિયાના દેશો તથા પૂર્વ આફ્રિકા સાથે સમુદ્રમાર્ગે સંપર્ક સાધી ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારી સંબંધો સ્થાપ્યા છે. આ સંબંધો દ્વારા ભારતની ફિલસૂફી, ભારતીય અંકો, દશાંશપદ્ધતિ, ચિકિત્સા-પદ્ધતિ વગેરે જગતના વિભિન્ન ભાગો સુધી પહોંચાડ્યા છે.

→ ભારતીય સંઘમાં આજે (ઈ. સ. 2018) 29 રાજ્યો અને 6 સંઘશાસિત પ્રદેશો છે.

→ પાકિસ્તાન, અફધાનિસ્તાન, ચીન, તિબેટ, નેપાળ, ભૂતાન,
બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, માલદીવ આપણા પાડોશી દેશો છે.

→ લક્ષદ્વીપ યપુઓ અરબ સાગરમાં અને અંદમાન-નિકોબાર યપુઓ બંગાળની ખાડીમાં આવેલા છે.

→ ભારતનાં વર્તમાન ભૂમિસ્વરૂપોનું નિર્માણ લાખો વર્ષ દરમિયાન ભૂપૃષ્ઠ હેઠળ થયેલા આંતરિક હલનચલન અને સપાટી પર અસર કરનારાં પરિબળોને આભારી છે.

→ પૃથ્વીનો પોપડે ‘એસ્ટેનોસ્ફિયર (મિશ્રાવરણ)ના અર્ધપ્રવાહી ખડકોની ઉપર તરી રહ્યો છે. આ પોપડા પર પૃથ્વીના પેટાળની ગરમીથી ઉદ્ભવતા સંવહનિક તરંગો ભૂ-સપાટી તરફ દબાણ કરે છે, તેના પરિણામે પોપડાના મોય મોય ટુકડાઓ થઈ, મુખ્ય સાત “મૃદાવરણીય પ્લેટ’ (લિથોરિફરિક પ્લેટ) રચાઈ છે.

→ ક્ટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, તેને અપસારી પ્લેટ’ કહે છે. કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે, તેને “અભિસારી પ્લેટ’ કહે છે.

→ અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ થાય છે, જ્યારે અભિસરણની ક્રિયાથી ગેડ પડે છે. પ્લેટોની હિલચાલથી ભૂમિખંડના આકારોમાં ફેરફાર થયા કરે છે. ભારતનાં વર્તમાન ભૂમિ સ્વરૂપો આવી પ્રક્રિયાઓથી રચાયાં છે.

→ કરોડો વર્ષ પૂર્વે ભારત ગોંડવાનાલૅન્ડ નામના ખૂબ વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. ગોંડવાનાલેન્ડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા તથા ઍન્ટાર્કટિકા ખંડોનો સમાવેશ થતો હતો. મિશ્રાવરણ(એન્થનોસ્ફિયર)ના સંવહનિક તરંગોએ ગોંડવાનાલૅન્ડને અનેક ભાગોમાં વહેંચી નાખ્યો.

→ આમાંનો એક ભાગ ઇન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ બન્યો. આ પ્લેટ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી, તેનો ઉત્તર ભાગ આજથી લગભગ પાંચ કરોડ વર્ષો પહેલાં યુરેશિયન પ્લેટની નીચે ધસી ગયો. આ અથડામલથી બંને પ્લેટો વચ્ચે આવેલા ટેથિસ સાગરના તળના પ્રસ્તર ખડકોમાં ગેડ પડી. તેના પરિણામસ્વરૂપે હિમાલય અને મધ્ય એશિયાની પર્વતશ્રેણીઓનું નિર્માણ થયું. એ સાથે હિમાલયની દવિશ્વમાં એક વિશાળ ગર્ત (બેસિન) અસ્તિત્વમાં આવ્યો.

→ ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. લિલનો દ્વીપકલ્પીય પ્રદેશ, પ્રાચીનતમ પ્રદેશ છે,

GSEB Class 9 Social Science ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – I Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. શાથી?
અથવા
ભૌગોલિક દષ્ટિએ ભારતનું સ્થાન કઈ રીતે મોકાનું છે?
અથવા
ભારતનું
ભૌગોલિક સ્થાન શાથી મહત્ત્વનું છે?
અથવા કારણો આપોઃ ભૌગોલિક દષ્ટિએ ભારતનું સ્થાન મહત્ત્વનું છે.
ઉત્તરઃ

  1. ભારત દક્ષિણ એશિયાની મધ્યમાં હિંદ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને છે. આ કારણે પ્રાચીન કાળથી ભારતને માટે એશિયાના દેશો અને પૂર્વ આફ્રિકા સાથે સમુદ્રમાર્ગે ઘનિષ્ઠ સંબંધો બાંધવા શક્ય બન્યા છે.
  2. સુએઝ નહેર બંધાયા પછી ભારતના યુરોપ અને અમેરિકાના દેશો સાથેના સંબંધોનો પણ ઘણો વિકાસ થયો છે.
  3. પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયા અને ઑસ્ટ્રેલિયાથી સુએઝ માર્ગે યુરોપ અને અમેરિકા જતા દરિયાઈ માર્ગો અને હવાઈ માર્ગો ભારત પરથી કે ભારત પાસેથી પસાર થાય છે. એ દષ્ટિએ ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે.

પ્રશ્ન 2.
ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ શાથી ધરાવે છે?
ઉત્તરઃ

  1. ઉત્તર ભારતમાં નિક્ષિપ્ત અને રૂપાંતરિત ખડકોથી બનેલી ઊંચી, વિશાળ પર્વતમાળા આવેલી છે. તેમાં ઊંચા પર્વતશિખરો, 3 ઉચ્ચપ્રદેશો, સાંકડી અને ઊંડી ખીણો, ઘાટ વગેરે આવેલાં છે.
  2. ઉત્તરનું 3 મેદાન સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર જેવી મોટી નદીઓના કાંપની માટીનું
    બનેલું છે. તેની દક્ષિણે આવેલો ભારતનો બાકીનો ભાગ ભારતીય દ્વિીપકલ્પ કહેવાય છે.
  3. દક્ષિણનો દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ અગ્નિકૃત 5 અને રૂપાંતરિત ખડકોનો બનેલો છે. તે દેશની પ્રાચીનતમ ભૂ-ભાગ છે. તેમાં પ્રાચીન પર્વતશ્રેણીઓના અવશિષ્ટ ભાગો અને કપાયેલા ઉચ્ચપ્રદેશો છે.
  4. ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારે તટીય મેદાનો છે.

ઉપર દર્શાવેલાં ભૂ-સ્વરૂપોના વૈવિધ્યના આધારે કહી શકાય કે, 3 ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે.

પ્રશ્ન 3.
ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેમ સરળ બન્યો છે?
અથવા
કારણો આપોઃ ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે.
ઉત્તરઃ

  • જગતનો બહુ મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર સમુદ્રમાર્ગે થાય છે, એટલે જે દેશોને સમુદ્રકિનારાનો લાભ મળ્યો છે તે પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી વિકસાવી શકે છે.
  • ભારત લગભગ 7500 કિમી લાંબો સમુદ્રકિનારો અને મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે. તેના સમુદ્રમાર્ગો નજીકના પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ-પૂર્વ એશિયા, ઑસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા તરફ જાય છે. આ ઉપરાંત, તેના લાંબા સમુદ્રમાર્ગો સુએઝની નહેરમાં થઈને યુરોપ, ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકા, કેપ ઑફ ગુડ હોપ થઈને પશ્ચિમ આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા અને ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્રધુનીમાં થઈને પૅસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુ.એસ.એ. પહોંચી શકાય છે. આમ, સમુદ્રમાર્ગોનો બહોળો લાભ મળવાથી ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે.

પ્રશ્ન 4.
“ભારત ‘સંસ્કૃતિનું સમન્વયતીર્થ’ બન્યું છે.” સમજાવો.
ઉત્તર:
બધા ધમ, જાતિઓ અને પ્રજા પ્રત્યે સમભાવ એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. આથી કોઈ પણ ધર્મ પાળતી પ્રજા કે જાતિ માટે ભારતે મૈત્રીનાં દ્વાર ખુલ્લાં રાખીને સૌને આવકાર્યા છે. ભારતીય સંસ્કૃતિનો દેહ હિંદુ, બૌદ્ધ, જૈન, શીખ, મુસ્લિમ, પારસી, ખ્રિસ્તી વગેરે પ્રજાની સંસ્કૃતિઓના સુભગ સમન્વયમાંથી ઘડાયો છે.

ભારતીય સંસ્કૃતિમાં સમન્વયકારી ભાવના રહેલી છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં જગતની ભિન્ન ભિન્ન પ્રજાનાં સાંસ્કૃતિક તત્ત્વોનું સંયોજન જોવા મળે છે. પરિણામે ભારત સંસ્કૃતિનું સમન્વયતીર્થ બન્યું છે.

પ્રશ્ન 5.
મૃદાવરણીય પ્લેટો કેટલી છે અને કઈ કઈ છે, તે જણાવો.
ઉત્તરઃ
મૃદાવરણીય પ્લેટો મુખ્ય સાત છેઃ

  1. પૅસિફિક પ્લેટ,
  2. ઉત્તર અમેરિકન પ્લેટ,
  3. દક્ષિણ અમેરિકન પ્લેટ,
  4. યુરેશિયન પ્લેટ,
  5. આફ્રિકન પ્લેટ,
  6. ઈન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ અને
  7. ઍન્ટાટિક પ્લેટ.

2. નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો:

પ્રશ્ન 1.
પ્રમાણ સમય
અથવા
પ્રમાણસમયની સમજ આપો.
ઉત્તરઃ
સમગ્ર દેશમાં કે બહુ વિશાળ દેશના ચોક્કસ વિભાગમાં તેના મધ્ય ભાગમાં કે મહત્ત્વના સ્થળનો સ્થાનિક સમય તે દેશના કે વિભાગના પ્રમાણસમય’ તરીકે નક્કી કરાયેલો હોય છે. આ સમય દેશનાં કે વિભાગનાં બધાં સ્થળોને લાગુ પડે છે. ભારતમાં એક જ પ્રમાણસમય છે, જ્યારે કેનેડા અને યુ.એસ.એ.માં છ-છ તથા રશિયામાં અગિયાર પ્રમાણસમય છે.

પ્રશ્ન 2.
કર્કવૃત્ત
ઉત્તર :
વિષુવવૃત્તથી 23°30′ ને અંતરે ઉત્તરમાં આવેલા અક્ષાંશવૃત્તને ‘કર્કવૃત્ત’ કહે છે.

પ્રશ્ન 3.
દીપકલ્પ
અથવા
દ્વિપકલ્પ એટલે શું?
ઉત્તરઃ
જેની ત્રણ બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય એવો ભૂખંડ દ્વીપકલ્પ’ કહેવાય છે. દા. ત., દક્ષિણ ભારતનો દ્વીપકલ્પ, સૌરાષ્ટ્રનો દ્વિપકલ્પ, મલાયાનો દ્વીપકલ્પ વગેરે.

પ્રશ્ન 4.
અપસારી પ્લેટ
અથવા
અપસારી પ્લેટ એટલે શું?
ઉત્તરઃ
કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાથી અલગ અથવા દૂર થઈ રહી છે. આ પ્લેટો ‘અપસારી પ્લેટ’ કહેવાય છે. અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ થાય છે.

પ્રશ્ન 5.
ગોળાર્ધ
અથવા
ગોળાર્ધનો ભોગોલિક અર્થ સમજાવો.
ઉત્તર:
વિષુવવૃત્ત પૃથ્વીનું જે બે સરખા ભાગોમાં વિભાજન કરે છે, તે દરેક ભાગ પૃથ્વીનો ‘ગોળાર્ધ’ કહેવાય છે. વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો ભાગ ‘ઉત્તર ગોળાર્ધ’ અને દક્ષિણે આવેલો ભાગ ‘દક્ષિણ ગોળાર્ધ’ કહેવાય છે.

પ્રશ્ન 6.
અભિસરણ
ઉત્તરઃ

  1. કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે. આ પ્લેટો ‘અભિસારી પ્લેટ’ કહેવાય છે.
  2. અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠના પ્રસ્તર ખડકોમાં ગેડ પડે છે. હિમાલયની રચના આ પ્રકારે થઈ છે.

3. નીચેના પ્રશ્નોના જવાબ લખો:

પ્રશ્ન 1.
ભારતનાં સ્થાન અને વિસ્તાર વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારતનું સ્થાનઃ

  • ભારત એશિયા ખંડના દક્ષિણ ભાગમાં મધ્ય સ્થાને આવેલો દ્વીપકલ્પવાળો દેશ છે.
  • તેના મુખ્ય ભૂમિ-ભાગ સિવાય તેમાં બે દ્વીપસમૂહો – લક્ષદ્વીપ અને અંદમાન-નિકોબાર ટાપુઓનો સમાવેશ થાય છે.
  • તેનો મુખ્ય ભૂમિ-ભાગ 8°4′ અને 37°6′ ઉત્તર અક્ષાંશવૃત્તોની વચ્ચે તેમજ 68°7′ અને 97°25′ પૂર્વ રેખાંશવૃત્તોની વચ્ચે આવેલો છે. તેથી તે પૂર્ણપણે ઉત્તર અને પૂર્વ ગોળાર્ધમાં છે.
  • ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. તે 23°30′ ઉત્તર અક્ષાંશવૃત્ત પર આવેલો છે.
  • લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં તથા અંદમાન-નિકોબાર ટાપુઓ બંગાળાની ખાડીમાં છે.
  • ભારતની વાયવ્ય સીમાએ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન, ઉત્તરે ચીન, નેપાળ અને ભૂતાન; પૂર્વે બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા ભારતના પાડોશી દેશો છે.

ભારતનો વિસ્તાર:

  • ભારતનું ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. તે જગતના ભૂ-ક્ષેત્રના માત્ર 2.42 % જેટલું છે.
  • ક્ષેત્રફળ સંદર્ભે ભારતનો ક્રમ જગતમાં સાતમો છે.
  • ભારતથી મોટા છ દેશો અનુક્રમે રશિયા, કૅનેડા, યુ.એસ.એ., ચીન, બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયા છે. આમાંનો પ્રત્યેક દેશ ભારત કરતાં બેથી પાંચ ગણો મોટો છે.
  • ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો લગભગ સરખા અર્થાત્ 29° -30° જેટલા છે. પરંતુ વાસ્તવિક અંતરોમાં થોડો ફરક છે. ઉત્તર-દક્ષિણ (અક્ષાંશીય) વિસ્તાર આશરે 3214 કિમી છે, જ્યારે પૂર્વ-પશ્ચિમ (રેખાંશીય) વિસ્તાર આશરે 2933 કિમી છે.
  • કર્કવૃત્ત (23°30′ ઉ.અ.) ભારતની મધ્યમાંથી પસાર થઈ દેશના લગભગ બે સરખા ભાગ કરે છે.
  • રેખાંશીય તફાવતને કારણે દેશના પૂર્વ અને પશ્ચિમે આવેલાં દૂરનાં સ્થળોના સ્થાનિક સમયમાં આશરે બે કલાકનો ફરક છે.
  • ભારતના પ્રમાણસમયની રેખા 82°30′ પૂર્વ રેખાંશવૃત્ત પર આવેલા ઉત્તર પ્રદેશના મિર્જાપુર જિલ્લામાંથી પસાર થાય છે. તેનો સ્થાનિક સમય જ ભારતનો પ્રમાણસમય ગણાય છે.
  • ઉત્તરનો ભાગ થોડો વધારે વિસ્તૃત છે. તેમાં હિમાલય અને ઉત્તરનાં મેદાનો આવેલાં છે, દક્ષિણનો ત્રિભુજાકાર ભાગ દક્ષિણ તરફ સાંકડો થતો જાય છે. આ ભાગમાં દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશનો ઘણો મોટો ભાગ અને દરિયાકિનારાનાં મેદાનો આવેલાં છે.

પ્રશ્ન 2.
સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે?
ઉત્તરઃ

  1. રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએઝ નહેર 3 ઈ. સ. 1869માં શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિમી જેટલું ઓછું થયું છે. તેથી જળમાર્ગે યુરોપ, યુ.એસ.એ. અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ છે.
  2. આ દેશો સાથે વિદેશ વ્યાપારમાં ખૂબ લાભ પ્રાપ્ત થયો છે.

પ્રશ્ન 3.
પૃથ્વીની રચના વિશે વિસ્તૃત માહિતી આપો.
ઉત્તરઃ
પૃથ્વીનો પોપડો ‘ઍન્થનોસ્ફિયર’ના અર્ધપ્રવાહી ખડકો પર તરી રહ્યો છે. આ પોપડા પર પૃથ્વીના પેટાળની ગરમીથી ઉદ્ભવતા સંવહનિક તરંગો ભૂ-સપાટી તરફ દબાણ કરે છે. તેના પરિણામે પોપડાના મોટા મોટા ટુકડાઓ થઈ, મુખ્ય સાત ‘મૃદાવરણીય પ્લેટ’ (લિથોસ્ફિરિક પ્લેટ) રચાઈ છે.

  • મુખ્ય સાત મૃદાવરણીય (લિથોસ્ફિરિક) પ્લેટો:
    (1) પૅસિફિક પ્લેટ,
    (2) ઉત્તર અમેરિકન પ્લેટ,
    (3) દક્ષિણ અમેરિકન પ્લેટ,
    (4) યુરેશિયન પ્લેટ,
    (5) આફ્રિકન પ્લેટ,
    (6) ઇન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ અને
    (7) ઍન્ટાર્કટિકા પ્લેટ.

  • કેટલીક જગ્યાએ આ પ્લેટો એકબીજાથી દૂર થઈ રહી છે, જેને ‘અપસારી પ્લેટ’ કહે છે. કેટલીક પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે, જેને ‘અભિસારી પ્લેટ’ કહે છે.
  • અપસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ થાય છે, જ્યારે અભિસરણની ક્રિયાથી ગેડ પડે છે. આ પ્લેટોની હિલચાલથી ભૂમિખંડના આકારો અને સ્થાનોમાં ફેરફાર થયા કરે છે. ભારતનાં વર્તમાન ભૂમિસ્વરૂપો આવી પ્રક્રિયાઓથી રચાયાં છે.
  • એકબીજાથી વિપરીત દિશામાં ખસી જવાની આ પરસ્પર પ્રતિક્રિયા જ બધી ભૂકંપીય અને જ્વાળામુખીય ક્રિયાઓ માટે જવાબદાર છે.
  • સરકતી કે ખસતી પ્લેટો જ્યાં એકબીજા સાથે ટકરાઈ રહી છે ત્યાં પર્વતનું નિર્માણ થાય છે.
  • પ્લેટો જ્યાં એકબીજાથી દૂર ખસે છે, ત્યાં ભૂમિખંડો અને મહાસાગરોમાં ફાટોનું નિર્માણ કરે છે. આ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે. આ પ્રકારની પ્લેટોને ‘રૂપાંતરિત પ્લેટ’ કહે છે.
  • કરોડો વર્ષ પૂર્વે ભારત ગોંડવાનાલૅન્ડ નામના ખૂબ વિશાળ ભૂમિખંડનો ભાગ હતો. ગોંડવાનાલૅન્ડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, અરેબિયા, ભારત, ઑસ્ટ્રેલિયા અને ઍન્ટાર્કટિકા ખંડોનો સમાવેશ થતો હતો.
  • કાળક્રમે ગોંડવાનાલૅન્ડથી અલગ થઈને ‘ઇન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ’ ધીમે ધીમે ઉત્તર તરફ ખસવા લાગી. તેનો ઉત્તર ભાગ આજથી લગભગ પાંચ કરોડ વર્ષો પહેલાં યુરેશિયન પ્લેટની નીચે ધસી ગયો. આ અથડામણથી બંને પ્લેટો વચ્ચે આવેલા ટેથિસ સાગરના તળના પ્રસ્તર ખડકોમાં ગેડ પડી. તેના પરિણામ સ્વરૂપે હિમાલય અને મધ્ય એશિયાની પર્વતશ્રેણીઓનું નિર્માણ થયું. એ સાથે હિમાલયની દક્ષિણે એક વિશાળ તેગ (બેસિન) અસ્તિત્વમાં આવ્યો.
  • સમય જતાં આ ગર્તમાં ઉત્તર અને દક્ષિણ તરફથી આવતી નદીઓનો કાંપ પુરાવાથી ઉત્તર ભારતના મેદાનનો ઉદ્ભવ થયો.
  • હિમાલયનો ઉદ્ભવ થઈ રહ્યો હતો ત્યારે ભારતના દ્વીપકલ્પીય : ઉચ્ચપ્રદેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં એક વિસ્તૃત જ્વાળામુખીનો વિસ્ફોટ થયો. તેથી ઉચ્ચપ્રદેશના પશ્ચિમ તરફનો ભાગ તૂટીને પેટાળ તરફ બેસી ગયો. પરિણામે ત્યાં અરબ સાગરનું નિર્માણ થયું. આ ભૂ-નિમ્મજનને કારણે જ પશ્ચિમઘાટ વધારે સ્પષ્ટ થઈ ગયો.

4. નીચેના પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો:

પ્રશ્ન 1.
ભારતની પ્રમાણસમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી?
A. ઉત્તર પ્રદેશ
B. છત્તીસગઢ
C. ઓડિશા
D. તમિલનાડુ
ઉત્તર:
D. તમિલનાડુ

પ્રશ્ન 2.
ભારતની ઉત્તરે : ચીન અને ભારતની વાયવ્ય : ……………………….
A. બાંગ્લાદેશ
B. પાકિસ્તાન
C. શ્રીલંકા
D. નેપાળ
ઉત્તર:
B. પાકિસ્તાન

પ્રશ્ન 3.
નીચે આપેલાં રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવોઃ ઉત્તરાખંડ, કેરલ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, દિલ્લી
A. ઉત્તરાખંડ, દિલ્લી, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કેરલ
B. કેરલ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ
C. આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લી, કેરલ
D. કેરલ, આંધ્ર પ્રદેશ, દિલ્લી, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ
ઉત્તર:
B. કેરલ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ

પ્રશ્ન 4.
નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે?
A. કૅનેડા
B. ઇંગ્લેન્ડ
C. પાકિસ્તાન
D. થાઈલૅન્ડ
ઉત્તર:
A. કૅનેડા

પ્રશ્ન 5.
ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે?
A. અફઘાનિસ્તાન ઉત્તર-પશ્ચિમ
B. નેપાળ – ઉત્તર-પૂર્વ
C. ચીન – ઉત્તર
D. બાંગ્લાદેશ – પશ્ચિમ
ઉત્તર:
D. બાંગ્લાદેશ – પશ્ચિમ

GSEB Class 9 Social Science ભારત : સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ – I Important Questions and Answers

નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો: [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
ભારતની મધ્યમાંથી અ …………………. વૃત્ત પસાર થાય છે.
A. વિષુવ
B. કર્ક
C. મકર
ઉત્તરઃ
B. કર્ક

પ્રશ્ન 2.
ભારતમાં સૂર્યોદયનો આરંભ …………………….. માં થાય છે.
A. ગુજરાત
B. અસમ
C. અરુણાચલ પ્રદેશ
ઉત્તરઃ
C. અરુણાચલ પ્રદેશ

પ્રશ્ન 3.
ભારતની પ્રમાણસમય રેખા ……………………… રાજ્યોમાંથી પસાર થાય છે.
A. પાંચ
B. સાત
C. નવ
ઉત્તરઃ
A. પાંચ

પ્રશ્ન 4.
ક્ષેત્રફળની દષ્ટિએ જગતમાં ભારત …………………….. ક્રમે આવે છે.
A. ચોથા
B. છઠ્ઠા
C. સાતમા
ઉત્તરઃ
C. સાતમા

પ્રશ્ન 5.
ભારતની દક્ષિણે ……………………… મહાસાગર આવેલો છે.
A. હિંદ
B. પૅસિફિક
C. ઍટલૅન્ટિક
ઉત્તરઃ
A. હિંદ

પ્રશ્ન 6.
ભારત અને યુરોપ વચ્ચેનું અંતર ………………………. નહેરને કારણે 7000 કિલોમીટર જેટલું ઓછું થયું છે.
A. યમુના
B. પનામા
C. સુએઝ
ઉત્તરઃ
C. સુએઝ

પ્રશ્ન 7.
બંગાળની ખાડીમાં ભારતના ………………… ટાપુઓ આવેલા છે.
A. અંદમાન-નિકોબાર
B. લક્ષદ્વીપ
C. માલદીવ
ઉત્તરઃ
A. અંદમાન-નિકોબાર

પ્રશ્ન 8.
ક્ષેત્રફળની દષ્ટિએ વિશ્વના ……………………….. દેશો ભારતથી મોટા છે.
A. ચાર
B. પાંચ
C. છ
ઉત્તરઃ
C. છ

પ્રશ્ન 9.
ભારત ……………………… મહાસાગરના શીર્ષસ્થ સ્થાને આવેલો છે.
A. હિંદ
B. ઍટલૅન્ટિક
C. પૅસિફિક
ઉત્તરઃ
A. હિંદ

પ્રશ્ન 10.
ભારતમાં …………………. રાજ્યો અને ……………………. કેન્દ્રશાસિત પ્રદેશો છે. 3
A. 26, 9
B. 28, 7
C. 29, 6
ઉત્તરઃ
C. 29, 6

પ્રશ્ન 11.
ભારત અને શ્રીલંકા ……………………….. ની સામુદ્રધુની દ્વારા અલગ પડે છે.
A. પાલ્ક
B. મનાર
C. કુક
ઉત્તરઃ
A. પાલ્ક

પ્રશ્ન 12.
મૃદાવરણીય પ્લેટોની કુલ સંખ્યા …………………….. છે.
A. પાંચ
B. છ
C. સાત
ઉત્તરઃ
C. સાત

પ્રશ્ન 13.
અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર ……………………….. થાય છે.
A. ગેડીકરણ
B. સ્વરભંગ
C. હલનચલન
ઉત્તરઃ
B. સ્વરભંગ

પ્રશ્ન 14.
દક્ષિણનો …………………… પ્રદેશ ભારતનો પ્રાચીનતમ પ્રદેશ છે.
A. ભૂકંપીય
B. દ્વીપકલ્પીય
C. જ્વાળામુખીય
ઉત્તરઃ
B. દ્વીપકલ્પીય

પ્રશ્ન 15.
ભારત અને શ્રીલંકા વચ્ચે ………………….. નો અખાત આવેલો છે.
A. મેક્સિકો
B. બેરિંગ
C. અનાર
ઉત્તરઃ
C. અનાર

(અ) નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ઉત્તર લખો [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
ભારતની મધ્યમાં થઈને કયું વૃત્ત પસાર થાય છે?
A. કર્કવૃત્ત
B. વિષુવવૃત્ત
C. મકરવૃત્ત
D. દક્ષિણ ધ્રુવવૃત્ત
ઉત્તર:
A. કર્કવૃત્ત

પ્રશ્ન 2.
ભારતીય દ્વિીપકલ્પની દક્ષિણે ક્યો મહાસાગર આવેલો છે?
A. ઍટલૅટિક મહાસાગર
B. પૅસિફિક મહાસાગર
C. આટિક મહાસાગર
D. હિંદ મહાસાગર
ઉત્તર:
D. હિંદ મહાસાગર

પ્રશ્ન 3.
ઇન્ડોનેશિયાની કઈ સામુદ્રધુનીમાં થઈને પૅસિફિક મહાસાગર પસાર કરીએ તો કેનેડા અને યુ.એસ.એ. પહોંચી શકાય છે?
A. મલાક્કા
B. બેરિંગ
C. પાલ્ક
D. ડેઇક
ઉત્તર:
A. મલાક્કા

પ્રશ્ન 4.
લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે?
A. બંગાળની ખાડીમાં
B. હિંદ મહાસાગરમાં
C. ખંભાતના અખાતમાં
D. અરબ સાગરમાં
ઉત્તર:
D. અરબ સાગરમાં

પ્રશ્ન 5.
અંદમાન-નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે?
A. બંગાળની ખાડીમાં
B. અરબ સાગરમાં
C. હિંદ મહાસાગરમાં
D. ખંભાતના અખાતમાં
ઉત્તર:
A. બંગાળની ખાડીમાં

પ્રશ્ન 6.
ભારત કરોડો વર્ષ પહેલાં કયા પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો?
A. અપસારી પ્લેટ
B. યુરેશિયન પ્લેટ
C. અભિસારી પ્લેટ
D. ગોંડવાનાલૅન્ડ
ઉત્તર:
D. ગોંડવાનાલૅન્ડ

પ્રશ્ન 7.
જગતમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે?
A. ચીન
B. યુ.એસ.એ.
C. ભારત
D. રશિયા
ઉત્તર:
C. ભારત

પ્રશ્ન 8.
ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો આશરે કેટલા અંશ જેટલા છે?
A. 30
B. 35
C. 25
D. 20
ઉત્તર:
A. 30

પ્રશ્ન 9.
ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે?
A. 2933
B. 3070
C. 3120
D. 3214
ઉત્તર:
D. 3214

પ્રશ્ન 10.
ભારતનો પૂર્વ-પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે?
A. 3214
B. 3180
C. 2933
D. 3030
ઉત્તર:
C. 2933

પ્રશ્ન 11.
ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલા સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક છે?
A. અડધા કલાકનો
B. બે કલાકનો
C. દોઢ કલાકનો
D. એક કલાકનો
ઉત્તર:
C. દોઢ કલાકનો

પ્રશ્ન 12.
પશ્ચિમ ગુજરાતમાં રાત બાકી હોય છે એ જ સમયે ભારતના પૂર્વ ભાગના ક્યા પ્રદેશમાં સૂર્યોદય થાય છે?
A. અરુણાચલ પ્રદેશ
B. ઉત્તર પ્રદેશ
C. આંધ્ર પ્રદેશ
D. હિમાચલ પ્રદેશ
ઉત્તર:
A. અરુણાચલ પ્રદેશ

પ્રશ્ન 13.
ભારતનો પ્રમાણસમય કયા રેખાંશવૃત્ત પરથી ગણાય છે?
A. 80° પૂર્વ રેખાંશવૃત્ત
B. 78°5′ પૂર્વ રેખાંશવૃત્ત
C. 82°30′ પૂર્વ રેખાંશવૃત્ત
D. 85° પૂર્વ રેખાંશવૃત્ત
ઉત્તર:
C. 82°30′ પૂર્વ રેખાંશવૃત્ત

પ્રશ્ન 14.
ભારતની પ્રમાણસમય રેખા કેટલાં રાજ્યોમાંથી પસાર થાય છે?
A. બે
B. ત્રણ
C. ચાર
D. પાંચ
ઉત્તર:
D. પાંચ

પ્રશ્ન 15.
ક્ષેત્રફળની દષ્ટિએ જગતમાં ભારત કયા ક્રમે આવે છે?
A. છઠ્ઠા
B. પાંચમા
C. સાતમા
D. આઠમા
ઉત્તર:
C. સાતમા

પ્રશ્ન 16.
વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે?
A. સાત
B. છ
C. આઠ
D. નવ
ઉત્તર:
B. છ

પ્રશ્ન 17.
ભારતીય દ્વિીપકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલો છે?
A. લૅબ્રડૉર સાગર
B. બાંદા સાગર
C. બેરિંગ સાગર
D. અરબ સાગર
ઉત્તર:
D. અરબ સાગર

પ્રશ્ન 18.
ભારતમાં આજે (ઈ. સ. 2016) કુલ કેટલાં રાજ્યો અને કેટલા સંઘ શાસિત પ્રદેશો છે?
A. 32 રાજ્યો અને 10 સંઘશાસિત પ્રદેશો
B. 31 રાજ્યો અને 9 સંઘશાસિત પ્રદેશો
C. 28 રાજ્યો અને 6 સંઘશાસિત પ્રદેશો
D. 29 રાજ્યો અને 6 સંઘશાસિત પ્રદેશો
ઉત્તર:
D. 29 રાજ્યો અને 6 સંઘશાસિત પ્રદેશો

પ્રશ્ન 19.
મુખ્ય મૃદાવરણીય પ્લેટો કેટલી છે?
A. પાંચ
B. છ
C. સાત
D. આઠ
ઉત્તર:
C. સાત

પ્રશ્ન 20.
ઈન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી ટેથિસ સમુદ્રમાંથી કઈ પર્વતશ્રેણીનું નિર્માણ થયું હતું?
A. હિમાલય
B. ઍન્ડીઝ
C. રૉકી
D. અલ્સ
ઉત્તર:
A. હિમાલય

પ્રશ્ન 21.
ભારતનો કયો પ્રાકૃતિક પ્રદેશ પ્રાચીનતમ પ્રદેશ છે?
A. દ્વીપસમૂહો
B. દક્ષિણની દ્વીપકલ્પીય પ્રદેશ
C. ઉત્તરનો મેદાની પ્રદેશ
D. ઉત્તરનો પર્વતીય પ્રદેશ
ઉત્તર:
B. દક્ષિણની દ્વીપકલ્પીય પ્રદેશ

પ્રશ્ન 22.
કઈ પ્લેટો પર આવેલા ભૂમિખંડો નિરંતર ખસતા રહે છે?
A. અગ્નિત પ્લેટો
B. પ્રસ્તર પ્લેટો
C. રૂપાંતરિત પ્લેટો
D. વિકત પ્લેટો
ઉત્તર:
C. રૂપાંતરિત પ્લેટો

પ્રશ્ન 23.
કયું અક્ષાંશવૃત્ત ભારતને બે ભાગોમાં વિભાજિત કરે છે?
A. વિષુવવૃત્ત
B. મકરવૃત્ત
C. કર્કવૃત્ત
D. ઉત્તર ધ્રુવવૃત્ત
ઉત્તર:
C. કર્કવૃત્ત

(બ) માગ્યા મુજબ ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
નીચે આપેલાં રાજ્યોનો ઉત્તરથી દક્ષિણ દિશા તરફનો સાચો ક્રમ જણાવો.
A. કેરલ, આંધ્ર પ્રદેશ, દિલ્લી, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ
B. આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લી, કેરલ
C. કેરલ, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ઉત્તરાખંડ
D. ઉત્તરાખંડ, દિલ્લી, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કેરલ
ઉત્તર:
D. ઉત્તરાખંડ, દિલ્લી, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કેરલ

પ્રશ્ન 2.
નીચે આપેલા રાજ્યોનો પૂર્વથી પશ્ચિમ દિશા તરફનો સાચો ક્રમ જણાવો.
A. મધ્ય પ્રદેશ, ઝારખંડ, મણિપુર, ગુજરાત
B. ઝારખંડ, મણિપુર, ગુજરાત, મધ્ય પ્રદેશ
C. મણિપુર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ગુજરાત
D. ગુજરાત, મધ્ય પ્રદેશ, મણિપુર, ઝારખંડ
ઉત્તરઃ
C. મણિપુર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, ગુજરાત

પ્રશ્ન 3.
નીચે આપેલાં રાજ્યોનો પશ્ચિમથી પૂર્વ દિશા તરફનો સાચો ક્રમ જણાવો.
A. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મેઘાલય
B. બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મેઘાલય
C. મેઘાલય, બિહાર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન
D. રાજસ્થાન, મેઘાલય, બિહાર, ઉત્તર પ્રદેશ
ઉત્તરઃ
A. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મેઘાલય

નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

(1) ભારતદેશ ઉત્તર ગોળાર્ધમાં આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે.
ઉત્તર:
ખોટું

(2) ભારતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ આશરે 2933 કિલોમીટર છે.
ઉત્તર:
ખરું

(3) ભારતનું ક્ષેત્રફળ જગતના ભૂ-ક્ષેત્રના આશરે 2.42 % છે.
ઉત્તર:
ખરું

(4) ઇન્ડોનેશિયા ભારતના પાડોશી દેશ છે.
ઉત્તર:
ખોટું

(5) ભારતના લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં આવેલા છે.
ઉત્તર:
ખરું

(6) ભારતની પ્રમાણસમય રેખા 80°30′ પૂર્વ રેખાંશવૃત્ત છે.
ઉત્તર:
ખોટું

(7) ભારતની પ્રમાણસમય રેખા પાંચ રાજ્યોમાંથી પસાર થાય છે.
ઉત્તર:
ખરું

(8) ભારતની દક્ષિણે પૅસિફિક મહાસાગર આવેલો છે.
ઉત્તર:
ખોટું

(9) ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે.
ઉત્તર:
ખરું

(10) ક્ષેત્રફળની દષ્ટિએ વિશ્વના સાત દેશો ભારતથી મોટા છે.
ઉત્તર:
ખોટું

(11) દિલ્લીનું રાજ્ય ભારતની રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ છે.
ઉત્તર:
ખરું

(12) અંદમાન-નિકોબાર ટાપુઓ હિંદ મહાસાગરમાં આવેલા છે.
ઉત્તર:
ખોટું

(13) ભારત કરોડો વર્ષ પહેલાં ગોંડવાનાલૅન્ડ નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો.
ઉત્તર:
ખરું

(14) સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે લગભગ 6000 કિલોમીટરનું અંતર ઘટી ગયું છે.
ઉત્તર:
ખોટું

(15) ભારત સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે.
ઉત્તર:
ખરું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

(1) ભારતીય સંસ્કૃતિ કઈ ભાવના ધરાવે છે? – સમન્વયકારી
(2) ભૌગોલિક દષ્ટિએ ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે? – ઉત્તર
(3) ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? – કર્કવૃત્ત
(4) ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાં સૂર્યોદય થાય છે? – અરુણાચલ પ્રદેશ
(5) ક્ષેત્રફળની દષ્ટિએ વિશ્વમાં ભારત ક્યા ક્રમે આવે છે? – સાતમા
(6) વિશ્વમાં કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે? – છ
(7) ભારતીય દ્વીપકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલો છે? – અરબ સાગર
(8) ભારતીય દ્વીપકલ્પની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? – હિંદ
(9) ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં કઈ ખાડી આવેલી છે? – બંગાળાની
(10) ભારત કયા ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે? – પૂર્વ

(11) હિંદ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને કયો દેશ આવેલો છે? – ભારત
(12) ઈ. સ. 1869માં કઈ નહેર શરૂ થઈ હતી? – સુએઝ
(13) ઇન્ડોનેશિયાની કઈ સામુદ્રધુની થઈને પૅસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યૂ.એસ.એ. પહોંચી શકાય છે? – મલાક્કાની
(14) ભારતની જમીન સીમા ઉત્તર-પશ્ચિમમાં કયા દેશો સાથે જોડાયેલી છે? – પાકિસ્તાન અને અફઘાનિસ્તાન
(15) ભારતની જમીન સીમા પૂર્વમાં કયા દેશો સાથે જોડાયેલી છે? – બાંગ્લાદેશ અને મ્યાનમાર
(16) ભારતની દક્ષિણ દિશામાં સમુદ્રકિનારે કયા પડોશી દેશો આવેલા છે? – શ્રીલંકા અને માલદીવ
(17) ભારત અને શ્રીલંકા કઈ સામુદ્રધુની દ્વારા એકબીજાથી અલગ પડે છે? – પાલ્ક(PALK)ની
(18) ભારત અને શ્રીલંકા કયા અખાત દ્વારા એકબીજાથી અલગ પડે છે? – મન્નારના
(19) અરબ સાગરમાં કયા ટાપુઓ આવેલા છે? – લક્ષદ્વીપ
(20) બંગાળની ખાડીમાં કયા ટાપુઓ આવેલા છે? – અંદમાન અને નિકોબાર

(21) પૃથ્વીનો ઉપરનો પોપડો કયા અર્ધ-દ્રવિત ખડકોની ઉપર તરી રહ્યો છે? – એસ્ટેનોસ્ફિયર
(22) પૃથ્વીના પેટાળમાં થતી કઈ પ્રક્રિયાને પરિણામે ગરમી ઉદ્ભવે છે? – કિરણોત્સર્ગી
(23) ભૂ-કવચ તરફ ઉદ્ભવતા તરંગો દ્વારા ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય છે. તેને શું કહે છે? – મૃદાવરણીય પ્લેટ
(24) એકબીજાથી દૂર થઈ રહેલી ભૂસંચલનીય પ્લેટોને શું કહેવામાં આવે છે? – અપસારી પ્લેટ
(25) એકબીજાની નજીક આવી રહેલી ભૂસંચલનીય પ્લેટોને શું કહેવામાં આવે છે? – અભિસારી પ્લેટ
(26) અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર શું થાય છે? – સ્તરભંગ અને ગેડીકરણ
(27) કરોડો વર્ષ પહેલાં ભારત કયા નામના પ્રાચીન વિશાળ ભૂમિખંડનો ભાગ હતો? – ગોંડવાનાલૅન્ડ
(28) હિમાલય પર્વતશ્રેણીનું નિર્માણ શામાંથી થયેલું છે? – ટેથિસ સમુદ્રમાંથી

યોગ્ય જોડકાં બનાવો: [પ્રત્યેક સાચા જોડકાનો 1 ગુણ]

1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભારતની પ્રમાણસમય રેખા 1. મલાક્કાની સામુદ્રધુની
2. કર્કવૃત્ત 2. 82°30′ પૂર્વ રેખાંશવૃત્ત
3. ઈન્ડોનેશિયા 3. દક્ષિણની દ્વીપકલ્પીય પ્રદેશ
4. ભારતનો પ્રાચીનતમ પ્રદેશ 4. 23°30′ ઉત્તર અક્ષાંશવૃત્ત
5. પાલ્કની સામુદ્રધુની

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભારતની પ્રમાણસમય રેખા 2. 82°30′ પૂર્વ રેખાંશવૃત્ત
2. કર્કવૃત્ત 4. 23°30′ ઉત્તર અક્ષાંશવૃત્ત
3. ઈન્ડોનેશિયા 1. મલાક્કાની સામુદ્રધુની
4. ભારતનો પ્રાચીનતમ પ્રદેશ 3. દક્ષિણની દ્વીપકલ્પીય પ્રદેશ

2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ 1. અરુણાચલ પ્રદેશ
2. ભારતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 2. ઈ. સ. 1869
3. ભારતમાં સૂર્યોદયની પ્રથમ શરૂઆત 3. 3214 કિમી
4. સુએઝ નહેરની શરૂઆત 4. ઈ. સ. 1902
5. 2933 કિમી

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ 3. 3214 કિમી
2. ભારતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 5. 2933 કિમી
3. ભારતમાં સૂર્યોદયની પ્રથમ શરૂઆત 1. અરુણાચલ પ્રદેશ
4. સુએઝ નહેરની શરૂઆત 2. ઈ. સ. 1869

3.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ 1. ભારત
2. સંસ્કૃતિનું સંગમતીર્થ 2. અરબ સાગર
3. ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં 3. ટેથિસ સાગર
4. ભારતીય દ્વીપકલ્પની પશ્ચિમમાં 4. દિલ્લી
5. બંગાળની ખાડી

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ 4. દિલ્લી
2. સંસ્કૃતિનું સંગમતીર્થ 1. ભારત
3. ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં 5. બંગાળની ખાડી
4. ભારતીય દ્વીપકલ્પની પશ્ચિમમાં 2. અરબ સાગર

4.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. અરબ સાગર 1. અભિસારી પ્લેટ
2. બંગાળની ખાડી 2. યુરેશિયન પ્લેટ
3. એકબીજાની નજીક આવી રહેલી પ્લેટો 3. અંદમાન-નિકોબાર ટાપુઓ
4. એકબીજાથી દૂર થઈ રહેલી પ્લેટો 4. લક્ષદ્વીપ ટાપુઓ
5. અપસારી પ્લેટો

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. અરબ સાગર 4. લક્ષદ્વીપ ટાપુઓ
2. બંગાળની ખાડી 3. અંદમાન-નિકોબાર ટાપુઓ
3. એકબીજાની નજીક આવી રહેલી પ્લેટો 1. અભિસારી પ્લેટ
4. એકબીજાથી દૂર થઈ રહેલી પ્લેટો 5. અપસારી પ્લેટો

કારણો આપી વિધાનો પૂરાં કરો: [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
ભારત ‘સંસ્કૃતિનું સમન્વયતીર્થ’ બન્યું છે, કારણ કે……….
ઉત્તર:
ભારતીય સંસ્કૃતિમાં જગતની ભિન્ન ભિન્ન પ્રજાનાં સાંસ્કૃતિક તત્ત્વોનું સંયોજન જોવા મળે છે.

પ્રશ્ન 2.
ભારતનો પ્રમાણસમય 82°30′ પૂર્વ રેખાંશના સ્થાનિક સમય મુજબ નક્કી કરવામાં આવ્યો છે, કારણ કે…………
ઉત્તર:
ભારતનો પૂર્વ-પશ્ચિમ રેખાંશીય વિસ્તાર આશરે 29° હોવાથી ભારતના પૂર્વ અને પશ્ચિમનાં દૂરનાં સ્થળોના સ્થાનિક સમયમાં આશરે બે કલાકનો ફરક છે. તેથી સમગ્ર ભારતનો પ્રમાણસમય 68° અને 97° થી સરખા અંતરે આવેલા મધ્યવર્તી 82°30′ પૂર્વ રેખાંશ પરના સ્થાનિક સમય મુજબ નક્કી કરવામાં આવ્યો છે.

પ્રશ્ન 3.
ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે, કારણ કે…………
ઉત્તરઃ
પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયા અને ઑસ્ટ્રેલિયાથી સુએઝ | માર્ગે યુરોપ અને અમેરિકા જતા દરિયાઈ માર્ગો અને હવાઈ માર્ગો ભારત પરથી કે ભારત પાસેથી પસાર થાય છે.

પ્રશ્ન 4.
ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે, કારણ કે………….
ઉત્તરઃ
ભારત લગભગ 7500 કિમી લાંબો સમુદ્રકિનારો અને મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે.

પ્રશ્ન 5.
સુએઝ નહેર શરૂ થવાથી ભારતને લાભ થયો છે, કારણ કે………….
ઉત્તરઃ
રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએઝ નહેર ઈ. સ. 1869માં શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિમી જેટલું ઓછું થયું છે. તેથી જળમાર્ગે યુરોપ, યુ.એસ.એ. અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થઈ છે.

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
ભારત દેશ કયાં કયાં અક્ષાંશવૃત્તો અને રેખાંશવૃત્તો વચ્ચે આવેલો છે?
ઉત્તરઃ
ભારતદેશ 8°4થી 37°6′ ઉત્તર અક્ષાંશવૃત્ત વચ્ચે અને 687થી 97°25′ પૂર્વ રેખાંશવૃત્ત વચ્ચે આવેલો છે.

પ્રશ્ન 2.
ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે?
ઉત્તર:
ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે.

પ્રશ્ન 3.
કયા અક્ષાંશવૃત્તને કર્કવૃત્ત કહે છે?
ઉત્તર:
23°30′ ઉત્તર અક્ષાંશવૃત્તને કર્કવૃત્ત કહે છે.

પ્રશ્ન 4.
ભારતમાં સૂર્યોદયની શરૂઆત કયા રાજ્યમાં થાય છે?
ઉત્તર:
ભારતમાં સૂર્યોદયની શરૂઆત ‘અરુણાચલ પ્રદેશ’માં થાય છે.

પ્રશ્ન 5.
ભારતનો પ્રમાણસમય કઈ રેખાંશ રેખા પરથી ગણાય છે?
ઉત્તર:
ભારતનો પ્રમાણસમય 82°30’ પૂર્વ રેખાંશવૃત્ત પરથી ગણાય છે.

પ્રશ્ન 6.
ભારતનું ક્ષેત્રફળ કેટલું છે?
ઉત્તર:
ભારતનું ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે.

પ્રશ્ન 7.
કયા કયા દેશો વિસ્તારમાં ભારતથી મોટા છે?
ઉત્તરઃ
રશિયા, કૅનેડા, યુ.એસ.એ., ચીન, બ્રાઝિલ અને ઑસ્ટ્રેલિયા દેશો વિસ્તારમાં ભારતથી મોટા છે.

પ્રશ્ન 8.
ભારતીય દ્વીપકલ્પની આસપાસ કયા કયા સમુદ્રો છે?
ઉત્તર:
ભારતીય દ્વીપકલ્પની પૂર્વે બંગાળની ખાડી, પશ્ચિમે અરબ સાગર અને દક્ષિણે હિંદ મહાસાગર છે.

પ્રશ્ન 9.
ભારત કયા ગોળાર્ધમાં આવેલો દેશ છે? ઉત્તર ભારત
ઉત્તર:
અને પૂર્વ ગોળાર્ધમાં આવેલો દેશ છે.

પ્રશ્ન 10.
ભારતનું સ્થાન ટૂંકમાં જણાવો.
ઉત્તર:
ભારત દક્ષિણ એશિયાની મધ્યમાં હિંદ મહાસાગરના શીર્ષસ્થ કેન્દ્રીય સ્થાને આવેલો છે.

પ્રશ્ન 11.
કયા કયા દેશોની સાથે સમુદ્રમાર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે?
ઉત્તરઃ
પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા અને પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્રમાગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહ્યો છે.

પ્રશ્ન 12.
ભારત અને યુરોપ વચ્ચેનું અંતર કઈ નહેરથી ઓછું થયું છે?
ઉત્તરઃ
ભારત અને યુરોપ વચ્ચેનું અંતર સુએઝ નહેરના માર્ગને લીધે આશરે 7000 કિલોમીટર જેટલું ઓછું થયું છે. (આ નહેર ભૂમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્રને જોડે છે.)

પ્રશ્ન 13.
ભારતમાં કુલ કેટલાં રાજ્યો અને કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે?
ઉત્તર:
ભારતમાં કુલ 29 રાજ્યો અને 6 સંઘશાસિત પ્રદેશો છે. (દિલ્લીનું રાજ્ય રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ છે.)

પ્રશ્ન 14.
ભારતની જમીનસીમાં કયાં ક્યાં રાજ્યો સાથે જોડાયેલી છે?
ઉત્તર:
ભારતની જમીનસીમા ઉત્તર-પશ્ચિમે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સાથે, ઉત્તર-પૂર્વે ચીન, તિબેટ, નેપાળ અને ભૂતાન સાથે તથા પૂર્વમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે.

પ્રશ્ન 15.
ભારતના પાડોશી દેશો કયા કયા છે?
ઉત્તર:
ભારતના પાડોશી દેશો : પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ચીન, તિબેટ, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, મ્યાનમાર અને માલદીવ

પ્રશ્ન 16.
ભારત અને શ્રીલંકા કઈ રીતે અલગ પડે છે?
ઉત્તરઃ
ભારત અને શ્રીલંકા પાલ્કની સામુદ્રધુની અને મનારના અખાત દ્વારા અલગ પડે છે.

પ્રશ્ન 17.
અરબ સાગરમાં ભારતનો કયો દ્વીપસમૂહ આવેલો છે?
ઉત્તર:
અરબ સાગરમાં ભારતનો ‘લક્ષદ્વીપ’ દ્વીપસમૂહ આવેલો છે.

પ્રશ્ન 18.
બંગાળની ખાડીમાં ભારતના કયા ટાપુઓ આવેલા છે?
ઉત્તર:
બંગાળની ખાડીમાં ભારતના ‘અંદમાન-નિકોબાર’ ટાપુઓ આવેલા છે.

પ્રશ્ન 19.
કઈ ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડ થાય છે?
ઉત્તર:
અપસરણ અને અભિસરણની ક્રિયાથી ભૂપૃષ્ઠ પર સ્તરભંગ અને ગેડ થાય છે.

પ્રશ્ન 20.
ગોંડવાનાલૅન્ડ નામના ભૂમિખંડમાં આજના કયા કયા : ખંડોનો સમાવેશ થયો હતો?
ઉત્તર:
ગોંડવાનાલૅન્ડ નામના ભૂમિખંડમાં આજના દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ઍન્ટાર્કટિકા ખંડોનો સમાવેશ થયો હતો.

પ્રશ્ન 21.
ગોંડવાનાલૅન્ડમાંથી કઈ મૃદાવરણીય પ્લેટ છૂટી પડી?
ઉત્તર:
ગોંડવાનાલૅન્ડમાંથી ‘ઇન્ડો-ઑસ્ટ્રેલિયન’ નામની મૃદાવરણીય પ્લેટ છૂટી પડી.

પ્રશ્ન 22.
હિમાલય પર્વતશ્રેણીનું નિર્માણ શામાંથી થયું?
ઉત્તર:
ઇન્ડો-ઑસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવાથી ટેથિસ સમુદ્રમાંથી હિમાલય પર્વતશ્રેણીનું નિર્માણ થયું.

નીચેના શબ્દોની સંકલ્પનાઓ સમજાવોઃ [પ્રત્યેકના 1 કે 2 ગુણો]

પ્રશ્ન 1.
ઉચ્ચપ્રદેશ અથવા ઉચ્ચપ્રદેશ એટલે શું?
ઉત્તર:
મેદાન કરતાં વધુ ઊંચાઈએ આવેલો સપાટ પ્રદેશ ઉચ્ચપ્રદેશ’ કહેવાય છે. દા. ત., દખ્ખણનો ઉચ્ચપ્રદેશ. કેટલાક ઉચ્ચપ્રદેશો સામાન્ય પર્વતો કરતાં પણ ઊંચા હોય છે. દા. ત., પામીર, તિબેટ અને બોલિવિયાના ઉચ્ચપ્રદેશો.

પ્રશ્ન 2.
સ્થાનિક સમય
અથવા
સ્થાનિક સમય એટલે શું?
ઉત્તર:
કોઈ પણ સમયે સૂર્ય આકાશમાં બરાબર માથા પર કે મહત્તમ ઊંચાઈએ આવે ત્યારે ત્યાં બપોરના 12 વાગ્યા ગણાય છે. આ પ્રમાણે ગણવામાં આવતા સમયને તે સ્થળનો “સ્થાનિક સમય’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 3.
દ્વીપ અથવા ‘દ્વિીપ’નો અર્થ સમજાવો.
ઉત્તર:
જેની બધી બાજુઓ સમુદ્ર કે પાણીથી ઘેરાયેલી હોય એવો ભૂખંડ ‘દીપ’, ‘ટાપુ’ કે ‘બેટ’ કહેવાય છે. દા. ત., દીવનો ટાપુ, લક્ષદ્વીપ ટાપુઓ.

પ્રશ્ન 4.
સમુદ્ર અથવા સમુદ્રની વ્યાખ્યા આપો.
ઉત્તરઃ
પાણીનો ખૂબ વિશાળ અને વિસ્તૃત જથ્થો ‘સમુદ્ર’, ‘સાગર’ કે ‘દરિયો’ કહેવાય છે. દા. ત., અરબ સાગર, રાતો સમુદ્ર, ભૂમધ્ય સમુદ્ર.

પ્રશ્ન 5.
વિષુવવૃત્ત અથવા વિષુવવૃત્ત એટલે કયું વૃત્ત?.
ઉત્તરઃ
પૃથ્વીની સપાટી પર મધ્યમાં પૂર્વ-પશ્ચિમ દિશામાં જતું 0° અક્ષાંશવૃત્ત વિષુવવૃત્ત’ કહેવાય છે. તે પૃથ્વીનું બે સરખા ગોળાર્ધમાં વિભાજન કરે છે. ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ.

પ્રશ્ન 6.
ઘાટ
ઉત્તરઃ
પર્વતને ઓળંગીને તેની આરપાર જવા માટે પહાડોની ખીણોનો માર્ગ ‘ઘાટ’ કહેવાય છે. દા. ત., થળઘાટ, બોરઘાટ, જેલાપલા, શિખી લો.

પ્રશ્ન 7.
સામુદ્રધુની
ઉત્તર:
બે મોટા સમુદ્રોને જોડતી ખાડી કે સમુદ્રની સાંકડી પટ્ટી ‘સામુદ્રધુની’ કહેવાય છે. દા. ત., પાલ્કની સામુદ્રધુની, મલાક્કાની સામુદ્રધુની.

પ્રશ્ન 8.
દશાંશપદ્ધતિ
ઉત્તર:

  1. વિવિધ પરિમાણો(માપ)ને દશકથી ગણવાની પદ્ધતિ ‘દશાંશપદ્ધતિ’ કહેવાય છે.
  2. સંખ્યાલેખનની દશાંશપદ્ધતિમાં આંકડાઓની કિંમત ડાબી બાજુએથી જમણી બાજુએ સ્થાન પ્રમાણે અનુક્રમે દશ દશ ગણી ઓછી થતી જાય છે, અર્થાત્ જમણી બાજુએથી ડાબી બાજુએ દશ દશ ગણી વધતી જાય છે.

પ્રશ્ન 9.
મૃદાવરણીય પ્લેટ
અથવા
મૃદાવરણીય પ્લેટનું નિર્માણ સમજાવો.
ઉત્તરઃ

  1. પૃથ્વીના પેટાળમાં થતા કિરણોત્સર્ગી ક્ષયને પરિણામે ઉદ્ભવતી ગરમી ઍસ્ટેનોસ્ફિયર(મિશ્રાવરણ)ના દ્રવિત ખડકોમાં ઉષ્ણતાનયનની ક્રિયાથી સંવહનિક તરંગો ઉત્પન્ન કરીને ભૂસપાટી તરફ જવાનો પ્રયત્ન કરે છે.
  2. તેના દબાણથી ઉપરનું પડ ફાટીને મોટા મોટા ટુકડાઓમાં વિભાજિત થાય છે. આ ટુકડાઓ ‘મૃદાવરણીય (લિથોસ્ફિરિક) પ્લેટ’ કહેવાય છે.

પ્રશ્ન 10.
ગોંડવાનાલૅન્ડ
અથવા
ગોંડવાનાલૅન્ડ કયા ખંડનું નામ હતું?
ઉત્તર:

  1. વિરાટ ભૂખંડ પેજીઆના પ્રથમ વિભાજનથી છૂટા પડેલા બે વિશાળ ખંડો પૈકી દક્ષિણ ગોળાર્ધમાં આવેલા ખંડને ભૂસ્તરશાસ્ત્રીઓએ ‘ગોંડવાનાલૅન્ડ’ નામ આપ્યું છે.
  2. તેમાં દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ઍન્ટાર્કટિકાનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 11.
નિમજ્જન અથવા નિમજ્જન એટલે શું?
ઉત્તરઃ

  1. પૃથ્વીના પોપડાના કોઈ પણ ભાગનું પેટાળ તરફ નીચે બેસી જવું ‘નિમજ્જન’ કહેવાય છે.
  2. ભારતીય ઉચ્ચપ્રદેશના પશ્ચિમ ભાગનું નિમજ્જન થવાથી અરબ સાગરનું નિર્માણ થયું છે.

પ્રશ્ન 12.
મેદાન અથવા કેવું ભૂમિસ્વરૂપ મેદાન કહેવાય છે?
ઉત્તરઃ

  1. સામાન્ય રીતે સમથળ અથવા બહુ ધીમા ઢોળાવવાળી જમીન ‘મેદાન’ કહેવાય છે.
  2. મોટા ભાગનાં મેદાનોની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 180 મીટરથી વધારે હોતી નથી. દા. ત., ઉત્તર ભારતનું મેદાન અને સમુદ્રકિનારાનાં મેદાનો.

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો [પ્રત્યેકના 2 ગુણો]

પ્રશ્ન 1.
ભારતનો પ્રમાણસમય 8230′ પૂર્વ રેખાંશના સ્થાનિક સમય મુજબ કેમ નક્કી કરવામાં આવ્યો છે?
ઉત્તરઃ

  1. ભારતનો પૂર્વ-પશ્ચિમ રેખાંશીય વિસ્તાર આશરે 29° (97° પૂ.રે. – 68° પૂ.રે.) છે. તેના કારણે ભારતનાં પૂર્વ અને પશ્ચિમનાં દૂરનાં સ્થળોના સ્થાનિક સમયમાં આશરે બે કલાકનો ફરક છે.
  2. તેથી સમગ્ર ભારતનો પ્રમાણસમય 68° અને 97થી સરખા અંતરે આવેલા મધ્યવર્તી 82°30′ પૂર્વ રેખાંશ પરના સ્થાનિક સમય પ્રમાણે રાખવામાં આવ્યો છે. આમ કરવાથી ભારતના કોઈ પણ સ્થળના સ્થાનિક સમય અને ભારતના પ્રમાણસમય વચ્ચે એક કલાકથી વધારે ફરક પડતો નથી.

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *