GJN 9th SST

Gujarat Board Solutions Class 9 Social Science Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

Gujarat Board Solutions Class 9 Social Science Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

GSEB Solutions Class 9 Social Science Chapter 20 આપત્તિ-વ્યવસ્થાપન

આપત્તિ-વ્યવસ્થાપન Class 9 GSEB

→ આપત્તિ-વ્યવસ્થાપનના નિષ્ણાતોએ આપત્તિઓના મુખ્ય બે પ્રકાર પાડ્યા છે :

  • કુદરતી આપત્તિઓ અને
  • માનવસર્જિત આપત્તિઓ.

→ પૂર, વાવાઝોડું, સુનામી, દુકાળ, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ વગેરે કુદરતી આપત્તિઓ છે; જ્યારે આગ, ઔદ્યોગિક અકસ્માત, બૉમ્બ વિસ્ફોટ, હુલ્લડ, ટ્રાફિક-સમસ્યા વગેરે માનવસર્જિત આપત્તિઓ છે.

→ કુદરતી આપત્તિઓ :
1. પૂરઃ વર્ષાઋતુમાં નદીના ઉપરવાસમાં એકધારો ભારે વરસાદ પડવાથી નદીમાં આવતો પાણીનો ધસમસતો પ્રવાહ ‘પૂર’ કહેવાય છે. પૂરને લીધે કિનારાના જમીન વિસ્તારો પાણીમાં ડૂબી જાય છે. પૂર આવે ત્યારે પોતાની કીમતી અને અંગત વસ્તુઓ લઈ સલામત સ્થળે જતા રહેવું; સ્વચ્છ પાણી, સૂકો નાસ્તો, ફાનસ, મીણબત્તી, દીવાસળીની પેટી, રેડિયો, મોબાઇલ વગેરે પોતાની પાસે રાખવાં; બાળકોને ભૂખ્યાં ન રાખવાં; પાણી ઉકાળીને જ પીવું; સાપ અને અન્ય જીવજંતુઓને દૂર રાખવા વાંસની લાકડી સાથે રાખવી. ખોરાક બનાવવા પૂરના પાણીનો ઉપયોગ ન કરવો તેમજ રસ્તાઓ અને પૂરની પરિસ્થિતિની ચોક્કસ માહિતી મેળવ્યા વિના સલામત સ્થળેથી નીકળવું નહિ.

2. વાવાઝોડું (ચક્રવાત) : હવાના અસમાન દબાણથી સર્જાતું વિનાશકારી વાવાઝોડું ભારતમાં ચક્રવાત, યુ.એસ.એ.માં હરિકેન અને ટૉર્નેડો તથા ચીન અને જાપાનમાં ટાઇકૂનના નામે ઓળખાય છે. ભારતના પૂર્વ કિનારે અને કચ્છ-સૌરાષ્ટ્રના કિનારે ચક્રવાત ત્રાટકે છે. વાવાઝોડું ફેંકાય ત્યારે ટી.વી.ના સમાચાર જોવા; રેડિયો પરથી પ્રસારિત થતા સમાચારો સાંભળવા અને તેનો અમલ કરવો; મોબાઇલ ચાર્જ કરી લેવા; અફવાઓને અનુસરવું નહિ; વધારાનો ખોરાક, સૂકો નાસ્તો, પીવાનું પાણી વગેરેનો સંગ્રહ કરવો; બધાં માટે દવાની જોગવાઈ કરવી; બચાવતંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવું; પીવા માટે શુદ્ધ પાણી વાપરવું; પાલતુ પ્રાણીઓને ખીલેથી છોડી દેવાં વગેરે. વાવાઝોડું ફૂંકાય ત્યારે ઊડી શકે એવી ચીજવસ્તુઓ છૂટી ન રાખવી; હવામાન વિભાગ દ્વારા અપાતી ચેતવણી

સિવાયની વાતો કે અફવાઓ ધ્યાનમાં ન લેવી; ખુલ્લામાં બહાર નીકળવું નહિ; વીજળીના થાંભલા કે વીજળીના છૂટા વાયરને એડકવું નહિ; જાહેરાતનાં મોટું પાટિયાં કે મોટાં વૃક્ષો નીચે ઊભા રહેવું નહિ વગેરે.

3. ભૂકંપ: પૃથ્વીના પેટાળમાં થતી ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાર્ટનો નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઊઠે છે. પૃથ્વી સપાટીની આ આકસ્મિક ધ્રુજારીને ‘ભૂકંપ કહે છે. ભૂકંપ થાય ત્યારે તમે શાળામાં હો તો પાટલીઓ કે ટેબલની નીચે બેસો, ખુલ્લામાં હો તો મકાનો, વરંડા, વીજળીના થાંભલા અને લાઇનોથી દૂર રહેવું, વાહન ચલાવતા હો તો પુલની નીચે કે ઉપર, વીજળીના થાંભલા કે વીજળીની લાઇન અને ટ્રાફિક સિગ્નલથી વાહન દૂર ઊભું રાખવું તથા વાહનમાં જ બેસી રહેવું, ભૂકંપના આંચકા પછી ઘરમાં નીચે પડી જાય એવી વસ્તુઓથી દૂર ઊભા રહેવું; રેડિયો પરથી પ્રસારિત થતા સમાચાર સાંભળવા વગેરે.

ભૂકંપ સમયે ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ ન કરવી; ઘરમાં નીચે પડતી વસ્તુઓને અટકાવવી નહિ; બહુમાળી મકાનમાંથી નીચે ઉતરવા લિફટનો ઉપયોગ ન કરવો; તમે ઘરમાં હો તો લાકડાનાં કબાટ, તિજોરી, અરીસા કે કાચના ઝુમ્મર નીચે ઊભા ન રહેવું; રસોઈ માટેના ગેસ લીકેજની ખાતરી કર્યા વિના ઘરમાં ધ્રવાસળી, લાઈટર કે વીજળીનાં સાધનો ચાલુ ન કરવાં, કારણ કે તેનાથી વિસ્ફોટ થઈ શકે છે; તબીબી સારવારની મદદ માટે અને આગની કટોકટી સિવાય ફોન ન કરવા વગેરે.

4. સુનામી ત્સુનામી શબ્દ જાપાનીઝ ભાષાનો છે, તેનો અર્થ વિનાશક મોજાં એવો થાય છે. સમુદ્રના પેટાળમાં જવાળામુખી ફાટવાથી કે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદનાં, શક્તિશાળી અને અસાધારણ લંબાઈનાં મોજાં ઉત્પન્ન થાય છે, તેને ‘સુનામી’ કહેવામાં આવે છે.

સુનામી સમયે સૂચના મળતાં જ ક્વિારાથી દૂર સલામત સ્થળે જતા રહેવું તેમજ રેડિયો પાસે રાખવો અને તેના દ્વારા મળતી સૂચનાઓ મુજબ વર્તવું. સુનામી સમયે સમુદ્રકિનારે આવેલાં ઊંચાં મકાનોમાં આશ્રય ન લેવો, કારણ કે તે વિનાશક મોજાથી ધરાશયી થઈ શકે છે. સુનામી ઓસરી જાય એ પછી તંત્ર દ્વારા સુચના મળે તે પહેલાં કિનારા તરફ ન જવું.

5. દુકાળ : વ સ્તુમાં વરસાદ આવે જ નહિ કે નહિવતુ વરસાદ આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય તેને ‘દુકાળ’ કહે છે. દુષ્કાળનો સામનો કરવા માટે ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવો; અનાજની માપબંધી કરવી તેમજ સસ્તા દરના અનાજના વિતરણની વ્યવસ્થા કરવી; ઉપલબ્ધ પાન્નીના પુરવઠાની વપરાશનું આયોજન કરવું; રાહતકામ શરૂ કરવાં; તાકીદનાં કામો સિવાયનાં બાંધકામનાં બીજાં કામો બંધ કરવાં વગેરે. અનાજનો બગાડ અટકાવવા મોટા ભોજનસમારંભો બંધ કરવા તેમજ સુખી અને સમૃદ્ધ લોકોએ અનાજ કે ઘાસચારાનો સંગ્રહ ન કરવો.

6. દાવાનળ : જંગલોમાં લાગતી ભયાનક અને વિનાશકારી આગ ‘દાવાનળ’ કહેવાય છે. ઘવાનળની ધટના માટે વીજળી પડવી સિવાયનાં બધાં કારણો માટે માણસ જ જવાબદાર છે. હવા અને જલદી સળગી શકે એવું ઈંધણ હને સૂકાં હોય તો દાવાનળ પ્રગટી શકે છે. ઘવાનળ ન પ્રગટે એ માટે જંગલની આસપાસ રહેતા લોકોએ વનવિભાગની સૂચનાઓ મુજબ જ વર્તવું; સૂકી ઋતુ દરમિયાન જંગલ વિસ્તારમાં પેટ્રોલિંગ ગોઠવવું તેમજ વનવિભાગના કર્મચારીઓને ઘવાનળ બુઝાવવાની વિશેષ તાલીમ આપવી.

દાવાનળ ન લાગે એ માટે વન વિસ્તારમાં પ્રવાસ કરતા લોકોએ સળગતી ચીજો તેમજ સિગરેટ-બીડીનાં ટૂંઠાં ગમે ત્યાં ન ફેંકવાં તથા જંગલ વિસ્તારની નજીક રહેતા લોકોએ વનવિભાગની સૂચનાઓ અવગણવી નહિ.

→ માનવસર્જિત આપત્તિઓઃ
1. ઔધોગિક અકસ્માત : સીદ્યોગિક વસાહતો, મિલો, કારખાનાં વગેરેમાં અકસ્માતો થાય છે. તેના માટે માનવીની ભૂલો જવાબદાર છે. ઔદ્યોગિક અકસ્માતોથી માણસો અને પશુઓની જાનહાનિ થાય છે તેમજ પર્યાવરણને મોટું નુકસાન થાય છે. ભોપાલ ગેંસકાંડ: મધ્ય પ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલમાં આવેલા યુનિયન કાર્બાઇડ નામના જંતુનાશક દવાઓ બનાવતા કારખાનાની ટાંકીઓમાંથી 3 ડિસેમ્બર, 1984ના રોજ મીક નામનો અત્યંત ઝેરી વાયુ લગભગ 45 મિનિટ સુધી લીક થતો રહ્યો. તેની જીવલેણ અસરથી કાઢેરના લગભગ 2500 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. લગભગ 10,000 જેટલા લોકો કાયમી વિકલાંગ બન્યા હતા, જ્યારે 1.5 લાખ જેટલા લોકો આંશિક વિકલાંગ બન્યા હતા.

ગેસ ગળતરની ઘટના ન બને તે માટે કારખાનામાં આધુનિક વૉર્નિગ સિસ્ટમ લગાડવી; સલામતીનાં ઉચ્ચ ધોરøનું ચુસ્તપણે પાલન કરવું; ગૅસ ગળતર શરૂ થાય તો ગૅસટેન્કરોને માનવવસાહતોથી દૂર લઈ જવાં : પવનની દિશા જોઈ તેનાથી વિરુદ્ધ દિશામાં દોડી જવું, શારીરિક તક્લીફો માટે નજીકના ડૉક્ટર પાસે જવું, બેહોશ કે અશક્ત બનેલી વ્યક્તિઓને તાત્કાલિક દૂર લઈ જવી; ફાયરબ્રિગેડ અને પોલીસતંત્રને જાણ કરવી; બચાવ કામગીરીમાં રોકાયેલાં વાહનોને અવરોધે નહિ તેમ લોકોએ પોતાનાં વાહનો મુક્વાં, બચાવ કામગીરી ચાલતી હોય ત્યારે બીજા લોકોએ એકઠા ન થવું, ગેસ ગળતરનો વિસ્તાર સંપૂર્ણ સલામત જાહેર ન થાય ત્યાં સુધી એ વિસ્તારમાં જવું નહિ; બચાવ કામગીરીનું પ્રશિક્ષણ અને તે માટેનો જરૂરી સરંજામ લીધા વિના બચાવ કામગીરીમાં જોડવું નહિ,

2. વિષાણુજન્ય રોગઃ ડેગ્ય, ઇબોલા, સ્વાઇન ફ્લ, ઇલુએન્ઝા વગેરે વિષાણુજન્ય રોગોથી હજારો લોકોનાં મૃત્યુ થયાં છે. અગાઉના સમયમાં પ્લેગ જેવા રોગથી લાખો લોકો અવસાન પામ્યા હતા. વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક શોધખોળો અને રોગપ્રતિકારક રસીઓ તેમજ બચાવ માટેનો શ્રેષ્ઠ સાધનોને લીધે રોગચાળાના પ્રકોપનો સામનો કરી શકાય છે, સપ્ટેમ્બર, 1994માં સુરત શહેરમાં પ્લેગના રોગચાળાને અને ઈ. સ. 2015માં ગુજરાત તથા દિલ્લી સહિત દેશના અન્ય ભાગોમાં પ્રસરેલા સ્વાઇન ફ્લના રોગચાળાને આરોગ્યતંત્રે ચાંપતાં પગલાં ભરી મોટી જાનહાનિ રોકવામાં સફળતા મેળવી હતી. વિષાણુજન્ય રોગોથી બચવા માટે રોગપ્રતિકારક રસી મુકાવવી; પ્રચાર માધ્યમો દ્વારા રોગોનાં તમામ પાસાંથી લોકોને માહિતગાર કરવા; હૉસ્પિટલોમાં ચેપી રોગની સારવાર માટે અલાયદા વૉર્ડની વ્યવસ્થા કરવી; વિશ્વ-આરોગ્ય સંસ્થાએ વિષાણુજન્ય રોગો અટકાવવા માટે આપેલી સુચનાઓ અને માર્ગદર્શન પ્રમાણે પગલાં લેવાં વગેરે.

3. આતંકવાદી હુમલો : જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શાસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અરાજકતા ફેલાવે છે તેઓ “આતંકવાદીઓ’ કહેવાય છે. તેમ ઊભું કરેલું વાતાવરણ આતંકવાદ” કહેવાય છે. આતંકવાદ ફેલાવવા આતંકવાદીઓ આ પ્રવૃત્તિઓ કરે છે :

  • આત્મઘાતી હુમલા કરવા
  • માનવબૉમ્બનો ઉપયોગ કરવો
  • બૉમ્બ ફેંકવા, રોકેટો છોડવાં અને સુરંગો બિછાવવી
  • હિટલિસ્ટ બનાવવું
  • વિમાનો હાઇજેક કરવાં
  • વ્યક્તિઓનું અપહરલ કરવું અને તેમને મારી નાખવી
  • માદક દ્રવ્યોની હેરાફરી કરી નાલ્લાં એકઠાં કરવાં
  • ધાર્મિક સ્થળો પર હુમલા કરવા
  • રેલગાડી કે બસમાં બોંબુ મૂકવા વગેરે.

આતંકવાદી હુમલાથી બચવા માટે કોઈ પણ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલની પોલીસને જાણ કરવી, જાહેર સ્થળોએ જોવા મળતી બિનવારસી વસ્તુઓને અડકવું નહિ, આ બાબતની જાણ એ સ્થળના સુરક્ષાકર્મીને કરવી, સુરકાના હેતુથી કરવામાં આવતી તપાસ કે અંગજડતીની પ્રક્રિયામાં સહકાર આપવો, ઘરના ભાડુઆત વિશેની નોંધ નજીકના પોલીસ સ્ટેશનમાં કરાવવી, જાહેર સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવા, બસ કે ટ્રેનમાં કોઈ બિનવારસી સામાન જોવા મળે તો તેની તાત્કાલિક રૅલતંત્રની જવાબદાર વ્યક્તિને જાણ કરવી, પાડોશમાં રહેતી એકલી વ્યક્તિ મોડી રાત સુધી કમ્યુટર પર શંકાસ્પદ કામ કરતી જોવા મળે તો તેની પોલીસતંત્રને જાણ કરવી, બિનવારસી વાહનોની પોલીસને જાણ કરવી.

આતંકવાદીઓને કોઈ તક ન મળે એ માટે અજાણી વ્યક્તિ કોઈ વસ્તુ કે પાર્સલ આપે તો લેવું નહિ, અજાણી વ્યક્તિને પૂરતી તપાસ ર્યા વિના ઘર ભાડે આપવું નહિ તેમજ અજાણી વ્યક્તિ સાથે ઘર, વાહન કે મોબાઇલની લે-વેચ કરવી નહિ.

વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓ:

  • 11 સપ્ટેમ્બર, 2001ના રોજ સવારે 19 જેટલા આતંકવાદીઓએ 4 ઉતારુ જૅટ વિમાનોનું અપહરણ કર્યું. તેમાંના બે વિમાનોને ન્યૂ યૉર્ક શહેરના વન . યવર (PTC) સાથે અથડાવ્યાં, તેનાથી લગભગ ત્રણ હજાર નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા; જ્યારે લગભગ છ હજારથી વધારે નાગરિકો ઘાયલ થયા.
  • 13 ડિસેમ્બર, 2001ના રોજ 5 આતંકવાદીઓએ રાજધાની દિલ્લીમાં ભારતના સંસદભવન પર સશસ્ત્ર હુમલો કર્યો. સંસદના સુરક્ષાદળના જવાનોએ જાનને હોડમાં મૂકી હુમલાને નિષ્ફળ બનાવ્યો. આતંકવાદીઓ સાથેની અથડામણમાં 8 જવાનો શહીદ થયા; જ્યારે 16 જવાનો ઘાયલ થયા.
  • 26 નવેમ્બર, 2008ની મોડી રાત્રે આતંકવાદીઓએ મુંબઈની જાણીતી હૉટલો પર અને ભારે ભીડવાળાં સ્થળોએ શ્રેણીબદ્ધ વિસ્ફોટે તથા અંધાધૂંધ ગોળીબાર કર્યા. તેમાં 166 જેટલા લોકો મૃત્યુ પામ્યા; જ્યારે 137 જેટલા લોકો ઘાયલ થયા.
  • ડિસેમ્બર 2014માં આતંકવાદીઓએ પાકિસ્તાનના પેશાવર શહેરની આર્મી સ્કૂલમાં આડેધડ ગોળીબાર કરી 132 જેટલાં નિર્દોષ બાળકો સહિત 141 જેટલા લોકોને મોતના મુખમાં ધકેલ્યા હતા.
  • 13-14 નવેમ્બર, 2015ના દિવસો દરમિયાન આતંકવાદીઓએ ફ્રાન્સની રાજધાની પેરિસ શહેરમાં 7 સ્થળોએ વિસ્ફોટો ક્યું. તેમાં 130 જેટલા માણસો મૃત્યુ પામ્યા; જ્યારે 368 જેટલા માણસો ઘાયલ થયા.

4. હુલ્લડ બુલડ સમયે અફવાઓથી દોરવાવું નહિ તેમજ તેને ફેલાતી અટકાવવી; મહોલ્લા કે પોળોમાં શાંતિ સમિતિઓ રચવી તેમજ અસરગ્રસ્તોને તમામ પ્રકારની મદદ પહોંચાડવી, હુલ્લડ સમયે અફવાઓ ફેલાવવામાં નિમિત્ત ન બનવું, સત્તાવાળાઓના આદેશો કે સંચારબંધીનું ઉલ્લંઘન કરવું નહિ તેમજ સોશિયલ મીડિયામાં આવતી આધારહીન અને ભ્રામક વાતો માનવી નહિ. તથા તેને ફેલાવવી નહિ,

5. ટ્રફ્રિક-સમસ્યા મોટાં શહેરોની સડકો પર એકબીજાની અડોઅડ ચાલતાં અને ગોકળગતિએ આગળ વધતાં વાહનોની પરિસ્થિતિ ‘ટ્રફિકજામ” કહેવાય છે. જ્યારે વાહનો સડક પર અટકી જાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. આ સમસ્યાને લીધે વાહનચાલકો, મુસાફરો અને રાહદારીઓ માનસિક તાણ અનુભવે છે,

સૂફિકજામ થતાં વાહનોમાંથી નીકળતો ધુમાડો અને મોટી માત્રામાં બહાર પડતાં મલિન દ્રવ્યોથી વાયુ અને અવાજનું પ્રદૂષણ જન્મે છે. પરિણામે તે વિસ્તારના લોકોના આરોગ્ય પર માઠી અસરો પડે છે તેમજ વનસ્પતિનો વિકાસ જોખમાય છે.

સમગ્ર વિશ્વમાં વધતા જતા શહેરીકરણને લીધે લગભગ બધાં મોટાં શહેરોમાં ‘ગ્રાફિકજામની સમસ્યા જોવા મળે છે.
ભારતની સડકો પર થતા અકસ્માતોમાં થતાં મૃત્યુનો આંક ઘણો ઊંચો છે, કેટલીક વાર સડક દુર્ઘટનામાં ભોગ બનનાર વ્યક્તિ ક્યારેક કાયમી અપંગ બને છે, ધોરી માર્ગો પર વાહનોના અતિશય ભારણથી અને અનિયંત્રિત ગતિના કારણે મોટી દુર્ઘટનાઓ સર્જાય છે.

વધુ પડતા ટ્રાફિકથી સમય અને ઈંધલનો મોટી માત્રામાં બગાડ થાય છે. સમયસર અસરકારક પગલાં, પરિવહન વ્યવસ્થાનું આગોતરું આયોજન અને ટ્રાફિકના નિયમોના પાલન માટેની પ્રતિબદ્ધતા – આ બાબતોથી ટ્રાફિકની સમસ્યાને હળવી બનાવી શકાય છે. નહિતર આ સમસ્યાથી આગામી દિવસોમાં અનેક લોકોની જિંદગી જોખમમાં મુકાશે એ ચોક્કસ છે,

→ આપત્તિઓની માનવજીવન પર થતી અસરો :
1. ભૌતિક અસરો :

  • મિલકતોને ભારે નુકસાન થાય છે.
  • આંતરમાળખાકીય સગવડોને ક્ષતિ પહોંચે છે, તેમના પુનઃનિર્માસ્ત્રમાં ખર્ચનું નવેસરથી આયોજન કરવું પડે છે.
  • પૂરને લીધે ઊભો પાક ધોવાઈ જાય છે. ફળદ્રુપ જમીનનું ધોવાણ થતાં ખેતીનું ઉત્પાદન ધટી જાય છે. કિનારા પરની માલમિલકતને અતિ નુક્સાન પહોંચે છે તેમજ જાનહાનિ થાય છે.

2. જનજીવન પર થતી અસરો :

  • આબાલવૃદ્ધનું અકાળે અવસાન થાય છે; કેટલાય લોકો વિકલાંગ બને છે. તંદુરસ્ત માણસોનું વાસ્થ બગડે છે.
  • સ્વજનો ગુમાવવાથી કુટુંબીજનો માનસિક સ્વસ્થતા ગુમાવે છે.
  • અનાથ બાળકોની અને નિરાધાર વૃદ્ધોની હાલત કફોડી બને છે.
  • સામાન્ય લોકોને મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવી પડે છે.

3. આર્થિક અસરો :

  • નવેસરથી બાંધકામો કરવા માટે નાણાંની જરૂર પડે છે, તેથી વિકાસનાં ચાલુ કામ બંધ કરવાં પડે છે. ચાલ યોજનાઓ વિલંબમાં મુકાય છે.
  • ઔદ્યોગિક એકમો બંધ થતાં કામદારોની બેરોજગારીનો પ્રશ્ન વિકટ બને છે.
  • અસરગ્રસ્ત લોકોની આર્થિક સ્થિતિ નબળી પડે છે,

4. સામાજિક અસરોઃ

  • ભયભીત બનેલા લોકોનું સ્થળાંતર થતાં સામાજિક સંબંધોના તાણાવાણા કમજોર બને છે.
  • ધાર્મિક ઉત્સવોની ઉજવણી નીરસ બને છે, લોકોમાં તહેવારનો આનંદઉત્સાહ પ્રગટૅ થતાં સમય લાગે છે. સામાજિક સંબંધોમાં પરિવર્તન આવતાં સામાજિક સંસ્થાઓનું માળખું શિથિલ બને છે.

GSEB Class 9 Social Science આપત્તિ-વ્યવસ્થાપન Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ આપો :

પ્રશ્ન 1.
પૂર સમયે શું કરવું જોઈએ?
ઉત્તર:
પૂર સમયે બચવા માટેના પ્રયત્નો નીચે મુજબ છેઃ

  • પોતાની કમતી અને અંગત વસ્તુઓ લઈને કોઈ સલામત સ્થળે આશ્રય લેવો.
  • સ્વચ્છ પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, ફાનસ, ભેજ ન લાગે એ માટે પ્લાસ્ટિકની ડબીમાં દીવાસળીની પેટી વગેરે વસ્તુઓ સાથે રાખવી.
  • બાળકોને ભૂખ્યાં ન રાખવાં.’
  • પૂર ઓસરી ગયા પછી પાણી ઉકાળીને પીવું.
  • રેડિયો અને મોબાઇલ ફોન અવશ્ય સાથે રાખવા.
  • સાપ કે અન્ય જીવજંતુઓથી સાવધાન રહેવું. તે કોરી અને સૂકી જગ્યામાં આવી શકે છે. તેમને હટાવવા વાંસની લાકડી સાથે રાખવી.

પ્રશ્ન 2.
સુનામી વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તરઃ
‘સુનામી’ (Tsunami) જાપાનીઝ ભાષાનો શબ્દ છે. સ્’ એટલે બંદર અને ‘નામી’ એટલે મોજાં.

  • સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં 7ની તીવ્રતાથી વધારે તીવ્રતાવાળો ભૂકંપ આવવાથી અથવા સમુદ્રી જ્વાળામુખી ફાટવાથી કે સમુદ્રીય ભૂસ્મલનથી સમુદ્ર કે મહાસાગરની સપાટી પર ખૂબ વિશાળ કદનાં, શક્તિશાળી અને અસાધારણ લંબાઈનાં વિનાશક મોજાં ઉત્પન્ન થાય છે. તેને ‘સુનામી’ કહેવામાં આવે છે.
  • ઘણું કરીને સુનામીની ઉત્પત્તિ સમુદ્રના પેટાળમાં થતા ભૂકંપ દ્વારા થાય છે. તેથી સુનામીને ભૂકંપીય સાગરમોજાં તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • સમુદ્રમાં ભૂકંપ થાય ત્યારે ભૂકંપકેન્દ્રની નજીક સુનામીની અસર ઓછી જણાય છે, પરંતુ આ મોજાં કિનારા પાસે પહોંચતાં ખૂબ ભયાનક બની જાય છે. કિનારા સુધી પહોંચતાં સુનામી મોજાં ક્યારેક 30 મીટર જેટલાં ઊંચાં બની જાય છે.
  • ત્સુનામી મોજાં સમુદ્રકિનારા તરફ એક પછી એક હારબંધ આવતાં રહે છે. સમુદ્રના છિછરા ક્ષેત્રમાંથી પસાર થતાં તે વિનાશક બને છે.
  • તેની ઝડપ કિનારા પાસે ઓછી થઈ જાય છે; જ્યારે ઊંચાઈ વધી જાય છે ત્યારે કિનારાના પ્રદેશોમાં સુનામી મોજાં પાણીની એક ઊંચી દીવાલ બનીને આગળ વધે છે અને ભારે વિનાશ સર્જે છે.
  • 26 ડિસેમ્બર, 2004ના રોજ ભારતે અને 11 માર્ચ, 2011ના રોજ જાપાને ત્સુનામીની ભયંકર હોનારતનો અનુભવ કર્યો છે.

પ્રશ્ન 3.
ગેસ ગળતર સમયે શું ન કરવું જોઈએ?
ઉત્તર:

  • ગેસ ગળતર સમયે બચાવ કામગીરી ચાલતી હોય ત્યારે બીજા લોકોએ ત્યાં એકઠા થવું નહિ.
  • સત્તાવાળાઓ તરફથી ગેસ ગળતરનો વિસ્તાર સંપૂર્ણપણે સલામત જાહેર ન થાય ત્યાં સુધી તેમાં કોઈએ પ્રવેશ કરવો નહિ.
  • બચાવ કામગીરીની સંપૂર્ણ જાણકારી અને તે માટેના આવશ્યક સરંજામ વગર બચાવની કામગીરીમાં જોડાવું નહિ.

પ્રશ્ન 4.
વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો લખો.
ઉત્તર:
વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયો નીચે મુજબ છે :

  • ચેપ ન લાગે તે માટે રોગપ્રતિકારક રસી મુકાવવી.
  • વર્તમાનપત્રો, સામયિકો, ચોપાનિયાં, ભીંતપત્રો વગેરે માધ્યમો દ્વારા રોગોનાં લક્ષણો, કારણો, બચાવ માટેના ઉપચારો, પરિણામો વગેરેથી લોકોને માહિતગાર કરવા.
  • નાની-મોટી હૉસ્પિટલોમાં ચેપી રોગની સારવાર માટે અલાયદા વૉર્ડની વ્યવસ્થા કરવી.
  • વિશ્વ-આરોગ્ય સંસ્થા (WHO)એ વિષાણુજન્ય રોગો અટકાવવા માટે આપેલી સૂચનાઓ અને માર્ગદર્શન પ્રમાણે પગલાં લેવાં.

પ્રશ્ન 5.
‘રફિકજામ’ એટલે શું? તેની અસરો કઈ કઈ છે?
ઉત્તર:
મોટાં શહેરોની સડકો પર વાહનોને અડોઅડ ચાલતાં અને ગોકળગાયની જેમ આગળ વધતાં હોય એવી પરિસ્થિતિને “ટ્રાફિકજામ કહે છે. જ્યારે વાહનવ્યવહારનાં સાધનો સડક પર અટકી જાય છે ત્યારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે. મોટાં શહેરોની વ્યસ્ત સડકો પર ટ્રાફિકજામની સમસ્યા વારંવાર સર્જાય છે.
ટ્રાફિકજામની મુખ્ય અસરો નીચે પ્રમાણે છે :

  • વાહનચાલકો, મુસાફરો અને રાહદારીઓ માનસિક તાણ અનુભવે છે.
  • ટ્રાફિકજામ પર નિયંત્રણ લાવતાં કે માર્ગવ્યવહારને ફરીથી શરૂ કરતાં ઘણો સમય લાગે છે. પરિણામે સમયનો બગાડ થાય છે.
  • ટ્રાફિકજામ થતાં વાહનોમાંથી નીકળતો હાનિકારક ધુમાડો અને મોટી માત્રામાં બહાર પડતાં મલિન દ્રવ્યોથી વાયુ અને અવાજ-પ્રદૂષણ જન્મે છે. પરિણામે તે વિસ્તારમાં રહેતા લોકોનું આરોગ્ય જોખમાય છે તેમજ વનસ્પતિનાં વૃદ્ધિ-વિકાસ જોખમાય છે, અટકી પડે છે.
  • રાહત અને બચાવની કામગીરીમાં ફરજ બજાવતાં 108 ઍબ્યુલન્સ’ જેવાં વાહનો અટકાઈ જતાં દર વર્ષે સેંકડો દર્દીઓને પોતાના જાન ગુમાવવા પડે છે.
  • વધુ પડતા ટ્રાફિકજામથી સમય અને ઈંધણનો દુર્વ્યય થાય છે.

2. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો :

પ્રશ્ન 1.
આપત્તિની માનવજીવન પર થતી અસરો સવિસ્તર વર્ણવો.
ઉત્તર:
આપત્તિની માનવજીવન પર થતી અસરો નીચે પ્રમાણે છે :
1. આપત્તિની ભૌતિક અસરો: સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે કે નાશ પામે છે.

  • રસ્તાઓ, પુલો, વીજળી, ગૅસ જેવી આંતરમાળખાકીય સગવડોને મોટી ક્ષતિ પહોંચે છે. તેમનું પુનઃનિર્માણ કરતાં સમય લાગે છે તેમજ ખર્ચનું ફરીથી આયોજન કરવું પડે છે.
  • પૂરને લીધે ઊભો પાક ધોવાઈ જાય છે. વળી, ખેતીની ફળદ્રુપ જમીનોનું ભારે ધોવાણ થાય છે, જેથી લાંબા ગાળે ખેતીનું ઉત્પાદન ઘટી જાય છે.
  • નદીમાં અચાનક ઘોડાપૂર આવે છે ત્યારે કિનારા પરની માલમિલકતને અતિ નુકસાન પહોંચે છે તેમજ જાનહાનિ થાય છે.

2. આપત્તિની જનજીવન પર થતી અસરોઃ

  • નિર્દોષ બાળકો અને સ્ત્રી-પુરુષોનું અકાળે અવસાન થાય છે. કેટલાય લોકો કાયમી વિકલાંગ બને છે.
  • તંદુરસ્ત માણસોનું સ્વાથ્ય બગડે છે.
  • આપત્તિમાં સ્વજનો ગુમાવવાથી કુટુંબીજનો ભારે આઘાત અને હતાશા અનુભવે છે. તેઓ માનસિક સ્વસ્થતા ગુમાવે છે. માનસિક ર યાતનામાંથી બહાર આવવામાં તેઓને ઘણો સમય લાગે છે.
  • અનાથ બનેલાં બાળકોની અને નિરાધાર બનેલા વૃદ્ધોની હાલત કફોડી બને છે. તેઓની સારસંભાળનો બંદોબસ્ત કરવો ઘણો કઠિન છે.
  • રાબેતા મુજબનું જીવન ખોરવાઈ જતાં સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવી પડે છે.

3. આપત્તિની આર્થિક અસરો:

  • આપત્તિ પછી નવેસરથી બાંધકામો કરવા માટે નાણાંની જરૂર પડે છે, તેથી વિકાસનાં ચાલુ કામ બંધ કરવાં પડે છે.
  • નાણાંની અછત ઊભી થતાં ચાલુ યોજનાઓ વિલંબમાં મુકાય છે.
  • ઓદ્યોગિક એકમો ફરીથી ચાલુ કરવામાં આવે ત્યાં સુધી કામદારોની બેરોજગારીનો પ્રશ્ન વિકટ બને છે.
  • આપત્તિગ્રસ્ત વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ નબળી પડે છે.

4. આપત્તિની સામાજિક અસરો:

  • આપત્તિગ્રસ્ત વિસ્તારના ભયભીત થયેલા લોકો સ્થળાંતર કરે છે.
  • તેથી એ વિસ્તારના સામાજિક સંબંધોના તાણાવાણા કમજોર બને છે.
  • ધાર્મિક ઉત્સવોની જાહેર ઉજવણીના પ્રસંગો અગાઉની સરખામણીમાં નીરસ બને છે. લોકોમાં તહેવારનો આનંદ, ઉમંગ અને ઉત્સાહ પ્રગટ થતાં સમય લાગે છે.
  • સામાજિક સંબંધોમાં પરિવર્તન આવવાથી સામાજિક સંસ્થાઓનું માળખું શિથિલ બને છે.

પ્રશ્ન 2.
આપત્તિ પછીનું પુનઃસ્થાપન- નોંધ કરો.
ઉત્તરઃ
આપત્તિ પછી સૌપ્રથમ આપત્તિગ્રસ્ત લોકોને શક્ય તેટલી ઝડપથી બચાવવાના હોય છે. એ પછી તેઓને રાહતસામગ્રી પહોંચાડવાની હોય છે અને છેલ્લે તેઓનું પુનર્વસન કરવાનું હોય છે.

  • આપત્તિઓના સ્વરૂપ પ્રમાણે પુનઃસ્થાપનની જરૂરિયાતોના પ્રકાર જુદા જુદા હોય છે.
  • ભૂકંપ, પૂર કે વાવાઝોડા પછી મોટા પાયા પર નવાં મકાનો બાંધવા પડે છે.
  • દુષ્કાળના સમયે રાહતનાં નવાં કામો શરૂ કરવાં પડે છે. દુષ્કાળ પછીના સમયમાં લોકોને આર્થિક રક્ષણ આપવા માટે નવી રોજગારીઓ ઊભી કરવી પડે છે.
  • નવેસરથી ખેતી કરવા માટે ખેડૂતોને ખેતીનાં ઓજારો, બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરે ખરીદવા આર્થિક મદદ કરવી પડે છે.
  • વિષાણુજન્ય રોગચાળા પછી લોકો ભવિષ્યમાં રોગચાળાનો ભોગ ન બને એ માટે લોકશિક્ષણ અને લોકજાગૃતિના કાર્યક્રમો યોજવા પડે છે.
  • આંતરમાળખાગત સુવિધાઓનું પુનઃનિર્માણ કરવું પડે છે.
  • આપત્તિમાંથી બચેલી કુટુંબની માત્ર એક-બે વ્યક્તિઓના જીવનને પુનઃ ધબકતું કરવા સઘન પ્રયાસો કરવા પડે છે.
  • આપત્તિએ વેરેલા વિનાશને નજરે જોનારી વ્યક્તિઓને માનસિક આઘાતમાંથી બહાર લાવવા તેઓને મનોચિકિત્સક ડૉક્ટરોની સમયસર સારવાર આપવી પડે છે. જો તેઓની સારવાર કરવામાં ન આવે તો લાંબા ગાળે તેમના તન-મન પર માઠી અસરો થાય છે.
  • આપત્તિને કારણે કાયમી વિકલાંગ બનેલા લોકોની આજીવિકા માટે તેમને અનુકૂળ વ્યવસાયી તાલીમની વ્યવસ્થા કરવી પડે છે. આમ, આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન એક પડકારરૂપ કાર્ય છે. પરંતુ યોગ્ય આયોજન કરી, તેનો તબક્કાવાર ઝડપી અમલ કરવાથી તેને સફળતાથી પૂરું કરી શકાય છે.

પ્રશ્ન 3.
ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે શું શું કરવું જોઈએ?
ઉત્તર:
ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે નીચે દર્શાવેલા ઉપાયો કરવા જોઈએ:

  1. મોટાં શહેરોની નજીક ઉપનગરો વિકસાવવા અને તેને સુવિધાજનક જાહેર પરિવહન સેવાથી સઘન રીતે સાંકળવાં.
  2. રાહદારીઓ અને સાઇકલ-સવારો માટે સડકની સાથે અલગ ટ્રેક બનાવવા.
  3. જાહેર સડકો પર થતાં દબાણો નાબૂદ કરવાં.
  4. ધીમી ગતિએ ચાલતાં વાહનો, પ્રાણીઓ કે વ્યક્તિઓ દ્વારા ખેંચાતાં વાહનોને પીક-અવર્સ દરમિયાન ચલાવવા પર પ્રતિબંધ મૂકવો.
  5. નાગરિકોને પરિવહનને લગતા નિયમોની જાણકારી, શિક્ષણ, જાહેરખબરો અને જનજાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી આપવી.
  6. એક જ સ્થળે અને એક જ સમયે નોકરી કે ધંધા પર જતી વ્યક્તિઓએ પોતાના અલાયદા વાહનને બદલે એક જ વાહન(Car Pull)માં જવાનું ગોઠવવું.
  7. સડક પર થતાં ખોદકામ અને મરામતનાં કામ શક્ય તેટલી ઝડપે પૂરાં કરવાં.
  8. સરઘસો, વરઘોડા કે શોભાયાત્રાઓ પીક-અવર્સને બદલે હળવા વાહનવ્યવહારના સમયે કાઢવાની પ્રથા પાડવી.
  9. ટ્રાફિકજામના સમયે પોતાના વાહનને નક્કી કરેલ લેન(Lane)માં જ રાખવું.
  10. ઝડપી ગતિમાર્ગ, ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રિંગ રોડ અને બાયપાસની સુવિધાઓનું નિર્માણ કરવું.
  11. કામધંધા પર જતી પ્રત્યેક વ્યક્તિએ સપ્તાહમાં એક દિવસ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ અવશ્ય કરવો.
  12. સીટબેલ્ટ તથા હેભેટનો ઉપયોગ કરવો.
  13. નશો કરી વાહન હાંકનાર, લાઇસન્સ વિનાના વાહન ચલાવવું, ખૂબ ગતિથી વાહન ચલાવવું તથા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું વગેરે બાબતો માટે કડક કાયદાકીય શિક્ષાની જોગવાઈ કરવી.
  14. વાહનચાલકે વાહનના જરૂરી કાગળો (R.C. Book, PUC પ્રમાણપત્ર) વાહનમાં સાથે રાખવા.
  15. વાહનચાલકે પોતાના વાહનને R.T.O. માન્ય નંબર પ્લેટ લગાવવી.
  16. વાહનમાં પ્રાથમિક ઉપચાર પેટી (First Aid Box) રાખવી.
  17. વાહનચાલકે સાઈડ મીરરનો ઉપયોગ કરવો તેમજ તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન વાહન ચલાવવામાં જ રાખવું.
  18. દરવાજા બંધ થયાની ચકાસણી કર્યા પછી જ વાહન હંકારવું.
  19. વાહન થોભાવતાં પહેલાં પાર્કિંગ લાઇટ અચૂક ચાલુ કરવી.
  20. નાનાં વાહનો અને રાહદારીઓની સુગમતા માટે રાત્રિના સમયે ડીપર(Low Beam)નો ઉપયોગ કરવો.
  21. વાહન ચલાવતી વખતે વાહનચાલકે બૂટ પહેરવા.
  22. ધીમી ગતિએ ચાલતાં વાહનો હંમેશાં રસ્તાની છેક ડાબી બાજુએ ચલાવવાં.
  23. હંમેશાં જમણી બાજુએથી જ ઑવરટેઇક કરવું.

3. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો :

પ્રશ્ન 1.
નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત છે?
A. ભૂકંપ
B. ચક્રવાત
C. પૂર
D. હુલ્લડ
ઉત્તર:
D. હુલ્લડ

પ્રશ્ન 2.
મોટે ભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે?
A. નદી
B. મહાસાગર
C. પર્વત
D. ટાપુ
ઉત્તર:
A. નદી

પ્રશ્ન 3.
પૂર ઓસર્યા બાદ પીવા માટે કેવું પાણી વાપરશો?
A. બે વાર ગાળેલું
B. વહેતા પ્રવાહનું
C. ચોખ્ખું દેખાતું
D. ઉકાળેલું
ઉત્તર:
D. ઉકાળેલું

પ્રશ્ન 4.
વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં ……………….
A. ટાઇફૂન
B. હોનાવર
C. વિલિ-વિલિ
D. ટૉર્નેડો
ઉત્તર:
D. ટૉર્નેડો

પ્રશ્ન 5.
સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં …………………….
A. ભરતી મોજાં
B. ભમ્મરિયાં મોજાં
C. વિનાશક મોજાં
D. ભૂકંપીય મોજાં
ઉત્તર:
C. વિનાશક મોજાં

પ્રશ્ન 6.
ભોપાલ ગેસકાંડમાં ગળતર થયેલો વાયુ ……………
A. ઓઝોન
B. મીક
C. સલ્ફર ડાયૉક્સાઈડ
D. મિથેન
ઉત્તરઃ
B. મીક

GSEB Class 9 Social Science આપત્તિ-વ્યવસ્થાપન Important Questions and Answers

નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો:

પ્રશ્ન 1.
પૂરની ઘટના ………………………. સાથે જોડાયેલી છે.
A. પર્વત
B. નદી
C. ભૂકંપ
ઉત્તરઃ
B. નદી

પ્રશ્ન 2.
વાવાઝોડું જાપાનમાં ………………………….. નામે ઓળખાય છે.
A. હરિકેન
B. ટૉર્નેડો
C. ટાઈફૂન
ઉત્તરઃ
C. ટાઈફૂન

પ્રશ્ન 3.
ભૂકંપથી બચવા માટે નવાં મકાનો ભૂકંપ ……………………… તરાહનાં બનાવવાં જોઈએ.
A. પ્રતિરોધક
B. પ્રતિશોધક
C. નિરોધક
ઉત્તરઃ
A. પ્રતિરોધક

પ્રશ્ન 4.
સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં ……………………………. થાય છે.
A. તોફાની મોજ
B. વિનાશક મોજાં
C. ઝડપી મોજ
ઉત્તરઃ
B. વિનાશક મોજાં

પ્રશ્ન 5.
જંગલોમાં લાગી આગ ……………………… કહેવાય છે.
A. દાવાનળ
B. જંગલી આગ
C. જ્વલનશીલ આગ
ઉત્તરઃ
A. દાવાનળ

પ્રશ્ન 6.
યુનિયન કાર્બાઇડ કારખાનામાં જંતુનાશક દવાઓના ઉત્પાદનની પ્રક્રિયામાં ………………………….. નામનો ઝેરી વાયુ વપરાતો હતો.
A. નીક
B. કાર્બન
C. મીક
ઉત્તરઃ
C. મીક

પ્રશ્ન 7.
13 ડિસેમ્બર, 2001ના રોજ 5 આતંકવાદીઓએ દિલ્લીમાં ………………………….. પર હુમલો કર્યો હતો.
A. લાલ કિલ્લા
B. ભારતીય સંસદ
C. ગેઇટ વે ઑફ ઇન્ડિયા
ઉત્તરઃ
B. ભારતીય સંસદ

પ્રશ્ન 8.
આપત્તિઓ પછીનું …………………………… આ એક પડકારજનક કાર્ય છે.
A. પુનઃસ્થાપન
B. વિસ્થાપન
C. નિર્માણ
ઉત્તરઃ
A. પુનઃસ્થાપન

પ્રશ્ન 9.
અમેરિકામાં વાવાઝોડું …………………….. અને ……………………….. નામે ઓળખાય છે.
A. હરિકેન, ટાઇફૂન
B. હરિકેન, ટૉર્નેડો
C. ટાઈફૂન, ટૉર્નેડો
ઉત્તરઃ
B. હરિકેન, ટૉર્નેડો

પ્રશ્ન 10.
બહુધા પૃથ્વીના પેટાળમાં થતી ……………………….. ક્રિયાઓને પરિણામે ભૂકંપો અનુભવાય છે.
A. ભૂકંપીય
B. ભૂકંપનીય
C. ભૂગર્ભિક
ઉત્તરઃ
C. ભૂગર્ભિક

પ્રશ્ન 11.
સમુદ્રમાં પેદા થતાં વિનાશક શક્તિશાળી મોજાંને ……………………………. કહે છે.
A. સુસુકી
B. સુત્સુકી
C. સુનામી
ઉત્તરઃ
C. સુનામી

પ્રશ્ન 12.
…………………………… ની પરિસ્થિતિ પાણીના અભાવને લીધે સર્જાય છે.
A. ભૂખમરા
B. અછત
C. જાનહાનિ
ઉત્તરઃ
B. અછત

પ્રશ્ન 13.
વધુ પડતા ટ્રાફિકથી ………………………. અને ……………………. નો મોટી માત્રામાં બગાડ થાય છે.
A. સમય, ઈંધણ
B. સમય, નાણાં
C. ઈંધણ, નાણાં
ઉત્તરઃ
A. સમય, ઈંધણ

પ્રશ્ન 14.
આપત્તિ બાદ ……………………… માટે મોટા પ્રમાણમાં નાણાંભંડોળની વ્યવસ્થા કરવી પડે છે.
A. સુવિધાઓ
B વ્યવસ્થા
C. પુનઃનિર્માણ
ઉત્તરઃ
C. પુનઃનિર્માણ

પ્રશ્ન 15.
વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો ભારતીય ઉપમહાદ્વીપમાં કયા નામે ઓળખાય છે?
A. ટાઈફૂન
B. ચક્રવાત
C. હરિકેન
D. ટૉર્નેડો
ઉત્તર:
B. ચક્રવાત

પ્રશ્ન 16.
વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકાયૂ.એસ.એ.)માં કયા નામે ઓળખાય છે?
A. હેરિઝોન
B. હરિકેન
C. ટાઈફૂન
D. હોનાવર
ઉત્તર:
B. હરિકેન

પ્રશ્ન 17.
વાતાવરણના વિક્ષોભથી-રચાતા તોફાની પવનો જાપાનમાં કયા નામે ઓળખાય છે?
A. ટૉર્નેડો
B. હરિકેન
C. ટાઈફૂન
D. ટેરેરિઝના
ઉત્તર:
C. ટાઈફૂન

પ્રશ્ન 18.
સુનામીની ઉત્પત્તિ મોટે ભાગે …
A. સમુદ્રતળના ભૂકંપો દ્વારા જ થાય છે.
B. સમુદ્રી ટાપુ ડૂબી જવાથી જ થાય છે.
C. ધોધમાર વર્ષોથી જ થાય છે.
D. પ્રચંડ વાતાવરણીય તોફાનો દ્વારા જ થાય છે.
ઉત્તર:
B. સમુદ્રી ટાપુ ડૂબી જવાથી જ થાય છે.

પ્રશ્ન 19.
26 ડિસેમ્બર, 2004ના રોજ કયા મહાસાગરમાં આવેલા છે મહાવિનાશક સુનામીએ આશરે 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો?
A. પૅસિફિક મહાસાગર
B. હિંદ મહાસાગર
C. ઉત્તર ઍટલૅટિક મહાસાગર
D. દક્ષિણ ઍટલૅટિક મહાસાગર
ઉત્તર:
B. હિંદ મહાસાગર

પ્રશ્ન 20.
પાણીના અભાવને લીધે કઈ પરિસ્થિતિ સર્જાય છે?
A. અનાજના બગાડની
B. અછતની
C. છતની
D. તબીબી સારવારની
ઉત્તરઃ
B. અછતની

પ્રશ્ન 21.
ભોપાલ ગૅસકાંડ ક્યા રાજ્યમાં બન્યો હતો?
A. મહારાષ્ટ્ર
B. ઉત્તર પ્રદેશ
C. હરિયાણા
D. મધ્ય પ્રદેશ
ઉત્તરઃ
D. મધ્ય પ્રદેશ

પ્રશ્ન 22.
નીચેનામાંથી ક્યો રોગ વિષાણુજન્ય રોગ નથી?
A. ઇન્ફલુએન્ઝા
B. ઇબોલા
C. ડે…
D. પ્લેગ
ઉત્તરઃ
D. પ્લેગ

પ્રશ્ન 23.
11 સપ્ટેમ્બર, 2001ના રોજ કયા દેશમાં આતંકવાદી સંગઠન દ્વારા શ્રેણીબદ્ધ આત્મઘાતી હુમલાઓ થયા હતા?
A. સંયુક્ત રાજ્ય અમેરિકામાં
B. ગ્રેટબ્રિટનમાં
C. ફ્રાન્સમાં
D. ભારતમાં
ઉત્તરઃ
A. સંયુક્ત રાજ્ય અમેરિકામાં

પ્રશ્ન 24.
એક આતંકવાદી જૂથના 5 આતંકવાદીઓએ ભારતની સંસદ પર ક્યારે હુમલો કર્યો હતો?
A. 13 ડિસેમ્બર, 2005ના રોજ
B. 26 જાન્યુઆરી, 2001ના રોજ
C. 26 નવેમ્બર, 2008ના રોજ
D. 13 ડિસેમ્બર, 2001ના રોજ
ઉત્તરઃ
D. 13 ડિસેમ્બર, 2001ના રોજ

પ્રશ્ન 25.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
A. ટ્રાફિક સમસ્યા
B. ભૂકંપ
C. હુલ્લડ
D. આગ
ઉત્તરઃ
B. ભૂકંપ

પ્રશ્ન 26.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ નથી?
A. સુનામી
B. દાવાનળ
C. જ્વાળામુખી
D. ટ્રાફિક સમસ્યા
ઉત્તરઃ
D. ટ્રાફિક સમસ્યા

પ્રશ્ન 27.
પૂર ઓસર્યા પછી ક્યો ખોરાક ન ખાવો?
A. ઉકાળેલા પાણીથી બનાવેલ .
B. ગાળેલા પાણીથી બનાવેલ
C. પૂરના પાણીથી બનાવેલ
D. ચોખા દેખાતા પાણીથી બનાવેલ
ઉત્તરઃ
C. પૂરના પાણીથી બનાવેલ

પ્રશ્ન 28.
ભારતમાં નીચેનામાંથી કયા પ્રદેશમાં ચક્રવાતની વિધ્વંસક અસરો અનુભવાય છે?
A. કચ્છ-સૌરાષ્ટ્રના કિનારે
B. મલબાર કિનારે
C. કોંકણ કિનારે
D. ખંભાતના અખાતમાં
ઉત્તરઃ
A. કચ્છ-સૌરાષ્ટ્રના કિનારે

પ્રશ્ન 29.
આગાહી કરી શકાય તેવી આપત્તિ કઈ છે?
A. દુકાળ
B. ભૂકંપ
C. દાવાનળ
D. ઔદ્યોગિક અકસ્માત
ઉત્તર:
A. દુકાળ

પ્રશ્ન 30.
માનવસર્જિત આપત્તિ કઈ છે?
A. પૂર
B. બૉમ્બ વિસ્ફોટ
C. દાવાનળ
D. દુકાળ
ઉત્તર:
B. બૉમ્બ વિસ્ફોટ

પ્રશ્ન 31.
નીચેનામાંથી કયો રોગ વિષાણુજન્ય રોગ છે?
A. સ્વાઇન ફ્લ
B. મલેરિયા
C. ટાઇફૉઇડ
D. કૉલેરા
ઉત્તર:
A. સ્વાઇન ફ્લ

પ્રશ્ન 32.
વિષાણુજન્ય રોગોથી બચવાના ઉપાયોમાં એક ઉપાય સાચો નથી તે…
A. રોગની ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરવી.
B. તેના માટેની રોગપ્રતિકારક રસી લેવી.
C. ચેપ ન લાગે તેની સાવચેતી રાખવી.
D. હૉસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે અલાયદા (અલગ). વૉર્ડની વ્યવસ્થા કરવી.
ઉત્તર:
D. હૉસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે અલાયદા (અલગ). વૉર્ડની વ્યવસ્થા કરવી..

પ્રશ્ન 33.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
A. ઔદ્યોગિક અકસ્માત
B. જ્વાળામુખી
C. હુલ્લડ
D. આગ
ઉત્તર:
B. જ્વાળામુખી

પ્રશ્ન 34.
નીચેનામાંથી કઈ આપત્તિ માનવસર્જિત આપત્તિ છે?
A. સુનામી
B. પૂર
C. ઔદ્યોગિક અકસ્માત
D. જ્વાળામુખી
ઉત્તર:
C. ઔદ્યોગિક અકસ્માત

પ્રશ્ન 35.
નીચેનામાંથી કઈ આપત્તિ કુદરતી આપત્તિ છે?
A. આગ
B. ટ્રાફિક-સમસ્યા
C. ઔદ્યોગિક અકસ્માત
D. દાવાનળ
ઉત્તર:
D. દાવાનળ

પ્રશ્ન 36.
ટ્રફિકથી શાનો મોટી માત્રામાં વ્યય થાય છે?
A. સમય અને સાધનોનો
B. વાહનો અને સમયનો
C. સમય અને ઈંધણનો
D. ઈંધણ અને રસ્તાનો
ઉત્તર:
C. સમય અને ઈંધણનો

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ

પ્રશ્ન 1.
પૂર એક કુદરતી ઘટના છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 2.
સુનામી એક માનવસર્જિત ઘટના છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 3.
ભૂકંપની ચોક્કસ આગાહી કરી શકાય છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 4.
જંગલમાં દાવાનળ વર્ષાઋતુ દરમિયાન પ્રગટે છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 5.
સામાન્ય રોગો કરતાં વિષાણુજન્ય રોગોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 6.
હુલ્લડો દેશની એકતા અને અખંડિતતા માટે પડકારરૂપ છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 7.
ટ્રાફિકજામની સમસ્યા લગભગ બધાં મોટાં શહેરોમાં જોવા મળે છે.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 8.
બૉમ્બ વિસ્ફોટ એ કુદરતી આપત્તિ નથી.
ઉત્તર:
ખરું

પ્રશ્ન 9.
પૂર ઓસર્યા પછી ઉકાળેલા પાણીથી બનાવેલ ખોરાક ન ખાવો.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 10.
વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં ટાઈફૂનના નામે ઓળખાય છે.
ઉત્તર:
ખોટું

પ્રશ્ન 11.
વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો જાપાનમાં હરિકેનના નામે ઓળખાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 12.
વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો ભારતમાં ટૉર્નેડોના નામે ઓળખાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 13.
સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં વિનાશક મોજાં એવો થાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 14.
પાણીના અભાવને લીધે અછતની પરિસ્થિતિ સર્જાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 15.
ભોપાલ ગેસકાંડ ગુજરાત રાજ્યમાં બન્યો હતો.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 16.
સ્વાઇન ફ્યૂ વિષાણુજન્ય રોગ નથી.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 17.
13 ડિસેમ્બર, 2001ના રોજ એક આતંકવાદી જૂથના 5 આતંકવાદીઓએ ભારતની સંસદ પર હુમલો કર્યો હતો.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 18.
ડિસેમ્બર, 2014માં પાકિસ્તાનના લાહોર શહેરમાં આતંકવાદીઓએ મોટો હુમલો કર્યો હતો.
ઉત્તરઃ
ખોટું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
લોકો પૂરની ઘટનાને મોટા ભાગે કોની સાથે જોડે છે?
ઉત્તર:
નદી સાથે

પ્રશ્ન 2.
વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો યુ.એસ.એ.માં કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
હરિકેન અને ટૉર્નેડો

પ્રશ્ન 3.
ચીન અને જાપાનના દરિયાકિનારે કયા તોફાની પવનો ત્રાટકે છે?
ઉત્તર:
ટાઈફૂન

પ્રશ્ન 4.
મહાસાગર કે સમુદ્રમાં પેદા થતાં વિનાશક શક્તિશાળી મોજાને ? શું કહે છે?
ઉત્તર:
ત્સુનામી

પ્રશ્ન 5.
સૂનામીની ઉત્પત્તિ મોટા ભાગે કોના દ્વારા જ થાય છે?
ઉત્તર:
સમુદ્રતળના ભૂકંપો

પ્રશ્ન 6.
સૂનામીને કયાં મોજાં તરીકે પણ ઓળખવામાં આવે છે?
ઉત્તર:
ભૂકંપીય સાગરમોજાં

પ્રશ્ન 7.
કઈ આપત્તિ એ અત્યંત વિનાશકારી લાંબા સમય સુધીનો પ્રભાવી કુદરતી પ્રકોપ છે?
ઉત્તર:
દુષ્કાળ

પ્રશ્ન 8.
કઈ કુદરતી આપત્તિ સમયે મોટા ભોજન-સમારંભો ન યોજવા જોઈએ?
ઉત્તર:
દુષ્કાળ

પ્રશ્ન 9.
જંગલોમાં લાગતી આગને શું કહેવાય?
ઉત્તર:
દાવાનળ

પ્રશ્ન 10.
ભોપાલ ગૅસકાંડમાં કયો ઝેરી વાયુ ગળતર થયો હતો?
ઉત્તર:
મીક છે

પ્રશ્ન 11.
પ્લેગ એ કયા પ્રકારનો રોગ છે?
ઉત્તર:
વિષાણુજન્ય

પ્રશ્ન 12.
ડેગ્યુ, ઇબોલા, સ્વાઈન ફ્લ, ઇન્ફલુએન્ઝા વગેરે કયા પ્રકારના રોગો છે?
ઉત્તર:
વિષાણુજન્ય

પ્રશ્ન 13.
માનવતાનો દુશ્મન કોણ છે?
ઉત્તર:
આતંકવાદ

પ્રશ્ન 14.
ભારતમાં 13 ડિસેમ્બર, 2008ના રોજ આતંકવાદીઓએ કોની પર હુમલો કર્યો હતો?
ઉત્તર:
ભારતની સંસદ પર

પ્રશ્ન 15.
સમગ્ર વિશ્વમાં વધતા જતા શહેરીકરણથી કઈ સમસ્યા સર્જાઈ છે?
ઉત્તર:
ટ્રાફિકજામની

પ્રશ્ન 16.
આપત્તિ પછી કઈ કામગીરી પ્રથમ ક્રમે આવે છે?
ઉત્તર:
બચાવની

પ્રશ્ન 17.
આપત્તિ પછી કઈ કામગીરીનો ક્રમ છેલ્લો આવે છે?
ઉત્તર:
પુનઃસ્થાપનની

નીચેના પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ આપો :

પ્રશ્ન 1.
વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓની માહિતી આપો.
ઉત્તર:
વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓ નીચે મુજબ છે :
(1) 11 સપ્ટેમ્બર, 2001ના દિવસે એક આતંકવાદી સંગઠને યૂ.એસ.એ.માં શ્રેણીબદ્ધ આત્મઘાતી હુમલા કર્યા.
તે દિવસે સવારે 19 જેટલા આતંકવાદીઓએ 4 ઉતારુ જેટ વિમાનોનું અપહરણ કર્યું. તેમાંનાં બે વિમાનોને તેમણે ન્યૂ યૉર્ક શહેસ્ના ટ્વીન ટાવર (UTC) સાથે અથડાવ્યાં. તેનાથી ટાવરમાં કામ કરતા લગભગ ત્રણ હજાર જેટલા નિર્દોષ નાગરિકો મોતને ભેટ્યા. મકાનો ધરાશાયી થવાથી લગભગ છ હજારથી વધારે નાગરિકો ઘવાયા. હું બાકીનાં બે વિમાનો પૈકી એક વિમાનને પેંટાગોન સાથે અથડાવ્યું અને બીજું વિમાન પેન્સિલ્વેનિયામાં એક ખેતરમાં જઈ પડ્યું.

(2) 13 ડિસેમ્બર, 2001ના રોજ એક આતંકવાદી સંગઠનના 5 આતંકવાદીઓએ રાજધાની દિલ્લીમાં ભારતના સંસદભવન પર સશસ્ત્ર હુમલો કર્યો. – લગભગ 45 મિનિટ સુધી તેમણે સંસદના પરિસરમાં આડેધડ ગોળીબાર કર્યા, પરંતુ સંસદના સુરક્ષાદળના જવાનોએ જાનને જોખમમાં મૂકી આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો. આતંકવાદીઓ સાથેની અથડામણમાં 8 જવાનો શહીદ થયા અને 16 જવાનો ઘાયલ થયા.

(3) 26 નવેમ્બર, 2008ની મોડી રાત્રે આતંકવાદીઓએ મુંબઈની જાણીતી હૉટલો પર અને ભારે ભીડવાળાં સ્થળોએ શ્રેણીબદ્ધ વિસ્ફોટો તથા અંધાધૂંધ ગોળીબાર કર્યા. – આ આતંકવાદી હુમલામાં 166 જેટલા લોકો અકાળે મોતને ભેટ્યા અને 137 જેટલા લોકો ઘાયલ થયા.

(4) ડિસેમ્બર, 2014માં આતંકવાદીઓએ પાકિસ્તાનના પેશાવર શહેરની લશ્કરી છાવણીમાં આવેલ આર્મી સ્કૂલમાં આડેધડ ગોળીબાર કરી 132 જેટલાં નિર્દોષ બાળકો સહિત 141 જેટલા લોકોને મોતના મુખમાં ધકેલ્યા હતા.

(5) 13– 14 નવેમ્બર, 2015ના દિવસો દરમિયાન એક આતંકવાદી સંગઠને ફ્રાન્સની રાજધાની પૅરિસ શહેરમાં 7 સ્થળોએ વિસ્ફોટો કર્યા. તેમાં 130 જેટલા માણસો મોતને ભેટ્યા; જ્યારે 368 જેટલા માણસો ઘાયલ થયા.

(6) 24 સપ્ટેમ્બર, 2002ના રોજ 2 આતંકવાદીઓએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિરની મુલાકાતે આવેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. તેમાં 30 જેટલી વ્યક્તિઓ મૃત્યુ પામી હતી; જ્યારે 80 વ્યક્તિઓ ઘાયલ થઈ હતી.

નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો :

પ્રશ્ન 1.
વાવાઝોડા વખતે શું કરવું?
ઉત્તરઃ
વાવાઝોડા વખતે નીચે મુજબ સાવધાની રાખવી જોઈએ:

  • આવનાર વાવાઝોડાનો ચોક્કસ સમય જાણવા માટે રેડિયો અને ટેલિવિઝન પર સમાચારો સાંભળતા તથા જોતા રહેવું.
  • રેડિયો માટે વધારાની એક બૅટરી પાસે રાખવી.
  • મોબાઇલ ફોન અને પાવર બૅન્ક જેવાં સાધનો ચાર્જ કરી લેવાં.
  • રેડિયો પરથી પ્રસારિત થતી સૂચનાઓ અને ચેતવણીઓ ધ્યાનથી સાંભળવી અને તેનો ચુસ્તપણે અમલ કરવો.
  • અફવાઓ પર ધ્યાન ન આપવું.
  • ખોરાક, સૂકો નાસ્તો, પીવાનું પાણી, વગેરેનો જરૂરિયાત પ્રમાણે સંગ્રહ કરવો. વૃદ્ધો અને બાળકો માટે જરૂરી ખોરાક અને દવાઓની જોગવાઈ રાખવી.
  • બચાવતંત્રે ઘર છોડી દેવા જણાવ્યું હોય તો તેનું તાત્કાલિક પાલન કરી તરત જ સલામત જગ્યાએ જતા રહેવું.
  • પીવા માટે શુદ્ધ અને સલામત પાણી વાપરવું.
  • સરકાર કે સ્વૈચ્છિક સંસ્થાઓના આશ્રયસ્થાનમાં રહેતા હો તો ત્યાંના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.
  • ઢોરઢાંખરને ખીલેથી છોડી મૂકવાં.
  • ઘરની વીજળીની સ્વિચ બંધ કરવી. વીજળીના થાંભલા, મોટાં વૃક્ષો, મકાનો વગેરેથી દૂર ઊભા રહેવું.

પ્રશ્ન 2.
વાવાઝોડા વખતે શું ન કરવું?
ઉત્તરઃ
વાવાઝોડા વખતે –

  • ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ ન કરવી.
  • પ્લાસ્ટિક કે પતરાના ડબ્બા કે ડબ્બીઓ છૂટાં ન રાખવાં, કારણ કે પવનથી ઊડીને તે ઈજા પહોંચાડી શકે છે.
  • હવામાન વિભાગ દ્વારા રેડિયો પર આવતી ચેતવણી સિવાયની વાતો કે અફવાઓ પર ધ્યાન ન આપવું.
  • એકાએક વાતાવરણ ચોખ્ખું થઈ જાય, વરસાદ બંધ થઈ જાય તેમજ પવન બંધ થઈ જાય તોપણ ઘરની બહાર ખુલ્લામાં જવું નહિ, અચાનક પવન કે વરસાદ આવી શકે છે.
  • વીજળીના થાંભલા તેમજ વીજળીના છૂટા તારને અડકવું નહિ. તેમનાથી દૂર ઊભા રહેવું.
  • જાહેરાતનાં મોટાં પાટિયાં (હૉર્ડિંગ્સ) અને મોટાં વૃક્ષો પાસે ઊભા ન રહેવું.

પ્રશ્ન 3.
ભૂકંપ (ધરતીકંપ) સમયે શું કરવું?
ઉત્તરઃ
ભૂકંપ (ધરતીકંપ) સમયે –

  • તમે શાળામાં હો તો મોટી પાટલીઓ કે ટેબલ નીચે બેસી જવું.
  • તમે બહાર ખુલ્લામાં હો તો મકાનો, વરંડા, વીજળીના થાંભલા અને વીજળીની લાઇનોથી દૂર ઊભા રહેવું.
  • જો તમે વાહન ચલાવતા હોય તો પુલ (બ્રિજ), વીજળીના થાંભલા કે તેની લાઈનો અને ટ્રાફિક સિગ્નલથી તમારું વાહન દૂર ઊભું રાખવું.
  • ભૂકંપના આંચકા પૂરા ન થાય ત્યાં સુધી વાહનમાં જ બેસી રહેવું.
  • ભૂકંપના આંચકા પૂરા થઈ જાય પછી પણ ઘરમાં ફ્રીઝ, દીવાલ પર લગાવેલા ફોટા, છત પરના પંખા (સિલિંગ ફેન) વગેરેથી દૂર ઊભા રહેવું, કારણ કે તે પાછળથી પણ નીચે પડી શકે છે.
  • માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો સ્ટેશનથી આવતા સમાચારો સાંભળવા.
  • ભૂકંપ સમયે ગભરાઈ ન જવું. ઘરની બહાર સલામત જગ્યાએ પહોંચવું.
  • ઘરમાં વીજળી, ગેસ વગેરે બંધ કરવાં.

પ્રશ્ન 4.
ભૂકંપ (ધરતીકંપ) સમયે શું ન કરવું?
ઉત્તર:
ભૂકંપ (ધરતીકંપ) સમયે આ ન કરવું:

  • ભૂકંપ સમયે ગભરાઈ ન જવું. બૂમાબૂમ કે નાસભાગ ન કરવી.
  • ભૂકંપના આંચકાથી નીચે પડતી વસ્તુઓને રોકવાનો પ્રયાસ ન કરવો.
  • બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા માટે લિફટનો ઉપયોગ ન કરવો.
  • ભૂકંપ સમયે ઘરમાં લાકડાના કબાટ, તિજોરી અને અરીસાની બાજુમાં કે કાચનાં ઝુમ્મર નીચે ઊભા ન રહેવું.
  • ઘરમાં વીજળી, ગૅસ વગેરે ચાલુ ન રાખવાં. ગેસ ગળતરને લીધે વિસ્ફોટ થઈ શકે છે.
  • તબીબી સારવારની મદદ માટે કે આગ લાગી હોય ત્યારે જ સત્તાવાળાઓને ફોન કરવા. આ સિવાયની બાબતો માટે ફોન ના કરવા, કારણ કે ટેલિફોન નેટવર્ક ઠપ થતાં રાહત અને બચાવની કામગીરી અવરોધાય છે.
  • ખોટી માન્યતાઓ કે અફવાઓથી દોરવાવું નહિ.

પ્રશ્ન 5.
સુનામી સમયે શું કરવું અને શું ન કરવું તે જણાવો.
ઉત્તરઃ
સુનામી સમયે શું કરવું

  • ત્સુનામીના સમાચારો કે સૂચનાઓ સાંભળતાં જ સમુદ્રકિનારાથી દૂર સલામત જગ્યાએ જતા રહેવું.
  • રેડિયો પોતાની પાસે રાખવો, જેથી સરકારી તંત્ર દ્વારા મળતી સૂચનાઓનો તુર્ત અમલ કરી શકાય.
  • મૅન્ગ્રોવ વનસ્પતિ સુનામીની અસર એકંદરે ઓછી કરે છે, તેથી તેનો વિસ્તાર વધારવા પ્રયત્નો કરવા. સુનામી સમયે શું ન કરવું
  • દરિયાકિનારે આવેલાં ઊંચાં મકાનોમાં આશ્રય ન લેવો, કારણ કે તે સુનામીનાં વિનાશક મોજાંથી તે ધરાશાયી થઈ શકે છે.
  • ત્સુનામી ઓસર્યા પછી સરકારી તંત્ર દ્વારા સૂચનાઓ મળે તે પહેલાં : દરિયાકિનારે જવું નહિ.

પ્રશ્ન 6.
દુષ્કાળ સમયે શું કરવું અને શું ન કરવું તે જણાવો.
ઉત્તરઃ
દુષ્કાળ સમયે શું કરવું –

  • ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનો વિસ્તાર વધારવો.
  • સૌને અનાજ મળી રહે તે માટે અનાજની માપબંધી કરવી.
  • ઉપલબ્ધ જળના જથ્થાનો અંદાજ કાઢી તેના વપરાશનું આયોજન કરવું.
  • રાહતકામો શરૂ કરવાં.
  • સસ્તા દરના અનાજના વિતરણની વ્યવસ્થા ઊભી કરવી.
  • જરૂરિયાત સિવાયનાં અન્ય કામો બંધ કરવાં. દા. ત., બાંધકામ પ્રવૃત્તિ બંધ કરવી.

દુષ્કાળ સમયે શું ન કરવું-

  • અનાજનો બગાડ કે બિનજરૂરી વપરાશ અટકાવવા ભોજન-સમારંભો યોજવા નહિ.
  • સુખી અને સમૃદ્ધ નાગરિકોએ અનાજ કે ઘાસચારાની સંગ્રહખોરી ન કરવી.

પ્રશ્ન 7.
દાવાનળ એટલે શું? દાવાનળ માટેનાં કારણો જણાવો.
ઉત્તર:
જંગલમાં લાગતી વિકરાળ અને વિનાશકારી આગ ‘દાવાનળ’ કહેવાય છે.
દાવાનળનાં કારણોઃ

  • જંગલમાં વીજળી પડે છે ત્યારે આગ ઉત્પન્ન થાય છે.
  • બીડી-સિગરેટ પીતી વ્યક્તિઓએ ફેંકેલાં હૂંઠાંથી તેમજ પર્યટકો યાત્રિકોએ કે માલધારીઓએ જંગલમાં છોડી દીધેલી સળગતી ચીજવસ્તુઓથી જંગલમાં આગ લાગે છે.
  • પાનખર ઋતુમાં જંગલમાં એકઠાં થયેલાં સૂકાં પાંદડાં અને સૂકું ઘાસ આગના ઈંધણનું કામ કરે છે.
  • સૂકી હવા અને સળગી જાય એવું ઈંધણ દાવાનળ માટે પાયાનું કારણ છે.
  • વાતાવરણમાં ગરમી હોય, ભેજ ઓછો હોય તેમજ પવનવાળા દિવસો હોય તો જંગલમાં આગ ઝડપથી ફેલાય છે.
  • જંગલનાં કેટલાંક વૃક્ષોમાંથી તૈલીય પદાર્થ ઝરતો હોય છે. તે જ્વલનશીલ હોવાથી આગ ઝડપથી પ્રસરે છે.

પ્રશ્ન 8.
જંગલમાં દાવાનળ ન પ્રગટે તે માટે શું કરવું?
ઉત્તર:
જંગલમાં દાવાનળ ન પ્રગટે તે માટે-

  • જંગલ વિસ્તારમાં વનવિભાગની સૂચનાઓ પ્રમાણે વર્તવું.
  • પાનખર ઋતુ દરમિયાન જંગલ ક્ષેત્રમાં ખાસ પેટ્રોલિંગની વ્યવસ્થા કરવી.
  • વનવિભાગના કર્મચારીઓને દાવાનળ બુઝાવવાની ખાસ તાલીમ આપવી.
  • જંગલ વિસ્તારમાં પ્રવાસ કરતી વખતે સળગતી ચીજવસ્તુઓ કે બીડી-સિગરેટનાં ઠૂંઠાં ફેંકવાં નહિ.
  • જંગલ વિસ્તારોની નજીક વસવાટ કરતા લોકોએ વનવિભાગે આપેલી સૂચનાઓ મુજબ જ વર્તવું.

પ્રશ્ન 9.
ઔદ્યોગિક અકસ્માત વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:
ઔદ્યોગિક વસાહતો (GIDC), મિલો, કારખાનાઓ વગેરેમાં ઘણી તકેદારી રાખવા છતાં અકસ્માતો થાય છે.

  • ઔદ્યોગિક પ્રક્રિયામાં નાનાં-મોટાં યંત્રોનું સંચાલન અને સારસંભાળ તથા ઉત્પાદનમાં વપરાતી સામગ્રીની હેરફેર, સંગ્રહ અને વિતરણ માણસો જ કરે છે. આ દરેક તબક્કે અકસ્માત થવાની સંભાવના રહેલી છે.
  • ઔદ્યોગિક અકસ્માતોથી ઉદ્યોગમાં કામ કરતા દરેક કક્ષાના કર્મચારીઓની અને કામદારોની જાનહાનિ થાય છે.
  • ઔદ્યોગિક અકસ્માતોથી પર્યાવરણને ઘણું નુક્સાન થાય છે. તેનાથી પર્યાવરણ પ્રદૂષિત થાય છે.

પ્રશ્ન 10.
ભોપાલ ગૅસકાંડ વિશે માહિતી આપો.
ઉત્તર:
ભોપાલ ગેસકાંડ મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં ઈ. સ. 1984માં બન્યો હતો.

  • ભોપાલમાં આવેલ યુનિયન કાર્બાઇડ નામનું કારખાનું જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું હતું.
  • કારખાનાની ઉત્પાદનની પ્રક્રિયામાં મીક નામનો અત્યંત ઝેરી વાયુનો ઉપયોગ થતો હતો. આ વાયુનો સંગ્રહ કારખાનાની મોટી ટાંકીઓમાં થતો હતો.
  • 3 ડિસેમ્બર, 1984ના રોજ વહેલી સવારે કારખાનાની ટાંકીઓમાંથી મીક વાયુનું ગળતર થયું. તે લગભગ 45 મિનિટ સુધી ચાલુ રહ્યું. મીક વાયુ પલકારામાં ભોપાલ શહેરના ગીચ વિસ્તારોમાં પ્રસરી ગયો તેની જીવલેણ અસરથી આશરે 2500 જેટલી વ્યક્તિઓ મૃત્યુ પામી. આ ઉપરાંત, ઝેરી વાયુથી પીવાનું પાણી, જળાશયો, જમીન, ગર્ભસ્થ શિશુઓ, નવજાત બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો વગેરે અસરગ્રસ્ત બન્યાં. આશરે 10,000 જેટલી વ્યક્તિઓ કાયમી વિકલાંગ બની; જ્યારે 1.5 લાખ જેટલા લોકો આંશિક રીતે વિકલાંગ બની.
  • આ ઉપરાંત, હજારો પશુ-પક્ષીઓ પણ મૃત્યુ પામ્યાં.

પ્રશ્ન 11.
ગેસ ગળતર ન થાય તે માટે અને ગેસ ગળતર થાય તો શું કરવું તે જણાવો.
ઉત્તરઃ
ગેસ ગળતરની ચેતવણી માટે કારખાનામાં આધુનિક વૉર્નિગ સિસ્ટમનો પ્રબંધ કરવો.

  • કારખાનાના સંચાલન માટે સલામતીના ઉચ્ચ માપદંડો નક્કી કરવા અને તેનું ચુસ્તપણે પાલન કરવું.
  • ગૅસની હેરફેર દરમિયાન ગળતર થાય તો ગૅસટેન્કરને તાબડતોબ માનવવસાહતોથી દૂર લઈ જવું.
  • ગેસ ગળતર સમયે પવનની દિશા જોઈને તેનાથી વિરુદ્ધ દિશામાં દોડી જવું.
  • શ્વાસ લેવામાં તકલીફ પડે અને આંખોમાં બળતરા થાય તો તેનો જાતે ઉપચાર કરવાને બદલે તાત્કાલિક નજીકના ડૉક્ટર પાસે પહોંચી જવું.
  • બેહોશ કે અશક્ત થયેલા લોકોને ગેસના અસરગ્રસ્ત વિસ્તારથી તાત્કાલિક દૂર લઈ જવા.
  • ફાયરબ્રિગેડ અને પોલીસતંત્રને જાણ કરવી.
  • રસ્તામાં બચાવ કામગીરીનાં વાહનોને આપણાં વાહનો અવરોધે નહિ તેમ મૂકવાં.

પ્રશ્ન 12.
આતંકવાદ એટલે શું? આતંકવાદ ફેલાવવા આતંક્વાદીઓ ? શું કરે છે?
ઉત્તર:
જે લોકો પોતાનો રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપવાની પદ્ધતિ અપનાવી લોકોમાં ભય, ત્રાસ, હિંસા, અસલામતી કે અરાજકતા ફેલાવે છે તેઓ “આતંકવાદીઓ કહેવાય છે. તેમણે ઊભું કરેલું વાતાવરણ ‘આતંકવાદ’ કહેવાય છે. આતંકવાદ ફેલાવવા આતંકવાદીઓ નીચેની પ્રવૃત્તિઓ કરે છે :

  • આત્મઘાતી હુમલા કરવા.
  • માનવબૉમ્બનો હુમલો કરવો.
  • બૉમ્બ ફેંકવા, રૉકેટો છોડવા અને સુરંગો બિછાવવી. હિટલિસ્ટ બનાવવું.
  • ઘાતક શસ્ત્રો સંતાડવા અને તેમનો ઉપયોગ કરવો.
  • વિમાનો હાઇજેક કરવાં.
  • વ્યક્તિઓનું અપહરણ કરવું તેમજ અપહૃત વ્યક્તિઓને અમાનુષી રીતે મારી નાખવી.
  • માફિયા ટોળીઓ રચી માદક દ્રવ્યોની હેરાફેરી કરવી અને નાણાં પડાવવાં.
  • ધાર્મિક સ્થળો પર હુમલા કરવા.
  • બસ કે રેલગાડીમાં બૉમ્બ મૂકવા વગેરે.

પ્રશ્ન 13.
આતંકવાદી હુમલાથી બચવા માટે શું કરવું જોઈએ? ?
ઉત્તર:
આતંકવાદી હુમલાથી બચવાના ઉપાયો નીચે મુજબ છે:

  • કોઈ પણ વ્યક્તિની શંકાસ્પદ હિલચાલની પોલીસને જાણ કરવી.
  • શૉપિંગ મોલ્સ, સિનેમાગૃહો, ધાર્મિક સ્થળો વગેરે જાહેર સ્થળોએ જોવા મળતી બિનવારસી વસ્તુઓને અડકવું નહિ. આ બાબતની એ સ્થળના સુરક્ષાકર્મીને જાણ કરવી.
  • સુરક્ષાના હેતુથી થતી તપાસ કે અંગજડતીની પ્રક્રિયામાં સહકાર આપવો.
  • કાયદાકીય જોગવાઈ મુજબ ઘરના ભાડુઆત વિશેની નોંધ નજીકના પોલીસ મથકે કરાવવી. જાહેર સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા ગોઠવવા.
  • મુસાફરી દરમિયાન બસ કે ટ્રેનમાં કોઈ બિનવારસી સામાન જોવા મળે તો તેની તાત્કાલિક રેલ સત્તાવાળાઓને જાણ કરવી.
  • પાડોશમાં કોઈ વ્યક્તિ એકલો રહેતો હોય, સ્થાનિક લોકો સાથે ભળતો ન હોય કે મોડી રાત સુધી કમ્યુટર પર શંકાસ્પદ કામ કરતો હોય તેની પોલીસતંત્રને જાણ કરવી.
  • બિનવારસી વાહનોની પોલીસને જાણ કરવી.

પ્રશ્ન 14.
હુલ્લડ સમયે શું કરવું અને શું ન કરવું તે જણાવો.
ઉત્તર:
હુલ્લડ સમયે શું કરવું:

  • હિંસાત્મક વાતો કે અફવાઓથી દોરવાવું નહિ તેમજ અફવાને ફેલાતી અટકાવવી.
  • મહોલ્લા / શેરીઓ કે પોળોમાં શાંતિ સમિતિઓ રચવી અને તેમાં સક્રિય ભાગ લેવો.
  • હુલ્લડના અસરગ્રસ્તોને તમામ પ્રકારની મદદ પહોંચાડી નાગરિક ધર્મ બજાવવો. હુલ્લડ સમયે શું ન કરવું
  • ખોટી વાતો કે અફવાઓ ફેલાવવી નહિ.
  • સત્તાવાળાઓ તરફથી કાયદો અને વ્યવસ્થા જાળવવા આપેલા આદેશો કે સંચારબંધી(કરફ્યુ)નું ઉલ્લંઘન ન કરવું.
  • ઇન્ટરનેટ પર સોશિયલ મીડિયામાં આવતી આધારહીન અને ભ્રામક વાતો માનવી નહિ તેમજ તેને ફેલાવવી નહિ.

પ્રશ્ન 15.
વાહન-અકસ્માત ન થાય એ માટે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ?
ઉત્તર:
વાહન-અકસ્માત ન થાય એ માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ:

  • ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહિ.
  • ખૂબ જૂનાં વાહનો વપરાશમાં ન લેવાં.
  • માલસામાનની હેરફેર રાત્રે કે વહેલી સવારના સમય સિવાય ન કરવી.
  • વાહનોમાં નિર્ધારિત ક્ષમતા અને મર્યાદા કરતાં વધારે સામાન કે ઉતારુઓનું સ્થળાંતર કરવું નહિ.
  • વાહનચાલકો માટે સડકો પર મૂકેલી સૂચનાઓનાં બોર્ડ, નિશાનીઓ કે સંકેતોને નષ્ટ કે વિકૃત કરવાં નહિ.
  • વાહનોની ડિઝાઇન સાથે ચેડાં કરવાં નહિ.
  • વાહન હાંકતી વેળા વાહનચાલકે મોબાઇલનો ઉપયોગ ન કરવો.
  • સીટબેલ્ટને પહેર્યા વિના વાહન હાંકવું નહિ.
  • રેલવેના પાટા કે રસ્તો ઓળંગતા રાહદારીએ ઇયરફોન છે કે મોબાઇલ વાપરવો નહિ.
  • ટ્રાફિકનું સંચાલન કરતા સુરક્ષાકર્મીઓનાં સૂચનો બાબતે દલીલબાજીમાં ઊતરવું નહિ.
  • વાલીઓએ પોતાનાં સગીર વયનાં બાળકોને કાયદાથી પ્રતિબંધિત વાહનો ચલાવવા આપવાં નહિ.
  • અકસ્માત સમયે કુતૂહલવશ ટોળે વળીને કે પોતાનાં વાહનોમાંથી ઊતરી રાહત અને બચાવ કામગીરીને અવરોધવી નહિ. ગક

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
આપત્તિઓના પ્રકાર જણાવો.
ઉત્તરઃ
આપત્તિ-વ્યવસ્થાપનના નિષ્ણાતોએ આપત્તિઓના મુખ્ય બે પ્રકાર પાડ્યા છે:
1. કુદરતી આપત્તિઓ અને
2. માનવસર્જિત આપત્તિઓ.
1. કુદરતી આપત્તિઓઃ પૂર, વાવાઝોડું, સુનામી, દુકાળ, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ વગેરે. કુદરતી આપત્તિઓના બે પેટાવિભાગ છે:

  • આગાહી કરી શકાય તેવી આપત્તિઓ, પૂર, વાવાઝોડું, ત્સુનામી, દુકાળ વગેરે.
  • આગાહી ન કરી શકાય તેવી આપત્તિઓ; ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળ.

2. માનવસર્જિત આપત્તિઓઃ આગ, ઔદ્યોગિક અકસ્માત, બૉમ્બ વિસ્ફોટ, હુલ્લડ, ટ્રાફિક-સમસ્યા વગેરે.

પ્રશ્ન 2.
આતંકવાદીઓને તક ન મળે એ માટે શું ન કરવું જોઈએ?
ઉત્તર:

  • કોઈ અજાણી વ્યક્તિ વસ્તુ કે પાર્સલ આપે તો લેવાં નહિ.
  • અજાણી વ્યક્તિ વિશે પૂરી જાણકારી મેળવ્યા વિના તેને ઘર ભાડે આપવું નહિ.
  • અજાણી વ્યક્તિ સાથે મકાન, મોબાઇલ, વાહન વગેરેની લે-વેચ કરવી નહિ.

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન સંયુક્ત રાજ્ય અમેરિકા(યુ.એસ.એ.)એ જાપાનનાં ક્યાં બે શહેરો પર પરમાણુ બૉમ્બ ફેંક્યા હતા?
ઉત્તર:
દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન સંયુક્ત રાજ્ય અમેરિકા-.એસ.એ.)એ જાપાનનાં હિરોશિમા અને નાગાસાકી શહેરો પર પરમાણુ બૉમ્બ ફેંક્યા હતા.

પ્રશ્ન 2.
કુદરતી આપત્તિઓનાં નામ આપો.
ઉત્તર:
કુદરતી આપત્તિઓનાં નામઃ

  • પૂર,
  • વાવાઝોડું,
  • સુનામી,
  • દુકાળ,
  • ભૂકંપ (ધરતીકંપ),
  • જ્વાળામુખી,
  • દાવાનળ અને
  • ભૂસ્મલન.

પ્રશ્ન 3.
આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે?
ઉત્તરઃ
આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ (1) પૂર, (2) વાવાઝોડું, (3) સુનામી અને (4) દુકાળ.

પ્રશ્ન 4.
આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ કઈ – કઈ છે?
ઉત્તરઃ
આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ :

  1. ભૂકંપ,
  2. જ્વાળામુખી,
  3. દાવાનળ અને
  4. ભૂસ્મલન.

પ્રશ્ન 5.
માનવસર્જિત આપત્તિઓ કઈ કઈ છે?
ઉત્તર:
માનવસર્જિત આપત્તિઓઃ

  • ઔદ્યોગિક અકસ્માત,
  • બૉમ્બ વિસ્ફોટ,
  • હુલ્લડ અને
  • ટ્રાફિક-સમસ્યા.

પ્રશ્ન 6.
પૂર’ એટલે શું? પૂરની અસર ક્યાં વધારે થાય છે?
ઉત્તર:
વર્ષાઋતુમાં નદીના ઉપરવાસમાં એકસામટો ભારે વરસાદ પડવાથી, નદી પરનો બંધ તૂટવાથી કે હિમક્ષેત્રમાં બરફ પીગળવાથી નદીમાં આવતા ધસમસતા પ્રવાહને “પૂર’ કહે છે. નદીકિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની વધારે અસર થાય છે. પરિણામે ત્યાં મોટા પ્રમાણમાં જાનમાલને નુકસાન થાય છે.

પ્રશ્ન 7.
વાવાઝોડું ભારત, યૂ.એસ.એ. અને જાપાનમાં કયાં કયાં નામે ઓળખાય છે?
ઉત્તર:
વાવાઝોડું ભારતમાં ચક્રવાત, યૂ.એસ.એ.માં હરિકેન 3 અને ટૉર્નેડો તથા ચીન અને જાપાનમાં ટાઈફૂનના નામે ઓળખાય છે.

પ્રશ્ન 8.
વાવાઝોડું શાથી સર્જાય છે?
ઉત્તર:
વાવાઝોડું હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે. જ્યારે દરિયાકિનારાના પ્રદેશોમાં હવાનું ભારે દબાણ અને સમુદ્ર કે મહાસાગર પર હવાનું હલકું દબાણ ઉત્પન્ન થાય ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય છે.

પ્રશ્ન 9.
ભારતમાં વાવાઝોડાની અસર ક્યાં અનુભવાય છે?
ઉત્તર:
ભારતમાં વાવાઝોડાની અસર દેશના પૂર્વકિનારે અને કચ્છ તથા સૌરાષ્ટ્રના કિનારે અનુભવાય છે.

પ્રશ્ન 10.
ભૂકંપ એટલે શું?
ઉત્તર:
પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વીસપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રૂજી ઊઠે છે. તેને ‘ભૂકંપ’ કે “ધરતીકંપ’ કહે છે.

પ્રશ્ન 11.
સુનામી (Tsunami) એટલે શું?
ઉત્તર:
‘સુનામી’ જાપાનીઝ ભાષાનો શબ્દ છે. “સુ” એટલે બંદર અને “નામી’ એટલે મોજાં. સમુદ્રના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદનાં, શક્તિશાળી અને અસાધારણ લંબાઈનાં મોજાં ઉત્પન્ન થાય છે. તેમને “સુનામી’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 12.
સુનામીની મહાવિનાશક અસરનું એક દાંત આપો.
ઉત્તર:
26 ડિસેમ્બર, 2004ના રોજ હિંદ મહાસાગરમાં આવેલા મહાવિનાશક સુનામીએ થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા સહિતના દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોના આશરે 2 લાખથી વધારે લોકોનો ભોગ લીધો હતો.

પ્રશ્ન 13.
દુકાળ એટલે શું?
ઉત્તર:
વર્ષાઋતુના સમયમાં વરસાદ આવે જ નહિ અથવા બહુ ઓછો આવે ત્યારે પાણીની તીવ્ર અછતની જે પરિસ્થિતિ સર્જાય છે , તેને ‘દુકાળ’ કે ‘દુષ્કાળ’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 14.
દુષ્કાળના સમયે ખેતીમાં કઈ સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવો જોઈએ?
ઉત્તર:
દુષ્કાળના સમયે ખેતીમાં ટપક સિંચાઈ પદ્ધતિનો વ્યાપ વધારવો જોઈએ.

પ્રશ્ન 15.
દાવાનળ એટલે શું?
ઉત્તર:
જંગલોમાં ફેલાયેલી આગને ‘દાવાનળ’ કહે છે.

પ્રશ્ન 16.
માનવસર્જિત આપત્તિઓ કોને કહે છે?
ઉત્તર:
માનવે પ્રત્યક્ષ કે પરોક્ષ, જાણતાં કે અજાણતાં કરેલ ભૂલોથી તેમજ તેની બેદરકારી, અસાવધાની કે અજ્ઞાનને લીધે ઉદ્ભવતી દુર્ઘટનાઓથી જાનમાલને ભારે નુકસાન થાય છે. આવી દુર્ઘટનાઓને – ‘માનવસર્જિત આપત્તિઓ કહે છે.

પ્રશ્ન 17.
ભોપાલ ગૅસકાંડ ક્યારે બન્યો હતો?
ઉત્તર:
ભોપાલ ગેસકાંડ 3 ડિસેમ્બર, 1984ની વહેલી સવારે બન્યો હતો.

પ્રશ્ન 18.
યુ.એસ.એ.માં એક આતંક્વાદી સંગઠને ક્યારે આત્મઘાતી હુમલાઓ કર્યા હતા?
ઉત્તર:
યુ.એસ.એ.માં એક આતંકવાદી સંગઠને 11 સપ્ટેમ્બર, 2001ના રોજ આત્મઘાતી હુમલાઓ કર્યા હતા.

પ્રશ્ન 19.
એક આતંકવાદી સંગઠનના આતંકવાદીઓએ ભારતની સંસદ પર ક્યારે હુમલો કર્યો હતો?
ઉત્તરઃ
એક આતંકવાદી સંગઠનના આતંકવાદીઓએ ભારતની સંસદ પર 13 ડિસેમ્બર, 2001ના રોજ હુમલો કર્યો હતો.

પ્રશ્ન 20.
આતંકવાદીઓએ ક્યારે અને ક્યાં કરેલ હુમલામાં 132 નિર્દોષ બાળકો સહિત કુલ 141 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી?
ઉત્તર:
ડિસેમ્બર, 2014માં પાકિસ્તાનના પેશાવર શહેરના લશ્કરી છાવણીમાં આવેલી આર્મી સ્કૂલમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં 132 નિર્દોષ બાળકો સહિત કુલ 141 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી.

પ્રશ્ન 21.
આપત્તિઓની એક ભૌતિક અસર જણાવો.
ઉત્તરઃ
આપત્તિઓની એક ભૌતિક અસર: સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે અથવા નાશ પામે છે.

પ્રશ્ન 22.
આપત્તિઓની જનજીવન પર થતી એક અસર જણાવો.
ઉત્તર:
આપત્તિઓની જનજીવન પર થતી એક અસર : અનેક લોકો મૃત્યુ પામે છે અને કેટલાય લોકો કાયમી વિકલાંગ બને છે.

પ્રશ્ન 23.
આપત્તિઓની એક આર્થિક અસર જણાવો.
ઉત્તર:
આપત્તિઓની એક આર્થિક અસર : આપત્તિ પછી પુનઃનિર્માણ માટે પ્રમાણમાં મોટા નાણાભંડોળની વ્યવસ્થા કરવી પડે છે. પરિણામે વિકાસનાં ચાલુ કામોની ગતિ મંદ પડે છે.

પ્રશ્ન 24.
આપત્તિઓની એક સામાજિક અસર જણાવો.
ઉત્તર:
આપત્તિઓની એક સામાજિક અસર : આપત્તિગ્રસ્ત વિસ્તારમાંથી લોકો સ્થળાંતર કરી જાય છે. પરિણામે તે વિસ્તારનો સામાજિક ઢાંચો નબળો પડે છે.

પ્રશ્ન 25.
ટ્રાફિકજામની પરિસ્થિતિ કોને કહે છે?
ઉત્તર:
મોટાં શહેરોની સડકો પર વાહનોને અડોઅડ ચાલતાં અને ગોકળગાયની જેમ આગળ વધતાં હોય એવી પરિસ્થિતિને ‘ટ્રાફિકજામ’.

પ્રશ્ન 26.
ટ્રાફિકની સમસ્યા ક્યારે સર્જાય છે?
ઉત્તર:
જ્યારે વાહનવ્યવહારનાં સાધનો સડક પર અટકી જાય છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે.

પ્રશ્ન 27.
ટ્રાફિકજામ થતાં શું થાય છે?
ઉત્તર:
ટ્રાફિકજામ થતાં વાહનોમાંથી નીકળતો ધુમાડો અને મોટી માત્રામાં બહાર પડતાં મલિન દ્રવ્યોથી વાયુ અને અવાજ પ્રદૂષણ જન્મ છે. પરિણામે તે વિસ્તારમાં રહેતા લોકોનું આરોગ્ય જોખમાય છે તેમજ વનસ્પતિનાં વૃદ્ધિ-વિકાસ જોખમાય છે.

પ્રશ્ન 28.
ટ્રાફિકજામની સમસ્યા ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ટ્રાફિકજામની સમસ્યા લગભગ મોટાં શહેરોમાં જોવા ‘ મળે છે.

પ્રશ્ન 29.
વધુ પડતા ટ્રાફિકજામથી શું થાય છે?
ઉત્તરઃ
વધુ પડતા ટ્રાફિકજામથી સમય અને ઈંધણનો બગાડ થાય છે.

પ્રશ્ન 30.
ટ્રાફિકની સમસ્યા કઈ રીતે હળવી કરી શકાય?
ઉત્તર:
સમયસર અસરકારક પગલાં, પરિવહન વ્યવસ્થાનું આગોતરું આયોજન અને ટ્રાફિકના નિયમોના પાલન માટેની પ્રતિબદ્ધતા – આ બાબતોથી ટ્રાફિકની સમસ્યાને હળવી કરી શકાય.

કારણો આપી વિધાનો પૂરાં:

પ્રશ્ન 1.
નદીમાં પૂર આવે છે, કારણ કે.
ઉત્તર:
વર્ષાઋતુમાં નદીના ઉપરવાસમાં એકસામટો ભારે વરસાદ પડવાથી કે નદી પરનો બંધ તૂટવાથી કે હિમક્ષેત્રમાં બરફ પીગળવાથી નદીમાં ખૂબ પાણી આવે છે.

પ્રશ્ન 2.
વાવાઝોડું સર્જાય છે, કારણ કે.
ઉત્તર:
વાવાઝોડું હવાના દબાણની અસમતુલાથી સર્જાય છે. જ્યારે દરિયાકિનારાના પ્રદેશોમાં હવાનું ભારે દબાણ અને સમુદ્ર કે મહાસાગર પર હવાનું હલકું દબાણ ઉત્પન્ન થાય ત્યારે વાવાઝોડાની પરિસ્થિતિ સર્જાય છે.

પ્રશ્ન 3.
ભૂકંપ થાય છે, કારણ કે.
ઉત્તર:
પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રૂજી ઊઠે છે.

પ્રશ્ન 4.
સુનામી (Tsunami) ઉત્પન્ન થાય છે, કારણ કે…
ઉત્તર:
સમુદ્રના પેટાળમાં જ્વાળામુખી ફાટવાથી કે ભૂકંપ આવવાથી સમુદ્રની સપાટી પર ખૂબ વિશાળ કદનાં, શક્તિશાળી અને અસાધારણ લંબાઈનાં મોજાં ઉત્પન્ન થાય છે. તેને “સુનામી’ કહેવામાં આવે છે.

પ્રશ્ન 5.
ધોરી માર્ગો પર વાહનોની મોટી દુર્ઘટનાઓ સર્જાય છે, કારણ કે….
ઉત્તર:
ધોરી માર્ગો પર વાહનોનું અતિશય ભારણ હોય છે તેમજ વાહનોની ગતિ પણ અનિયંત્રિત હોય છે.

યોગ્ય જોડકાં જોડો:

પ્રશ્ન 1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. કુદરતી આપત્તિ 1. ટૉર્નેડો
2. માનવસર્જિત આપત્તિ 2. 13 ડિસેમ્બર, 2001
3. યૂ.એસ.એ.માં વાવાઝોડું 3. જ્વાળામુખી
4. હિંદ મહાસાગરમાં સુનામી 4. 26 ડિસેમ્બર, 2004
5. બૉમ્બ વિસ્ફોટ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. કુદરતી આપત્તિ 3. જ્વાળામુખી
2. માનવસર્જિત આપત્તિ 5. બૉમ્બ વિસ્ફોટ
3. યૂ.એસ.એ.માં વાવાઝોડું 1. ટૉર્નેડો
4. હિંદ મહાસાગરમાં સુનામી 4. 26 ડિસેમ્બર, 2004

પ્રશ્ન 2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. કુદરતી આપત્તિ. 1. 26 નવેમ્બર, 2008
2. માનવસર્જિત આપત્તિ 2. 9 સપ્ટેમ્બર, 2001
3. મુંબઈમાં આતંકવાદી હુમલો 3. સુનામી
4. ન્યૂ યૉર્કમાં આતંકવાદી હુમલો 4. 13 ડિસેમ્બર, 2001
5. ઔદ્યોગિક અકસ્માત

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. કુદરતી આપત્તિ. 3. સુનામી
2. માનવસર્જિત આપત્તિ 5. ઔદ્યોગિક અકસ્માત
3. મુંબઈમાં આતંકવાદી હુમલો 1. 26 નવેમ્બર, 2008
4. ન્યૂ યૉર્કમાં આતંકવાદી હુમલો 2. 9 સપ્ટેમ્બર, 2001

પ્રશ્ન 3.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. માનવસર્જિત આપત્તિ 1. 24 સપ્ટેમ્બર, 2002
2. કુદરતી આપત્તિ 2. 13 ડિસેમ્બર, 2001
3. દિલ્લીમાં સંસદભવન પર 3. ડિસેમ્બર, 2014 આતંકવાદી હુમલો
4. હુલ્લડ 4. ગાંધીનગરમાં અક્ષરધામ
5. ભૂકંપ મંદિર પર આતંકવાદી હુમલો

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. માનવસર્જિત આપત્તિ 4. ગાંધીનગરમાં અક્ષરધામ
2. કુદરતી આપત્તિ 5. ભૂકંપ મંદિર પર આતંકવાદી હુમલો
3. દિલ્લીમાં સંસદભવન પર 2. 13 ડિસેમ્બર, 2001
4. હુલ્લડ 1. 24 સપ્ટેમ્બર, 2002

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *