GJN 9th SST

Gujarat Board Solutions Class 9 Social Science Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

Gujarat Board Solutions Class 9 Social Science Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

GSEB Solutions Class 9 Social Science Chapter 7 સ્વાતંત્ર્યોત્તર ભારત

સ્વાતંત્ર્યોત્તર ભારત Class 9 GSEB

→ આઝાદી પછી સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવું અને દેશી રાજ્યોને ભારતીય સંઘ સાથે જોડી અખંડ ભારતની રચના કરવી આ બે અગત્યનાં કાર્યો હતો.

→ રાણ સ્વતંત્રતા મેળવ્યા પછી ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સચિવ વી. પી. મેનને ‘જોડાણખત” અને “જૈસે થે કરાર’(15 ઑગસ્ટ, 1947ની સ્થિતિ જાળવી રાખવી.)નો મુસદ્દો બનાવીને 562 જેટલાં દેશી રાજ્યોના વિલિનીકરણની યોજના હાથ ધરી.

→ સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોને લીધે હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ-કશ્મીર સિવાયનાં રાજ્યો ભારતીય સંઘ સાથે જોડાઈ ગયાં.

→ હૈદરાબાદના નવાબે સ્વતંત્ર રહેવાની જાહેરાત કરીને ભારતની એકતા સામે ખતરો ઊભો કર્યો. નિઝામ સાથેની વાટાઘાટો નિષ્ફળ જતાં સરદાર વલ્લભભાઈ પટેલે તેની સામે “પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં જોડી દીધું. ભારતને સરદાર પટેલની અસાધારણ કુનેહ અને ધીરજનો વિજય થયો. કનૈયાલાલ મુનશીએ
આ પ્રશ્નમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

→ આઝાદીના દિવસે જ જૂનાગઢના નવાબે જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. જૂનાગઢની પ્રજાએ તેનો પ્રચંડ વિરોધ કર્યો. સરદાર પટેલની કુનેહ અને જૂનાગઢની પ્રજાની પ્રબળ ઇચ્છાશક્તિ વડે જૂનાગઢનું ભારતીય સંધમાં જોડાણ થયું.

→ કશ્મીરના મહારાજા હરિસિંહે સમયસૂચકતા ન દાખવતાં પાકિસ્તાને કશ્મીર પર આક્રમણ કર્યું. એ પછી તેમણે કશ્મીરનું રક્ષણ કરવા માટે કશ્મીરનું ભારતીય સંઘ સાથે તાત્કાલિક જોડાણ કર્યું. ભારતના લશ્કરે કશ્મીર જઈને પાકિસ્તાનના સૈન્યને ભગાડી મૂક્યું, પરંતુ એ દરમિયાન પાકિસ્તાને કશ્મીરની પશ્ચિમે તેના ત્રીજા ભાગ પર કબજો જમાવી દીધો હતો. કશ્મીરનો એ ભાગ હજુ આપણે પાછો મેળવી શક્યા નથી. કશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં આજે પણ સળગતો રહ્યો છે.

→ 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારત સાર્વભૌમ, પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું ત્યારે પુડુચેરી (પોંડિચેરી), કરાઇકલ (તમિલનાડુ), માટે (કેરલ), નામ (આંધ્ર પ્રદેશ) અને ચંદ્રનગર (પશ્ચિમ બંગાળ) પર ફ્રેંચોની સત્તા હતી. એ પ્રદેશોની પ્રજાએ ભારતીય સંઘ સાથે જોડાવા માટે ઉગ્ર ચળવળો ચલાવી. જોડાણના પ્રશ્નનું શાંતિમય સમાધાન કરવા ભારત સરકારે ફ્રેંચ સરકાર સાથે વાટાઘાટો કરી, પણ કોઈ પરિણામ ન આવ્યું. અંતે એ પ્રદેશોની પ્રજાનો મિજાજ પારખીને ફેંચ સરકારે એ પ્રદેશો ભારત સરકારને સોંપી દીધા.

→ ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એ સમયે દીવ, દમણ, દાદરા નગરહવેલી અને ગોવા પર પોર્ટુગીઝોનો અંકુશ હતો. એ સંસ્થાનો ભારતને સોંપી દેવા ભારત સરકારે પોર્ટુગીઝ સરકાર સાથે વાટાઘાટો કરી, પરંતુ તેમાં સફળતા ન મળી. લોકોએ પણ “ગોવા મુક્તિ આંદોલન’ શરૂ કરી સત્યાગ્રહ કર્યો. છેવટે ભારતે લશ્કરી અભિયાન ‘ઑપરેશન વિજય” દ્વારા ગોવા, દીવ અને દમણ કબજે કર્યો.

→ બ્રિટિશ પ્રાંતો અને દેશી રાજ્યોનું એકીકરણ કરીને ઈ. સ. 1950માં ભારતનાં રાજ્યોને ચાર વર્ગોમાં વિભાજિત કર્યો. એ રાજ્યોનો દરજ્જો એકસરખો નહોતો.

→ રાજ્યોની પુનર્રચના કરવા માટે ભારત સરકારે સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલઅલીના અધ્યક્ષપદે ‘રાજ્ય પુનર્રચનાપંચ’ની નિમણૂક કરી.

→ એ પંચના અહેવાલ પરથી બંધારણમાં સુધારો કરી ભારત સરકારે રાજ્યોની પુનર્ચના માટે કાયદો ઘડ્યો. એ કાયદા મુજબ ચાર પ્રકારનાં રાજ્યો રદ કરી ભાષાના ધોરણે 14 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારતનાં રાજ્યોની પુનર્ચના કરવામાં આવી. પરંતુ તેમાં મુંબઈ અને પંજાબની રચના ભાષાના ધોરણે થઈ નહોતી. મુંબઈની દ્વિભાષી રચના સામે ગુજરાત અને મહારાષ્ટ્રમાં લોકોએ આંદોલન ચલાવ્યું. અંતે 1 મે, 1960ના રોજ મુંબઈ રાજ્યનું મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોમાં વિભાજન થયું.

→ ભારતની ઉત્તર-પૂર્વ દિશામાં અસમ સહિત નવાં 7 રાજ્યોની રચના કરવામાં આવી. એ સાતેય રાજ્યોને ‘સાત બહેનો” (Seven Sisters) તરીકે ઓળખવામાં આવે છે.

→ ઈ. સ. 2000માં બિહારમાંથી નવા ઝારખંડ રાજ્યની અને મધ્ય પ્રદેશમાંથી નવા છત્તીસગઢ રાજ્યની રચના કરવામાં આવી તેમજ ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ નામના નવા રાજ્યની રચના કરવામાં આવી.

→ ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી નવા તેલંગણા રાજ્યની રચના કરવામાં આવી. જ આજે (ઈ. સ. 2016માં ભારતીય સંધમાં 29 રાજ્યો અને 6 સંધશાસિત પ્રદેશો તેમજ ભારતના પાટનગર દિલ્હીના રાજ્ય
સહિત કુલ 36 ઘટ છે.

→ એક ઉપખંડ કહી શકાય એવો ભારતદેશ અનેક વિવિધતાઓ ધરાવે છે. વિવિધ ધર્મો, ભાષા, જાતિઓ, જ્ઞાતિઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો સદીઓથી એકસાથે રહેતા હોવાથી તેમની વચ્ચે ભાવાત્મક એકતા જન્મી છે.

→ ચોક્કસ પ્રાદેશિક વિસ્તારમાં કાયમી વસવાટ કરીને રહેતી પ્રજામાં પોતાના વિસ્તારની ભૂમિ માટે એક પ્રકારની ભાવાત્મક લાગણી જન્મે છે, તેને ‘પ્રદેશવાદ’ કહે છે,

→ પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે મુખ્યત્વે ભાષા, જાતિ અને ધર્મ આ ત્રણ પરિબળો જવાબદાર છે.

→ ભારતના બંધારણે ભારતને ‘સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર કર્યો છે.

→ પ્રાદેશિક અસમાનતાને લીધે પ્રદેશવાદની ભાવના જન્મે છે. દેશમાં પ્રવર્તતી પ્રાદેશિક અસમાનતા નાબૂદ કરી દેશનો સમતોલ સામાજિક અને આર્થિક વિકાસ સાધવા આપણે કેન્દ્રીય આયોજનનો માર્ગ અપનાવ્યો. એ માટે ભારત સરકારે ઈ. સ. 1950માં આયોજનપંચની રચના કરી.

→ દેશનાં વિકસિત, મધ્યમ વિકસિત અને અલ્પવિકસિત રાજ્યોમાં પણ આંતરિક પ્રાદેશિક અસમાનતાઓ પ્રવર્તે છે.

→ છે છેલ્લાં 50 વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરી છે. વિકસિત દેશોની તુલનામાં ભારતે આ ક્ષેત્રે સાધેલો વિકાસ અદ્વિતીય છે.

→ ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજીના વિકાસમાં ડૉ. હોમી ભાભા, ડ, રાજા રામન્ના, ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. સી. વી. રામન, સર એમ. વિશ્વેશ્વરયા, સામ પિત્રો, ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ, ઈ. શ્રીધરન વગેરે વૈજ્ઞાનિકો, ઇજનેરો, ટેક્નોક્રેટો વગેરેએ નોંધપાત્ર ફાળો આપ્યો છે,

→ ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે મહિલાઓનું યોગદાન પણ નોંધપાત્ર રહ્યું છે. આ ઉપરાંત, મહિલાઓએ વિવિધ ક્ષેત્રોમાં સુંદર કામગીરી બજાવીને રાષ્ટ્રીય વિકાસમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપ્યો છે.

→ વિજ્ઞાન અને ટેક્નોલૉજીના શિક્ષણ અને સંશોધન માટે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ સાયન્સિસ’, ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલૉજી’, ‘ઇન્ડિયન રિસર્ચ ઓર્ગેનાઇઝેશન” (ઇસરો)’, ‘ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી’ વગેરે સંસ્થાઓએ મહત્વનો ફાળો આપ્યો છે,

→ ભારતે અદ્યતન કૃષિ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમજ સિંચાઈ યોજનાઓ દ્વારા “હરિયાળી ક્રાંતિ’ કરી છે. આ ક્રાંતિના પરિણામે ભારત અન્ન-ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે,

→ પરમાણુ વિજ્ઞાન અને ટેક્નોલૉજીમાં ભારતે હરણફાળ ભરી છે. ભારતે અઘતન પરમાણુ મથકો ઊભાં ક્યાં છે. ભારતે પરમાણુ બૉમ્બ અને વિવિધ અંતરની મિસાઇલો વિકસાવી છે. દેશના સંરક્ષણ માટે ભારતે રાજસ્થાનમાં પોખરલ ખાતે બે વખત સફળ પરમાડ્યું પરીક્ષણ કર્યા છે

→ ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારતે ‘આર્યભટ્ટ’, ‘ભાસ્કર’, ‘રોહિણી’ જેવા ઉપગ્રહો બાહ્ય અવકાશમાં છોડ્યા છે તેમજ ઉપગ્રહો છોડવા માટેનાં વહીકલ [GSLV) વિકસાવ્યાં છે.

→ છેલ્લા એક દાયકામાં ભારતે ટેલિકમ્યુનિકેશન અને માહિતી ટેક્નોલૉજી ક્ષેત્રે અદ્વિતીય પ્રગતિ સાધી છે. દેશમાં ટેલિફોન, મોબાઇલ ટેલિફોન, ટી.વી., કમ્યુટર વગેરે ઉપકરણોનો ઉપયોગ ઉત્તરોત્તર વધતો રહ્યો છે, જ ભારતમાં ઉદ્યોગો, ઊર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયોટેક્નોલૉજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે.

→ વિશ્વ-સંસ્થા સંયુક્ત રાષ્ટ્રો (United Nations) એ 21 જૂનનો દિવસ વિશ્વ-યોગદિન તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ માટે ભારત ગૌરવ અનુભવે છે.

GSEB Class 9 Social Science ભારતમાં સ્વાતંત્ર્યોત્તર ભારત Textbook Questions and Answers

1. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો:

પ્રશ્ન 1.
ભારત સંઘમાં દેશી રાજ્યોના વિલિનીકરણ અંગે સંક્ષેપમાં માહિતી આપો.
અથવા
દેશી રાજ્યોના એકીકરણ વિશે માહિતી આપો.
ઉત્તર:
સ્વરાજ્ય મળ્યું ત્યારે ભારતમાં નાનાં-મોટાં મળીને 562. દેશી રાજ્યો હતાં.

  • તેમનું ક્ષેત્રફળ સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી 48 % હતું. તેમની કુલ વસ્તી દેશની સમગ્ર વસ્તીના લગભગ પાંચમાં ભાગ જેટલી હતી.
  • કશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતાં.
  • બધાં દેશી રાજ્યોના રાજાઓ તેમજ નવાબોને ભારતીય સંઘમાં જોડાવા માટે સમજાવવા એ ભગીરથ કાર્ય હતું. આ કાર્ય ઝડપથી પૂરું કરવાનું હતું.
  • સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે 15 જાન્યુઆરી, 1948ના રોજ ભાવનગરમાં ‘જવાબદાર સરકાર’ શરૂ કરી, સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ભાવનગર રાજ્ય 15 ફેબ્રુઆરી, 1948માં તેમાં વિલીન થઈ ગયું.
  • સરદાર પટેલ અને તેમના સચિવ વી. પી. મેનનની મદદથી તેમણે દેશી રાજ્યો માટે એક ‘જોડાણખત’ અને ‘જેસે થે કરાર’નો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલે વ્યવહારુ બુદ્ધિથી લગભગ બધાં દેશી રાજ્યોની ભારતમાં વિલીનીકરણની પ્રક્રિયા શરૂ કરી. સરદાર પટેલે દેશી રાજાઓને અપીલ કરી કે તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં તેઓ પોતાનાં રાજ્યોનો સ્વેચ્છાએ ત્યાગ કરે અને એક મજબૂત, અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે. સરદાર પટેલે ભારત સરકાર વતી રાજાઓને તેમનાં સાલિયાણાં, દરજ્જો, હકો અને હિતોના રક્ષણની ખાતરી આપી.
  • સરદાર વલ્લભભાઈ પટેલે રજૂ કરેલા મુસદ્દાથી રાજાઓ સંતુષ્ટ થયા.
  • આથી જમ્મુ-કશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદના શાસકો સિવાયનાં બધા (559) રાજાઓએ 15 ઑગસ્ટ, 1947 પહેલાં જ જોડાણખત પર હસ્તાક્ષર કરી પોતાનાં રાજ્યો અને રિયાસતોને ભારતીય સંઘ સાથે જોડી દીધાં.
  • જમ્મુ-કશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદના જોડાણના પ્રશ્નો જુદી રીતે ઉકેલવામાં આવ્યા.
  • જૂનાગઢના નવાબ સામે લશ્કરી કાર્યવાહી તેમજ પ્રજાની પ્રબળ ઇચ્છાશક્તિ વડે જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું.
  • હૈદરાબાદના નિઝામ સામે ‘પોલીસ પગલું’ ભરીને હૈદરાબાદને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું.
  • આઝાદી પછી પાકિસ્તાને જમ્મુ-કશ્મીર પર આક્રમણ કર્યું. એ સમયે કશ્મીરનું રક્ષણ કરવા ભારત સરકારની મદદ મેળવવા રાજા હરિસિંહે તાત્કાલિક જોડાણખત પર સહી કરી જમ્મુ-કાશ્મીરને ભારતીય સંઘ સાથે જોડી દીધું.

પ્રશ્ન 2.
હૈદરાબાદ અને જૂનાગઢનાં રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યાં? સંક્ષેપમાં ચર્ચા કરો.
ઉત્તર:
હૈદરાબાદઃ ભારતને સ્વરાજ્ય મળ્યું એ પૂર્વે હૈદરાબાદના નવાબ નિઝામે ભારતીય સંઘથી સ્વતંત્ર રહેવાની ઇચ્છા પ્રગટ કરી અને પોતાના રાજ્યને 15 ઑગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું.

  • સરદાર પટેલે નિઝામને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી. તેમણે નિઝામ વતી વાટાઘાટો કરનાર અધિકારીઓને સ્પષ્ટ જણાવી દીધું કે, હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાવાની તીવ્ર ઇચ્છા ધરાવે છે. તેથી તેમની ઇચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સોના હિતમાં છે.
  • એ સમયે નિઝામના અધિકારીઓએ અને તેની સેનાએ પ્રજા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. લોકોને એમાંથી બચાવવા માટે ભારત સરકારે હૈદરાબાદ સામે 18 સપ્ટેમ્બર, 1948ના રોજ પોલીસ પગલું ભરીને તેને ભારતીય સંઘ સાથે જોડી દીધું. નિઝામે શરણાગતિ સ્વીકારી. નિઝામને તેનાં હિતોના રક્ષણની બાંયધરી આપવામાં આવી. આ કામગીરીમાં શ્રી કનૈયાલાલ મુનશીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
  • જૂનાગઢ: જૂનાગઢના નવાબે આઝાદીના દિવસે જ જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. પાકિસ્તાને તેને મંજૂર કર્યું.
  • સરદાર પટેલે જૂનાગઢના નવાબ સામે પગલાં લેવાનું નક્કી કર્યું.
  • મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે ‘આરઝી હકૂમત’ની સ્થાપના કરી. સૌરાષ્ટ્રનાં બધાં રાજ્યો અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો.
  • જૂનાગઢના નવાબે રાજ્યની પ્રજાને ત્રાસ આપવા માંડ્યો.
  • ભારતના સૈન્ય અને નૌકાદળે જૂનાગઢને ચોતરફથી ઘેરી લીધું. આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો.
  • ભારત સરકારે 9 નવેમ્બર, 1947ના રોજ જૂનાગઢનો કબજો લીધો. એ પછી લોકમત લેવાતાં લોકોએ જૂનાગઢને સંપૂર્ણપણે ભારતીય સંઘ સાથે જોડી દેવાની તરફેણ કરી.
  • આમ, સરદાર પટેલની કુનેહ અને જૂનાગઢના નાગરિકોની પ્રબળ ઇચ્છાશક્તિ વડે જૂનાગઢનું ભારતીય સંઘ સાથે જોડાણ થયું.

પ્રશ્ન 3.
દીવ, દમણ અને ગોવાના ભારતીય સંઘમાં જોડાણની માહિતી આપો.
અથવા
ભારત સરકારે દીવ, દમણ અને ગોવાને કબજે કરવા શો નિર્ણય કર્યો? શા માટે?
અથવા
ગોવા, દીવ અને દમણના ભારતીય સંઘમાં જોડાવાની પ્રક્રિયાનું વર્ણન કરો.
ઉત્તર:
ઈ. સ. 1950માં ભારત સાર્વભૌમ, પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું.

  • એ સમયે ગોવા, દીવ અને દમણ પોર્ટુગીઝોનાં સંસ્થાનો હતાં.
  • એ સંસ્થાનો ભારતને સોંપી દેવા ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટો દ્વારા બહુ પ્રયત્નો કર્યા. પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું.
  • ગોવાને ભારતીય સંઘમાં જોડી દેવા લોકોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું. લોકોએ મોટા પાયા પર સત્યાગ્રહ કર્યો. ત્રિરંગો ધ્વજ ફરકાવવા બદલ પોર્ટુગીઝ સરકારે સેંકડો સત્યાગ્રહીઓની ધરપકડ કરી. 15 ઑગસ્ટ, 1955ના રોજ લોકોએ ‘ગોવા મુક્તિ આંદોલન’ કરી ગોવા, દીવ અને દમણમાં પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથેની અથડામણમાં અનેક સત્યાગ્રહીઓ શહીદ થયા.
  • વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસો દ્વારા સફળતા નહિ મળે એમ માનીને ભારત સરકારે ગોવા, દીવ અને દમણને મુક્ત કરવા જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ ‘ઑપરેશન વિજય’ નામનું લશ્કરી અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો.
  • 18 ડિસેમ્બર, 1961ના રોજ હેઠળ લશ્કરે અભિયાન શરૂ કર્યું. ભારતનાં લશ્કરી દળોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો. 19મી ડિસેમ્બરની રાત્રે ગોવાના પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડિ-સિલ્વાએ શરણાગતિ સ્વીકારી. આમ, ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો. ત્રણેય સંસ્થાનોમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.

2. નીચેના પ્રશ્નો વિશે ટૂંકમાં જણાવો:

પ્રશ્ન 1.
દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડાવા સરદાર પટેલે કઈ અપીલ કરી?
ઉત્તર:
દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડાવા સરદાર પટેલે આ અપીલ કરી: “તેમના શાસન હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતમાં, તેઓ પોતાનાં રાજ્યોનો સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડાવા પોતાની સંમતિ આપે.”

પ્રશ્ન 2.
હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું?
ઉત્તર :
સરદાર પટેલે નિઝામને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી.

  • તેમણે નિઝામ વતી વાટાઘાટો કરનાર અધિકારીઓને સ્પષ્ટ જણાવી દીધું કે, હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાઈ જવાની તીવ્ર ઇચ્છા ધરાવે છે. તેથી તેમની ઇચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે.
  • એ સમયે નિઝામના અધિકારીઓએ અને સૈન્ય લોકો પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. લોકોને એ અસહ્ય પરિસ્થિતિમાંથી બચાવવા માટે ભારત સરકારને હૈદરાબાદ સામે પોલીસ પગલું ભરવું પડ્યું.

પ્રશ્ન 3.
ફેચ સરકાર તેની ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા શા માટે તૈયાર થઈ?
ઉત્તર:
ઈ. સ. 1950માં ભારત સાર્વભૌમ, પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એ સમયે ભારતમાં ફ્રેંચોની પુડુચેરી સહિત પાંચ વસાહતો હતી.

  • એ પ્રદેશોના લોકો ભારતીય સંઘમાં જોડાવા માગતા હતા. એ માટે તેમણે ઉગ્ર સ્વાતંત્ર્ય-ચળવળો શરૂ કરી. ફ્રેંચ સરકારે એ ચળવળોને દબાવી દેવાના પ્રયત્નો કર્યા.
  • ઈ. સ. 1948માં પુડુચેરીના લોકોએ એક વિરાટસભા યોજી ફ્રેંચ સરકારને ભારત છોડો’નું એલાન આપ્યું.
  • ભારત સરકારે પુડુચેરીનું શાંતિમય સમાધાન કરવા ફ્રેંચ સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી. પરંતુ લોકો પુચેરીને તાત્કાલિક આઝાદ કરી ભારતમાં જોડી દેવા માગતા હતા. ફ્રેંચોના અંકુશ હેઠળની અન્ય વસાહતોના લોકોએ પણ સ્વાતંત્ર્ય-ચળવળો શરૂ કરી હતી.
  • નામના લોકોની મુક્તિસેનાએ ઈ. સ. 1954માં એનામનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો.
  • લોકોનો મિજાજ પારખીને ફ્રેંચ સરકારે 13 ઑક્ટોબર, 1954માં ભારત સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી. વાટાઘાટોના અંતે ફ્રેંચ સરકાર તેની પુડુચેરી, કરાઇકલ, ચંદ્રનગર, માહે અને યનમ આ પાંચ ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા તૈયાર થઈ.

પ્રશ્ન 4.
‘ઑપરેશન વિજય’ એટલે શું? તે શા માટે કરવામાં આવ્યું?
ઉત્તર :
“ઑપરેશન વિજય’ એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન.

  • ઈ. સ. 1950માં ભારત સાર્વભૌમ, પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું એ સમયે ગોવા, દીવ અને દમણ પોર્ટુગીઝોનાં સંસ્થાનો હતાં.
  • એ સંસ્થાનો ભારતને સુપ્રત કરવા ભારત સરકારે સમજાવટ અને વાટાઘાટો દ્વારા બહુ પ્રયત્નો કર્યા. પરંતુ તેનું કોઈ પરિણામ ન આવ્યું.
  • ગોવાને ભારતમાં જોડી દેવા લોકોએ ઉગ્ર આંદોલન શરૂ કર્યું. 18 જૂન, 1954ના રોજ લોકોએ મોટા પાયા પર સત્યાગ્રહ કર્યો.
  • 15 ઑગસ્ટ, 1955ના રોજ હજારો લોકોએ ‘ગોવા મુક્તિ આંદોલન’ કરી ગોવા, દીવ અને દમણમાં પ્રવેશવા પ્રયત્ન કર્યો.
  • પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથેની અથડામણમાં અસંખ્ય સત્યાગ્રહીઓ શહીદ થયા. પોર્ટુગીઝ સત્તાવાળાઓના અત્યાચારો વધી ગયા. ગોવામાં સ્ફોટક પરિસ્થિતિ સર્જાઈ. વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા નહિ મળે એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ‘ઑપરેશન વિજય’ કરવામાં આવ્યું.

3. નીચેના પર ટૂંક નોંધ લખો:

પ્રશ્ન 1.
ટૂંક નોંધ લખો દેશી રાજ્યો – રિયાસતોના એકીકરણમાં સરદાર પટેલનો ફાળો
ઉત્તર:
15 ઑગસ્ટ, 1947 પહેલાં ભારતમાં નાનાં-મોટાં 562 દેશી રાજ્યો હતાં. ભારતની સાથે એમને પણ સ્વતંત્રતા મળી.

  • સરદાર વલ્લભભાઈ પટેલ જુલાઈ, 1947માં વચગાળાની સરકારના ગૃહમંત્રી બન્યા. તેઓ દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા ગૃહમંત્રી હતા.
  • તેમણે અને તેમના સચિવ વી. પી. મેનને ‘જોડાણખત અને ‘જૈસે થે કરાર’ (15 ઑગસ્ટ, 1947ની સ્થિતિ જાળવી રાખવી.)નો મુસદ્દો તૈયાર કર્યો અને દેશી રાજ્યોની ભારતીય સંઘ સાથેના એકીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપથી શરૂ કરી. તેમણે દેશી રાજાઓની તેમની પ્રજા અને રાષ્ટ્રના હિતમાં પોતાનાં રાજ્યોનો સ્વેચ્છાએ ત્યાગ કરવા અને ભારતીય સંઘને એક, અખંડ, મજબૂત તથા સમૃદ્ધ બનાવવાનો પાયો નાખવામાં તેમનો સહકાર આપવા અપીલ કરી.
  • તેમણે રાજાઓ સાથે વ્યક્તિગત ચર્ચાઓ કરી તેમની શંકાઓ નિર્મુળ કરી.
  • તેમણે ભારત સરકાર વતી એ રાજાઓને તેમનો દરજ્જો, હકો અને હિતોના રક્ષણની તેમજ સાલિયાણાં આપવાની ખાતરી આપી.
  • આથી હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ-કશ્મીરના શાસકો સિવાયના બધા રાજાઓએ જોડાણખત પર હસ્તાક્ષર કરી તેમનાં રાજ્યો અને રિયાસતોનું ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું.
  • હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કરતાં તેની સામે ‘પોલીસ પગલું’ લઈને તેના રાજ્યને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું.
  • જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો. સરદાર પટેલે તરત જ ભારતીય સૈન્ય અને નૌકાદળને જૂનાગઢની ચારે બાજુ ગોઠવી દીધું. જૂનાગઢનો નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો. નવેમ્બર, 1947માં ભારત સરકારે લોકમત લઈને જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દીધું.
  • કશ્મીરના રાજા હરિસિંહે કશ્મીરનું વિધિસર ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું.
  • સરદાર પટેલની આ સિદ્ધિઓમાં તેમના મુખ્ય સચિવ વી. પી. મેનનનો ફાળો ખૂબ મહત્ત્વનો હતો.
  • આમ, સરદાર પટેલ અને વી. પી. મેનને ખૂબ ધીરજ અને અસાધારણ કુનેહ દાખવી દેશી રાજ્યો અને રિયાસતોનું ભારતીય સંઘ સાથે એકીકરણ કરી ભારતને એક અખંડ રાષ્ટ્ર બનાવ્યું.

પ્રશ્ન 2.
ટૂંક નોંધ લખોઃ ભારતનો ટેક્નોલૉજી ક્ષેત્રે વિકાસ
ઉત્તર:
છેલ્લાં 50 વર્ષોમાં ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. વિકસિત દેશોની તુલનામાં ભારતે આ ક્ષેત્રે સાધેલો વિકાસ અદ્વિતીય છે.

  • ભારતમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજીના વિકાસમાં ડૉ. હોમી ભાભા, ડૉ. રાજા રામન્ના, ડૉ. વિક્રમ સારાભાઈ, ડૉ. સી. વી. રામન, સર એમ. વિશ્વેશ્વરૈયા, સામ પિત્રોડા, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ, ઈ. શ્રીધરન વગેરે વૈજ્ઞાનિકો, ઇજનેરો, ટેક્નોક્રેટોએ નોંધપાત્ર ફાળો આપ્યો છે.
  • આ ઉપરાંત, ભારતીય મહિલાઓએ પણ વિજ્ઞાન અને ટેક્નોલૉજીના ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે. વનસ્પતિ ક્ષેત્રે જાનકી અમ્મા, રસાયણશાસ્ત્રના ક્ષેત્રે અસીમા ચેટરજી, તબીબી ક્ષેત્રે ડૉ. ઇન્દિરા આહુજા, ગણિતશાસ્ત્રમાં માનવ સંગણક Human Computer)માં શકુંતલાદેવી, અવકાશ ક્ષેત્રે કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ.
  • વિજ્ઞાન અને ટેક્નોલૉજીના શિક્ષણ અને સંશોધન માટે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સિસ’, ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી’, ‘ઇન્ડિયન રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઈસરો), “ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી વગેરે સંસ્થાઓએ મહત્ત્વનો ફાળો આપ્યો છે.
  • ભારતે અદ્યતન કૃષિ ટેક્નોલૉજી, કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ યુનિવર્સિટીઓનો ઉપયોગ કરીને તેમજ સિંચાઈ યોજનાઓ દ્વારા હરિયાળી ક્રાંતિ કરી છે. આ ક્રાંતિના પરિણામે ભારત અન્નઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે.
  • પરમાણુ વિજ્ઞાન અને ટેક્નોલૉજીમાં ભારતે હરણફાળ ભરી છે. ભારત ભાભા પરમાણુ ક્ષેત્ર સંશોધન, વૈજ્ઞાનિકો, ઇજનેરો અને ટેક્નોક્રેટોના સંયુક્ત પ્રયાસથી અદ્યતન પરમાણુ મથકો ઊભાં કર્યા છે. ભારતે પરમાણુ બૉમ્બ અને વિવિધ અંતરનાં મિસાઇલો વિકસાવ્યાં છે. દેશના સંરક્ષણ માટે ભારતે રાજસ્થાનમાં પોખરણ ખાતે બે વખત સફળ પરમાણુ પરીક્ષણ કર્યા છે.
  • ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ભારતે ‘આર્યભટ્ટ’, ‘ભાસ્કર’, ‘રોહિણી’ જેવા ઉપગ્રહો અવકાશમાં છોડ્યા છે, તેમજ ઉપગ્રહો છોડવા માટેનાં વ્હીકલ (GSLV) વિકસાવ્યાં છે.
  • છેલ્લા એક જ દાયકામાં ભારતે ટેલિકમ્યુનિકેશન અને માહિતી ટેક્નોલૉજી ક્ષેત્રે અદ્વિતીય પ્રગતિ સાધી છે. દેશમાં ટેલિફોન, મોબાઇલ ટેલિફોન, ટી.વી., કમ્યુટર વગેરે ઉપકરણોનો ઉપયોગ ઉત્તરોત્તર વધતો જાય છે.
  • આ ઉપરાંત, ભારતમાં ઉદ્યોગો, ઊર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયો-ટેક્નોલૉજીનો ઉપયોગ પણ સતત વધી રહ્યો છે.

પ્રશ્ન 3.
હરિયાળી ક્રાંતિ
ઉત્તર:
ભારતમાં કૃષિક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓને પરિણામે દેશ અન્ન-ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો છે. દેશમાં કૃષિ-ઉત્પાદન ઘણું વધ્યું છે. આ ઘટના હરિયાળી ક્રાંતિ’ કહેવાય છે.

  • ભારતે હરિયાળી ક્રાંતિ સાધી એની પાછળ રહેલાં કારણોઃ
  • મોટાં જળાશયો અને બંધોમાંથી કાઢેલી નહેરો વડે વિકસાવવામાં આવેલી સગવડો.
  • અદ્યતન કૃષિ ટેક્નોલૉજીનો ઉપયોગ.
  • કૃષિ સંશોધન સંસ્થાઓ, પ્રયોગશાળાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા મળતું સંશોધન – માર્ગદર્શન
  • ઉત્તમ બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, વીજળી, પંપ સેંટ કે ટ્રેક્ટરની ખરીદીમાં ખેડૂતોને અપાતી રાહતો.
  • ખેડૂતોને આર્થિક લોન કે સબસિડી સ્વરૂપે અપાતી નાણાકીય સહાય.
  • ખેડૂતોને વર્તમાનપત્રો, આકાશવાણી, દૂરદર્શન અને કૃષિમેળાઓ દ્વારા કૃષિની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અંગે અપાતું માર્ગદર્શન.
  • જિલ્લા કક્ષાએ સ્થપાયેલાં ખેડૂત તાલીમ કેન્દ્રો વગેરે.

પ્રશ્ન 4.
ટૂંક નોંધ લખો: પ્રદેશવાદ
ઉત્તર:
ભારતદેશ અનેક વિવિધતાઓ ધરાવે છે. વિવિધ ધર્મો, ભાષાઓ, જાતિઓ, જ્ઞાતિઓ અને સંસ્કૃતિઓ ધરાવતા લોકો સદીઓથી એકસાથે રહેતા હોવાથી તેમની વચ્ચે ભાવાત્મક એકતા છે.

  • ભારતીય સમાજમાં વિદેશી પ્રજા અને તેમનાં સાંસ્કૃતિક મૂલ્યોનો સમન્વય થયો. એ પ્રજા જે પ્રદેશમાં લાંબા સમયથી વસવાટ કરતી હતી તેમને ત્યાંની ભૂમિ માટે એક પ્રકારની લાગણી જન્મી તેને પ્રદેશવાદની ભાવના’ કહે છે.
  • પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે મુખ્યત્વે ભાષા, જાતિ અને ધર્મ આ ત્રણેય પરિબળો જવાબદાર છે.
  • ભાષાવાદે પ્રદેશવાદને ઉત્તેજન આપ્યું છે. ઉત્તર ભારતમાં હિંદીભાષી પ્રજામાં અને દક્ષિણ ભારતમાં બિનહિંદીભાષી પ્રજામાં પ્રદેશવાદની લાગણી તીવ્ર છે.
  • ઉત્તર-પૂર્વ ભારતનાં રાજ્યોમાં એક જ કોમની બહુમતી છે. આ પ્રજા પોતાનો અલગ ધર્મ પાળે છે. દા. ત., નાગાલૅન્ડ, મિઝોરમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ વગેરે રાજ્યોની પ્રજાના રીતરિવાજો, પરંપરા, જીવનશૈલી, વ્યવસાય વગેરેમાં વિવિધતા પ્રવર્તે છે. તેમનામાં ધર્મને કારણે પ્રદેશવાદની ભાવના જન્મી છે.
  • પ્રદેશવાદના જાતિવાદના પરિબળને કારણે પંજાબ અને હરિયાણાની રચના થઈ. બિહારમાંથી ઝારખંડ રાજ્ય મધ્ય પ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ રાજ્ય આ જ કારણે રચાયાં છે. આજે મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્ય રચવાની માગણી થઈ રહી છે. પ્રદેશવાદની સંકુચિત લાગણીનો વિચાર વધતો જાય છે.
  • કેટલાક પ્રદેશો – રાજ્યોમાં નેતાઓ અને કેટલાંક બળવાખોર જૂથો લોકલાગણીને ઉશ્કેરી પ્રદેશવાદને ઉત્તેજન આપે છે. આ પરિબળો દેશની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે નુકસાનકારક છે.

પ્રશ્ન 5.
ટૂંક નોંધ લખો: પ્રાદેશિક અસમાનતા
ઉત્તર:
ભારતમાં વિદેશી શાસકોએ જે પ્રદેશોમાં પોતાને આર્થિક લાભ થયો નહોતો તે પ્રદેશોમાં વિકાસનાં કામો કર્યા નહિ. પરિણામે એ વિસ્તારોમાં પ્રાદેશિક અસમાનતા સર્જાઈ હતી.

  • ભારતની ભૌગોલિક વિશાળતા અને ભિન્નતાઓને કારણે દેશના જુદા જુદા પ્રદેશોનો – રાજ્યોનો સમતોલ આર્થિક વિકાસ થયો નથી.
  • દેશના વિવિધ પ્રદેશોમાં પ્રવર્તતી કુદરતી સંસાધનોની વિષમતાઓને કારણે બધા પ્રદેશોનો ઔદ્યોગિક ક્ષેત્રે અને કૃષિક્ષેત્રે એકસરખો વિકાસ થયો નથી.
  • આઝાદી પછી ભારતનો આર્થિક, સામાજિક અને અન્ય ક્ષેત્રોમાં સમતોલ વિકાસ સાધવા માટે આયોજનપંચ(હવે નીતિઆયોગ)ની રચના થઈ. તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોનો સમતોલ આર્થિક સહિત અન્ય ક્ષેત્રોમાં વિકાસ સાધવાનો હતો. પરંતુ પ્રદેશવાદનાં દબાણો, રાજકીય કારણોથી વિકાસ યોજનાઓ પોતાના પ્રદેશમાં લઈ જવાની ખેંચતાણ, વિકાસ માટેના સ્રોતો, વગેરે અનેક પરિબળોને લીધે દેશના બધા પ્રદેશોનો સમતોલ આર્થિક વિકાસ સાધવામાં નોંધપાત્ર સફળતા મળી નથી. આથી, સમતોલ વિકાસની બાબતોમાં અસમાનતા પ્રવર્તતી જોવા મળે છે.
  • ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં માથાદીઠ આવક, સાક્ષરતાનો દર, આરોગ્ય અને શિક્ષણ સેવાઓ, ઉદ્યોગીકરણની માત્રા, વાહનવ્યવહાર અને સંદેશવ્યવહારની સગવડો, શહેરીકરણનો દર વગેરે બાબતોમાં અસમાનતાઓ પ્રવર્તે છે. તેથી દેશમાં વિકસિત, મધ્યમ વિકસિત અને અલ્પવિકસિત રાજ્યો જોવા મળે છે.
  • કેટલાંક રાજ્યોના આંતરિક પ્રાદેશિક વિકાસમાં પણ અસમાનતા જોવા મળે છે. મહારાષ્ટ્ર વિકસિત રાજ્ય છે પણ તેના વિદર્ભ અને મરાઠાવાડના વિસ્તારો પછાત છે.
  • આંધ્ર પ્રદેશ રાજ્યમાં રાયલસીમા અને તેલંગણા રાજ્યના કેટલાક વિસ્તારો અલ્પવિકસિત છે. ભારતનાં કેટલાંક રાજ્યો કૃષિ વિકાસમાં તો કેટલાંક રાજ્યો ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર છે. આમ, રાજ્યો-રાજ્યો વચ્ચે ઘણી બાબતોમાં અસમાનતાઓ પ્રવર્તે છે.
  • પ્રદેશવાદને કારણે કેટલાંક રાજ્યો વચ્ચે સરહદી જમીન તથા જળની વહેંચણીના વિવાદો ચાલી રહ્યા છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે તથા પંજાબ અને હરિયાણા રાજ્યોની સરહદ માટેની જમીનના વિવાદ ચાલી રહ્યા છે. પોતાના રાજ્યની ખનીજસંપત્તિ અને જંગલસંપત્તિ પોતાને જ મળે એવી પ્રાદેશિક સંકુચિતતા પ્રજામાં જોવા મળે છે.

4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:

પ્રશ્ન 1.
સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી?
A. સુભાષચંદ્ર બોઝની
B. વડોદરાના ગાયકવાડની
C. સરદાર વલ્લભભાઈ પટેલની
D. મોતીલાલ નેહરુની
ઉત્તર:
C. સરદાર વલ્લભભાઈ પટેલની

પ્રશ્ન 2.
નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્રશાસિત નથી?
A. ચંડીગઢ
B. જમ્મુ-કશ્મીર
C. લક્ષદ્વીપ
D. પુડુચેરી
ઉત્તર:
B. જમ્મુ-કશ્મીર

પ્રશ્ન 3.
હાલ (ઈ. સ. 2016) ભારતીય સંઘમાં કેટલાં રાજ્યો અસ્તિત્વમાં છે?
A. 26
B. 27
C. 28
D. 29
ઉત્તર:
D. 29

પ્રશ્ન 4.
ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું?
A. ઉત્તરાખંડ
B. છત્તીસગઢ
C. તેલંગણા
D. ઝારખંડ
ઉત્તર:
C. તેલંગણા

પ્રશ્ન 5.
ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું?
A. છત્તીસગઢ
B. બિહાર
C. તેલંગણા
D. ઉત્તરાખંડ
ઉત્તર:
B. બિહાર

પ્રશ્ન 6.
નીચેનામાંથી કયાં બે રાજ્યો ‘સેવન સિસ્ટર્સમાં’નાં રાજ્યો નથી?
A. મણિપુર, અસમ
B. ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ
C. મિઝોરમ, નાગાલૅન્ડ
D. ઉત્તરાખંડ, ઝારખંડ
ઉત્તર:
D. ઉત્તરાખંડ, ઝારખંડ

પ્રશ્ન 7.
નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 29 રાજ્યોમાંનું એક નથી?
A. આંધ્ર પ્રદેશ
B. ગોવા
C. દિલ્લી
D. ગુજરાત
ઉત્તર:
B. ગોવા

પ્રશ્ન 8.
ગુજરાત રાજ્યની સ્થાપનાદિન કયો છે?
A. 1 મે, 1961
B. 1 મે, 1960
C. 1 મે, 1962
D. 1 મે, 1970
ઉત્તર:
B. 1 મે, 1960

પ્રશ્ન 9 .
ભારત સ્વતંત્ર બન્યા પછી (દેશના) સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરી?
A. કૃષિપંચની
B. શિક્ષણપંચની
C. આયોજનપંચની
D. કોઠારી પંચની
ઉત્તર:
C. આયોજનપંચની

GSEB Class 9 Social Science ભારતમાં સ્વાતંત્ર્યોત્તર ભારત Important Questions and Answers

નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ ‘……………………………’ ની સ્થાપના કરી.
A. આરઝી જૂનાગઢ
B. આરઝી હકૂમત
C. આઝાદ જૂનાગઢ
ઉત્તરઃ
B. આરઝી હકૂમત

પ્રશ્ન 2.
રાજ્ય પુનર્ચનાપંચના અધ્યક્ષ (ચૅરમૅન) ………………….. હતા.
A. પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલઅલી
B. હૃદયનાથ કુંઝરુ
C. કે. એમ. પનિકર
ઉત્તરઃ
A. પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલઅલી

પ્રશ્ન 3.
………………………… ના રોજ ગુજરાતના અલગ રાજ્યની રચના કરવામાં આવી.
A. 24 નવેમ્બર, 1958
B. 10 જાન્યુઆરી, 1960
C. 1 મે, 1960
ઉત્તરઃ
C. 1 મે, 1960

પ્રશ્ન 4.
ભારતની ઉત્તર-પૂર્વ દિશામાં રચાયેલાં સાતેય રાજ્યોને ……………………. તરીકે ઓળખવામાં આવે છે.
A. છ બહેનો
B. નવ બહેનો
C. સાત બહેનો
ઉત્તરઃ
C. સાત બહેનો

પ્રશ્ન 5.
આજે ભારતીય સંઘ(ઈ. સ. 2018)માં …………………………. રાજ્યો છે.
A. 29
B. 35
C. 27
ઉત્તરઃ
A. 29

પ્રશ્ન 6.
……………………. માં બોડો જાતિના લોકો અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે.
A. મિઝોરમ
B. મણિપુર
C. અસમ
ઉત્તરઃ
C. અસમ

પ્રશ્ન 7.
આંધ્ર પ્રદેશમાંથી …………………….. રાજ્યની રચના થઈ.
A. ઝારખંડ
B. તેલંગણા
C. કર્ણાટક
ઉત્તરઃ
B. તેલંગણા

પ્રશ્ન 8.
બ્રિટિશરોનો મુખ્ય હેતુ ભારતનું ……………………. કરવાનો હતો.
A. વિકાસ
B. શોષણ
C. પરાધીન
ઉત્તરઃ
B. શોષણ

પ્રશ્ન 9.
ભારતે અંતરિક્ષમાં ……………………….. , ……………………. અને …………………….. નામના (દૂરસંચાર) ઉપગ્રહો છોડ્યા છે.
A. દિવાકર, આર્યભટ્ટ, ધૂમકેતુ
B. આર્યભટ્ટ, ધૂમકેતુ, રોહિણી
C. આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી
ઉત્તરઃ
C. આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી

પ્રશ્ન 10.
આઝાદીના દિવસે જ જૂનાગઢના નવાબે ……………………… સાથે જોડાણ કર્યું.
A. હૈદરાબાદ
B. પાકિસ્તાન
C. ભારતીય સંઘ
ઉત્તરઃ
B. પાકિસ્તાન

પ્રશ્ન 11.
ઈ. સ. 1956માં ……………………… રાજ્યને આંધ્ર પ્રદેશ રાજ્યમાં સમાવવામાં આવ્યું.
A. હૈદરાબાદ
B. મૈસૂર
C. કર્ણાટક
ઉત્તરઃ
A. હૈદરાબાદ

પ્રશ્ન 12.
…………………. સરદાર વલ્લભભાઈ પટેલના સચિવ હતા.
A. ડૉ. વિક્રમ સારાભાઈ
B. કનૈયાલાલ મુનશી
C. વી. પી. મેનન
ઉત્તરઃ
C. વી. પી. મેનન

પ્રશ્ન 13.
આઝાદી મળી એ સમયે કમીરના મહારાજા …………………….. હતા.
A. ચેતસિંહ માનવા
B. હરિસિંહ ડોગરા
C. માનસિંહ ડોગરા
ઉત્તરઃ
B. હરિસિંહ ડોગરા

પ્રશ્ન 14.
ગોવા, દીવ અને દમણમાં પોર્ટુગીઝ સરકાર દ્વારા અત્યાચાર થતાં ‘……………………. ‘માં સત્યાગ્રહીઓ શહીદ થયા.
A. ગોવામુક્તિ આંદોલન
B. ગોવાવિજય આંદોલન
C. ઑપરેશન વિજય
ઉત્તરઃ
A. ગોવામુક્તિ આંદોલન

પ્રશ્ન 15.
ગોવાનું મુખ્ય મથક …………………………. છે.
A. સેલવાસ
B. દમણ,
C. પણજી
ઉત્તરઃ
C. પણજી

પ્રશ્ન 16.
ઉત્તરાખંડની રાજધાની ………………………. છે.
A. દેહરાદૂન
B. ચંડીગઢ
C. શિમલા
ઉત્તરઃ
A. દેહરાદૂન

પ્રશ્ન 17.
ભારતમાં ભાષાવાદે ……………………… ને ઉત્તેજન આપ્યું છે.
A. વિવિધતા
B, જ્ઞાતિવાદ
C. પ્રદેશવાદ
ઉત્તરઃ
C. પ્રદેશવાદ

પ્રશ્ન 18.
ભારતના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ………………………. મહાન વૈજ્ઞાનિક હતા.
A. ડૉ. હોમીભાભા
B. ડે. એ. પી. જે. અબ્દુલ ક્લામ
C. ડૉ. રાજા રામન્ના
ઉત્તરઃ
B. ડે. એ. પી. જે. અબ્દુલ ક્લામ

પ્રશ્ન 19.
ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારનાં ……………………….. વિકસાવ્યાં છે.
A. GSLV
B. GTPL
C. GSTL
ઉત્તરઃ
A. GSLV

(અ) નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ઉત્તર લખો [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
પાકિસ્તાને કબજે કરેલો કશ્મીરનો ભાગ પાછો મેળવવા ભારત સરકારે કોની સમક્ષ ફરિયાદ કરી?
A. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સમક્ષ
B. સોવિયેત સરકાર સમક્ષ
C. અમેરિકન સરકાર સમક્ષ
D. સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા સમક્ષ
ઉત્તર:
A. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ સમક્ષ

પ્રશ્ન 2.
ભારતની ઉત્તર-પૂર્વ દિશામાં રચાયેલાં રાજ્યોને કયા નામે ઓળખવામાં આવે છે?
A. ‘સેવન સિસ્ટર્સ’ (સાત બહેનો)
B. ‘ગિરિઝંદો’
C. ‘સપ્તક રાજ્યો’
D. ‘ગિરિબહેનો’
ઉત્તર:
A. ‘સેવન સિસ્ટર્સ’ (સાત બહેનો)

પ્રશ્ન 3.
મહારાષ્ટ્રમાંથી ક્યા અલગ રાજ્યની માગણી ચાલુ છે?
A. વિદર્ભની
B. સોલાપુરની
C. નાગપુરની
D. સાતારાની
ઉત્તર:
A. વિદર્ભની

પ્રશ્ન 4.
ઉદ્યોગો, ઊર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં કઈ ટેક્નોલૉજીનો ઉપયોગ વધી રહ્યો છે?
A. બાયો-ટેક્નોલૉજીનો
B. અણુ-ટેક્નોલૉજીનો
C. સ્પેસ-ટેક્નોલૉજીનો
D. માઇનિંગ-ટેક્નોલૉજીનો
ઉત્તર:
A. બાયો-ટેક્નોલૉજીનો

પ્રશ્ન 5.
સંયુક્ત રાષ્ટ્રોએ કયા દિવસને વિશ્વ યોગદિન તરીકે ઊજવવાનો નિર્ણય કર્યો છે?
A. 12 માર્ચના દિવસને
B. 21 જૂનના દિવસને
C. 15 ઑગસ્ટના દિવસને
D. 26 જાન્યુઆરીના દિવસને
ઉત્તર:
B. 21 જૂનના દિવસને

પ્રશ્ન 6.
હૈદરાબાદને ભારતીય સંઘ સાથે વિલીનીકરણ કરવામાં સરદાર પટેલની સાથે કોણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી?
A. કનૈયાલાલ મુનશીએ
B. લાલબહાદુર શાસ્ત્રીએ
C. વી. પી. મેનને
D. જયપ્રકાશજીએ
ઉત્તર:
A. કનૈયાલાલ મુનશીએ

પ્રશ્ન 7.
‘આરઝી હકૂમત’ની સ્થાપના કોણે કરી?
A. શામળદાસ ગાંધીએ
B. ભારત સરકારે
C. જૂનાગઢના નાગરિકોએ
D. રતુભાઈ અદાણીએ
ઉત્તર:
C. જૂનાગઢના નાગરિકોએ

પ્રશ્ન 8.
જૂનાગઢના નાગરિકોએ કયા શહેરમાં ‘આરઝી હકૂમત’ની સ્થાપના કરી?
A. મુંબઈમાં
B. રાજકોટમાં
C. અમદાવાદમાં
D. જૂનાગઢમાં
ઉત્તર:
A. મુંબઈમાં

પ્રશ્ન 9.
ભારત સરકારે જૂનાગઢને ભારતસંઘ સાથે કેવી રીતે જોડી દીધું?
A. લોકમત લઈને
B. સમજાવટથી
C. પોલીસ પગલું ભરીને
D. લાલચ આપીને
ઉત્તર:
A. લોકમત લઈને

પ્રશ્ન 10.
ભારત આઝાદ થયું ત્યારે કશ્મીરના રાજા કોણ હતા?
A. માધોસિંહ
B. માણેકરાવ
C. જયસિંહ
D. હરિસિંહ
ઉત્તર:
D. હરિસિંહ

પ્રશ્ન 11.
પુડુચેરીમાં લોકોએ ફ્રેંચ સરકારને શેનું એલાન આપ્યું?
A. ‘પુડુચેરી છોડો’નું
B. ‘ભારત છોડો’નું
C. ‘નામ છોડો’નું
D. ‘શરણાગતિ સ્વીકારો’નું
ઉત્તર:
B. ‘ભારત છોડો’નું

પ્રશ્ન 12.
રાજકીય પક્ષો અને સત્યાગ્રહીઓએ ગોવાને પોર્ટુગીઝોથી મુક્ત કરવા શું કર્યું?
A. ‘ગોવામુક્તિ આંદોલન’
B. ‘પોલીસ પગલું’
C. ‘ઑપરેશન વિજય’
D. ‘હિંદ છોડો’ આંદોલન
ઉત્તર:
A. ‘ગોવામુક્તિ આંદોલન’

પ્રશ્ન 13.
ભારત સરકારે ગોવામાં જનરલ ચૌધરીના નેતૃત્વ નીચે શું કર્યું?
A. ‘પોલીસ પગલું’
B. ‘ગોવા છોડો’ આંદોલન
C. ‘ગોવા વિજય’
D. ‘ઑપરેશન વિજય’
ઉત્તર:
D. ‘ઑપરેશન વિજય’

પ્રશ્ન 14.
દાદરા-નગરહવેલીનું મુખ્ય મથક કયું છે?
A. પિંપરી
B. દમણ
C. સેલવાસ
D. પણજી
ઉત્તર:
C. સેલવાસ

પ્રશ્ન 15.
દમણ અને દીવનું મુખ્ય મથક કયું છે?
A. પણજી
B. દમણ
C. દીવ
D. સેલવાસ
ઉત્તર:
B. દમણ

પ્રશ્ન 16.
ગોવાનું મુખ્ય મથક કયું છે?
A. પણજી
B. પિંપરી
C. સેલવાસ
D. દમણ
ઉત્તર:
A. પણજી

પ્રશ્ન 17.
‘રાજ્ય પુનરચનાપંચના અધ્યક્ષ’ (ચૅરમૅન) કોણ હતા?
A. ફઝલઅલી
B. અબુલ ફઝલ
C. હૃદયનાથ કુંઝરુ
D. કે. એમ. પનિકર
ઉત્તર:
A. ફઝલઅલી

પ્રશ્ન 18.
રાજ્યોની પુનરચનાના કાયદા મુજબ કેટલાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રચના કરવામાં આવી?
A. 21 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશો
B. 16 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશો
C. 14 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશો
D. 12 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો
ઉત્તર:
C. 14 રાજ્યો અને 5 કેન્દ્રશાસિત પ્રદેશો

પ્રશ્ન 19.
ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી?
A. 1 માર્ચ, 1958ના રોજ
B. 31 ઑગસ્ટ, 1960ના રોજ
C. 10 જાન્યુઆરી, 1961ના રોજ
D. 1 મે, 1960ના રોજ
ઉત્તર:
D. 1 મે, 1960ના રોજ

પ્રશ્ન 20.
ઈ. સ. 2000માં બિહારમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
A. ઉત્તરાખંડની
B. છત્તીસગઢની
C. તેલંગણાની
D. ઝારખંડની
ઉત્તર:
D. ઝારખંડની

પ્રશ્ન 21.
ઈ. સ. 2000માં મધ્ય પ્રદેશમાંથી ક્યા નવા રાજ્યની રચના કરવામાં આવી?
A. છત્તીસગઢની
B. ઝારખંડની
C. આંધ્ર પ્રદેશની
D. ઉત્તરાખંડની
ઉત્તર:
A. છત્તીસગઢની

પ્રશ્ન 22.
ઈ. સ. 2002માં ઉત્તર પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
A. ઝારખંડની
B. છત્તીસગઢની
C. ઉત્તરાખંડની
D. તેલંગણાની
ઉત્તર:
C. ઉત્તરાખંડની

પ્રશ્ન 23.
આંધ્ર પ્રદેશનો કયો વિસ્તાર આર્થિક દૃષ્ટિએ પછાત છે?
A. રાયલસીમા
B. પેનુકોંડા
C. મકપુર
D. આદોની
ઉત્તર:
A. રાયલસીમા

પ્રશ્ન 24.
છેલ્લા પાંચ દાયકામાં ભારતે કયા ક્ષેત્રે નોંધપાત્ર વિકાસ સાધ્યો છે?
A. કૃષિક્ષેત્રે
B. ઔદ્યોગિક ક્ષેત્રે
C. ખનીજ-સંશાધનના ક્ષેત્રે
D. વિજ્ઞાન અને ટેકનોલૉજીના ક્ષેત્રે
ઉત્તર:
D. વિજ્ઞાન અને ટેકનોલૉજીના ક્ષેત્રે

પ્રશ્ન 25.
ભારતમાં મેટ્રો રેલવેના પ્રોજેક્ટને કોણે સફળ બનાવ્યો છે?
A. સામ પિત્રોડાએ
B. ડૉ. એ. પી. જે. અબ્દુલ ક્લામે
C. ઈ. શ્રીધરને
D. કે. જયવર્ધને
ઉત્તર:
C. ઈ. શ્રીધરને

પ્રશ્ન 26.
ભારતે રાજસ્થાનમાં ક્યા સ્થળે સફળ પરમાણુ અખતરા કર્યા હતા?
A. પોખરણ
B. જેસલમેર
C. ખેતડી
D. કોલાયત
ઉત્તર:
A. પોખરણ

પ્રશ્ન 27.
જૂનાગઢના નવાબે કોને જોડાણખત લખી આપ્યું?
A. હૈદરાબાદને
B. કશ્મીરને
C. ભારતસંઘને
D. પાકિસ્તાનને
ઉત્તર:
D. પાકિસ્તાનને

પ્રશ્ન 28.
પાકિસ્તાને ભારતના કયા દેશી રાજ્યને પોતાની સાથેના જોડાણની અનુમતિ આપી દીધી?
A. જમ્મુ-કાશ્મીરને
B. જૂનાગઢને
C. હૈદરાબાદને
D. રાજસ્થાનને
ઉત્તર:
B. જૂનાગઢને

પ્રશ્ન 29.
ઈ. સ. 1975માં ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ છોડ્યો હતો?
A. ભાસ્કર
B. રોહિણી
C. પૃથ્વી
D. આર્યભટ્ટ
ઉત્તર:
D. આર્યભટ્ટ

પ્રશ્ન 30.
ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે?
A. પટના
B. ભોપાલ
C. દિલ્લી
D. લખનઉ
ઉત્તર:
D. લખનઉ

પ્રશ્ન 31.
ઉત્તરાખંડની રાજધાની કઈ છે?
A. શિમલા
B. દેહરાદૂન
C. રાયપુર
D. દિસપુર
ઉત્તર:
B. દેહરાદૂન

પ્રશ્ન 32.
કર્ણાટકની રાજધાની કઈ છે?
A. બેંગલુર
B. ઈમ્ફાલ
C. ચંડીગઢ
D. ચેન્નઈ
ઉત્તર:
A. બેંગલુર

(બ) સમયાનુસાર બનાવોને યોગ્ય ક્રમમાં ગોઠવોઃ [પ્રત્યેકનો 1 ગુણ].

પ્રશ્ન 1.
A. ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં જોડી દીધું.
B. બ્રિટિશ પાર્લામેન્ટ હિંદ સ્વાતંત્ર્યધારો પસાર કર્યો.
C. યમનમાં લોકોએ મુક્તિસેના રચી તેનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો.
D. હૈદરાબાદ રાજ્યને આંધ્ર પ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું.
ઉત્તર :
B, A, C, D

2.
A. ભારતના રાજ્યબંધારણનો અમલ શરૂ થયો.
B. આંધ્ર પ્રદેશમાંથી તેલંગણાની અલગ રાજ્ય તરીકે રચના થઈ.
C. ગોવા, દીવ, દમણ, દાદરા-નગરહવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યાં.
D. બિહારમાંથી ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી.
ઉત્તરઃ
A, C, D, B

પ્રશ્ન 3.
A. ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી.
B. મધ્ય પ્રદેશમાંથી છત્તીસગઢ રાજ્યની રચના કરવામાં આવી.
C. જવાહરલાલ નેહરુએ સંસદમાં ‘રાજ્ય પુનર્ચનાપંચ નીમવાની જાહેરાત કરી.
D. ભારતે અવકાશમાં આર્યભટ્ટ નામનો ઉપગ્રહ છોડ્યો.
ઉત્તર:
C, A, D, B

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ [ પ્રત્યેકનો 1 ગુણ]

(1) શ્રી કનૈયાલાલ મુનશી ગૃહખાતાના તે સમયના સચિવ હતા.
ઉત્તર:
ખોટું

(2) આઝાદીના દિવસે જ જૂનાગઢના નવાબે હૈદરાબાદના નવાબ સાથે જોડાણ કર્યું.
ઉત્તર:
ખોટું

(3) આજેય પણ જમ્મુ-કશ્મીર રાજ્યના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો અંકુશ છે.
ઉત્તર:
ખરું

(4) ભારત આઝાદ થયો તે સમયે દીવ, દમણ અને ગોવા પર છે પોર્ટુગીઝોનો અંકુશ હતો.
ઉત્તર:
ખરું

(5) 1 માર્ચ, 1961ના દિવસે ગુજરાતના અલગ રાજ્યની રચના કરવામાં આવી.
ઉત્તર:
ખોટું

(6) છત્તીસગઢ રાજ્યની રચના મધ્ય પ્રદેશ રાજ્યમાંથી કરવામાં આવી છે.
ઉત્તર:
ખરું

(7) ભારતમાં એક જ ધર્મ પાળનારા અને એક જ ભાષા બોલનારા લોકો વસે છે.
ઉત્તર:
ખોટું

(8) ભારતમાં ઉદ્યોગો, ઊર્જા, કૃષિ, આરોગ્ય વગેરે ક્ષેત્રોમાં બાયો ટેક્નોલૉજીનો ઉપયોગ સતત વધી રહ્યો છે.
ઉત્તર:
ખરું

(9) આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ જામનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે જામનગરમાં ‘જવાબદાર સરકાર’નો શુભારંભ કર્યો.
ઉત્તર:
ખોટું

(10) હૈદરાબાદ રાજ્યને ભારતીય સંઘમાં ભેળવી દેવામાં શ્રી કનૈયાલાલ મુનશીએ અગત્યની ભૂમિકા ભજવી હતી.
ઉત્તર:
ખરું

(11) સરદાર પટેલની કુનેહ અને જૂનાગઢના નાગરિકોની પ્રચંડ ઇચ્છાશક્તિ થકી જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું.
ઉત્તર:
ખરું

(12) પુડુચેરીના લોકોએ વિશાળ સભા યોજી પોર્ટુગીઝ સરકારને ‘ભારત છોડો’નું એલાન આપ્યું.
ઉત્તર:
ખોટું

(13) દાદરા-નગરહવેલીનું મુખ્ય મથક પણજી છે.
ઉત્તર:
ખોટું

(14) 1 મે, 1960નો દિવસ ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ છે.
ઉત્તર:
ખરું

(15) ઈ. સ. 2000માં બિહારમાંથી ઝારખંડ રાજ્યની રચના કરવામાં આવી.
ઉત્તર:
ખરું

(16) ઈ. સ. 2012માં આંધ્ર પ્રદેશમાંથી તેલંગણાની અલગ રાજ્ય તરીકે રચના થઈ.
ઉત્તર:
ખોટું

(17) હાલમાં ભારતીય સંઘમાં 27 રાજ્યો છે.
ઉત્તર:
ખોટું

(18) ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે.
ઉત્તર:
ખરું

(19) અસીમા ચેટરજીનું રસાયણશાસ્ત્રના વિષયમાં નોંધપાત્ર પ્રદાન
રહ્યું છે.
ઉત્તર:
ખરું

(20) દર વર્ષે 21 જૂનનો દિવસ વિશ્વભરમાં ‘વિશ્વ યોગદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
ઉત્તર:
ખરું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]

(1) આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં કઈ સરકારની શરૂઆત કરી? – ‘જવાબદાર સરકાર’ની
(2) ભારતનાં દેશી રાજ્યોના રાજાઓમાં દેશભક્તિ કોણે જાગ્રત કરી? – સરદાર વલ્લભભાઈ પટેલે
(3) સરદાર પટેલના સચિવનું નામ શું હતું? – વી. પી. મેનન
(4) ભારત સરકારે પોલીસ પગલું ભરીને કયા રાજ્યને ભારતીય સંઘમાં ભેળવી દીધું? – હૈદરાબાદને :
(5) ઈ. સ. 1956માં રાજ્યોની પુનર્રચના થતાં હૈદરાબાદ રાજ્યને કયા રાજ્યમાં સમાવી લેવામાં આવ્યું? – આંધ્ર પ્રદેશમાં :
(6) જૂનાગઢના નવાબે પોતાના રાજ્યને કોની સાથે જોડાણખત લખી આપ્યું? – પાકિસ્તાન
(7) મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ શાની સ્થાપના કરી? – ‘આરઝી હકૂમત’ની
(8) કશ્મીરના મહારાજાનું નામ શું હતું? – હરિસિંહ ડોગરા
(9) દાદરા-નગરહવેલીનું મુખ્ય મથક કયું છે? – સેલવાસ
(10) દમણ અને દીવનું મુખ્ય મથક કયું છે? – દમણ

(11) ગોવાનું મુખ્ય મથક કયું છે? – પણજી
(12) ઈ. સ. 1953માં સંસદમાં ‘રાજ્ય પુનરચનાપંચ’ નીમવાની જાહેરાત કોણે કરી? – જવાહરલાલ નેહરુએ
(13) ગુજરાતમાં 1 મેનો દિવસ ક્યા દિવસ તરીકે ઊજવવામાં આવે છે? -ગુજરાત સ્થાપનાદિન
(14) સ્વતંત્રતા મળ્યા પછી ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ? – સરદાર વલ્લભભાઈ પટેલની
(15) ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી કયા અલગ રાજ્યની રચના કરવામાં આવી? – તેલંગણાની
(16) ઝારખંડની રચના કયા રાજ્યમાંથી કરવામાં આવી? – બિહારમાંથી
(17) ઈ. સ. 2000માં મધ્ય પ્રદેશમાંથી કયા અલગ રાજ્યની રચના કરવામાં આવી? – છત્તીસગઢની
(18) ઈ. સ. 2000માં ઉત્તરાખંડની રચના કયા રાજ્યમાંથી કરવામાં આવી? – ઉત્તર પ્રદેશમાંથી
(19) અસમમાં કઈ જાતિના લોકો પોતાના અલગ પ્રદેશ માટે ઉગ્ર : આંદોલન ચલાવી રહ્યા છે? – બોડો જાતિના
(20) હાલ મહારાષ્ટ્રમાંથી કયા અલગ રાજ્ય રચવાની માગણી ચાલી રહી છે? – વિદર્ભ રાજ્યની

(21) ભારત સ્વતંત્ર બન્યા પછી દેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરવામાં આવી? – આયોજનપંચની
(22) સંયુક્ત રાષ્ટ્ર (UN) એ 21 જૂનના દિવસને કયા દિવસ તરીકે ઊજવવાનો નિર્ણય કર્યો છે? – વિશ્વ યોગદિન
(23) અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે બાહ્ય અવકાશમાં ઉપગ્રહો છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબનની મેળવેલી સિદ્ધિ માટે ભારતની કઈ સંસ્થાની ભૂમિકા નોંધપાત્ર રહી છે? – ઇસરોની
(24) જાનકી અમ્માનું કયા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે? – વનસ્પતિ ક્ષેત્રે
(25) અસીમા ચેટરજીનું કયા વિષયમાં નોંધપાત્ર પ્રદાન રહ્યું છે? – રસાયણશાસ્ત્રમાં
(26) ડૉ. ઇન્દિરા આહુજાનું કયા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે? – તબીબી ક્ષેત્રે
(27) કલ્પના ચાવલાનું કયા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે? – અવકાશ ક્ષેત્રે
(28) સુનિતા વિલિયમ્સનું કયા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહ્યું છે? – અવકાશ ક્ષેત્રે

યોગ્ય જોડકાં બનાવો: [પ્રત્યેક સાચા જોડકાનો 1 ગુણ]

1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. મુંબઈ પુનરચના ધારો 1. 21 જૂન
2. જૂનાગઢના નવાબ 2. પોલીસ પગલું
3. હૈદરાબાદ 3. 10 માર્ચ
4. વિશ્વ યોગદિન 4. ઈ. સ. 1960
5. પાકિસ્તાન સાથે જોડાણ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. મુંબઈ પુનરચના ધારો 4. ઈ. સ. 1960
2. જૂનાગઢના નવાબ 5. પાકિસ્તાન સાથે જોડાણ
3. હૈદરાબાદ 2. પોલીસ પગલું
4. વિશ્વ યોગદિન 1. 21 જૂન

2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ 1. શ્રી કનૈયાલાલ મુનશી
2. હૈદરાબાદના જોડાણમાં અગત્યની ભૂમિકા 2. ‘જવાબદાર સરકાર’
3. જૂનાગઢ 3. આરઝી હકૂમત
4. ‘રાજ્ય પુનર્ચનાપંચ’ના સભ્ય 4. હૃદયનાથ કુંઝરુ
5. શ્રી વી. પી. મેનન

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહ 2. ‘જવાબદાર સરકાર’
2. હૈદરાબાદના જોડાણમાં અગત્યની ભૂમિકા 1. શ્રી કનૈયાલાલ મુનશી
3. જૂનાગઢ 3. આરઝી હકૂમત
4. ‘રાજ્ય પુનર્ચનાપંચ’ના સભ્ય 4. હૃદયનાથ કુંઝરુ

3.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. બિહારમાંથી નવા રાજ્યની રચના 1. તેલંગણા
2. મધ્ય પ્રદેશમાંથી નવા રાજ્યની રચના 2. ઉત્તરાખંડ
3. આંધ્ર પ્રદેશમાંથી નવા રાજ્યની રચના ૩. વિદર્ભ
4. ઉત્તર પ્રદેશમાંથી નવા રાજ્યની રચના 4. ઝારખંડ
5. છત્તીસગઢ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. બિહારમાંથી નવા રાજ્યની રચના 4. ઝારખંડ
2. મધ્ય પ્રદેશમાંથી નવા રાજ્યની રચના 5. છત્તીસગઢ
3. આંધ્ર પ્રદેશમાંથી નવા રાજ્યની રચના 1. તેલંગણા
4. ઉત્તર પ્રદેશમાંથી નવા રાજ્યની રચના 2. ઉત્તરાખંડ

4.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. દાદરા-નગરહવેલીનું મુખ્ય મથક 1. 29
2. દમણ અને દીવનું મુખ્ય મથક 2. 27
3. ગોવાનું મુખ્ય મથક 3. સેલવાસ
4. ભારતીય સંઘનાં કુલ રાજ્યો 4. દમણ
5. પણજી

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. દાદરા-નગરહવેલીનું મુખ્ય મથક 3. સેલવાસ
2. દમણ અને દીવનું મુખ્ય મથક 4. દમણ
3. ગોવાનું મુખ્ય મથક 5. પણજી
4. ભારતીય સંઘનાં કુલ રાજ્યો 1. 29

5.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઈ. સ. 1948 1. ભારતના રાજ્યબંધારણનો અમલ થયો
2. ઈ. સ. 1950 2. હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું
3. ઈ. સ. 1953 3. ‘સેવન સિસ્ટર્સ’ (સાત બહેનો)ની રચના થઈ
4. ઈ. સ. 1956 4. ‘રાજ્ય પુનર્ચનાપંચ’ની રચના થઈ
5. હૈદરાબાદ રાજ્યને આંધ્ર પ્રદેશમાં સમાવવામાં આવ્યું

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ઈ. સ. 1948 2. હૈદરાબાદને ભારતીય સંઘમાં ભેળવી દીધું
2. ઈ. સ. 1950 1. ભારતના રાજ્યબંધારણનો અમલ થયો
3. ઈ. સ. 1953 4. ‘રાજ્ય પુનર્ચનાપંચ’ની રચના થઈ
4. ઈ. સ. 1956 5. હૈદરાબાદ રાજ્યને આંધ્ર પ્રદેશમાં સમાવવામાં આવ્યું

નીચેના પારિભાષિક શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરો [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
પ્રદેશવાદ
ઉત્તરઃ
ચોક્કસ પ્રાદેશિક વિસ્તારમાં કાયમી વસવાટ કરીને રહેતી પ્રજામાં પોતાના વિસ્તારની ભૂમિ માટે એક પ્રકારની ભાવાત્મક લાગણી જન્મે છે, તેને ‘પ્રદેશવાદ’ કહે છે. પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે મુખ્યત્વે ભાષા, જાતિ અને ધર્મ આ ત્રણ પરિબળો જવાબદાર છે.

પ્રશ્ન 2.
હરિયાળી ક્રાંતિ
ઉત્તર :
ભારતમાં કૃષિક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાઓને પરિણામે દેશ અન્ન-ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યો છે. દેશમાં કૃષિ-ઉત્પાદન ઘણું વધ્યું છે. આ ઘટના ‘હરિયાળી ક્રાંતિ’ કહેવાય છે.

પ્રશ્ન 3.
‘ઑપરેશન વિજય’
ઉત્તરઃ
‘ઑપરેશન વિજય’ એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ રે સરકારના અંકુશથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન.

કારણો આપી વિધાનો પૂરાં કરો [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું, કારણ કે
ઉત્તર:
ભારત આઝાદ થયો એ પહેલાં હૈદરાબાદના નિઝામે ભારતીય સંઘથી સ્વતંત્ર રહેવાનું જાહેર કર્યું હતું. જોડાણ વિશે નિઝામે પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, જો ભારતના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણોસર ભારતમાં જોડાઈ શકશે નહિ.

પ્રશ્ન 2.
હૈદરાબાદમાં પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું, કારણ કે……..
ઉત્તર :
સરદાર પટેલે નિઝામને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી. એ સમયે નિઝામના અધિકારીઓએ અને સૈન્ય લોકો પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. લોકોને એ અસહ્ય પરિસ્થિતિમાંથી બચાવવા માટે ભારત સરકારને હૈદરાબાદ સામે પોલીસ પગલું ભરવું પડ્યું.

પ્રશ્ન 3.
આજે પણ કશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો હું અંકુશ છે, કારણ કે………
ઉત્તર:
કશમીરને પોતાની સાથે જોડવા માટે પાકિસ્તાને કશ્મીર પર આક્રમણ કર્યું. રાજા હરિસિંહે કમીરનું રક્ષણ કરવા ભારત સરકારની લશ્કરી મદદ માગી. ભારત સરકારે તેમની પાસેથી કશ્મીરના ભારતસંઘ સાથેના જોડાણખત પર સહી કરાવી લીધી. એ પછી ભારત સરકારે કશ્મીરમાં તાત્કાલિક ધોરણે લશ્કર મોકલીને આક્રમણખોરોને ભગાડી મૂક્યા. પરંતુ એ દરમિયાન પાકિસ્તાને કશ્મીરના ત્રીજા ભાગ પર પોતાનો અંકુશ જમાવી દીધો હતો.

પ્રશ્ન 4.
મુંબઈમાં ‘આરઝી હકૂમત’ની સ્થાપના કરવામાં આવી, કારણ કે………
ઉત્તર:
મુંબઈમાં રહેતા જૂનાગઢના નાગરિકો જૂનાગઢને ભારતીય સંઘમાં જોડવા માગતા હતા.

પ્રશ્ન 5.
ભારતમાં પ્રદેશવાદ કે પ્રાદેશિકતાની ભાવના સર્જાઈ છે, કારણ કે………
ઉત્તર:
ભારતમાં રાજ્ય-રાજ્ય વચ્ચે કે પ્રદેશ-પ્રદેશ વચ્ચે ઘણી અસમાનતાઓ છે.

પ્રશ્ન 6.
‘ઑપરેશન વિજય’ કરવામાં આવ્યું, કારણ કે …………
ઉત્તર:
‘ઑપરેશન વિજય’ એટલે ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશથી મુક્ત કરવા શરૂ કરેલું લશ્કરી અભિયાન. પોર્ટુગીઝ સત્તાવાળાઓ સાથે વાટાઘાટો, સમજાવટ અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસોને સફળતા નહિ મળે એમ લાગવાથી ભારત સરકારે ગોવાને મુક્ત કરવા જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ‘ઑપરેશન વિજય’ કરવામાં આવ્યું.

પ્રશ્ન 7.
ઈ. સ. 1953માં ‘રાજ્ય પુનર્રચનાપંચની રચના કરવામાં આવી, કારણ કે………..
ઉત્તરઃ
ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવાની માગણી સમગ્ર દેશમાં ઉદ્ભવી હતી.

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં લખોઃ [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
જુલાઈ, 1947માં બ્રિટિશ પાર્લમેન્ટ ક્યો ધારો પસાર કર્યો?
ઉત્તર:
જુલાઈ, 1947માં બ્રિટિશ પાર્લામેન્ટ હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર કર્યો.

પ્રશ્ન 2.
ભારત આઝાદ થયો એ સમયે દેશમાં લગભગ કેટલાં દેશી રાજ્યો હતાં?
ઉત્તર:
ભારત આઝાદ થયો એ સમયે દેશમાં લગભગ 562 દેશી રાજ્યો હતાં.

પ્રશ્ન 3.
ભારતના કુલ ક્ષેત્રફળના કેટલા ટકા ક્ષેત્રફળ દેશી રાજ્યોમાં હતું?
ઉત્તર:
ભારતના કુલ ક્ષેત્રફળના 48 % ક્ષેત્રફળ દેશી રાજ્યોમાં હતું.

પ્રશ્ન 4.
ભારતની કુલ જનસંખ્યાના કેટલા ટકા જનસંખ્યા દેશી રાજ્યોની હતી?
ઉત્તર:
ભારતની કુલ જનસંખ્યાના 20 % જનસંખ્યા દેશી રાજ્યોમાં હતી.

પ્રશ્ન 5.
આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ કોણે ‘જવાબદાર સરકાર’ બનાવી?
ઉત્તર :
આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહે “જવાબદાર સરકાર બનાવી.

પ્રશ્ન 6.
ભાવનગર રાજ્ય ક્યારે, કોના પ્રયત્નથી શામાં વિલીન થયું?
ઉત્તર :
ભાવનગર રાજ્ય 15 ફેબ્રુઆરી, 1948માં સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્રમાં વિલીન થઈ ગયું.

પ્રશ્ન 7.
પંડિત જવાહરલાલ નેહરુએ કઈ ઘટનાને “સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ” ગણાવ્યું?
ઉત્તરઃ
સંયુક્ત સૌરાષ્ટ્રની રચના અને તેમાં ભાવનગર રાજ્યના વિલીનીકરણની ઘટનાને પંડિત જવાહરલાલ નેહરુએ “સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ” ગણાવ્યું.

પ્રશ્ન 8.
15 ઑગસ્ટ, 1947 સુધીમાં ક્યાં દેશી રાજ્યોના શાસકોએ જોડાણખત પર હસ્તાક્ષર કર્યા નહોતા?
ઉત્તરઃ
15 ઑગસ્ટ, 1947 સુધીમાં જમ્મુ-કશ્મીર, જૂનાગઢ અને હૈદરાબાદ રાજ્યોના શાસકોએ ‘જોડાણખત’ પર હસ્તાક્ષર કર્યા નહોતા.

પ્રશ્ન 9.
દેશી રાજ્યોના ભારતસંઘ સાથેના જોડાણનો પ્રશ્ન કોના કોના પ્રયત્નોથી હલ થયો?
ઉત્તરઃ
દેશી રાજ્યોના ભારતસંઘ સાથેના જોડાણનો પ્રશ્ન એ સમયના ભારતના નાયબ વડા પ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના મુખ્ય સચિવ વી. પી. મેનનના પ્રયત્નોથી હલ થયો.

પ્રશ્ન 10.
ભારત સરકારે હૈદરાબાદને ક્યારે અને કેવી રીતે ભારતીય સંઘ સાથે જોડી દીધું?
ઉત્તર :
ભારત સરકારે હૈદરાબાદને પોલીસ પગલું ભરીને 18 સપ્ટેમ્બર, 1948ના રોજ ભારતીય સંઘ સાથે જોડી દીધું.

પ્રશ્ન 11.
હૈદરાબાદના ભારતીય સંઘ સાથેના જોડાણમાં કોણે 3 અગત્યની ભૂમિકા ભજવી હતી?
ઉત્તરઃ
હૈદરાબાદના ભારતીય સંઘ સાથેના જોડાણમાં 3 શ્રી કનૈયાલાલ મુનશીએ અગત્યની ભૂમિકા ભજવી હતી.

પ્રશ્ન 12.
જૂનાગઢનું ભારતીય સંઘ સાથે જોડાણ કેવી રીતે થયું?
ઉત્તર:
સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહ અને જૂનાગઢના નાગરિકોની પ્રચંડ ઇચ્છાશક્તિ વડે જૂનાગઢનું ભારતીય સંઘ સાથે જોડાણ થયું.

પ્રશ્ન 13.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં કયો પ્રશ્ન સળગતો પ્રશ્ન બન્યો છે?
ઉત્તર:
ઈ. સ. 1947માં પાકિસ્તાને કશ્મીર પર આક્રમણ કરી કશ્મીરનો 13 જેટલો પ્રદેશ પચાવી પાડ્યો છે તે પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં સળગતો પ્રશ્ન બન્યો છે.

પ્રશ્ન 14.
ભારત આઝાદ થયો એ સમયે દેશના કયા પ્રદેશો પર ફેંચોનો અંકુશ હતો?
ઉત્તર:
ભારત આઝાદ થયો એ સમયે દેશના પુડુચેરી (પોંડિચેરી), કરાઇકલ (તમિલનાડુ), માહે (કેરલ), યનામ (આંધ્ર પ્રદેશ) અને ચંદ્રનગર (પશ્ચિમ બંગાળ) પર ફેંચોનો અંકુશ હતો.

પ્રશ્ન 15.
ગોવા, દીવ, દમણ અને દાદરા-નગરહવેલીને ભારતીય સંઘમાં ક્યારે જોડી દેવામાં આવ્યાં?
ઉત્તર
ભારતના બંધારણના 12મા સુધારા મુજબ ગોવા, દીવ, દમણ અને દાદરા-નગરહવેલીને 12 માર્ચ, 1962માં ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યાં.

પ્રશ્ન 16.
ગોવા, દમણ અને દીવમાંથી કોને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે?
ઉત્તરઃ
ગોવા, દમણ અને દીવમાંથી ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે.

પ્રશ્ન 17.
દાદરા-નગરહવેલીનું મુખ્ય મથક કયું છે? ઉત્તરઃ દાદરા-નગરહવેલીનું મુખ્ય મથક સેલવાસ છે.

પ્રશ્ન 18.
દમણ અને દીવનું મુખ્ય મથક કયું છે?
ઉત્તરઃ
દમણ અને દીવનું મુખ્ય મથક દમણ છે.

પ્રશ્ન 19.
ગોવાનું મુખ્ય મથક કયું છે? ઉત્તર : ગોવાનું મુખ્ય મથક પણજી છે.

પ્રશ્ન 20.
ભારતના બંધારણનો અમલ ક્યારથી થયો?
ઉત્તરઃ
26 જાન્યુઆરી, 1950ના દિવસથી ભારતના બંધારણનો અમલ થયો.

પ્રશ્ન 21.
‘રાજ્ય પુનર્રચનાપંચ’ના અધ્યક્ષ કોણ હતા? આ પંચના અન્ય બે સભ્યો કોણ હતા?
ઉત્તરઃ
‘રાજ્ય પુનર્રચનાપંચના અધ્યક્ષ સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલઅલી હતા. આ પંચના અન્ય બે સભ્યો હૃદયનાથ 3 કુંઝરુ અને કે. એમ. પનિકર હતા.

પ્રશ્ન 22.
રાજ્યોની પુનર્રચના પછી કેટલાં ઘટક રાજ્યો અને સંઘપ્રદેશો અસ્તિત્વમાં આવ્યા?
ઉત્તર:
રાજ્યોની પુનર્રચના પછી 14 ઘટક રાજ્યો અને 5 સંઘપ્રદેશો અસ્તિત્વમાં આવ્યા.

પ્રશ્ન 23.
ગુજરાત રાજ્યની રચના ક્યારે કરવામાં આવી?
ઉત્તરઃ
1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી.

પ્રશ્ન 24.
ભારતનાં કયાં સાત રાજ્યોને ‘સાત બહેનો’ (seven Sisters) તરીકે ઓળખવામાં આવે છે?
ઉત્તર
આ સાત રાજ્યોને ‘સાત બહેનો’ (Seven Sisters) તરીકે ઓળખવામાં આવે છે. ભારતનાં અસમ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલૅન્ડ.

પ્રશ્ન 25.
ઈ. સ. 2000માં બિહાર અને મધ્ય પ્રદેશમાંથી કયાં કયાં નવાં રાજ્યોની રચના કરવામાં આવી?
ઉત્તર :
ઈ. સ. 2000માં બિહારમાંથી ઝારખંડ નામના નવા રાજ્યની અને મધ્ય પ્રદેશમાંથી છત્તીસગઢ નામના નવા રાજ્યની રચના કરવામાં આવી.

પ્રશ્ન 26.
ઈ. સ. 2002માં ઉત્તર પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
ઉત્તર:
ઈ. સ. 2002માં ઉત્તર પ્રદેશમાંથી ‘ઉત્તરાખંડ’ નામના નવા રાજ્યની રચના કરવામાં આવી.

પ્રશ્ન 27.
ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના કરવામાં આવી?
ઉત્તર :
ઈ. સ. 2014માં આંધ્ર પ્રદેશમાંથી ‘તેલંગણા’ નામના નવા રાજ્યની રચના કરવામાં આવી.

પ્રશ્ન 28.
મહારાષ્ટ્રમાંથી કયા અલગ રાજ્યની માગણી ચાલુ છે?
ઉત્તરઃ
મહારાષ્ટ્રમાંથી ‘વિદર્ભ’ નામના નવા રાજ્યની માગણી ચાલુ છે.

પ્રશ્ન 29.
આજે (ઈ. સ. 2016માં) ભારતીય સંઘમાં કેટલાં રાજ્યો છે?
ઉત્તર
આજે (ઈ. સ. 2016માં) ભારતીય સંઘમાં 29 રાજ્યો છે.

પ્રશ્ન 30.
પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે મુખ્યત્વે ક્યાં પરિબળો જવાબદાર છે?
ઉત્તર
પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે મુખ્યત્વે ભાષા, જાતિ અને ધર્મ આ ત્રણ પરિબળો જવાબદાર છે.

પ્રશ્ન 31.
અસમમાં કઈ જાતિના લોકો ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે?
ઉત્તરઃ
અસમમાં બોડો જાતિના લોકો પોતાના અલગ પ્રદેશ માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે.

પ્રશ્ન 32.
ભારતના બંધારણમાં ભારતને કેવું રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું છે?
ઉત્તર
ભારતના બંધારણમાં ભારતને ‘સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ, લોકશાહી, પ્રજાસત્તાક રાષ્ટ્ર’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

પ્રશ્ન 33.
આયોજનપંચનો મુખ્ય હેતુ શો હતો?
ઉત્તર:
આયોજનપંચનો મુખ્ય હેતુ દેશના જુદા જુદા પ્રદેશોનો સમતોલ આર્થિક, સામાજિક તેમજ અન્ય ક્ષેત્રોમાં વિકાસ સાધવા માટે કેન્દ્રીય આયોજન કરવાનો હતો.

પ્રશ્ન 34.
ભારતે કયા ક્ષેત્રે અતિવિકસિત દેશોની બરાબરી કરી શકે એવી સિદ્ધિઓ મેળવી છે?
ઉત્તર:
ભારતે વિજ્ઞાન અને ટેકનોલૉજીના ક્ષેત્રે અતિવિકસિત દેશોની બરાબરી કરી શકે એવી સિદ્ધિઓ મેળવી છે.

પ્રશ્ન 35.
ભારતમાં મેટ્રો રેલ-પ્રોજેક્ટને કોણે સફળ બનાવ્યો છે?
ઉત્તર:
ઈ. શ્રીધરન (મેટ્રો મૅન) નામના ઇજનેરે ભારતમાં મેટ્રો રેલ-પ્રોજેક્ટને સફળ બનાવ્યો છે.

પ્રશ્ન 36.
ભારત કઈ ક્રાંતિને લીધે અન્ન-ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે?
ઉત્તર:
ભારત હરિયાળી ક્રાંતિને લીધે અન્ન-ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે.

પ્રશ્ન 37.
ભારતમાં કૃષિક્ષેત્રના વિકાસમાં કઈ કઈ બાબતોનો મહત્ત્વનો ફાળો છે?
ઉત્તર
ભારતમાં કૃષિક્ષેત્રના વિકાસમાં બહુહેતુક સિંચાઈ યોજનાઓ, જળાશયો, નહેરો, કૃષિ ટેક્નોલૉજી, કૃષિ સંશોધન સંસ્થાઓ, પ્રયોગશાળાઓ, કૃષિ યુનિવર્સિટીઓ, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ વગેરે બાબતોનો મહત્ત્વનો ફાળો છે.

પ્રશ્ન 38.
ઊર્જાની માંગને પહોંચી વળવા માટે શું કરવામાં આવ્યું છે?
ઉત્તરઃ
ઊર્જાની માંગને પહોંચી વળવા માટે દેશમાં અણુ-ઊર્જા માટેનાં રિઍક્ટરો બાંધવામાં આવ્યાં છે.

પ્રશ્ન 39.
સંસદમાં રાજ્ય પુનર્ચનાપંચ નીમવાની જાહેરાત કોણે, ક્યારે કરી?
ઉત્તર:
સંસદમાં રાજ્ય પુનર્ચનાપંચ નીમવાની જાહેરાત ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ ઈ. સ. 1953માં કરી.

નીચેના વિધાનોનાં કારણો આપો [પ્રત્યેકના 2 ગુણ]

પ્રશ્ન 1.
હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું.
ઉત્તર:
ભારત આઝાદ થયો એ પહેલાં હૈદરાબાદના નિઝામે ભારતીય સંઘથી સ્વતંત્ર રહેવાનું જાહેર કર્યું હતું.

  • આથી ભારત સરકારે તેને સમજાવ્યું કે, હૈદરાબાદની ચારે બાજુ ભારતીય સંઘના પ્રદેશો આવેલા છે એટલે તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહિ.
  • જોડાણ વિશે નિઝામે પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, જો ભારતના ભાગલા પડશે તો ભૌગોલિક કારણસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણોસર ભારતમાં જોડાઈ શકશે નહિ.
  • આમ, પોતાની વિચારસરણી મુજબ હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનું પસંદ કર્યું.

પ્રશ્ન 2.
આજે પણ કશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો અંકુશ છે.
ઉત્તર:
ભારતને સ્વરાજ્ય મળ્યું એ પહેલાં કશ્મીરના રાજા હરિસિંહે ભારત સાથે કશ્મીરનું જોડાણ કરવાનો નિર્ણય લીધો નહિ તેમજ જોડાણખત પર સહી કરી નહિ.

  • આ દરમિયાન કશ્મીરને પોતાની સાથે જોડવા માટે પાકિસ્તાને કશ્મીર પર આક્રમણ કર્યું. રાજા હરિસિંહે કશ્મીરનું રક્ષણ કરવા ભારત સરકારની લશ્કરી મદદ માગી.
  • ભારત સરકારે તેમની પાસેથી કશ્મીરના ભારતસંઘ સાથેના જોડાણખત પર સહી કરાવી લીધી. એ પછી ભારત સરકારે કશ્મીરમાં તાત્કાલિક ધોરણે લશ્કર મોકલીને આક્રમણખોરોને નસાડી મૂક્યા.
  • પરંતુ એ દરમિયાન પાકિસ્તાને કશ્મીરના ત્રીજા ભાગ પર પોતાનો ૨ અંકુશ જમાવી દીધો હતો.
  • એ ભાગ પાછો મેળવવા ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ નોંધાવી. સલામતી સમિતિએ યુદ્ધવિરામ કરવા જણાવ્યું.
  • ભારતની એ ફરિયાદનો નિકાલ આજ દિન સુધી આવ્યો નથી. તેથી આજે પણ કશ્મીરના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો અંકુશ છે.

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો [પ્રત્યેકના 2 ગુણ]

પ્રશ્ન 1.
આઝાદી પછી ભારત સમક્ષ કયા બે મુખ્ય પ્રશ્નો તાત્કાલિક ઊભા થયા?
ઉત્તર:
આઝાદી પછી ભારત સમક્ષ તાત્કાલિક નીચેના બે મુખ્ય પ્રશ્નો ઊભા થયા:

  • સ્વતંત્ર ભારતને અનુરૂપ રાજ્યબંધારણ ઘડવું.
  • બ્રિટિશ પ્રાંતો અને નાનાં-મોટાં 562 દેશી રાજ્યો – રિયાસતોનું એકીકરણ કરી, તેમને ભારતસંઘ સાથે જોડી દઈને એક, અખંડ અને સ્વતંત્ર ભારતની રચના કરવી.

પ્રશ્ન 2.
કશ્મીરના મહારાજા હરિસિંહે જોડાણખતમાં શા માટે સહી કરી?
અથવા
કારણો આપોઃ કમરના મહારાજા હરિસિંહે તાબડતોબ જોડાણખત પર સહી કરી.
ઉત્તર:
કશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથે જોડાવાનો નિર્ણય લીધો નહોતો. તેમણે ભારત સાથે જોડાવા માટેના જોડાણખત પર સહી કરી નહોતી.

  • આ દરમિયાન કશ્મીરને પોતાની સાથે જોડવા માટે પાકિસ્તાને કશ્મીર પર આક્રમણ કર્યું. પાકિસ્તાનના સૈનિકોએ કશ્મીરમાં લૂંટફાટ અને અત્યાચાર શરૂ કર્યા.
  • કટોકટીની આ સ્થિતિ સામે કશ્મીરનું રક્ષણ કરવા રાજા હરિસિંહે ભારતની લશ્કરી સહાય માગી.
  • ભારત સરકારે તેમને જણાવી દીધું કે, પહેલાં તમે ભારતીય સંઘ સાથે જોડાવા માટેના જોડાણખત પર સહી કરો એ પછી અમે કશ્મીરનું રક્ષણ કરવા લશ્કર મોકલીશું.
  • આથી કશ્મીરના રાજા હરિસિંહે તાબડતોબ જોડાણખતમાં સહી કરી.

પ્રશ્ન 3.
રાજ્યોની પુનર્ચના પછી કેટલાં ઘટક રાજ્યો અને સંઘપ્રદેશો અસ્તિત્વમાં આવ્યા?
ઉત્તરઃ
રાજ્યોની પુનરચના પછી 14 ઘટક રાજ્યો અને 5 સંઘપ્રદેશો અસ્તિત્વમાં આવ્યાઃ 14 ઘટક રાજ્યો

  1. આંધ્ર પ્રદેશ,
  2. અસમ,
  3. બિહાર,
  4. મુંબઈ,
  5. જમ્મુ-કશ્મીર,
  6. કેરલ,
  7. મધ્ય પ્રદેશ,
  8. મદ્રાસ,
  9. કર્ણાટક,
  10. ઓરિસ્સા,
  11. પંજાબ,
  12. રાજસ્થાન,
  13. ઉત્તર પ્રદેશ અને
  14. પશ્ચિમ બંગાળ.

5 સંઘપ્રદેશોઃ

  1. દિલ્લી,
  2. હિમાચલ પ્રદેશ,
  3. મણિપુર,
  4. ત્રિપુરા, અને
  5. લક્ષદ્વીપ ટાપુઓ.

પ્રશ્ન 4.
કેન્દ્ર સરકારે કોના અધ્યક્ષપદે ‘રાજ્ય પુનર્રચનાપંચ’ની રચના કરી? તેમાં બીજા કયા બે સભ્યો હતા?
ઉત્તર:
કેન્દ્ર સરકારે ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલઅલીના અધ્યક્ષપદે ‘રાજ્ય પુનર્રચનાપંચ’ની રચના કરી. તેમાં બીજા બે સભ્યો હૃદયનાથ કુંઝરુ અને કે. એમ. પનિકર હતા.

ટૂંક નોંધ લખો: [પ્રત્યેકના 3 ગુણો]

પ્રશ્ન 1.
જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ
ઉત્તર:
જૂનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલું છે. જૂનાગઢનો નવાબ મુસ્લિમ હતો, જ્યારે રાજ્યની મોટા ભાગની વસ્તી હિંદુઓની હતી.

  • નવાબે પ્રજાની ઇચ્છા વિરુદ્ધ આઝાદીના દિવસે જ જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. પાકિસ્તાને તેને મંજૂર કર્યું.
  • સરદાર પટેલે તાત્કાલિક વળતાં પગલાં લેવાનું નક્કી કર્યું.
  • જૂનાગઢને સ્વતંત્ર કરી તેને ભારતીય સંઘમાં જોડવા માટે મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ ‘આરઝી હકૂમત’ની સ્થાપના કરી.
  • સૌરાષ્ટ્રનાં બધાં રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેનો જોડાણનો વિરોધ કર્યો. નવાબે જૂનાગઢના લોકોને ત્રાસ આપવા માંડ્યો.
  • ભારતના સૈન્ય અને નૌકાદળે જૂનાગઢને ચારે બાજુથી ઘેરી લીધું. આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો.
  • 9 નવેમ્બર, 1947માં ભારત સરકારે જૂનાગઢ કબજે કર્યું.
  • એ પછી જૂનાગઢમાં લોકમત લેવાતાં લોકોએ જૂનાગઢને સંપૂર્ણપણે ભારતીય સંઘ સાથે જોડી દેવાની તરફેણ કરી.
  • આમ, સરદાર પટેલની કુનેહ અને જૂનાગઢના નાગરિકોની ઇચ્છાશક્તિ વડે જૂનાગઢનું ભારતીય સંઘ સાથે જોડાણ થયું.

પ્રશ્ન 2.
હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ.
ઉત્તર:
હૈદરાબાદ રાજ્ય દક્ષિણ ભારતમાં આવેલું છે. હૈદરાબાદના નિઝામે પોતાના રાજ્યને 15 ઑગસ્ટના દિવસે સ્વતંત્ર જાહેર કર્યું.

  • ભારત સરકારે નિઝામને ભારતીય સંઘમાં જોડાઈ જવાની અનેક વખત વિનંતી કરી. ભારત સરકારે તેને સમજાવ્યું કે હૈદરાબાદની ચારે બાજુ ભારતીય સંઘના પ્રદેશો આવેલા છે એટલે તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહિ.
  • જોડાણ અંગે નિઝામે પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરતાં જણાવ્યું કે, જો ભારતના ભાગલા પડશે તો તે ભૌગોલિક કારણસર પાકિસ્તાન સાથે અને વૈચારિક કારણોસર ભારત સાથે જોડાઈ શકશે નહિ. આથી તેણે સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું.
  • સરદાર પટેલે નિઝામને સમજાવવા તેની સાથે વાટાઘાટો શરૂ કરી. નિઝામ વતી વાટાઘાટો કરનાર અધિકારીઓને સ્પષ્ટ જણાવી દીધું કે, હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાવાની તીવ્ર ઇચ્છા ધરાવે છે. તેથી તેમની ઇચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે.
  • એ સમયે નિઝામના અધિકારીઓએ અને સૈન્ય પ્રજા પર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. લોકોને એમાંથી બચાવવા માટે ભારત સરકારે હૈદરાબાદ સામે પોલીસ પગલું ભરીને 18 સપ્ટેમ્બર, 1948ના રોજ તેને ભારતીય સંઘ સાથે જોડી દીધું. નિઝામે શરણાગતિ સ્વીકારી. નિઝામને તેનાં હિતોની બાંયધરી આપવામાં આવી.
  • હૈદરાબાદના જોડાણની સમગ્ર કાર્યવાહીમાં કનૈયાલાલ મુનશીની ભૂમિકા મહત્ત્વની હતી.

પ્રશ્ન 3.
રાજ્ય પુનર્રચનાપંચની ભલામણો
ઉત્તર:
1 ઑક્ટોબર, 1953ના રોજ અ-વર્ગના ચેન્નઈ (મદ્રાસ) રાજ્યમાંથી ભાષાના ધોરણે આંધ્ર પ્રદેશના નવા રાજ્યની રચના કરી. એ પછી ભાષાના ધોરણે રાજ્યોની નવેસરથી રચના કરવાની માગણી આખા દેશમાં થવા લાગી.

  • આથી કેન્દ્ર સરકારે રાજ્યોની પુનર્રચનાના પ્રશ્નનો અભ્યાસ કરી જરૂરી ભલામણો કરવા ઈ. સ. 1953માં સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ફઝલઅલીના અધ્યક્ષપદે ‘રાજ્ય પુનર્રચનાપંચની નિમણૂક કરી. હૃદયનાથ કુંઝરુ અને કે. એમ. પનિકરને એ પંચના સભ્યો તરીકે નીમવામાં આવ્યા. સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોની પ્રજાના અભિપ્રાયો, મંતવ્યો, રજૂઆતો, મુલાકાતો તેમજ પત્રવ્યવહાર દ્વારા સૂચનો મેળવી રાજ્ય પુનર્ચનાપંચે તેનો અહેવાલ 30 સપ્ટેમ્બર, 1955ના રોજ કેન્દ્ર સરકારને સોંપ્યો.
  • સંસદમાં એ અહેવાલની વિગતવાર ચર્ચા કરવામાં આવી. સંસદે રાજ્યોની પુનર્રચના કરવા માટે ભારતના બંધારણમાં સુધારો કરતો ખરડો પસાર કર્યો.
  • એ ખરડાને ભારતના રાષ્ટ્રપ્રમુખની મંજૂરી મળતાં 1 નવેમ્બર, 1956થી તેનો અમલ કરવામાં આવ્યો.
  • રાજ્ય પુનર્ચનાપંચની ભલામણો મુજબ દેશનાં ચાર પ્રકારનાં રાજ્યો રદ કરવામાં આવ્યાં અને 14 ઘટકરાજ્યો અને 5 કેન્દ્રશાસિત સંઘપ્રદેશોમાં રાજ્યોની પુનર્ચના કરવામાં આવી. એ ચોદ પૈકી મોટા ભાગનાં રાજ્યોની રચના ભાષાના ધોરણે કરવામાં આવી હતી.

નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખોઃ [પ્રત્યેકના 4 ગુણ]

પ્રશ્ન 1.
ટૂંક નોંધ લખો કશમીરનો પ્રશ્ન
ઉત્તર:
ભારતને સ્વરાજ્ય મળ્યું એ સમયે કશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરા મૂંઝવણમાં હતા, કારણ કે તેમણે ભારત સાથેના જોડાણખત પર સહી કરી નહોતી.

  • આ દરમિયાન પાકિસ્તાને કશ્મીરને પોતાની સાથે જોડવા માટે કશ્મીર પર આક્રમણ કર્યું. પાકિસ્તાનના સૈનિકોએ કશ્મીરમાં લૂંટફાટ અને અત્યાચાર શરૂ કર્યા. આ કટોકટીની સ્થિતિમાં રક્ષણ મેળવવા રાજા હરિસિંહે ભારતની લશ્કરી મદદ માગી.
  • ભારત સરકારે તેમને ભારતીય સંઘ સાથે જોડાવા માટેના જોડાણખત પર સહી કરવા જણાવ્યું.
  • તેથી રાજા હરિસિંહે તાબડતોબ જોડાણખત પર સહી કરી. એ પછી ભારત સરકારે કશ્મીરમાં તાત્કાલિક ધોરણે લશ્કર મોકલીને આક્રમણખોરોને નસાડી મૂક્યા.
  • પરંતુ એ દરમિયાન પાકિસ્તાને કશ્મીરના ત્રીજા ભાગ પર પોતાનો લશ્કરી કબજો જમાવી દીધો.
  • એ ભાગ પાછો મેળવવા ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં ફરિયાદ નોંધાવી. સલામતી સમિતિએ યુદ્ધવિરામ કરવા જણાવ્યું.
  • જમ્મુ-કશ્મીર રાજ્યના ત્રીજા ભાગ પર પાકિસ્તાનનો આજે પણ છે અંકુશ ચાલુ છે. પરંતુ કશ્મીર કાયદેસર રીતે ભારતનો જ ભાગ છે તે હકીકત નિર્વિવાદ છે.
  • આજે કશ્મીરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોનો સળગતો પ્રશ્ન છે.

પ્રશ્ન 2.
બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારતમાં કેટલા વર્ગનાં રાજ્યો હતાં? કયાં કયાં?
ઉત્તર:
26 જાન્યુઆરી, 1950ના રોજ બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારતમાં अ, ब, क અને ड વર્ગોનાં ચાર પ્રકારોનાં રાજ્યો હતાં. આ ચાર વર્ગ(પ્રકાર)નાં રાજ્યોનો દરજ્જો એકસમાન નહોતોઃ
अ-વર્ગનાં રાજ્યો

  1. આંધ્ર પ્રદેશ,
  2. અસમ,
  3. બિહાર,
  4. મુંબઈ,
  5. મદ્રાસ,
  6. ઓડિશા (ઓરિસ્સા),
  7. પંજાબ,
  8. ઉત્તર પ્રદેશ અને
  9. પશ્ચિમ બંગાળ.

ब-વર્ગનાં રાજ્યો

  1. હૈદરાબાદ,
  2. જમ્મુ-કશ્મીર,
  3. મધ્ય ભારત,
  4. મૈસૂર,
  5. પેપ્સ (પતિયાલા ઍન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ્સ યુનિયન),
  6. રાજસ્થાન,
  7. સૌરાષ્ટ્ર અને
  8. ત્રાવણકોર – કોચી.

क-વર્ગનાં રાજ્યો:

  1. અજમેર,
  2. બિલાસપુર,
  3. ભોપાલ,
  4. કૂર્ગ,
  5. દિલ્લી,
  6. હિમાચલ પ્રદેશ,
  7. કચ્છ,
  8. મણિપુર,
  9. ત્રિપુરા અને
  10. વિંધ્ય પ્રદેશ.

ड-વર્ગનું રાજ્ય અંદમાન-નિકોબાર ટાપુઓ

The Complete Educational Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *